શું ખરેખર ગાજીપુર બોર્ડર પરથી દૂર કરવામાં આવી રહ્યાં છે ખીલા?

દિલ્હીની ગાજીપુર બોર્ડરે રસ્તા પર ખીલા અને કાંટાળી વાડ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં બેરિકેડ્સ મૂકીને રસ્તાને સીલ કરવામાં આવ્યો હતો, જેના લીધે ખેડૂતોના ટ્રેક્ટર આવી ન શકે. હવે રસ્તા પરથી આ ખીલા દૂર કરવામાં આવી રહ્યાં હોય તેવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. 

ખીલા દૂર કરવાની વાત વાયરલ થતાં દિલ્હી પોલીસે આ અંગે સ્પષ્ટતા કરી છે કે, આ ખીલા નીકાળવામાં નથી આવી રહ્યાં, પરંતુ તેને રિપોઝિશન કરવામાં આવી રહ્યાં છે. એટલે કે તેમને આગળ-પાછળ કરવામાં આવી રહ્યાં છે. કહેવાય છે કે, કેટલીક જગ્યાએ જ્યાંથી લોકોની અવર-જવર થવાની છે તેને ધ્યાનમાં રાખીને ખીલા ત્યાંથી ખસેડી બીજી જગ્યાએ લગાવવામાં આવશે. 

Leave a Reply

Translate »