ખેડૂતોએ 12 થી 3 બધુ જ જામ કર્યું, ટિકૈટે કહ્યું કે, હજી બે રાજ્યોના ખેડૂતો સ્ટેન્ડ બાય છે

કૃષિ કાયદાનો વિરોધ કરતાં 40 ખેડૂત સંગઠનો આજે રાજસ્થાન અને હરિયાણા વચ્ચે શાહજહાંપુર સરહદ પર ચક્કાજામ કર્યો હતો. પંજાબના અમૃતસર અને મોહાલીમાં ખેડૂતો વાહનોને રોકવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા .

બીજી બાજુ, જમ્મુ-પઠાણકોટ હાઈવે પર પણ ખેડૂતોએ વાહનોની અવરજવર બંધ કરી દીધી . દેશના વિવિધ હિસ્સામાં પ્રદર્શનો કરાયા. ઘણી જગ્યાએ અટકાયત કરાય. હરિયાણાંમાં સ્કૂલોમાં રજા રખાય હતી. બપોરે 12 વાગ્યાથી શરૂ થયેલો ચક્કાજામ 3 વાગ્યા સુધી ચાલ્યો હતો. ખેડૂતોએ કહ્યું હતું કે પ્રદર્શન શાંતિપૂર્ણ કરવામાં આવશે. દિલ્હી-એનસીઆર, યુપી અને ઉત્તરાખંડમાં રસ્તાઓ પર રોજ જામ લાગતું હોવાનું કહીં ખેડૂતોએ ત્યાં જામ કર્યું ન હતું.

ખેડૂતોએ બેરિકેટ લગાવાયા છે ત્યા વૃક્ષારોપણ પણ કર્યું. ખેડૂત નેતઓએ શાંતિથી પ્રદર્શનની અપીલ કરી હતી.

દિલ્હીમાં તકેદારીરૂપે 10 મેટ્રો સ્ટેશન બંધ કર્યા

દિલ્હીમાં અસર થઈ શકે એવાં 10 મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યાં હતા. એમાં મંડી હાઉસ, ITO, દિલ્હી ગેટ, વિશ્વવિદ્યાલય, ખાન માર્કેટ, નેહરુ પ્લેસ, લાલકિલ્લા, જામા મસ્જિદ, જનપથ અને કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશન બંધ છે. અહીં કુલ 285 મેટ્રો સ્ટેશન છે.

ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું છે કે યુપી અને ઉત્તરાખંડના ખેડૂતોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે અને તેમને કોઈપણ સમયે બોલાવવામાં આવી શકે છે.

Leave a Reply

Translate »