લોકડાઉન થવાનું છે કે કેમ? મુખ્યમંત્રીએ આ અંગે જવાબ આપ્યો કે….

ગુજરાત રાજ્યમાં દિવાળી બાદ લગાતાર વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કરફ્યૂ તો લાદી દેવાયો છે પરંતુ લોકોમાં ભય છે કે હવે સરકાર ફરી લોકડાઉન લગાવી શકે છે અને આ અંગે અફવાનું બજાર પણ ભારે ગરમ છે એવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલાસો કરતા મીડીયાને જણાવ્યું હતુ કે, હાલ ચાર મહાનગરોમા રાત્રી કરફ્યૂ છે. કોરોનાએ મહામારીને રોકવા સરકાર કટિબદ્ધ છે. ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય અને લોકો ને સરરવાર મળે લોકો સ્વસ્થ થાય. એ અમારી પ્રાથમિકતા છે. હાલ રાજ્યમાં પરિસ્થિતિ  જોઈએ તેવી ખરાબ નથી અને કોરોના સંદર્ભે  સરકારે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. કોઈએ ગભરાવાની જરૂર નથી. તેમજ દિવસે કરફ્યૂ લાદવાની કોઇ વિચારણા નથી. લોકો માસ્ક પહેરે, અને કેન્દ્રીય ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરે એ જરૂરી છે. કોઈ લોકડાઉન આવવાનું નથી. કોરોનાની સ્થિતી વકરે ત્યારે ઉચિત નિર્ણય કરીશું. લોકો એ અફવા માં આવવું નહીં. લોકો સાવચેતી રાખે. લોકોની સલામતીની જવાબદારી અમારી છે.  ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે પણ લોકડાઉન લગાવવાની વાતને ફગાવી દીધી હતી.

વેક્સિનની ટ્રાયલ શરૂ 

અત્યારે વેકસીનની ટ્રાયલ છે રાજ્ય માં 1000 થી વધુ લોકો પર ટ્રાયલ થવાની છે વેકસીન ડિસ્ટ્રીબ્યુશન અંગે વડાપ્રધાનને મુખ્યમંત્રી પાસે થી મંતવ્યો મંગાવ્યા હતા. તેનું આયોજન થઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર નક્કી કરશે તે મુજબ આગળ વધીશુ. હાલ ઉત્પાદન 4 તબક્કામાં રસીનું વિતરણ થશે. જેમા ફ્રન્ટ લાઈન વોરિયર્સને પ્રથમ વેકસીન અપાશે. તે બાદ બીજા તબક્કામાં કોરોના વોરિયર્સ સફાઈ કમદાર રેવન્યુ સ્ટાફ અને પોલીસને અપાશે. ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધુના લોકોને અપાશે, ચોથા તબક્કામાં 50 વર્ષથી નીચેના અને જે કોમોરબીડ હોય તેમને અપાશે.

Leave a Reply

Translate »