પાંડેસરા વિવર્સ કો.ઓ.સો.લી.ના વહીવટમાં અનિયમિતતા: ચાર નોટિસ ઘોળીને પી જવાય?

સુરત, પાંડેસરા વિવર્સ કો.ઓ.સો.લી ના વહીવટમાં થયેલ અનીયામીતાઓ અને નાણાકીય ગેરવહીવટ સરકારના ઓડિટ દરમિયાન સહકાર ખાતાના પેનલ ઓડીટર વિરલ પીનાકીન મારફતીયા દ્વારા તારીખ ૦૧.૧૦.૨૦૧૯ ના રોજ રજુ કરેલ અહેવાલમાં બહાર આવેલ હતા.  ગેર નીતિઓ અંગે તારીખ ૧૭.૦૩.૨૦૨૦ ના રોજ તારીખ ૦૫.૦૬.૨૦૨૦ ના રોજ તારીખ ૦૪.૦૭.૨૦૨૦ ના રોજ અને તારીખ ૨૧.૦૭.૨૦૨૦ ના રોજ પાંડેસરા વિવર્સ કો.ઓ.સો.લી. ને રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગાંધીનગર દ્વારા વારંવાર નોટીસો પાઠવીને પાંડેસરા વિવર્સ કો.ઓ.સો.લી ના વહીવટ માં થતી અનીયામીતાઓ અંગે ખુલાસો આપવા પ્રમુખ આશિષ ગુજરાતીને હિયરીંગ માં હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું. જોકે, કોવીડનું બહાનું બતાવી પાંડેસરા વિવર્સ કો.ઓ.સો.લી દ્વારા આજદિન સુધી હિયરીંગમાં હાજર રહેલ નથી અને ખુલાસા આપવાના બદલે તારીખ ૦૯.૦૭.૨૦૨૦ ના રોજ પત્ર લખીને જવાબ રજુ કરવા વધુ સમય માંગી રહ્યા છે. એક તરફ ગુજરાતી ચેમ્બરની ચૂંટણી સહિતના કાર્યક્રમોમાં હાજર રહ્યાં હતા અને હજી પણ તે આવી પ્રવૃતિમાં એક્ટિવ છે પરંતુ રજીસ્ટ્રાર સમક્ષ હાજર ન થતા અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યાં છે.

આ મુદ્દાઓમાં રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગાંધીનગર દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો છે.
1. સભાસદપણાની ખાત્રી માટેના સભાસદ રજીસ્ટર/શેર રજીસ્ટર /શેર ટ્રાન્સફર રજીસ્ટર વારંવાર ની સુચના છતાં તૈયાર કરવામાં આવતા નથી પરિણામે સંસ્થામાં વાસ્તવિક સભાસદ સંખ્યા નક્કી કરી શકાતી નથી, આ બાબતનો ખુલાસો કરવો.
2. સંસ્થા DGVCL/GSPCના બીલ ક્નેકશનની કામગીરી કરે છે. મંડળીના પેટા નિયમમાં આવી કામગીરી કરવાની જોગવાઈ નથી, આવી કામગીરી કરવા પૂર્વ અત્રેની કચેરીની પૂર્વ મંજુરી મેળવવી જોઈએ અને પેટા કાયદા સુધારો કરવો જોઈએ, આ બાબતનો ખુલાસો કરવો.
3. મંડળી વાર્ષિક સાધારણ સભા તા.૩૦/૦૬/૨૦૧૮ના મળવા અંગે ચોપડા પર દર્શાવેલ હતું પરંતુ આ સભાની હાજરી અને કાર્યવાહી નોંધ તૈયાર થયેલ હતી નહિ. કલમ -૭૭ નો ભંગ થયેલ છે આ બાબતનો ખુલાસો કરવો.
4. યાર્ન બેંક માટેની અલગથી યાર્ન બેંક કમિટી ની વરણી કરેલ છે પરંતુ વર્ષ દરમ્યાન એક પણ બેઠક આ કમીટીની મળી નથી. વર્ષ દરમિયાન કેટલું યાર્ન ખરીધું અને કોને વેચાણ કર્યું? કેટલું ધિરાણ કર્યું અને કોનું ધિરાણ વસુલ આવ્યું? આ બાબતના કોઈ ઠરાવો થતા નથી, આ બાબતનો ખુલાસો કરવો.
5. વર્ષ દરમિયાન ચેકથી ચુકવણી કરવામાં આવતી રકમના વાઉચરો મેળવવામાં આવતા નથી. ઉદાહરણ તરીકે સેમીનાર ખર્ચ રૂ.૧,૮૨,૩૩૦/- નું વાઉચર મેળવેલ નથી. વર્ષ દરમિયાન રૂ.૨,૬૫,૦૦૦/- વધારા નો પગાર ખર્ચ ચૂકવાયેલ છે . આ બાબતનો ખુલાસો કરવો.
6. મંડળીના હાથમાં સિલક રૂ.૧૫,૦૦૦/- સુધી રાખી શકાય તેના બદલે અન્વેશણાન્તે રૂ.૯૯,૯૧૫/- ની રકમ હાથ પર રાખવામાં આવી છે આ બાબતનો ખુલાસો કરવો.
7. યાર્ન બેંક ના ધિરાણ ના ડોક્યુમેન્ટ વ્યવસ્થિત મેળવવામાં આવતા નથી. ધિરાણ કરતા પહેલા એડવાન્સ ચેક તથા ધિરાણ મળ્યાની નિયત નમુનાની રસીદ મેળવવામાં આવતી નથી આ બાબતનો ખુલાસો કરવો.
8. વર્ષ દરમિયાન ટફ સબસીડી (TUF) વેરીફીકેશન/ઇન્સ્પેકશન ફી પેટે મળેલ રકમ રૂ.૨૮,૮૨,૨૩૦/- નફા ખોટ ખાતે લેવાના બદલે કેપિટલાઈઝ કરી મેમ્બરશીપ ફંડમાં જમા લેવામાં આવેલ છે. આ બાબતનો ખુલાસો કરવો.
9. ઉપરોકત તમામ અનિયમિતતા બદલ ગુજરાત સહકારી મંડળી ના અધિનિયમ ૧૯૬૧ ની કલમ, હેઠળ સંસ્થામાં વહીવટદાર ની શા માટે નિમણુક ના કરવી? તેનો ખુલાસો કરવા ઉપર દર્શાવેલ વિગતે તમામ વ્યવસ્થાપક કમિટી ના સભ્યોને હાજર રહેવા સુચના આપવામાં આવે છે.

સહકાર ખાતાના પેનલ ઓડીટર  વિરલ પીનાકીન મારફતીયા દ્વારા રજુ કરેલ અહેવાલ મુજબ વહીવટમાં પાંડેસરા વિવર્સ કો.ઓ.સો.લી માં થયેલ અનીયામીતાઓ અને નાણાકીય ભ્રષ્ટાચારમાં વધુ તપાસ હાથ ધરાવવા માટે આર.ટી.આઈ એક્ટીવીસ્ટ સંજય ઇઝાવા દ્વારા પાંડેસરા વિવર્સ કો.ઓ.સો.લી અને તેના પ્રમુખ આશિષ ગુજરાતી સામે રીજીયનલ ટેક્સટાઈલ કમિશ્નર, રજિસ્ટ્રાર, અગ્ર રહસ્યસચિવ, અધિક રજિસ્ટ્રાર(વહીવટ), રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ (ઔદ્યોગિક), અને રજિસ્ટ્રાર સુરત જીલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવેલ હતી.

તારીખ ૦૧.૦૪.૨૦૧૮ થી ૩૧.૦૩.૨૦૧૯ સુધીના સમયગાળામાં પાંડેસરા વિવર્સ કો.ઓ.સો.લી માં થયેલ કારોબારની ચકાસણી સરકાર દ્વારા કરવામાં આવેલ ઓડીટ માં ૧૯ જેટલી ગેરનીતીઓ અંગે એચ.બી.પટેલ, રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, (ઔદ્યોગિક) અને અધિક્નીયામક દ્વારા તારીખ ૦૫.૦૬.૨૦૨૦ ના રોજ તથા  સૌરભ કુમાર સિંન્હા રીજીયનલ ટેક્સટાઈલ કમિશ્નર, મીનીસ્ટ્રી ઓફ ટેક્સટાઈલ દ્વારા તારીખ ૧૯.૦૬.૨૦૨૦ ના રોજ નોટીસ પાઠવીને સમગ્ર મામલામાં જવાબ રજુ કરવા તથા ફરી ઓડીટ માટે તૈયાર રહેવા જણાવવામાં આવેલ હતું. આ તમામ માહિતીઓ આર.ટી.આઈ એક્ટીવીસ્ટ  સંજય ઇઝાવા દ્વારા કરેલ અરજીમાં બાહર આવી છે. આવનાર દિવસોમાં રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ દ્વારા રાખવામાં આવેલ હિયરીંગ માં ફરિયાદીને વધુ વિગત રજુ કરવા તક પણ આપવમાં આવશે.

Leave a Reply

Translate »