મનપાની ચૂંટણીમાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો : ધંધાર્થીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત અને ઘરવેરામાં 50 ટકા સુધીનો ઘટાડો કરશે

રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી જંગમાં કોંગ્રેસ દ્વારા આજે શપથપત્ર જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસે શપથપત્રમાં કહ્યું છે કે તમામ શહેરીજનોને સરકારની ફ્રી સેવાઓ અને સુવિધાઓ માટે ગુજરાઈટ કાર્ડ આપવામાં આવશે. સત્તામાં આવ્યાના 24 કલાકમાં કોન્ટ્રાક્ટ પ્રા નાબુદીની શરૂઆત કરવામાં આવશે. તેમજ કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરુ કરવામાં આવશે. સત્તામાં આવતાં જ આ પત્રમાં લખવામાં આવેલા એક એક શબ્દનું પાલન કરવામાં આવશે.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે અમે વાયદા નહિ શપથ લઈને આવ્યા છીએ. ભાજપના શાસનમાં જે ખોટું થાય છે તેને રાઈટ કરવું એટલે ગુજરાઇટ છે. ભાજપની જેમ અમે ખોટા વાયદા કે વચન નથી આપતા. કોંગ્રેસ કોર્પોરેશનમાં સત્તામાં મફત શિક્ષણ, આરોગ્ય અને ભ્રષ્ટાચાર દૂર કરવાની શપથ લઈએ છીએ. કોંગ્રેસ ગુજરાઇટ કાર્ડ લાવશે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો આ કાર્ડના માધ્યમથી સુવિધાઓ અને યોજનાઓનો લાભ લઇ શકશે.

કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં કરેલા વાયદાઓ

  • દરેકને ફ્રી પાણી મળે તેવી સુવિધાઓ કરવામાં આવશે
  • ગરીબ પરિવારને ઘરનું ઘર મળે તેવો પ્રયાસ કરવામાં આવશે
  • તમામ શહેરોમાં નાગરિકોને ફ્રી વાહન પાર્કિંગ આપીશું
  • ​​​​​​​ઘરવેરામાં 50 ટકા સુધીનો ઘટાડો કરીશું
  • કોન્ટ્રાક્ટના નામે યુવા વર્ગનું શોષણ થાય છે તે આઉટસોર્સિંગ નાબૂદ કરીશું.
  • 6 મહાનગરમાં તમામ સરકારી શાળામાં મોડેલ સ્કૂલો બનાવી અને ધો. 1થી જ અંગ્રેજી માધ્યમ શરૂ કરી અને મફત શિક્ષણ સુવિધાઓ શરૂ કરશે
  • આધુનિક હોસ્પિટલ અને દરેક વોર્ડમાં તિરંગા ક્લિનિક બનાવવામાં આવશે.
  • કોરોના કાળમાં આર્થિક નુકશાની ભોગવી રહેલા ધંધાર્થીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત આપીશું
  • વરસાદી પાણીના નિકાલથી લોકોને જે નુકસાન થાય છે તે દૂર કરવા એક્સપર્ટની મદદ લઇ કામગીરી કરવામાં આવશે.
  • શહેરી વિસ્તારોમાં પાર્કિગની સમસ્યા છે. પાર્કિગના નામે ઉઘાડી લૂંટ ચાલે છે. જે દૂર કરવામાં આવશે અને ફ્રી પાર્કિગ કરવામાં આવશે.
  • વિદ્યાર્થીઓ અને શહેરીજનો માટે ફ્રી વાઈફાઈ ઝોન બનાવવામાં આવશે.

Leave a Reply

Translate »