રાજ્યના 70 હજાર શિક્ષકોની નોકરી સરકારે સિક્યોર કરી દીધી, કેવી રીતે ?

રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે જેમા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો- કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી નવી નિમણૂક પામનાર કોઇપણ અનુદાનિત માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષક- કર્મચારીને વર્ગ-શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહી.

રાજ્ય સરકારે શિક્ષકો અને કર્મચારીઓના હિતલક્ષી અનેકવિધ નિર્ણયો લીધા છે ત્યારે બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી વર્ષ 2011થી કેન્દ્રીયકૃત રીતે મેરીટના આધારે કરવામાં આવે છે. સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા, ટાટ પરીક્ષા, લાયકાત, પગાર ધોરણ તેમજ કામગીરી એક સમાન હોય, આ નિર્ણય કરાયો છે. શિક્ષકોને ફાજલનું રક્ષણ ન હોવાને કારણે નોકરી ગુમાવતા હોવાથી આવા શિક્ષકો સતત અસલામતીના ભયના ઓથાર નીચે કામગીરી કરતા હતા ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણયથી શિક્ષકોમાં ખુશ થઇ ગયા છે. આ નિર્ણયની મહત્વની વાત એ છે કે, આથી નવી નિમણૂંક પામનારાને વર્ગ કે શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાનો વારો નહીં આવે. આ નિર્ણયથી રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના લગભગ 70 હજાર જેટલા શિક્ષક-કર્મચારીઓને આ લાભ મળશે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન

રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા એ જણાવ્યું છે કે, રાજ્ય સરકારે શિક્ષકો અને કર્મચારીઓના હિતલક્ષી અનેક નિર્ણયો કર્યા છે. જેમા હવેથી રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવે પછી નવી નિમણૂક પામનાર શાળાના શિક્ષક- કર્મચારીને વર્ગ કે શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહી. આ નિર્ણયના પરિણામે ખાલી પડતી જગ્યા પર નવેસરથી નિમણૂક કરવાના બદલે ફાજલ શિક્ષકની નિમણૂક કરવામાં આવે તો જગ્યા ભરવાની લાંબી પ્રક્રિયામાંથી બચી શકાશે અને તૈયાર થયેલ અનુભવી શિક્ષકને કામ આપી શકાશે અને શાળાઓને ઝડપથી અનુભવી શિક્ષકો મળશે.

Leave a Reply

Translate »