ચર્ચામાં: બિહારમાં ઝંડો ગાડનાર અસુદ્દીન ઓવૈસી એક સમયે ફાસ્ટ બોલર હતા

કોલેજના દિવસોમાં ક્રિકેટના ક્ષેત્રમાં ફાસ્ટ બોલર તરીકે ઉતરેલા અસદુીન ઓવૈસીએ આશરે બે દાયકા પહેલા હૈદરાબાદના ચારમિનાર વિસ્તારથી રાજકીય ઇનિંગ્સની શરૂઆત કરી હતી, ભાગ્યે જ કોઈએ અનુમાન લગાવ્યું હશે કે ભવિષ્યમાં તેના રાજકીય બાઉન્સરો મુસ્લિમ મતો મેળવશે. એકદમ જામી પડેલી રાજકીય પાર્ટીઓ માટે તેઓ મુશ્કેલી ઊભી કરશે. પહેલા મહારાષ્ટ્ર અને હવે બિહારમાં તેઓ બરાબર ખિલ્યા છે. મુસ્લિમ બહુલ વિસ્તારમાં મજબૂત થતી હૈદરાબાદના આ સાંસદ ઓવૈસીની પકડ આવનારા સમયમાં પગપેસારીને બેસેલી પાર્ટીઓનો માથાનો દુખાવો વધારી શકે એમ છે.

બિહારમાં તમામ રાજકીય પંડિતોને ખોટા ઠેરવી પાંચ સીટ મેળવી

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટી ‘ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન (એઆઈએમઆઈએમ) એ મુસ્લિમ વસ્તી ધરાવતા સીમાંચલની પાંચ બેઠકો જીતીને રાજકીય નિષ્ણાતોને આશ્ચર્યચકિત કર્યા. જો કોંગ્રેસ અને આરજેડીના મહાગઠબંધન સત્તાના ઉંબરે ન પહોંચી શકી તેનું મુખ્ય કારણોમાંનું એક એઆઇએમઆઇએમ દ્વારા મુસ્લિમ મતો તોડ્યા હોવાનું પણ માનવામાં આવે છે. ધર્મનિરપેક્ષતાના રાજકારણના હિમાયતી તરીકે જાણીતા કેટલા રાજકીય પક્ષો ઓવૈસીને ભાજપની ‘બી-ટીમ અને વોટ-કટર’ ગણાવ્યા છે, પરંતુ -51 વર્ષીય ઓવૈસી કહે છે કે દેશમાં ગમે ત્યાંથી ચૂંટણી લડવાનો તેમનો અધિકાર છે. પોતાની હાર માટે મને જવાબદાર ઠેરવવાનો હંમેશા પ્રયાસ કરનારા જૂના પક્ષો ભાજપને આગળ વધતા રોકી નથી શક્યા.

2014માં પહેલીવાર હૈદરાબાદથી બહાર નીકળી મહારાષ્ટ્રમાં લડી તેમની પાર્ટી

વર્ષ 2014 માં જ્યારે ઓવૈસીની આગેવાનીવાળી એઆઈઆઈએમએમ હૈદરાબાદના પોતાના પાર્ટી મુખ્યાલય  ‘દારુસલમ’ થી બહાર નીકળી અને મહારાષ્ટ્રના રાજકારણમાં પ્રવેશ કર્યો, ત્યારે તે પહેલીવાર રાષ્ટ્રીય રાજકીય પ્રસારનો એક ભાગ બની ગઈ અને તેને કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) માટે જોખમ તરીકે જોવામાં આવ્યું. ત્યારબાદ, 2019 ની લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની ઔરંગાબાદની બેઠક અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીમાં બે બેઠકો મેળવીને ઓવૈસીની પાર્ટીએ રાજ્યમાં ફરી એક વખત પોતાની હાજરીની અનુભૂતિ કરાવી હતી. હવે બિહારમાં તેના પ્રદર્શનથી એઆઈએમઆઈએમ અને ઓવૈસીને હાલની રાજકીય ચર્ચાના કેન્દ્રમાં જગ્યા બનાવી છે.

ઓવૈસી કોલેજકાળમાં ફાસ્ટ બોલર હતા, લંડનથી કાયદાનું અધ્યન કરી પરત ફર્યા

બે દાયકાથી હૈદરાબાદથી લોકસભાના સભ્ય સલાહુદ્દીન ઓવૈસીના મોટા પુત્ર અસદુીન ઓવૈસીએ રાજકારણમાં પ્રવેશતા પહેલા ક્રિકેટના મેદાનમાં હાથ અજમાવ્યો હતો અને એક ઝડપી બોલર તરીકે યુનિવર્સિટી કક્ષાએ રમ્યા હતા. લંડનથી વકીલાતનો અભ્યાસ કરી પરત ફર્યા બાદ તેમણે 1994 માં પ્રથમ વખત રાજકીય સફરની શરૂઆત કરી હતી. તેણે પ્રથમ વખત હૈદરાબાદની ચાર મિનાર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી અને જીતી હતી. તેઓ વર્ષ 2004 માં પ્રથમ વખત લોકસભા પહોંચ્યા અને તે પછી તેમણે દરેક લોકસભાની ચૂંટણી જીતી.

સંસદમાં મુસ્લિમ સમાજને લગતા મુદ્દા ઊઠાવતા રહ્યાં છે

વર્ષ 2014 માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારની રચના બાદ, ઓવૈસીએ સંસદમાં અને બહાર મુસ્લિમ સમાજને લગતા પ્રશ્નો ઉભા કરીને પોતાનો રાજકીય ગ્રાફ વધાર્યો હતો. તાજેતરના વર્ષોમાં તેમણે ટ્રીપલ તલાક વિરોધી કાયદા, રિવાઇઝ્ડ સિટિઝનશીપ લો (સીએએ) અને ટોળાની હત્યાની ઘટનાઓ સામે સ્પષ્ટ અભિપ્રાયસ મુકી મુસ્લિમ સમાજમાં તેમના સમર્થકો વધાર્યા છે. તેમના સમર્થકો મોટે ભાગે યુવાન હોવાનું માનવામાં આવે છે.

જય ભીમ, જય મીમ: દલિતોને સાથે લાવ્યા

ઓવૈસીએ પણ દલિતોને મુસ્લિમો સાથે રાજકારણના કેન્દ્રમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો અને આ પ્રયત્નોમાં તે ઘણીવાર ‘જય ભીમ, જય મીમ’ ના નામનો નારો બુલંદ કરતા રહે છે. મહારાષ્ટ્રમાં મુસ્લિમ-દલિત એકતાના રાજકીય પ્રયોગમાં તેમણે ‘વંચિત બહુજન અગધી’ સાથે જોડાણ કર્યું, પરંતુ તેમના પ્રયોગને વધારે સફળતા મળી નહીં.

દાદાએ 1957માં પાયો નાંખ્યો હતો

અસદુદ્દીન ઓવૈસીના દાદા, અબ્દુલ વહીદ ઓવૈસીએ 1927 માં માં રચિત મજલિસ-એ-ઇતેહાદુલ મુસ્લિમીનને 1957માં  ‘ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસ્લિમિન’ તરીકે ફરી શરૂ કરી. અસદુદ્દીનનો ભાઈ અકબરુદ્દીન ઓવૈસી તેલંગાણા વિધાનસભાના સભ્ય છે અને તે અનેક વખત વિવાદિત નિવેદનો સાથે ચર્ચા માટે આવ્યો હતો.

આરોપ નકારતા આવ્યા છે

ઓવેસી સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પછાત મુસ્લિમો માટે અનામતની હિમાયત કરે છે. તેમના ઉપર અનેક વખત મુસ્લિમ સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ છે, પરંતુ તેમણે ઘણી વાર આ વાતનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તેમની રાજનીતિ માત્ર હિન્દુત્વની વિચારધારાની વિરુદ્ધ છે. તેઓ કહેતા આવ્યા છે કે અમારા વંશજોએ, મુસ્લિમોએ દેશની આઝાદીમાં પોતાનુ લોહી રેડ્યું છે અને અમારે ક્યાં સુધી દેશ પ્રત્યેની વફાદારી સાબિત કરતી રહેવી પડશે. શા માટે કેટલાક કટ્ટર લોકો મુસ્લિમો પ્રત્યે દ્રેષભાવ ફેલાવે છે. જે કટ્ટરવાદીઓનો આઝાદીની લડાઈમાં જરા પણ હિસ્સો નથી તે અમને દેશભક્તિના પાઠ ભણાવે છે.

Leave a Reply

Translate »