Latest News

Copy
June 15, 2025સ્ટોરી- રાજા શેખ, સુરત (98980 34910) સુરતની ભૂમિના બે ભામાશાએ મળીને વધુ એકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. સામાન્ય રીતે બધા પોતપોતાના સમાજ કે ધર્મ માટે દાન-સેવા કરતા હોય છે પરંતુ કેપી ગ્રુપના ચેરમેન-એમડી ડો. ફારુક પટેલ અને પીપી સવાણી ગ્રુપના મહેશ સવાણી ધર્મ, ન્યાત-જાતના વાડામાં માનતા નથી અને દરેક માટે એકસરખી પરોપકારી પ્રવૃત્તિ કરતા આવ્યા છે. આ વખતે બંને ગ્રુપએ ભેગા મળીને પીપી સવાણી ગ્રુપના સમૂહલગ્નમાં પરણાવેલી અનાથ ગરીબ દિકરીઓની માતા અને સાસુઓ સહિતના 300 જણા માટે ચારધામ યાત્રા અને  મુસ્લિમ દિકરીઓ અને તેમના પતિદેવ મળી 16 જણા માટે સઉદી અરેબિયામાં થતી મક્કા-મદીનાની ઉમરાહની જાત્રાનું આયોજન કર્યું છે. ખાસ વાત એ છે કે, ડો. ફારુક પટેલ આ દિકરીઓની સાથે ઉમરાહ કરવા જશે અને તેમની સગવડ અંગેનું ધ્યાન રાખશે. દરવર્ષની જેમ આ વર્ષે  ચારધામ યાત્રા 16 જૂનથી શરૂ થશે અને 6 ગ્રુપમાં અલગ-અલગ દિવસોએ 50-50ના ગ્રુપમાં જશે. ચારધામમાં અયોધ્યા, વારાણસી, છપૈયા સહિતના ધાર્મિક સ્થાનો પર વિનામૂલ્યે લઈ જવાશે. તેમજ ઉમરાહ(મક્કા-મદીના)15 દિવસની યાત્રા સંભવત: જુલાઈના પ્રથમ સપ્તાહના અંતમાં શરૂ થશે. આ યાત્રામાં ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળશે, જેમાં કુલ ૩૦૦ યાત્રાળુઓ ભાગ લેશે. પાવન ધાર્મિક સ્થળોની મુલાકાત સાથે આ યાત્રાઓનું મુખ્ય ઉદ્દેશ્ય સૌહાર્દ અને એકતાનો સંદેશો ફેલાવવાનો પણ છે. પીપી સવાણી ગ્રુપના મહેશન સવાણીએ કહ્યું કે, “આ યાત્રાના આયોજન દ્વારા આપણે ધર્મનિરપેક્ષ ભાવનાને મજબૂત બનાવી શકીએ છીએ. ગંગાસ્વરૂપ માતાઓ અને તેમની વેવાણ વચ્ચે સારા સંબંધો વિકસે અને એકબીજાનું આદર કરી દિકરા-દિકરીનું ઘર સ્વર્ગ સમાન બનાવે તે માટે આ આયોજન અમે વર્ષોથી કરીએ છીએ. ઉધના રેલવે સ્ટેશનથી સ્લીપર ક્લાસમાં યાત્રા શરૂ થશે અને દરેક જગ્યાએ જમવા-રહેવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.  આ બંને યાત્રાઓ કેપી ગ્રુપના ચેરમેન-એમડી ડો. ફારુક પટેલના સહયોગ અને તેમના નમ્રદિલ પ્રયાસોને કારણે સંભવ બની છે. બંને વચ્ચેનું જોડાણ સર્વધર્મ સમભાવની ભાવનાને ઉજાગર કરે છે.  ફારુકભાઈ પીપી સવાણી યુનિવર્સિટીમાં ઉર્જા નૂર સ્કોલરશીપ (મફત ઉચ્ચ શિક્ષણ) પણ ચલાવી રહ્યાં છે.  ડો. ફારુક પટેલે કહ્યુ કે, હું મહેશભાઈને ત્યાં દિકરીઓના સમૂહલગ્નમાં હાજરી આપવા ગયો હતો. મને મુસ્લિમ દિકરીઓના નિકાહમાં સાક્ષી બનાવાયો. મહેશભાઈએ ઈચ્છા વ્યક્ત કરી કે હું હિન્દુ દિકરીઓને અને સાસુ-માતાઓને તો ચાર ધામ કરાવી લઉં છું પણ મુસ્લિમ દિકરીઓનો પ્રશ્ન રહે છે. એટલે મેં અને મારી ટીમએ આ યતીમ દિકરીઓને તેમના પતિ સાથે મક્કા-મદીના ઉમરાહ મોકલવાનું નક્કી કર્યું.  સાથોસાથ મેં ચારધામની યાત્રામાં પણ યોગદાન આપવા માટે તૈયારી દર્શાવી અને તે મહેશભાઈએ ગ્રાહ્ય રાખી. ’ અમે માનવતા માટે આ રીતે કાર્ય કરતા રહીએ તેવી ઈશ્વરને પ્રાર્થના છે. ચારધામ યાત્રાએ જઈ રહેલા એક માતાજીએ કહ્યું કે, કદાચ બે-ચાર બહેનો પોતાના ખર્ચે આ યાત્રા કરી શકે એમ છે પરંતુ આમાથી મોટાભાગની બહેનો માટે તે સ્વપ્ન સમાન છે. જે ચારધામ યાત્રાનું નેક કામ આપ કરી રહ્યાં છો તેના માટે હું તમને આશિર્વાદ આપું છું. ઈશ્વર તમારાથી આવા કામ લેતો રહે.  ઉમરા માટે મક્કા-મદીના જતી એક દિકરીએ કહ્યું કે, ‘ મુસ્લિમોમાં પવિત્ર ધામ મક્કા-મદીના જવું એ એક મોટા પુણ્યનું કામ છે. મારું બચપનનું સ્વપ્ન હતું પણ પિતાજી દુનિયામાં ન રહ્યાં. અમે એક સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અને અમારા પરિવારમાં કોઈ આ ઉમરા માટે ખર્ચ કરી શકે એવી સ્થિતિમાં નથી. અલ્લાહે મહેશ પપ્પાના માધ્યમથી ફારુકભાઈ જેવા ફરિસ્તાને મોકલ્યા અને આ સંભવ બન્યું. હું તેમના માટે દુઆ કરું છું. સાથે મારી આવનારી ઔલાદ પણ તમારા જેવી બને તેવી અલ્લાહના દરબારમાં હું દુઆ કરીશ.’’ ડો. ફારુક પટેલ અગાઉ 11 દિવ્યાંગ વિદ્યાર્થીઓને તેમની માતા સાથે ઉમરા મોકલી ચુક્યા છે– નોંધનીય છે કે, દિલેર દિલના માલિક ડો. ફારુક પટેલ આ પહેલાં કોવિડ દરમિયાન ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા, સુરતમાં અભ્યાસ કરતા 11 દિવ્યાંગ સ્ટુડન્ટોને તેમની માતા સાથે ઉમરાની યાત્રા કરાવી ચુક્યા છે. જ્યારે 90 દિવ્યાંગ બાળકો અને તેમના કેરટેકરને હરિદ્વારા, મસુરી વગેરેની યાત્રા કરાવી ચુક્યા છે. ઉપરાંત તેઓ પોતાના મોટા પુત્રના લગ્નમાં ફાઈવસ્ટાર હોટલમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધો, અનાથો અને દિવ્યાંગજનોને બોલાવીને ફાઈવસ્ટાર હોટલમાં રિસેપ્શન કરાવી ચુક્યાં છે. તેઓ એજ્યુકેશન, હેલ્થકેર અને હેલ્પિંગ હેન્ડ સહિતની અનેક પરોપકારી પ્રવૃત્તિ કરે છે. જ્યારે મહેશભાઈ સવાણી સાડા પાંચ હજાર પિતા વિહોણી દિકરીઓને કોઈ પણ ન્યાતજાત ધર્મના વાડા વિના પરણાવી ચુક્યા છે અને તેમના આજીવન પિતા તરીકે તેઓ તેમના દરેક સુખદુખમાં સાથે ઊભા રહે છે. કેપી ગ્રુપ અને પીપી સવાણી ગ્રુપનું જોડાણ માનવતાના પ્રાધાન્ય આપવાની દિશામાં વધુ એક નેક કદમ તરીકે જોવાય રહ્યું છે. [...] Read more...
June 9, 2025સુરત : ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અને ચોથા સૌથી ફાસ્ટેટ ગ્રોઈંગ સિટીમાં જેનું નામ છે તે સુરત શહેર દરેક માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મુંબઈ બાદ સુરતની સમૃદ્ધિથી અંજાયને અનેક લોકો પરપ્રાંતથી આવીને અહીં રોટલો રળવા લાગ્યા છે. તે તો સુરત માટે ક્રેડિટ લેવા જેવી વાત છે પરંતુ તે બધા વચ્ચે ઉડીને આંખે વળગે અને આશ્ચર્યપમાડે તેવી વાત એ છે કે અહીં ભીખારીઓના ટોળેટોળા ઉમટી પડ્યાં છે!! એમાં પણ મહિલા-વૃદ્ધ ભીખારીઓ સૌથી વધુ છે. સૌથી શંકા ઉપજાવનારી બાબત એ છે કે દરેક મહિલાના ખોળામાં નાના બાળકો હોય છે, ઉપરાંત બે-ચાર ચારથી પાંચ વર્ષના બાળકો કારોની વચ્ચે ભીખ માંગતા ફરતા હોય છે. સુરતીઓ તેને ચોક્કસ ભીખ મંગાવનારી ગેંગ આ શહેરમાં સક્રિય થઈ હોવાની શંકા સેવી રહ્યાં છે. દરેક ચાર રસ્તે સવારથી સાંજ તેઓ પોલીસની હાજરીમાં જ કારની કતારોની વચ્ચે ઘુસી જઈ ભીખ માંગતા જોવા મળે છે!! જે અકસ્માતને પણ નોતરું આપી રહ્યાં છે. ખોળામાંના બાળકો આખો દિવસ સુઈ જ રહે છે, એ કેવી રીતે? લોકોના મનમાં અનેક શંકાઓ : દરેક ચાર રસ્તાઓ પર ખોળામાં બાળકો સાથેની મહિલા જોવા મળે છે. તમે કોઈ પણ સમયે ચાર રસ્તા પરથી પસાર થાવ એટલે એક જ સ્ટાઈલમાં ફરતી મહિલાઓ જોવા મળે છે. તેના ખોળામાં બાળક સુતેલું જોવા મળે છે. તમે કોઈપણ સમયે જુઓ તો આ બાળકો સુતેલા જ હોય છે. તેમના હાથમાં એક અડધા દુધથી ભરેલી બોટલ હોય છે અને આવીને તે બોટલ તેઓ ફોરવ્હીલ વાહનચાલકના કાર પર જોર જોરતી અથડાવે છે અને ભીખ માંગે છે. અગર તમે ન આપો તો તે તમને ગાળો બોલવા સુધી ખચકાતી નથી. ઘણી મહિલાઓ પાણીની બોટલ માંગે છે. શંકા ઉપજાવનારી બાબત એ છે કે આ નાના બાળકો ખોળામાં છે તે આખો દિવસ ઉંઘી કેવી રીતે રહે છે?શું તેઓને કોઈ ઘેની પદાર્થ ખવડાવી સુવડાવી રખાય છે? શું આ બાળકો ખરેખર આ મહિલાઓના છે? આટલી માેટી સંખ્યામાં બાળકો સાથે મહિલાઓ ક્યાંથી ઉતરી આવી? વૃદ્ધો પણ ક્યાંથી આવી ચઢ્યાં? આ સવાલોના જવાબ શહેરીજનો જાણવા માંગે છે અને તે પોલીસ સમક્ષ આશા વ્યક્ત કરી રહ્યાં છે કે અનેક મોટા ગુનાઓ શોધવામાં પાવરધી બની ગયેલી સુરત પોલીસ આ દિશામાં પણ શંકાની નજરે જુએ અને ચોક્કસ કાર્યવાહી કરે તો કદાચ બાળકચોર ટોળકી અથવા ભીખ મંગાવતી પ્રોફેશનલ ગેંગ સુધી પહોંચી શકે એમ છે. સુરતીઓ ત્રાહિમામ પોકારી ગયા છે: સામાન્ય રીતે લોકોના મનમાં એક દયાભાવના હોય છે અને તે દયાને આધિન તેઓ એવું માને છે કે મજબુરીવશ આ લોકો ભીખ માંગતા હશે પરંતુ એક જ પદ્ધતિ, રીત અને પરેશાન કરવાની ટેવ એ ચોક્કસ ગેંગ તરફ ઈશારો કરે છે. પોલીસ પોતાના સીસીટીવી કેમેરામાં આખી ભીખ માંગવાની પદ્ધતિ અને તેમની હલનચલનનું એનાલિસીસ કરે તો ઘણું બધુ ખુલ્લુ પાડી શકે એમ છે. ચાર રસ્તા પર તમે વાહન લઈ જાવ એટલે તમારી ગાડી પર નાના છોકરાઓ ટકોરા મારવા લાગે છે. મહિલાઓ કાચ પર થોકાથોક કરે છે, બાળકો ગાડીના બોનટ પર થોકે છે. ગાડી સારી હોય તો તે ઉપર પણ ચઢી જાય છે અને તમને ભીખ આપવા મજબૂર કરી મુકે છે. અગર તમે તેમને ધુત્કારો અથવા દૂર ખસવા કહો તો તેઓ સાંભળતા નથી અને એજ પ્રવૃત્તિ ચાલું રાખે છે. છતાં તમે ન ગાંઠો તો તમને હેલફેલ બોલતા પણ અચકાતા નથી. રોજ બરોજના ત્રાસથી સુરતીઓ ત્રાસી ગયા છે પરંતુ કોણ મોંઢે લાગે તેવું માનીને આગળ ધપે છે પરંતુ હવે આ હરકત એક ત્રાસદીમાં પરિણમી છે. પોલીસ સમાજ સુરક્ષા અને ભિક્ષુક ગૃહ વિભાગ સાથે મળીને આ માથાનો દુખાવો બની ગયેલી બાબતનો નિકાલ લાવે તે જરૂરી બન્યું છે. એક સુરતીએ ભીખારી મહિલાનો વીડીયો લીધો અને…એક ત્રાસેલા જાગૃત નાગરિક મનોજ અને ઉપેનએ કારગિલ ચોક પાસે ભીખ માંગતા સમયે કાર પર જોરજોરથી ટકોરા મારતી ટોળકીનો વીડીયો બનાવવાની કોશિશ કરી તો ભીખ માંગતી મહિલાએ દાદાગીરી સાથે એલફેલ બોલવાનું શરૂ કર્યું. એટલું ઓછું હોય તેમ તેણે જોરથી કાચ પર મુક્કો માર્યો અને કહ્યું કે, ક્યા હૈ તેરો, પૈસા તો દેતો નહીં અને વીડીયો બનાવે છે, નીકળ. અન્ય એક વાહનચાલકે કહ્યું કે, હું રોજ રાંદેર રોડ ઋષભ ચાર રસ્તાથી પસાર થાઉં છું. મારી એસયુવી કાર થોડી મોડીફાઈ કરાયેલી છે એટલે રોજ જોઈને નાના છોકરાઓ અને મહિલાઓ રીતસર આવીને તેના ફુટરેજ પર ચઢી જઈ જોરજોરથી કાચ પર ટકોરા મારે છે. ઘણીવાર તેમને સમજાય ચુક્યો છું પણ સમજતા જ નથી, ઉપરથી દાદાગીરી કરે છે અને પૈસા આપવા ફરજ પાડે છે. કારને નુકસાન ન થાય તે માટે પાંચ-દસ રૂપિયા મારે ફરજિયાત આપવા પડે છે. આ તો અહીં બે જ કિસ્સા ટાંક્યા છે પરંતુ આવા હજારો કારચાલકો રોજ દરેક ચાર રસ્તે પરેશાન થઈ રહ્યાં છે. સુરતીલાલાઓનું કહેવું છે કે, સુરતની ‘સિંઘમ’ પોલીસ આ ભીખારીઓના નેક્સસને પણ ઉઘાડું પાડીને ત્રાસમાંથી મુક્તિ અપાવે તે જરૂરી છે.! (વાચકવર્ગ પાસે આ બધા વીડીયો પણ અમને મળ્યાં છે) [...] Read more...
May 23, 2025ટ્રાફિક સર્કલ નાના કરાયા કે પૂરેપૂરા દુર કરી દેવાયા: જોકે, ગ્રીન સિગ્નલ મળતા સર્કલ પરથી ગાડી નીકળે છે પણ તે સર્કલને અડીને જ ક્રોસ કરી બનાવેલી બીઆરટીએસને અલગ પાડતી રેલિંગ ગ્રીલ પર એકદમ ધીમી પડી જાય છે. ત્યાં અથડાય જવાનો પણ ભય છે. ભૂલકાંભવન સ્કૂલ સામે તો બસ અડ્ડાની રેલિંગ બરાબર રોડ વચ્ચે એવી રીતે નડી રહી છે કે રોજ સંખ્યાબંધ અથડાણો અહીં થાય છે, જે દુર થાય તો ટ્રાફિક વધુ સરળ બની શકે. સુરત ટ્રાફિક પોલીસે વિતેલા ત્રણ-ચાર મહિનાથી ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે અનેક પ્રયાસો કર્યા. અકસ્માતો નિવારવા ઘણાં કાર્યો કર્યા પરંતુ તેમાં સૌથી વધુ એગ્રેસીવ કામ કર્યું તો ટ્રાફિકમાં અડચણરૂપ લાગતા ચાર રસ્તાઓ પરના સર્કલ (ટ્રાફિક આઈલેન્ડ) યા તો નાના કર્યા અથવા તેને સંપૂર્ણપણે દૂર કર્યા. જેનાથી, થોડો ઘણો ટ્રાફિક વહનમાં સુધાર થયો પરંતુ હજી પણ કેટલાંક પગલાં ટ્રાફિકને મસ્કા જેવું સ્મૂથ કરવા લઈ શકાય એમ છે. એક્ટિવ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત આમ તો દરેક સૂચનોને ગંભીરતાથી લઈને આગળ વધવામાં માને છે. સૂચનોનું સ્થળ નિરીક્ષણ કરીને તેનું નિરાકરણ કરવામાં માને છે. પરંતુ વધુ પડતી વાહનો અ‌‌‌વરજવરની અગવડની ફરિયાદોને મળી રહી છે તે જોતા ઘણી જગ્યાએ ચારરસ્તાને અડીને ત્રાસી (રોડ લાઈનથી બહાર કાઢીને) નાંખી દેવાયેલી બીઆરટીએસ બસના રૂટની રેલિંગ (ગ્રીલ) , ડીવાઈડરને કારણે ચાર રસ્તાથી સડસડાટ વાહન પસાર થવાને બદલે અટકી જઈ રહ્યાં છે. બીઆરટીએસ ગ્રીલ-ડિવાઈડર બહારથી બનાવ્યા હોવાથી અને તે પણ ચારરસ્તાને અડીને બનાવ્યા હોવાથી વાહનો ક્રોસ કરી કાઢવા પડે છે. રખે કોઈ ચુકી જાય તો તેને આ ગ્રીલ સાથે અથડાય જવાનો ભય છે. ઘણાં વાહનો અથડાવાની ઘટનાઓ બની પણ છે. ઉદાહરણ લઈએ….. અડાજણ ગામનું બ્રહ્માકુમારીનું સર્કલ આખેઆખું તોડી પાડ્યું. ચાલો સારું થયું. પરંતુ અહીં ચાર રસ્તાથી વાહન જેવા આગળની તરફ જાય છે કે તુરંત બીઆરટીએસ બસની રોડલાઈનથી બહારની તરફ લગાવી દેવાયેલી બીઆરટીએસની રેલિંગ-ડિવાઈડર આવી જાય છે. જે વાહનને ચાર રસ્તાથી સીધા પસાર થતા અવરોધે છે. પહેલી લાઈનમાં વાહન ચલાવતા લોકોએ વાહનને ક્રોસ કરીને બીજા રોડ પર સિફ્ટ કરવું પડે છે પરિણામે બીજી લાઈનમાં ચાલતા વાહનચાલકોએ અટકવું પડે છે અને તેની પાછળ બધા જ વાહનો અટકી જાય છે. એટલે સિગ્નલના સમય સુધીમાં દરેક વાહન પસાર થઈ શકતા નથી. ટ્રાફિકજામ પણ થાય છે. અગર કોઈનું ધ્યાન ન હોય તો વાહન એકબીજા સાથે અથવા બીઆરટીએસ ગ્રીલ સાથે અથડાય જાય છે.! આવું જ કારગીલ ચોકથી લઈ દરેક જગ્યાએ સમસ્યા છે. બીજું ભૂલકાંભવન સ્કૂલની સામે બીઆરટીએસનું બસ સ્ટોપ છે. ગુજરાત ગેસ સર્કલથી અડાજણ ગામ તરફ જતા રોડ પર બસ સ્ટેશન બ્રિજની નીચે છે પરંતુ રેલિંગ રોડની વચ્ચોવચ અંતરાય ઊભી કરતી છે. અહીં પણ આ જ સમસ્યા છે. અહીં તો ચાર રેલિંગ છે તે દુર કરીને રોડને સમતલ કરીને રસ્તો સરળ બનાવી શકાય છે. અડાજણ પાટીયા પર મોટું સર્કલ દૂર કર્યું પરંતુ જીલાની બ્રિજ તરફથી આવતા વાહનોને છેક બસ સ્ટેશન સુધી જઈને યુટર્ન લઈને ફરીને અડાજણ પાટીયા થઈ અડાજણ ગામ તરફ જવું પડે છે. અહીં રસ્તાે બંધ કરી દેવાયો છે. જે બિનજરૂરી હોવાની ફરિયાદ છે. દિલ્હીની જેમ બીઆરટીએસ રેલિંગ દૂર કરી દો તો રોડ સિક્સ લેન થઈ શકે એમ છે સામાન્ય રીતે લોકોનું માનવું છે કે, બીઆરટીએસની રેલિંગે અનેક અકસ્માતોને અંજામ આપ્યો છે. શહેરના કોઈપણ ખૂંણે જાઓ તો રેલિંગવાળી સમસ્યા નડી જ રહી છે. ઘણી જગ્યાએ બે-ચાર રેલિંગ રસ્તાની વચ્ચોવચ ઠોકી દઈ બસ સ્ટેશન ઊભા કરી દેવાયા છે. પબ્લિકનું કહેવું છે કે, દિલ્હીની જેમ દરેક જગ્યાએ જ્યાં બિનજરૂરી છે ત્યાંથી નડી રહેલી રેલિંગ દુર કરી દેવી જોઈએ. આખા શહેરમાં રસ્તાઓ સિક્સ લેન બની શકે એમ છે. સુરતના ઘણાં રૂટ પર બીઆરટીએસ રેલિંગ નથી છતા બસ તો સારી રીતે ચાલી જ રહી છે તો અલગથી રૂટ રાખી મુકવાનો મતલબ નથી. બીજું કે, સુરતમાં જેમ હેલ્મેટ અને પીયુસીવાળી સિસ્ટમ ઊભી કરાય તેમ ટ્રાફિક સેન્સ ઊભી કરી વાહનો લેનમાં ચાલે તે માટે પણ દંડનીય અપરાધ રાખવાે જોઈએ. તો જ વિદેશની જેમ સિસ્ટમ ઊભી થશે. ડાબી બાજુ વળનારો વાહનચાલક ઘણીવાર જમણીબાજુની પહેલી લાઈનમાં ઊભો રહીને ક્રોસ વાહન કાઢે છે તેનાથી ટ્રાફિક અડચણ થાય છે અને અકસ્માતનો ભય પણ રહે છે. લોકોનું કહેવું છે કે, આ મામલે સુરત મહાનગર પાલિકા, પોલીસ કમિશનર, ટ્રાફિક પોલીસ અને નેતાગણએ વિચારવું જોઈએ અને બીઆરટીએસના ટ્રાફિકને નડતરરૂપ રેલિંગ – બસ અડ્ડા અને ડિવાઈડર દૂર કરવા જોઈએ. [...] Read more...
February 27, 2025સુરતના વેસુ ખાતે રહેતી દિકરી ફોરવ્હીલ કાર સીખવા આવતી હતી અને મોદી ઓટો-સલાબતપુરાનો ટ્રેઈનીંગ આપતો ડ્રાઈવર તેની છેડતી કરતો હતો., અડપલા કરતો હતો. આ મામલે પોલીસ ફરિયાદ થઈ છે અને પોલીસે ડ્રાઈવર સામે એક્શન લીધા છે. જોકે, સૂત્રોનું માનીએ તો આ ઘટના કંઈક પહેલીવહેલી નથી આ પહેલા પણ ઘણી દિકરીઓએ આવી ફરિયાદ મોદીઓટોના ડ્રાઈવર અને સંચાલકો સામે કરી હતી! જોકે, તે પોલીસ ફરિયાદ સુધી ન પહોંચી શકી. ઈજ્જતના માર્યે પરિવારજનોએ ડ્રાઈવીંગ સ્કૂલ બદલી નાંખી. જોકે, અન્ય ડ્રાઈવીંગ સ્કૂલ સંચાલકોએ મોદી ઓટો છોડવાનું કારણ પુછતા આ વાત બહાર આવી હતી. હવે આ ઘટનાને ખૂબ જ નિંદનીય અને મોટર ડ્રાઈવીંગ ટ્રેનિંગ ઈન્સ્ટ્ટ્યુટ ઈન્ડસ્ટ્રીઝ માટે લાંછનરૂપ લેખાવી ધ સુરત ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા કડક પગલાં લેવા ઉપરાંત એક ગાઈડલાઈન પણ બહાર પાડી છે. એસોસિયેશનમાં પણ ‘મોદી ઓટો’ની છાપ નામચીન, વેલ્યુ વિનાની !!? મોટર ડ્રાઈવિંગ એસો.ના સૂત્રોના જણાવ્યાનુસાર મોદી ઓટો નિયમોનું ઉલ્લંઘન કરવામાં માસ્ટર છે. તેના સંચાલકનું તોછડાપણાંની ફરિયાદો અવનવર મળતી રહે છે! નિયમ મુજબ બીજા મોટર ડ્રાઈવિંગ સ્કૂલ જે વિસ્તારમાં ચાલતી હોય અથવા તો તેમને જે વિસ્તાર એલોટ થયો હોય તે વિસ્તારમાં જ તેઓ પોતાની સેવા આપે છે. પરંતુ મોદીઓટોના સંચાલકો અને ડ્રાઈવરો ખુલ્લી દાદાગીરી કરીને બીજાના વિસ્તારના ગ્રાહકો પણ ખેંચી લે છે અને બીજાના વિસ્તારમાં અતિક્રમણ કરી ત્યાં શીખવવા પહોંચી જાય છે. કહેવાય છે કે, મોદીઓટોની ઘણી ગાડીઓ પણ આરટીઓના નિયમ મુજબ ઓથોરાઈઝ્ડ નથી અને જોખમી રીતે ચલાવાય રહી છે!! આરટીઓમાં ઊંચી પહોંચને કારણે અધિકારીઓ પણ મોદીઓટોના સંચાલકો સામે કોઈ પગલાં લેતા ન હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.!! હવે છેડતી-અડપલાંની ઘટના બની છે ત્યારે આરટીઓ અથવા પોલીસ વિભાગ તે વેરીફાઈ કરે છે કે તેમ તે જોવું રહ્યું. (અગાઉ અનેક સ્કેમમાં આ‌વી ચુક્યું છે સંચાલકોનું નામ… તે જાણવા વાંચતા રહો Newsnetworks.co.in) મોટર ડ્રાઈવર એસો.એ તત્કાલિક આ નિયમો પાળવા હુકમ જારી કર્યો તારીખ ૨૫-૦૨-૨૦૨૫- .મંગળવારના રોજ સુરતની એક મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલમાં એક સ્ત્રી સાથે, ગાડી ચલાવતા શીખતી વખતે ઇન્સ્ટ્રક્ટર/ડ્રાઇવર દ્વારા અડપલા કરવામાં આવ્યા હતા, જેને ધ સૂરજ ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશન એ ખૂબ જ શરમજનક અને ગંભીર ઘટના ગણાવી છે. એના અનુસંધાનમાં એસોસિએશન એ સુરત ડિસટીક ની તમામ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલો ને નીચે મુજબ વિવિધ પ્રકારના પગલાઓ લેવા આદેશ આપે છે: ૧. દરેક ડ્રાઇવિંગ સ્કૂલના માલિકોએ પોતાના ઇન્સ્ટ્રક્ટર/ડ્રાઇવરનાં લાયસન્સ તથા આધાર કાર્ડ ની કોપી ફરજીયાત રાખવી પડશે અને નજીકના પોલીસ સ્ટેશનમાં એમનું રજીસ્ટ્રેશન કરાવી દરેક ઇન્સ્ટ્રક્ટર/ડ્રાઇવરની ચાલચલગત નો દાખલો લેવો ફરજિયાત છે. ૨. ટ્રેનિંગ સ્કૂલની તમામ ગાડીઓમાં, ગાડીની અંદરનું અને બહારનું રેકોર્ડિંગ થાય એવો માઈકવાળો ડેશબોર્ડ કેમેરા રાખવો ફરજિયાત છે. ૩. ટ્રેનિંગ સ્કૂલ ની તમામ ગાડીઓમાં જી.પી.એસ ટ્રેકર રાખવું ફરજિયાત છે. ૪. ડ્રાઇવિંગ શીખવા માટે કોઈપણ સ્ત્રી આવે તો તેને ઘરના કોઈ એક વ્યક્તિને પાછળ બેસાડવા માટે પણ ફરજિયાત છે. ૫. તમામ ડ્રાઇવિંગ સ્કૂલના માલિકો એ ટ્રેનિંગ સ્કૂલમાં ચાલતી તમામ ગાડીઓની આર.સી. બુક ની કોપી તથા ડ્રાઇવર/ઇન્સ્ટ્રક્ટર ની આધાર કાર્ડ અને લાયસન્સની કોપી ફરજિયાત પણે એસોસિએશનને જમા કરાવવાની રહેશે. ધ સુરત ડીસ્ટ્રીક મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશને આ ઘટના ની ગંભીર નોંધ લીધી છે અને આવી શરમજનક ઘટનાને ખૂબ જ નિંદનીય ગણાવીને સ્ત્રી સાથે અડપલા કરનાર ડ્રાઇવર/ઇન્સ્ટ્રક્ટરને કાયદાકીય કાર્યવાહી કરી સખતમાં સખત સજા આપવા માટે માંગણી કરી છે. -લિ.પ્રમુખશ્રી અને ઉપપ્રમુખ શ્રી,ધ સુરત ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશ [...] Read more...
December 13, 2024સુરત મહાનગર પાલિકા આમ તો સવાસોથી વધુ બ્રિજ બનાવીને ‘બ્રિજ સિટી’ હોવાની પીઠ ભલે ઠપઠપાવતી હોય પરંતુ અહીં વાહનોના વસ્તી વિસ્ફોટ પર અંકુશ ન હોવાને કારણે દિનપ્રતિદિન ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. આમ તો મહાપાલિકાના એન્જિનિયરો (હોશિંયાર કે ડોબા તે તમે વાંચકો નક્કી કરજો)ની ફૌજ હંમેશા એક ‘ગફલત’ કરે છે અને તે એ છે કે કોઈપણ બ્રિજનો એપ્રોચ ચાર રસ્તા પહેલા જ ઉતારી દે છે. જેથી, આખો બ્રિજ સડસડાટ વાહનો પસાર ભલે થઈ જાય પણ એપ્રોચ પરના બોટલ નેકને કારણે અને ચાર રસ્તાને કારણે વાહનો ટ્રાફિકમાં ફસાય છે. પી-પી-પોપોના અવાજથી લોકો પરેશાન થાય છે તે અલગ.! આવું જ કંઈ જીલાની બ્રિજ (આમ તો તેનું નામ શાસકોએ ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાડ્યું છે)માં પણ થયું છે. બ્રિજનો એપ્રોચ બરાબર પ્રસિદ્ધ સરદાર સ્કૂલના છેડે આપી દીધો. અહીં વાહનો ઉતરે એટલે તુરંત આગળ અડાજણ પાટીયાના ચાર રસ્તા આવે, તેમાં પણ પોલીસે ટ્રાફિક મેનેજમેન્ટ માટે સીધા ચાર રસ્તા પરથી વાહનો પસાર ન થાય તે માટે બેરિકેડ લગાવ્યા છે એટલે વાહનચાલકોએ પોતાના વાહનોને અડાજણ બસ ડેપો સુધી હંકારી જઈને ત્યાંથી યુ-ટર્ન મારીને સરદાર બ્રિજ તરફ આગળ જવું પડે છે. બીજી તરફ, વેડ રોડ તરફ જવા ઈચ્છતા વાહનચાલકો આખો યુટર્ન મારીને આવવું ન પડે તે માટે સરદાર સ્કૂલ પાસેથી રોંગ સાઈટ આવીને બ્રિજ પર ચઢવા જતા અડાજણ પાટીયા પરથી સીધા બ્રિજ પર ચઢતા વાહનો માટે અડચણ સાબિત થઈ રહ્યાં છે અને તેના કારણે લાંબો ટ્રાફિકજામ સર્જાય છે! હોર્નના લગાતાર અવાજથી સ્કૂલમાં ભણતા બાળકો અને ડિવાઈ્ન હીબા હોસ્પિટલના દર્દીઓ તેમજ આસપાસ રહેતા લોકો માટે ત્રાસ બની રહે છે. વહેલી સવારે સ્કૂલ ઉઘડવાના સમયે અને છૂટવાના સમયે તેમજ સવાર-સાંજના પીક અવર્સમાં તો આ સમસ્યા એટલી વકરી જાય છે કે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, અહીં ચાર રસ્તે ઊભી રહેતી ટ્રાફિક પોલીસ આ સ્થળે આવતી નથી. અગર 100 નંબર પર ફરિયાદ થાય તો પોલીસ આવે છે પણ તે રોંગ સાઈડથી આ‌વતા વાહનચાલકોને પાછા કરે છે પણ એક્શન લેતી નથી. પોલીસ દ્વારા લગાડવામાં આવેલા સીસીટીવીના આધારે પણ કંટ્રોલરૂમમાંથી પોલીસ તૈનાત કરાતી નથી કે મેમો મોકલવામાં આવતા નથી. આવા લોકોના વાહનો જપ્ત થાય અને મોટો દંડ થાય તો જ આ સમસ્યાનો અંત આવે એમ છે. સાથોસાથ ટ્રાફિક પોલીસ અહીંના દરેક રોંગ સાઈડ રસ્તા બંધ કરે તેમજ સીધા ચારરસ્તાને ખોલે તો આસાની રહે એમ છે. અહીં મહાપાલિકાએ ફ્લાયઓવર બ્રિજ બનાવવો જરૂરી સુરત મહાનગર પાલિકાએ વેડ દરવાજાના છેડે તો ફ્લાયઓવર બ્રિજ બનાવીને ત્યાં સર્જાતી આવી જ સમસ્યાનો ઉકેલ લાવી દીધો પરંતુ અડાજણ પાટીયાના છેડે પણ ફ્લાયઓવર બનાવવો જોઈએ તેવી માંગ સ્થાનિકો તેમજ વાહનચાલકો કરી રહ્યાં છે. પીક અવર્સમાં તમે અહીં એક સેકન્ડ ઊભી ન રહી શકો એવો વાહનોનો અવાજ અને હોર્નનો અવાજ લોકોને પરેશાન કરી રહ્યો છે. સ્કૂલના વિદ્યાર્થીઓ, હોસ્પિટલના દર્દીઓ અને સિનિયર સિટિઝનો પરેશાન થઈ રહ્યાં છે. માનસિક સ્થિતિ લોકોની બગડી રહી છે એટલો ઘોંઘાટ અહીં થઈ રહ્યો છે. સુરત મનપા તત્કાલિક ધોરણે ચંદ્રશેખર આઝાદ બ્રિજ (જીલાની બ્રિજ)ના અડાજણ છેડે ફ્લાયઓવર નિર્માણ કરીને તેને સીધો જ ચાર રસ્તાની આગળ ઉતારે અને એક છેડો ઋષભ ટાવરની આગળ અને એક છેડો નહેરબ્રિજ તરફ ઉતારીને આ કાયમી સમસ્યાનું નિરાકરણ લાવે તે જરૂરી છે!! ટ્રાફિક પોલીસ પણ સીધા ચારરસ્તા ખોલીને ટ્રાફિકનું પ્રોપર મેનેજમેન્ટ કરે તે જરૂરી છે. રાત્રે લક્ઝરી બસવાળાનો ત્રાસ આમ તો લક્ઝરીને બસને રાત્રે 10 વાગ્યા બાદ જ શહેરમાં એન્ટ્રી છે પરંતુ અડાજણ ગુજરાત ગેસ સર્કલથી અડાજણ પાટીયા સુધી લક્ઝરી બસ વાળા રાત્રે 8 પછી અડીંગો જમાવે છે. અહીંથી રાત્રે 8થી 10.30 સુધી પસાર થવું હોય તો મુશ્કેલ બને છે. રસ્તામાં વચ્ચોવચ લક્ઝરી બસ લાઈનબંધ ઊભી રાખી પેસેન્જરોને બેસાડે છે અને ટ્રાફિક જામ થાય છે પરંતુ તેઓને ટ્રાફિક પોલીસની કોઈ રોકટોક હોય તેમ દેખાતું નથી. આ મામલે અગાઉ ફરિયાદો પણ થઈ છે છતા લક્ઝરી બસવાળાઓ પર કોઈ અસર થઈ નથી. ઘણીવાર ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસના વાહનો અહીં ઊભા હોવા છતા કોઈ આ બસોને ખસેડવાની હિંમત કરતા નથી એ સ્થાનિક લોકોને આશ્રર્ય જન્માવે છે! અહીં શાસક પક્ષો પણ કોઈ તસ્દી લેતા નથી!! [...] Read more...
November 29, 2024એજન્સી: સુરત બેગમપુરાના વ્યાજઆતંકી શાબીર શેખને ક્રાઈમ બ્રાંચે પકડ્યા બાદ મહિધપુરા પોલીસને સોંપી દીધો. આમ તો ક્રાઈમ બ્રાંચે આ કેસમાં સીધા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ એન્ટ્રી લેવાના બે દિવસમાં શાબીરને છેક મહેસાણાથી પકડવા સાથે ડ્રોન ટેકનોલોજીની મદદથી તેના દ્વારા વ્યાજના બદલામાં ગિરવે લેવાયેલા ચાર ટુવ્હીલ અને બે ફોરવ્હીલ વાહનો કબજે લઈ સીધો ‘કોડિયો’ મહિધપુરા પોલીસના મોંઢામાં આપ્યો છે, પરંતુ લોકલ પોલીસ પાસે આ લોકોના ત્રાસથી મોતને ભેટેલા ગુલામ ખ્વાજા ઉર્ફે બોબી 12 દિવસ હોસ્પિટલ હતો તે દરમિયાન અનેક કારસ્તાન ઉઘાડા પાડવાની તક હતી પરંતુ 10 દિવસ બાદ ફરિયાદ લેનાર મહિધરપુરા પોલીસે તે તસ્દી લીધી નથી. આમ તો બેગમપુરામાં ચાલતા કાળા કામો અંગે સ્થાનિક પોલીસ વાકેફ જ ન હોય તે વાત કોઈ માનવા તૈયાર નથી. ઉપરથી શાબીર તેના ભાઈ નિઝામ, મૈય્યુ અને પુત્રો અર્શદ અને અનિષ વર્ષોથી વ્યાજખોરી, બળજબરી ગાડી ખેંચી લેવી, લોનનો એક હપ્તો બાકી હોય તેવી ગાડીઓ ખેંચી લઈ તેને વેચી દેવી અથવા પ્રદેશમાં મોકલી આપવી. ભૂલવા માટેની ગાડીઓ લીકર માફિયાઓને ભાડે આપવા જેવા કારસ્તાનો વર્ષોથી કરી રહ્યાં છે તે વાતથી અજાણ હોય તે પ્રશ્નો લોકો અને ભોગ બનનારા ઉઠાવી રહ્યાં છે!!. મહિધરપુરા પોલીસને એક દિવસનો સમય રિમાન્ડ દરમિયાન મળ્યો છે તે તેનો સદ્ઉપયોગ કરીને ઘણાં કારસ્તાન ઉઘાડા પાડીને બીજા ગુના શાબીર અને તેના ભાઈ-પુત્રો સામે દાખલ કરી શકે છે અને બીજા ભોગ બનનારાઓને પણ ક્રાઈમ બ્રાંચ જેવી ઝડપ સાથે શોધીને તેમની ફરિયાદ પણ લઈ શકે છે!!! મોડસ ઓપરેન્ડી: સ્થાનિક અને પોલીસ બેડાના અતરંગ સૂત્રોનું માનીએ તો શાબીર અને તેના ભાઈઓ વાહનો ખેંચી લેવાનું ગેરકાયદે કામ વર્ષોથી કરે છે. લોન ન ભરનારાઓની ગાડી ખેંચીને તેઓ કોઈ પણ એ્નઓસી લીધા વિના બારોબાર વેચી દેતા હતા. ગુજરાત બહાર પણ અનેક ટુવ્હીલ-ફોરવ્હીલ વાહનો તેઓએ સપ્લાય કર્યા હોવાની માહિતી મળી રહી છે. સૂત્રો કહે છે કે, બોગસ આરસીબુક બનાવતી ગેંગ સાથે પણ તેમની સંડોવણી હોઈ શકે છે!! બીજુ કે કોઈના પણ નામ વાહનો લોન પર લઈને તે વાહનો તેમજ ગિરવેમાં લીધેલા વાહનો કે ભૂલવાના વાહનો (આ વાહનો ખેંચનારનું કોર્ડવર્ડ છે) નામચીન બુટલેગરોને મહિને 2થી 3 લાખ રૂપિયાના ભાડે આપી દેતા હતા. અગર વાહનનો દારુની ખેપમાં પુરતો ઉપયોગ કરી લેવાયો હોય તો ફરી બુટલેગર ઈચ્છે તો રૂ. 50 હજારમાં આ વાહન પરત લઈ લેતા હતા. અગર વાહન પોલીસના હાથે પકડાય જાય તો જેનું વાહન ખેંચી લાવ્યા હોય તેને છોડાવી પરત આપવાનું કહીં તેની પાસેથી પણ સારી એવી રકમ પડાવી લેતા હોવાનું આ ધંધાના લોકો પાસેથી જાણવા મળ્યું છે.!! ગિરવેની ગાડી કેટલાક સારાં લોકોને પણ આપી હોવાનું તેમજ ‘‘સ્ટાફ’’માં પણ ફરતી હોવાનું કહેવાય રહ્યું છે! કેટલીક ચોરીની ગાડીઓના પણ સોદા પડ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.!! આ કામમાં સગરામપુરાનો ઈમરાન પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. જે અગાઉ ડીંડોલી પોલીસના હાથે પકડાય ચુક્યો છે. જ્યારે કલ્પેશ નામનો શખ્સ કે જેને ચારસો જેટલી ગાડી સાથે પોલીસે પકડ્યો હતો તે કામમાં પણ શાબીર એન્ડ મંડળી સામેલ હોવાની માહિતી સૂત્રો આપી રહ્યાં છે.!! બધા જ વારાફરતી ટોર્ચર કરતા: વ્યાજે રૂપિયા લેનારાઓનું કહેવું છે કે, શાબીર અગર વ્યાજે રૂપિયા આપે અથવા ગિરવેના બદલે રૂપિયા આપે તો મહિનાના અંતે પોતે પહેલા ઉઘરાણી કરતો અને તુરંત બાદમાં પુત્રો પણ વારાફરતી વ્યાજ લેવા દબાણ કરતા વ્યાજલેનારના ઘરે કે તે જ્યાં કામ કરતો હોય ત્યાં પહોંચી જઈ ડરાવતા. લગભગ 30 ટકા જેટલું ઊંચું વ્યાજ તેઓ વસૂલતા હતા. મોતને વ્હાલુ કરનાર ગુલામ ખ્વાજા ઉર્ફે બોબી તે કોવિડ દરમિયાનથી ચુકવતો હતો. જુગાર રમવા આવનારાઓ પણ ગ્રાહક: સ્થાનિક સૂત્રોનું માનીએ તો શાબીર તેના ભાઈના આંકડા-જુગારના અડ્ડા તેમજ અહીં ચાલતા અન્ય લોકોના અડ્ડા પર હારી જનારાઓને પણ જગ્યા પર માંગે તેટલા રૂપિયા આપતો અને એક દિવસનું 1000 રૂપિયા વ્યાજ વસૂલતો હતો.!! આમ રૂપિયા લેનારનું ફિગર વધતું જતું હતું અને તે તેની ચંગુલમાં ફસાતા જતા હતા!! થોડા દિવસ પહેલા જ એસએમસીએ તેના ભાઈના અડ્ડા પર રેડ કરી હોવાની માહિતી મળી રહી છે. [...] Read more...
November 29, 2024સુરત બેગમપુરા, તુલસીફળિયામાં રહેતા વ્યાજઆતંકી શાબીર શેખને કારણે ગુલામખ્વાજા ઉર્ફે બોબીએ ઝેર પી આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં મહિધરપુરા પોલીસે 10 દિવસ બાદ ફરિયાદ નોંધતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ક્રાઈમ બ્રાંચે મેદાનમાં ઉતારી હતી. ક્રાઈમ બ્રાંચના ડીસીપી રોજિયા સાહેબની ટીમે મહેસાણા, મીરાદાતાર પાસેથી વ્યાજઆતંકી શાબીર શેખને પકડી પાડયો હતો અને તેની પાસેથી વ્યાજના બદલામાં વાહનમાલિકો પાસેથી બળજબરીપૂર્વક કબજે લેવાયેલા 6 વાહનો પણ જમા લીધા હતા. તેને ઠમઠોર્યા બાદ મહિધરપુરા પોલીસે સોંપાયો હતો. પોલીસે આજે કોર્ટમાં રજૂ કરી તેના પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે એક જ દિવસના રિમાન્ડ આપ્યા હતા. રિમાન્ડના ગ્રાઉન્ડ: પોલીસે કોર્ટને કહ્યું હતું કે, આરોપી ગુલામ શાબીર ગુલામ મુસ્તુફા શેખે વ્યાજના બદલે ગિરવે લીધેલા ચાર ટુવ્હીલ અને બે ફોરવ્હીલ કબજે લીધા છે તે વાહનમાલિકો પાસેથી કેટલા રૂપિયા વ્યાજ પેટે વસૂલ્યા છે. કેટલા રૂપિયા વ્યાજે આપ્યા છે અને કેટલું વસૂલવાનું બાકી છે તે અને અન્ય કોઈ વાહનો પણ ગિરવે લીધા છે કે કેમ ? આરોપી શાબીરના ઘરની ઝડતી લેવાની બાકી છે અને તેણે ઘર પાસે કે ઘરની ગલી-મહોલ્લામાં ગિરવે લીધેલા વાહનો છુપાવ્યા છે કે કેમ? આરોપી કેટલા સમયથી વ્યાજનો ધંધો કરે છે અને ભોગ બનનાર સિવાય કેટલા લોકોને વ્યાજે રૂપિયા આપ્યા છે? આરોપી વ્યાજે નાણાં ધિરવાનું લાયસન્સ ધરાવે છે કે કેમ?, આરોપી સિવાય તેની સાથે આ ગુનો કરવામાં અન્ય કોઈસામેલ છે કે કેમ? ગુનો કર્યા બાદ આરોપી નાસ્તો ફરતો હોય તે ક્યાં ક્યા કોની મદદથી છુપાયો હતો તેની તપાસ કરવાની હોવાથી, આરોપી શાબીરે સહ આરોપી ઈબ્રાહીમ ચાચા સાથે મળીને અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ? , આરોપી તેમજ ફરિયાદીના મોબાઈલની કોલ રેકોર્ડ ડિટેઈલ મંગાવી હોવાથી તે આવવાની બાકી હોવાથી તે અંગે તપાસની જરૂરિયાત છે, આરોપીને પકડ્યા બાદ તેની પુછપરછ માટે ખૂબ જ ઓછો સમય મળ્યો હોય તેની વધુ પૂછપરછ માટે પણ પાંચ દિવસના રિમાન્ડની જરૂરિયાત હોવાનું તપાસકર્તા પીએસઆઈ જસાણીએ કોર્ટ સમક્ષ દાદ માંગી હતી. ફર્સ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટની કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. [...] Read more...
November 14, 2024દેશના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કંપનીની ભૂમિકા વધુ શક્તિશાળી બની, કંપનીના ચેરમેન-એમડી ડો. ફારુક પટેલે કહ્યું કે, અમારા પર કરાયેલા ભરોષા પર અમે ખરા ઉતર્યા છે, મહેનત કરી છે, કરી રહ્યાં છે અને કરતા રહીશું અને વર્ષ 2030 સુધીમાં 10 ગીગાવોટનો ટાર્ગેટ એચિવ કરીશું ફોરેસ્ટ અને એન્વાયરોમેન્ટ, ક્લાયમેન્ટ ચેન્જ મિનિસ્ટ મુકેશ પટેલે કહ્યું કે, મિત્ર ફારુકભાઈના પિતા કંડક્ટર તરીકે બસની ઘંટડી વગાડતા હતા હવે આજે સ્ટોક માર્કેટની ઘંટડી વગાડીને પુત્રએ તેમના સ્વપ્નને સાકાર કર્યું છે. સુરત: સોલાર અને હાઇબ્રિડ(સોલાર અને વિન્ડ) પ્રોજેક્ટ્સ માટે ગુજરાત અને દેશની અગ્રણી બેલેન્સ ઓફ પ્લાન્ટ (BOP) સોલ્યુશન્સ પ્રોવાઇડર કંપની- કેપી એનર્જી લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના મેઇનબોર્ડ પર સીધી લિસ્ટિંગ સાથે નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરી છે. આ પ્રસંગ કેપી એનર્જી માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે કારણ કે તેનાથી કંપની સસ્ટેનેબલ ડેવલપમેન્ટને આગળ ધપાવવા અને ભારતની રિન્યૂએબલ એનર્જી રીવોલ્યૂશનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવવા માટે એક મોટા મંચ પર પદાર્પણ કરે છે. નોંધનીય છે કે, એનએસસી પર બેલ સેરેમની વખતે શેર રૂ. 541.00 પર ખુલ્યો અને પહેલા સેશનમાં શેરનો ભાવ વધીને 544.90 પર પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુરતના કેપી ગ્રુપે છ મહિના અગાઉ સુરતના આંગણે બોમ્બે સ્ટોક એક્સચેન્જને તેડાવીને તેમની કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ.નો સૌથી મોટો આઈપીઓ એસએમઈ પ્લેટફોર્મ પર લાવી હતી અને હવે નેશનલ સ્ટોક એક્સચેન્જની ટીમને સુરતના આંગણે બોલાવીને કેપી એનર્જીને એનએસઈ પ્લેટફોર્મ પર ડાયરેક્ટ લિસ્ટ કરી તે સુરત માટે ગર્વ લેવા જેવી બાબત છે અને તેનો શ્રેય વિઝનરી લીડર એવા કંપનીના ચેરમેન-એમડી ડો. ફારુક પટેલને જાય છે. સુરતમાં SEICCના પ્લેટિનમ હોલમાં આયોજિત લિસ્ટિંગ સમારોહમાં મુખ્ય સ્ટેકહોલ્ડર્સ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને રોકાણકારોની ઉપસ્થિતિ ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કંપનીની સ્થિતિ મજબૂત હોવાની સાબિતિ આપી છે . કેપી એનર્જીની 2010માં શરૂઆતથી લઈને આ નોંધપાત્ર સફળતા સુધીની સમગ્ર સફર  ઈનોવેશન, સસ્ટેનેબિલિટી અને પવન અને હાઇબ્રિડ ઊર્જા સોલ્યૂશન્સમાં શ્રેષ્ઠતા પ્રત્યે કંપનીની અતૂટ પ્રતિબદ્ધતાને લેખાવે છે. આ પ્રસંગે કેપી એનર્જીના મેનેજીંગ ડાયરેક્ટર ડો. ફારુક જી. પટેલે જણાવ્યું હતું કે, “અમે NSE પર KP એનર્જીના લિસ્ટિંગની ઉજવણી કરતા અત્યંત ગર્વ અનુભવીએ છીએ. આ સીમાચિહ્ન અમારા માટે એક નાણાકીય સિદ્ધિ કરતાં ખૂબ જ મહત્વનું છે; તે સ્વચ્છ ટકાઉ ઉર્જા સાથે ભારતને સશક્ત બનાવવાના અમારા સમર્પણનું પ્રતિબિંબ છે. તે અમારા ભાગીદારો, રોકાણકારો અને ગર્વમેન્ટનો ગ્રીન ફ્યુચરના વિકાસના અમારા મિશનમાં વિશ્વાસનો પુરાવો પણ છે. અમે જે કહ્યું હતું તે કર્યું છે, સાડા છ કરોડનો આઈપીઓ લાવ્યા હતા અને ત્યાંથી કંપનીની માર્કેટ કેપ ચાર હજાર કરોડ સુધી ગઈ છે જે અમારી સટિક કામગીરીની સાબિતી છે. અમારા પર કરાયેલા ભરોષા પર અમે ખરા ઉતર્યા છે, મહેનત કરી છે, કરી રહ્યાં છે અને કરતા રહીશું અને વર્ષ 2030 સુધીમાં 10 ગીગાવોટનો ટાર્ગેટ એચિવ કરીશું. રિન્યુએબલ એનર્જી એ બિઝનેસ નથી પરંતુ માનવતા માટેના ફાયદાની વાત છે. અને પ્રત્યેક માનવ માટે કરાયેલા કાર્યથી ઈશ્વર રાજી થાય છે. આપણે આવનારી પેઢીને સ્વસ્થ વાતાવરણ માટે આ કામ કરવું જ રહ્યું. ’’  કેપી એનર્જીના વ્હોલ ટાઈમ ડાયરેક્ટર અફફાન ફારૂક પટેલે તમામ સ્ટોકહોલ્ડર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું,કે  “આ એનએસઈ પરનું લિસ્ટિંગ ઇનોવેશન અને સસ્ટેનેબિલિટી પ્રત્યેની અમારી સામૂહિક પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અમારા રોકાણકારો અને ભાગીદારોએ અમારામાં મૂકેલા વિશ્વાસથી અમે સન્માનિત છીએ. અમે અમારા વચનો વા, વૃદ્ધિને આગળ વધારવા અને બધા માટે સ્થાયી મૂલ્ય બનાવવાનું વચન આપીએ છીએ.” – મંત્રી મુકેશ પટેલે કહ્યું કે, પિતાજી કંડક્ટર તરીકે બસની ઘંટડી વગાડતા હતા અને આજે પુત્રએ સ્ટોક માર્કેટની ઘંટડી વગાડી દેશ-દુનિયામાં નામ રોશન કર્યું ગુજરાતના ફોરેસ્ટ અને એન્વાયરમેન્ટ, ક્લાયમેન્ટ ચેન્જ મંત્રી મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે, ‘સામે ફારુકભાઈના પિતાજી ગુલામ ચાચા બેઠા છે. આજથી 28 વર્ષ પહેલા હું પણ કોન્ટ્રાક્ટર હતો અને તે પણ. ફારુકભાઈના પિતા જીએસઆરટીસીમાં બસ કંડ્કટર હતા અને યાત્રીઓને ઉતારવા-બેસાડવા ઘંટડી વગાડતા હતા. આજે તેમના પુત્ર ફારુકભાઈએ એનએસઈના પ્લેટફોર્મ પર ઘંટડી વગાડીને દેશ-દુનિયામાં તેમનું નામ રોશન કર્યુ છે. દેશના વિકાસમાં રિન્યુએબલ એનર્જીનો પાયો વડાપ્રધાન મોદીએ નાંખ્યો હતો. તેઓ એક ગ્રીડ એક દેશ અને એક વિશ્વ ઈચ્છે છે અને તેની શરૂઆત તેઓએ ગુજરાતથી કરી હતી અને વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટના લક્ષ્ય રાખ્યો છે. એટલે તમે સમજી શકો છો કે કેપી એનર્જી કેટલી ઊંચાઈએ જશે. એક સુરતની કંપની રિન્યુએબલ એનર્જીમાં આટલું મોટું કામ કરી રહી છે તેનાથી અમને ગર્વ છે. ’’ –કંપનીએ વાર્ષિક ધોરણે 84 ટકાની વૃદ્ધિ કરી છે NSE પર KP Energyનું આ લિસ્ટિંગ કંપનીની ઝડપી વૃદ્ધિને અનુરૂપ છે. કંપનીએ H1FY25 માટે ₹43.1 કરોડનો પ્રોફિટ આફટર ટેક્સ (PAT) નોંધાવ્યો હતો, જ્યારે વાર્ષિક ધોરણે 84% ની વૃદ્ધિ નોંધાવી હતી. આશરે 2 GW ની મજબૂત પ્રોજેક્ટ પાઇપલાઇન સાથે, કંપની તેની કામગીરીને વિસ્તૃતિકરણ અને ભારતમાં  રીન્યૂએબલ એનર્જીની વધતી જતી માંગને પહોંચી વળવા માટે એક મજબૂત સ્થિતિમાં છે. કેપી એનર્જીના પોર્ટફોલિયોમાં આજની તારીખમાં 866 મેગાવોટથી વધુ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ પૂરા કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કંપની  520+ મેગાવોટ પ્રોજેક્ટનું ઓપરેશન્સ અને મેન્ટેનન્સ (O&M)પણ કરી છે. કંપની તેની નવીનીકરણીય ઉર્જા અસ્કયામતોનો મહત્તમ ઉપયોગ અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે અદ્યતન તકનીકોને અપનાવવામાં પણ અગ્રણી છે, જેમાં LIDAR ટેક્નોલોજી અને સેન્ટ્રલાઈઝ્ડ નેટવર્ક ઓપરેશન્સ સેન્ટર (NOC)નો સમાવેશ થાય છે. KP એનર્જી આ નવા તબક્કામાં પ્રવેશ સાથે ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પરિવર્તનનું નેતૃત્વ કરવા તૈયાર છે. અમે કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ક્લીન અને સસ્ટેનેબલ  ઇકોલોજીકલ સિસ્ટમ તૈયાર કરવાની દેશની પ્રતિબદ્ધતામાં ખભે ખભા મિલાવીને આગળ વધી રહ્યા છીએ. લિસ્ટિંગ સેરેમનીમાં કેપી ગ્રુપના બ્રાંડ એમ્બેસડર અને ટી-20 દિલ્હી કેપિટલના બોલિંગ કોચ મુનાફ પટેલ તેમજ બોલીવુડ એક્ટર આદિત્ય પંચોલી અને સૂરજ પંચોલી પણ ઉપસ્થિત રહ્યાં હતા.  ઉપરાંત ગુજરાતના  ફોરેસ્ટ અને એન્વાયરમેન્ટ, ક્લાયમેન્ટ ચેન્જ મિનિસ્ટર શ્રી મુકેશ પટેલે ખાસ હાજરી આપીને શુભેચ્છા આપી હતી. કેપી એનર્જી લિમિટેડ વિશે: વર્ષ 2010 માં સ્થપાયેલ, કેપી એનર્જી લિમિટેડ એ ગુજરાતમાં એક અગ્રણી BOP સોલ્યુશન પ્રોવાઇડર કંપની છે, જે સોલાર અને હાઇબ્રિડ(સોલાર-વિન્ડ) પ્રોજેક્ટ્સમાં વિશેષજ્ઞતા ધરાવે છે. કંપની યુટિલિટી સ્કેલ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ પર કામ કરે છે. જેમાં એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ, કન્સ્ટ્રક્શન, કમિશનિંગ અને ઓપરેશન્સમાં વ્યાપક એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ સામેલ છે. KP એનર્જી 25 ફેબ્રુઆરી 2016 ના રોજ BSE SME પ્લેટફોર્મ પર સફળતાપૂર્વક લિસ્ટેડ થઈ હતી અને બાદમાં 10 ઓક્ટોબર 2018 ના રોજ BSEના મેઈન બોર્ડમાં સ્થાનાંતરિત થઈ હતી. ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) ₹6.44 કરોડનું હતું. 5 નવેમ્બર, 2024 સુધીમાં, કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન ₹4,232 કરોડ છે અને કંપની 31 માર્ચ, 2024 સુધીમાં BSE પર સૂચિબદ્ધ ટોચની 1000 કંપનીઓમાં સામેલ થઈ ચુકી છે. કેપી ગ્રુપ વિશે: ડૉ. ફારુક જી. પટેલ દ્વારા 1994માં સ્થપાયેલ કેપી ગ્રૂપ, ગુજરાતમાં અત્યંત પ્રતિષ્ઠિત સમૂહ બની ગયું છે. મૂળરૂપે લોજિસ્ટિક્સ કંપની તરીકે સ્થપાયેલ  જૂથે છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરણ કર્યું છે, અને 1.37+ GW  રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સનું એકત્રિતપણે કમિશનિંગ હાંસલ કર્યું છે. ગ્રુપ પાસે 3.4 ગીગાવોટના પ્રોજેક્ટ હાથમાં છે અને વર્ષ 2030માં સુધી 10 ગીગાવોટ સુધીના લક્ષ્ય સાથે ગ્રુપ આગળ વધી રહ્યું છે. 30 વર્ષથી વધુની સફળતા સાથે, KP ગ્રુપ હવે 35થી વધુ કંપનીઓ ધરાવે છે, જેમાંથી દરેક તેના સ્થિર અને ગતિશીલ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. છેલ્લા દાયકામાં, કેપી ગ્રુપે ફેબ્રિકેશન અને ગેલ્વેનાઇઝિંગ, રિન્યુએબલ એનર્જી (સૌર અને પવન) અને ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં સ્ટ્રેટેજિક ડાયવર્સિફિકેશન દ્વારા નોંધપાત્ર વૃદ્ધિ કરી છે. જૂથની મુખ્ય સંસ્થાઓમાં કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ (એનએસઈ-બીએસઈ લિસ્ટેડ), કેપી એનર્જી લિમિટેડ(બીએસઈ અને હવે એનએસઈ લિસ્ટેડ), કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ(બીએસઈ લિસ્ટેડ) અને કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે. રિન્યુએબલ એનર્જીમાં તેના વિસ્તરણ દ્વારા, KP ગ્રૂપ ભારતની ઔદ્યોગિક પ્રગતિ અને આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપી રહ્યું છે, જે સૌર અને પવન ઊર્જામાં દેશના ટકાઉ વિકાસના પ્રયાસો સાથે જોડાયેલું છે. [...] Read more...
November 13, 2024સુરતમાં પોલીસના વ્યાજખોરો સામેની સચોટ મુવમેન્ટ વચ્ચે પણ વ્યાજખોરો છાનાપગિયા કરી રહ્યાં છે. વ્યાજખોરના ત્રાસ અને દેવાથી થાકી ગયેલા બેગમપુરાના એક યુવકે 12 નવેમ્બર 2024ની સવારે પોતાના એપાર્ટમેન્ટની નીચે ઝેર ગટગટાવી લીધુ હતું. પાસાપોર્ટ એજન્ટ તરીકે નાનુ-મોટુ કામ કરતો આ યુવક હાલ બુરહાની હોસ્પિટલના આઈસીયુમાં ભરતી છે અને પરિવારે જણાવેલી હકિકતના આધારે મહિધપુરા પોલીસના પોલીસ ઈન્સ્પેક્ટર ચૌહાણની ટીમે જાણવા જોગ લઈ તપાસ શરૂ કરી છે. પોલીસની જાણવા જોગ હકિકત મુજબ બેગમપુરા રહેમાન મંઝિલ ખાતે રહેતા ગુલામ ખ્વાજા ઉર્ફે ગુલ્લુ ઉર્ફે બોબીએ મોટી ટોકીઝના માથાભારે વ્યાજઆતંકી શાબીર મુસ્તુફા શેખની (રહે. કાલુસાઈનો મહોલ્લો, મોતી ટોકિઝ, બેગમપુરા) વ્યાજ ઉઘરાણીથી અને ધાકધમકીથી ત્રાસીને ઝેર ગટગટાવી લીધું હતું. બોબીની પત્ની અને તેના નાના ભાઈ આસીફે પોલીસને લખાવેલી હકિકત મુજબ એક અન્ય લેણદાર ઈબ્રાહીમ ચાચાએ પણ બોબીને ચાર-પાંચ દિવસ પહેલા દિલ્હી ગેટ સ્ટેશન પાસે અલ-ખલીલ સામે બ્રિજ નીચે બોલાવી મારમાર્યો હતો. આ બેઠક શાબીર શેખની છે અને અહીંથી જ તે તેનું વ્યાજનું સામ્રાજ્ય ચલાવતો હોવાથી કેફિયત છે. આત્મહત્યાની કોશિશ કરનાર ગુલામ-બોબીના ભાઈ આસિફે પોલીસને લખાવ્યું છે કે, શાબીરના ધાકધમકીના અતિરેક અને વ્યાજ માટેની ઉઘરાણીના ચલતે તા. 22 ઓક્ટોબર 2024ના રોજ મેં અને મારા ભાઈએ રૂ. 35000 આપ્યા હતા. તે વખતે તેણે કહ્યું હતું કે,આપણો હિસાબ પુરો થઈ ગયો છે. પરંતુ થોડા દિવસ બાદ ફરી વાત સામે આવી કે તે તો વ્યાજની રકમ છે અને 40 હજાર ચઢી ગયેલા વ્યાજ અને 6થી 7 હજાર રૂપિયા પેનલ્ટીના ચુકવવા ખૂબ જ દબાણ હતું. ચાર-પાંચ દિવસ પહેલા તેની જ બેઠક પર ઈબ્રાહીમ ચાચાએ તેમના પોતાના લેણાંની રકમ માટે મારમારતા અને આજે મારા ભાઈને અગર રૂપિયા નહીં ચુકવે તો ફરી લોહીલુહાણ કરવાની ધમકી અપાય હોવાનું મારી ભાભીએ મને જણાવ્યું હતું. જેથી, તેણે ઝેર પી લીધું છે. ગુલામ ઉર્ફે બોબીના નાના ભાઈ આસીફ શેખ શું કહે છે તે નીચે મુકાયેલા વીડીયોમાં સાંભળો…. આસીફે કહ્યું કે, શાબીરને મેં 22 ઓક્ટોબરે રૂ. 35 હજાર આપ્યા પણ….. 40 હજાર વ્યાજ અને 6 હજાર પેનલ્ટીના માંગ્યા અને ભાઈએ ઝેર પીધું ઈબ્રાહીમ ચાચાએ ભાઈને મારમાર્યો પત્ની સમીરાએ પોલીસને લખાવ્યું છે, , કોરોના કાળ દરમિયાન બેકારી અને બાદમાં ઘર ચલાવવા માટે મારા પતિએ શાબીર શેખ પાસે એક લાખ રૂપિયા ઉછીના લીધા હતા ત્યારથી અત્યારસુધી મોટાભાગની રકમ ચુકવી દીધી હતી તેમ છતાં શાબીર વ્યાજની ઉઘરાણી કરી ત્રાસ આપતો હતો અને ઈકબાલ ચાચાએ થોડા દિવસ પહેલા રૂપિયાની લેતીદેતીમાં તકરાર કરી માર માર્યો હતો. પરિવારિક સૂત્રોનું કહેવું છેકે, ગુલામ ઉર્ફે બોબી દર મહિને તે 30થી 35 હજાર વ્યાજ ચુકવતો હતો. ઉપરથી ઘણાં પાસપોર્ટ માટે લીધેલા કામની રકમ પણ કામ પુરું થાય તે પહેલા આ વ્યાજમાં જ જતી રહેતી હતી. જેથી તે ભારે આર્થિક તંગી અનુભવતો હતો. તેના નાનાભાઈએ નાના-મોટા કર્જા ચુકવવા માટે મદદ પણ કરી હતી પરંતુ વ્યાજનું મીટર ઘટતું ન હતું. પાસપોર્ટનું કામ આપનારાઓનું દબાણ, વ્યાજની ઉઘરાણી, ગાલ-ગળોચ વગેરેથી તે હારી થાકી ગયો હતો. મિત્રો પણ મદદ કરવા તૈયાર હતા પરંતુ તે અંદરોઅંદર મુંજાયા કરતો હતો અને પોતે જ બધું સહન કર્યા કરતો હતો. આખરે શાબીર શેખ તરફથી ઘરે આવીને લોહીલુહાણ કરવાની અને પરિવારને નુકશાન પહોંચાડવાની વાત કરતા તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. . શાબીર નામચીન ફેમીલીનો સભ્ય: શાબીર શેખ અને તેના પંટરો વ્યાજનો ધંધો અને ગાડી સિઝિંગનું કામ કાજ ચલાવે છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, તે એક સમયના સટ્ટા કિંગ મુસ્તુ દાદાનો પુત્ર છે! અને તેની સુરતના અનેક ભાઈલોગ સાથે ઉઠક-બેઠક હોવાનું કહેવાય છે. એક હપ્તો બાકી હોય તો પણ ફાયનાન્સ કંપની સુપ્રીમ કોર્ટના આદેશનું ધરાર ઉલ્લઘંન કરીને તેને વાહનમાલિકોની ગાડી ખેંચવાની સોપારી આપે છે અને તે વાહનમાલિકોને રસ્તામાં ઘેરી લઈ ગાડી જપ્ત કરી લે છે. બાદમાં અગર વાહનમાલિક રૂપિયા ભરવા તૈયાર હોય તો પણ ગાડી બારોબાર વેચી નાંખતો હોવાનું સૂત્રો કહી રહ્યાં છે!!? પોલીસને અન્ય કારણો પણ લાગે છે, શાબીરના પીઠ્ઠુઓનું પરિવાર પર સમાધાન માટે દબાણ !!? હાલ તો ગુલામના પરિવારની જાણવા જોગના આધારે મહિધરપુરા પોલીસે શાબીર અને ઈબ્રાહીમ ચાચાને શોધવાની કવાયત હાથ ધરી છે. જોકે, પોલીસને ગુલામની આત્મહત્યાની કોશિશ પાછળ શાબીરના વ્યાજત્રાસ ઉપરાંત પણ કારણો લાગી રહ્યાં છે અને તે દિશામાં પણ તે તપાસ કરી રહી છે. ગુલામ ઉર્ફે બોબી ભાનમાં આવશે ત્યારે તેનું એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટની હાજરીમાં નિવેદન નોંધી તેના આધારે પોલીસ ફાઈનલ ગુનો દાખલ કરશે. મહિધરપુરા પોલીસે ઝેર પીનારા ગુલામના પરિવારને આશ્વાસન આપ્યું છે અને સકારાત્મકતા સાથે કહ્યું છે કે, અમે વ્યાજખોરને છોડીશું નહીં. યોગ્ય અને કડક પગલાં લઈ સજારૂપ થાય તેવી કાર્યવાહી કરીશું. બીજી તરફ, શાબીર અને ઈબ્રાહીમ ચાચાએ પોતાના સંપર્કોનો ઉપયોગ કરીને ગુલામના પરિવારને સમજાવી લેવા, સમાધાન કરાવી લેવા અને ફરિયાદ ન નોંધાવવા દબાણનો દૌર પણ શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, પરિવાર અને શાબીરના ત્રાસનો ભોગ બનેલા લોકોની માંગણી છે કે, તેની સામે કડક કાર્યવાહી થાય જેથી બીજાને ઝેર પીવાનો વારો ન આવે. [...] Read more...
September 9, 2024અમદાવાદઃ ગુજરાત સ્થિત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના અગ્રીમ જૂથ કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ડૉ. ફારુક જી. પટેલે આઈઆઈએમ અમદાવાદ ખાતે મૂલ્યો, નીતી શાસ્ત્ર અને માનવતાનું વ્યવાસાયિક જીવનમાં કેટલું મહત્વ છે તેના પર લેક્ચર આપ્યું હતું. અહીં ભાગવત ગીતા પર પ્રોફેસર સુનિલ મહેશ્વરી (ડીન, એલ્યુમનિ એન્ડ એક્સર્ટનલ અફેયર્સ)ના ચાલી રહેલા 40 સ્ટુડન્ટના વિશેષ સત્રમાં ડૉ. ફારુક પટેલને આમંત્રિત કરાયા હતા. જેમાં એક કલાક તેઓએ પોતાનું સંબોધન આપ્યું હતું. સાથોસાથ વિદ્યાર્થોઓના સવાલના જવાબ પણ આપ્યા હતા. ડો. ફારુક પટેલના આઈઆઈએમ અમદાવાદમાં આપેલા લેક્ચરનો પુરો વીડીયો જોવા નીચે આપેલી યુટ્યુબ લિંક પર ક્લીક કરો…. ડૉ. ફારુકે પોતે એક બસ કંડ્કટરના પુત્ર હોવા છતા અને બિઝનેસ લાઈફમાં ત્રણવાર ઝીરો થઈ ગયા બાદ પણ કેવી રીતે વેલ્યુ, એથિક્સ પકડી રાખી તેમજ માનવતાવાદી નીતી અખત્યાર કરીને સફળતાની કેડી કંડારી તે અંગે વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા. ડૉ. ફારુકે કહ્યું હતુ કે, તમે જીવનમાં માનવતાને પ્રાધાન્ય આપો, લોકો માટે કંઈક કરી છુટવાની ભાવના મનમાં રાખો તો તમે જોશો કે ઈશ્વરીશક્તિની તમને આપોઆપ મદદ મળતી થશે. જીવનમાં કંઈક એવું કરી જાવ કે જે આવનારી પેઢી માટે ઉપયોગી નીવડે, માનવતા માટે ઉપયોગી નીવડે. આ વિશેષ લેકચરમાં તેઓએ ઉદાહરણ ટાંકતા કહ્યું કે, આજના યુગમાં પણ આપણે મોહંમદ પયંગબર સાહેબ , ભગવાન કૃષ્ણ, ઈસા મસીહ, મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ,સુભાષચંદ્ર બોઝ ઈત્યાદીને કેમ યાદ કરીએ છીએ,? કેમ તેમના પગલે ચાલીએ છે? કેમ તેમના આચરણોને અનુસરિએ છે? તે તમે વિચાર્યું છે.? કેમ કે તેઓ એવા મૂલ્યો, વેલ્યુસ આપણી સમક્ષ મુકી ગયા છે. જો તમારે મોતને માત આપવી હોય અને વર્ષો સુધી લોકોના દિલોમાં જગ્યા બનાવવી હોય તો માનવતાને પ્રાધાન્ય આપીને આગળ વધો. મોતને માત આપવાનો મતલબ છે કે, લાખો, કરોડો વર્ષો સુધી લોકો તમને યાદ કરે તેવા સારા કાર્યો કરવા. અસરફુલ મખલુકાત યાની ઈશ્વરનું બેસ્ટ ક્રિએશન ઇન્સાનને તમે ફાયદો પહોંચાડવા માટે કોઈ પણ કાર્યો કરશો તો વિશ્વાસ રાખજો તમે કયામત સુધી યાદ રહેશો.બિઝનેસમાં પણ સાહસિકતા સાથે મૂલ્યો, ઈમાનદારી અને મહેનત એટલાં જ જરૂરી છે. દરેક ધર્મના શાસ્ત્રોમાં આ વાત કોમન જ છે કે સાચું બોલવું, ઈમાનદારી દેખાડવી, અન્યાય ન કરવો, માનવતાવાદી વલણ અપનાવવું. આ બાબતો અગર જીવનમાં અપનાવશો તો તમે જરૂર સફળ થશો. ડો. ફારુકે કહ્યું હતુ કે ભાગવત ગીતાનો ૧૬મો અધ્યાય આ વાતની સાબિતી આપે છે. આ એક્ઝાપ્લે વિદ્યાર્થીઓના દિલ જીત્યા: ડો. ફારુક પટેલે પોતાના લેક્ચરમાં બે એક્ઝામ્પલ ટાંકયા: (1) સદીઓ પહેલા એક શિક્ષકે કેટલાક વિદ્યાર્થીઓને એક-એક કબૂતર આપ્યું અને કહ્યું કે, તમને કોઈ ન જોતું હોય ત્યાં જઈને તેની ગરદન મરોડી આવો. કોઈ વિદ્યાર્થી બંધ કમરામાં ગયું, કોઈ ભોયરામાં ગયું, કોઈ બાથરૂમમાં ગયું, કોઈ આવવારું જગ્યા પર જઈને કબૂતરની ગરદન મરોડી આવ્યા. એક વિદ્યાર્થી હાથમાં જીવતું કબૂતર લઈને આવ્યું, શિક્ષકે પૂછ્યું કે કેમ તને કોઈ જોતુ ન હોય તેવી જગ્યા ન મળી, ત્યારે વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે, સર હું ઘણી જગ્યાએ ગયો પણ દરેક જગ્યાએ ‘ઈશ્વર’ તો મને જોતો જ હતો. ડો. ફારુકે આ દ્રષ્ટાંત ટાંકતા કહ્યું કે, દિમાગ કરતા દિલનો ઉપયોગ કરો અને બંને વચ્ચે સંકલન સાંધો. દિલ તો હંમેશા ઈશ્વરમય જ હોય છે એટલે તમે ગલત રાહ પર ચાલતા બચી શકશો. (2) ડો. ફારુક પટેલે બીજું દ્રષ્ટાંત આપ્યું કે, દરિયાઈ મૌજાઓ ખૂબ ઉછળ્યા અને તેમાં હજારોની સંખ્યામાં ‘સ્ટાર ફીસ’ કિનારા પર આવી ગઈ. એક બાળકે આ જોયું અને તેણે જઈને એક એક સ્ટાર ફીસને ફરી દરિયામાં નાંખવાની શરૂઆત કરી. તે સમયે એક ઈન્ટેલિજન્ટ વ્યક્તિ ત્યાંથી પસાર થયો, તે બાળક પર હસ્યો અને ટોકતા કહ્યું કે, તુ આટલી બધી સ્ટાર ફીસને કેવી રીતે બચાવી શકશે, આનાથી આ બધીને ફાયદો થવાનો નથી. સંખ્યાબંધ મરી જશે અને તુ પણ થાકી જશે. ત્યારે એ બાળકે ફરી એક સ્ટાર ફીસ રેતીમાંથી ઉંચકી અને દરિયામાં ઘા કર્યો અને કહ્યું કે, કોઈ બીજી માછલીને ફાયદો થાય કે ન થાય આને તો થશે જ અને તે બચી જશે. ડો. ફારુક કહેવા માંગતા હતા કે, તમે નેકી કરવાની શરૂઆત કરી દો. નાની તો નાની. અગર તમે કોઈ બુરી બાબત જુઓ છો તો, તેને રોકવાની કોશિશ કરો. એ ન કરી શકો તો બોલીને રોકો. તમે એમ ન કરી શકો તો લખીને રોકો. અગર આમાથી કંઈ ન કરી શકો તો કમ સે કમ દિલમાં તો તે બાબત બુરી છે તેવું ફીલ કરો. [...] Read more...
August 31, 2024સુરત: સુરત: હુરુન ઈન્ડિયાની લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ ટેનમાં દેશના ટોચના ધનિકોતો સામેલ થાય છે પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ સામેલ થયું છે. તેમાં એક તરવરતુ નામ આશ્ચર્યચકિત કરી ગયુ અને તે છે, સોલાર કિંગ તરીકે જાણીતા બનેલા કેપી ગ્રુપના ડો. ફારુક પટેલનું. એક બસ કંડક્ટરના દિકરાએ વર્ષ 1994માં રૂ. એક લાખની મુડી સાથે કેપી ગ્રુપના નામથી શરૂ કરેલી બિઝનેસ સફર તેના અથાગ પરિશ્ચમ, ઈનાવેશન, મેનેજમેન્ટ થકી તેને સુરતના ટોપ-પાંચમાં સ્થાન અપાવી ગઈ છે. ડો. ફારુક પટેલ 9700 કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમે સ્થાન પામનારા અરબપતિ બિઝનેસમેન બની ચુક્યા છે. સુરતમાં કુલ 28 અબજપતિ છે, ટોપ-10ની વાત કરીએતો ,તેમાં એથર ઇન્ડસ્ટ્રીઝના અશ્વિન દેસાઈ પાસે સૌથી વધુ 10700 કરોડ રૂપિયાની સંપત્તિ છે. , ત્યાર બાદ ડો. ફારુક પટેલ(કેપી ગ્રુપ ) 9700 કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમના અરબપતિ બિઝનેસમેન બની ગયા છે. તેમની કંપની કેપીઆઈ ગ્રીન એનર્જી, કેપી એનર્જી અને કેપી ગ્રીન એન્જિનિયરિંગ પણ શેર બજારમાં સારું એવું પ્રદર્શન કરી રહી છે. ડો. ફારુકની કંપની રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કામ કરી રહી છે . સોલારમાં 473 મેગાવોટ તેઓ ઈન્સ્ટોલ કરી ચુક્યા છે અને 2.33 ગીગાવોટના ઓર્ડર કંપનીના હાથમાં છે. જ્યારે વિન્ડમાં 840 મેગાવોટના પ્રોજેક્ટ તેઓ કરી ચુક્યા છે અને 1009 મેગાવોટના ઓર્ડર હાથમાં છે. ત્રણેય કંપની મળીને તેમ માર્કેટ કેપ 18000 કરોડથી વધુનું છે. ગ્રુપનું બિઝનેસ એમ્પાયર રૂ. 186 બિલિયનથી વધુ છે. માર્ચ-2024માં જ ડો. ફારુક પેટલની ત્રીજી કંપની કેપી ગ્રીન એન્જિનિયરિંગ બીએસઈના એમએસઈ પ્લેટફોર્મ પર દેશનો સૌથી મોટો 189.50 કરોડનો આઈપીઓ લઈને આવી હતી. કેપી ગ્રીન એશિયાનું સૌથી મોટુ ગેલ્વેનાઈઝીંગ કેટલ માતર ગામની નવી કંપનીમાં બનાવી રહી છે. ગુજરાતનો સૌથી મોટું પ્રાઈવેટ સોલાર પાર્ક પણ ડો. ફારુક પટેલની કંપની પાસે છે અને દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલા સાત વિન્ડ ટર્બાઈન નાંખવાનો રેકોર્ડ પણ ફારુક પટેલના નામે છે. તેઓ ઈન્ડીવ્યુઝલ સુરતના સૌથી મોટા ટેક્સપેયર પણ છે.ટોપ ટેનમાં સામેલ અન્ય બિઝનેસ ટાઈકુન: એનજે ઈન્ડિયાનાના નિરજ ચોકસી 9600 કરોડ, કિરણ જેમ્સના બાબુ લખાણી-ફેમીલી પાસે 7400 કરોડ, જ્યારે શ્રી રામકૃષ્ણા એક્સપોર્ટના ગોવિંદભાઈ ધોળકિયાની 6100 કરોડ, કલરટેક્સસ ઈન્ડસ્ટ્રીઝના જયંતીલાલ જરીવાળા 5300 કરોડ, હરીકૃષ્ણા એક્સપર્ટના સવજીભાઈ ધોળકિયા 3700 કરોડ, ધર્મનંદન ડાયમંડના લાલજીભાઈ પટેલ-ફેમીલી 3600 કરોડ રૂપિયા, હરીકૃષ્ણા એક્સપર્ટના તુલસી ધોળકિયા રૂ. 3100 કરોડ અને શ્રી રામકૃષ્ણા એક્સપોર્ટના વરસામભાઈ નારોલા-ફેમીલી 3100 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સામેલ છે. ગુજરાતમાં અબજોપતિઓની સંખ્યા 60થી વધીને 129 થઈ ‘હરુન ઈન્ડિયા’એ ભારતના અબજોપતિ લોકોનું લિસ્ટ બહાર પાડ્યું છે, જેમાં 1 હજાર કરોડ રૂપિયા કે તેનાથી વધુની સંપત્તિ ધરાવતા લોકોનો સમાવેશ કર્યો છે. લિસ્ટમાં આખા દેશમાં 1539 અબજપતિ સામે આવ્યા છે. જેમાં ગુજરાતીઓએ સારું એવું કાંઠું કાઢયું છે. ગુજરાતમાં ચાર વર્ષમાં અબજપતિઓની સંખ્યા 60થી વધીને 129 થઈ ગઈ છે. દેશભરતમાં અબજપતિઓની સંખ્યામાં મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ ગુજરાત રાજ્ય ત્રીજા ક્રમે છે. ગુજરાતમાં બે વ્યક્તિ પાસે 1 લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ગુજરાતમાં 1 લાખ કરોડ રૂપિયા કરતા વધુની સંપત્તિ ધરાવતા બે બિઝનેસમેન છે. 11.61 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ગૌતમ અદાણી પહેલા નંબર પર છે. જ્યારે ઝાયડસ લાઈફસાયન્સના પંકજ પટેલે પહેલી વખત 1 લાખ કરોડ રૂપિયાની સંપત્તિનો માઈલસ્ટોન હાંસિલ કર્યો છે. તેમની પાસે 1.01 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. નિરમાના કરસનભાઈ પટેલ 80 હજાર કરોડ, જ્યારે ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સના સમીર મહેતા અને સુધીર મહેતા બંને 70.90 હજાર કરોડના માલિક છે.દેશમાં..હુરૂન ઈન્ડિયા રીચ લિસ્ટમાં ગૌતમ અદાણી રૂ. 11.61 લાખ કરોડ સાથે પ્રથમ ક્રમે છે. મુકેશ અંબાણી 10.14 લાખ કરોડ સાથે બીજા ક્રમે, શીવ નાદર 3.14 લાખ કરોડ સામે ત્રીજા ક્રમે, સાયરસ પુનાવાલા 2.89 લાખ કરોડ સાથે ચોથા ક્રમે અને દિલિપ સંઘવી રૂ. 2.49 લાખ કરોડ સાથે પાંચમા ક્રમે છે.  [...] Read more...
August 12, 2024અડાજણ પાટીયા, ગુજરાત ગેસ સર્કલ, અડાજણ ગામના સર્કલ પણ મસમોટા, મોરાભાગળનું સર્કલમાં તો કેટલી વસ્તી વસી જાય તેટલું મોટું!! સુરત ટ્રાફિક પોલીસે એક મહિના પૂર્વે એક અભિયાન ચલાવ્યું. ટ્રાફિક સિગ્નલનું પાલન કરાવવું. તે કરાવતા કરાવતા તેઓ ટ્રાફિક આઈલેન્ડ, સર્કલ તોડાવવાનું અભિયાન પણ ચલાવ્યું પરંતુ વાહનોનો ટ્રાફિક જોઈએ તેવો ‘સ્મૂથ’, સરળ, મસ્કેદાર થયો નથી. અઠવાગેટ એલએનડી સર્કલ પર તો રોજ સવાર-સાંજ, બલ્કિ આખો દિવસ વાહનો ફસાય રહ્યાં છે. સરદાર બ્રિજ પર લાંબી કતારો લાગે છે, નીચે ઉતર્યા બાદ અઠવાલાઈન્સ જવામાં કે રિંગરોડ જવામાં પરસેવો છુટી જાય છે પરંતુ આ ટ્રાફિક સર્કલને નાનું કરવામાં, કે કરાવવામાં ટ્રાફિક પોલીસ કે સુરત મહાનગર પાલિકા રસ દાખવતી નથી. આવા જ આઈલેન્ડ મોરાભાગળ, અડાજણ પાટિયા, અડાજણ ગામ, ગુજરાત ગેસ સર્કલ વગેરે પણ છે પરંતુ તે હજી સુધી નજરે પડ્યા હોય તેવું દેખાતું નથી. અહીં રોજ ટ્રાફિકની મારામારી થાય છે. અડાજણરોડ પર તો રાત્રે નવ વાગ્યેથી લક્ઝરી બસનો અડ્ડીગો પણજામી થાય છે તે ટ્રાફિકમાં વધારો કરે છે. અડાજણપાટીયા જીલાની બ્રિજ પાસેનો ટ્રાફિક તો હાય તોબા પોકારી દે છે પણ સુધાર કરવામાં કોઈને રસ હોય તેવું લાગતું નથી. આવું લગભગ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળે છે. આવી વાતો થઈ હતી પણ… ચોમાસામાં ચાર રસ્તાઓ પર પણ મોટા મોટા ખાડા પડતા સિગ્નલ ખુલ્યા પછી પણ વાહનો પસાર થઈ શકતા નથી!. બીજી તરફ, પોલીસ ઈન્ટરવ્યૂ આપી આપીને કહી રહી હતી કે , આ ટ્રાફિક સિગ્નલો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટ (એઆઈ) બેઝ છે એટલે જે રસ્તા તરફ વાહનોની લાઈનો લાંબી હશે તે દિશાનું ગ્રીન સિગ્નલ ઓટોમેટિક લાંબું થઈ જશે પણ આમ થતું હોવાનું એક પણ એક્ઝામ્પલ સામે આવ્યું નથી. આજે પણ ઘણાં સિગ્નલો એવા છે કે ત્યાં ત્રણથી ચાર વાર લાઈનો ખુલવા છતા તમારું વાહન પસાર થઈ શકતું નથી. શરૂઆતના તબક્કા બાદ આકલન, અભ્યાસ, નિરિક્ષણ, એઆઈ બધુ જ બાજુમાં મુકી દેવાયું હોય તેવું હાલ તો લાગી રહ્યું છે. બીજુ કે ટ્રાફિક પોલીસ એવું માનતી હતી કે ટ્રાફિક સર્કલ નાના કરવાથી ટ્રાફિક સમસ્યા ઉકેલાય જશે પણ એવું બન્યું હોય તેવું લાગતું નથી! જાણકારો કહે છે કે, રસ્તા મોટા કરવા કે ટ્રાફિક સર્કલ નાના કરવા વિકલ્પ નથી. વિકલ્પ એ છે કે ટ્રાફિક ને કેવી રીતે મોડરેટ રાખવો. વાહનોની સંખ્યા કેવી રીતે ઘટાડવી. જૂના વાહનો કેવી રીતે રસ્તા પરથી દૂર કરવા. કેવી રીતે ડાયવર્ઝન સેટ કરવા કે એક તરફનો ટ્રાફિક બીજી જગ્યાએ અથડાય નહીં. રસ્તાઓ એક-બીજાને મળે નહીં. ગલી ખાંચાઓમાંથી વાહનો અચાનક આવી ન ચઢે. આવા સંખ્યાબંધ મુદ્દાઓ પર પોલીસ-મનપા અને પ્રશાસને કામ કરવું પડશે ત્યારે જ ટ્રાફિક નિયમન હળવું કરી શકાશે. હા, સ્ટાફ વધારો તો ખરો જ.! નોંધ:સમાચાર માટે પ્રસિદ્ધ થયેલી તસ્વીર ફાઈલ છે. જે એક હિન્દી અખબારમાં છપાય હતી. [...] Read more...
August 12, 2024સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910) સુરત ક્રાઈમ બ્રાંચે આરટીઓની 370 નકલી સ્માર્ટ આરસીબુક પકડીને 30 વર્ષ જૂના એજન્ટ જીતેન્દ્ર પટેલ (બટકા) સહિત પાંચ જણાંને દબોચી લીધા છે. જોકે, આ પાંચ જણા પાછળ ભેજાબાજો તો બેંકના કર્મચારીઓ અને ફાયનાન્સરો છે. તેઓની મલાઈમાં આ લોકો કમિશનના રવાડે ભેરવાય ગયા છે. હા, આરટીઓમાંથી જૂની આરસીબુક ચોરી કરવામાં અને તેના પર જેને ખેંચાયેલું વાહન વેચાયું હોય તેના નામ-નંબર પ્રિન્ટરના માધ્યમથી લખવામાં એજન્ટની ભૂમિકા જરૂર છે. આ આખો ખેલ આરટીઓનો ટેક્સ અને પેનલ્ટી બચાવીને આખી અધિકૃત પ્રોસેસને બાયપાસ કરીને લાખો રૂપિયા કમાવાનો છે. જેમાં સરકારી તિજોરીને તો નુકશાન થાય છે પરંતુ બેંકના કર્મચારીઓ પોતાની બેંકને પણ ચુનો ચોપડી રહ્યાં છે. જેથી, આમા મુખ્ય દોરવણી કરનારાઓને હજી ક્રાઈમ બ્રાંચે ‘ટચ’ કર્યા નથી તેવું માની શકાય. આવા લોકોને સળિયા ગણાવાય તો આ આખુ નેક્સેસ ડામી શકાય એમ છે. પોલીસે જે રીતે વ્યાજઆંતકીઓ સામે અભિયાન છેડ્યું છે આ પણ એવું જ ફાયનાન્સઆતંક છે અને તેને પરમેનન્ટલી ડામવા પ્રયાસ થાય તો કોઈના એકના એક દિકરાએ બ્રીજ પરથી કુદી જીવન ટૂંકાવવું ન પડે. જાણો આખી પ્રોસેસ કે જે બેંક અને ફાયનાન્સર ‘કુદાવી’ દે છે : – બેંક અને ફાયનાન્સ કંપની વાહનો પર લોન આપે છે અને ઘણીવાર એક હપ્તામાં પણ ત્રાસ ગુજારવાનું શરૂ કરી દે છે. રાખેલા માથાભારે તત્વો ગાડી ખેંચી જાય છે. ઢીલો-પોચો વ્યક્તિઓ હોય તો વાંધો લેતો નથી. આવી ગાડી પર એચપી ચાલતી હોય ત્યારે તેની એફ.આર.સી (ફ્રેશ આરસી બુક)કઢાવવા માટે બેંક-ફાયનાન્સ કંપનીએ પહેલાં આરટીઓમાં ફોર્મ-36 ભરીને અરજી કરવી પડે છે. આરટીઓ અધિકારી જેનું વાહન ખેંચાયું હોય તેને અને બેંક-ફાયનાન્સને નોટીસ મોકલી એક તારીખે સુનાવણી માટે બોલાવે છે અને તેમાં વાહન માલિક હપ્તો ભરવા તૈયાર હોય તો તેને વાહન પરત કરવાનું હોય છે. અગર વાહન ગોડાઉનમાં જમા લેવાયું હોય તો તે દર મહિનાની 1થી 10 તારીખમાં ત્યાં છે કે નહીં તે જોવા જવાની જવાબદારી આરટીઓ અધિકારીએ નિભાવવી પડે છે. ( પરંતુ આ‌વું થતું નથી અથવા પહોંચેલા ફાયનાન્સરો આવું કરવા દેતા નથી અને બારોબાર વાહન થર્ડ પાર્ટી પાસે ફરતું કરી દેવાય છે!! ) આરટીઓ અધિકારી પણ આવા જમા વાહનોને જોવા જવાની તસ્દી લેતા નથી. અગર વાહન માલિક નાદારી નોંધાવે તો જેટલા મહિના વાહન કબ્જે લેવાયું હોય તેટલા મહિના વાહનની નક્કી કિંમત પર પાંચ ટકા લેખે ટેક્સ તેમજ 25 ટકા મહિના પ્રમાણે પેનલ્ટી બેંક-ફાયનાન્સરે ભરીને વાહન પોતાના નામે ટ્રાન્સફર કરાવવાનું હોય છે. આખી પ્રક્રિયાને બેંક કર્મીઓ અને ફાયનાન્સરો કુદાવી દે છે અને ઓક્શનમાં વાહનો એક સાથે વેચી દે છે. દલાલો આ વાહનો લેતા સમયે ચેક કરતા નથી અને બાદમાં આવા આરટીઓ એજન્ટ મારફત નકલી આરસી બુક બનાવીને તેને સારી એવી રકમે વેચી દે છે.! જેમાં સરકારની તિજોરીને તો ચુનો લાગે જ છે અને ગુનો પણ આચરવામાં આવે છે. બેંક કર્મીઓ અને દલાલોની મિલીભગત, લાખો કમાય છે: જાણકારોનું માનીએ તો આમા મુખ્ય ખેલ બેંક કર્મીઓ અને ઓક્શનમાં વાહન લેનારા દલાલોનું મોટું સેટિંગ હોય છે. બેંક કર્મીઓ બેંકમાં ખોટા રિપોર્ટ કરે છે કે વાહન માલિક રૂપિયા ભરવા તૈયાર નથી અથવા ભરી શકે એમ નથી અને વાહનની કિંમત પણ ઓછી દેખાડે છે. ઉદાહરણ તરીકે વાહનની બજાર કિંમત જે તે સમયે પાંચ લાખ રૂપિયા આવતી હોય તો તેને બેથી ત્રણ લાખનું વેલ્યુએશન જ કરાવે છે અને બેંક પાસે ઓછી રકમનું ઓક્શન કરાવીને દલાલ પાસે સારું એવું કમિશન મેળવી લે છે. લુખ્ખા તત્વો પાસે વાહનો ખેંચાવડાવી થર્ડ પાર્ટીને વેચી દેવાય છે: આમ તો એક-બે હપ્તા બાકી હોય કે તેનાથી વધુ હપ્તા બાકી હોય પરંતુ બેંક અને ફાયનાન્સરોએ લુખ્ખા-ટપોરીઓની ગેંગને વાહનો ખેંચવા માટે કામ સોંપ્યું હોય છે અને તેઓ વાહનમાલિક પાછળ રીતસર રકમ વસૂલવા મંડી જાય છે. અગર હપ્તો તેમના સમયે ન ભરાય તો તેઓ પોતાની પેનલ્ટી ઊભી કરવા વાહનમાલિકનો પીછો કરે છે અને આખી ચાર-પાંચ જણની ટોળકી ગમેત્યાં રસ્તામાં આંતરીને વાહન બળજબરી લઈ જાય છે અથવા રાત્રિના સમયે ઘર આંગણેથી ઊંચકી જાય છે. નિયમ મુજબ વાહન જપ્ત કરતા પહેલા તેની જાણ કરવાની હોય છે અને સંંબંધિત પોલીસ મથકમાં પણ અગાઉ લેખિતમાં સૂચના આપવાની હોય છે પરંતુ માથાભારે ટોળકી આમ કરતી નથી. પોલીસ મથકોમાં પણ તેમનું સારું એવું ઉપજતું હોવાનું કહેવાય છે. જેવું વાહન ખેંચાય કે તુરંત થર્ડ પાર્ટીને તે ગીરવે પર કે વેચાણથી વાપરવા આપી દેવાય છે. ઘણાં આવા વાહનો નંબર પ્લેટ વિના પણ શહેરમાં ફરતા જોવા મળે છે. જુના અધિકારીઓની સહી અને નવા વાહનો ટ્રાન્સફર એવું કેવી રીતે થયા? પહેલા તો આરટીઓના રેકોર્ડ રૂમમાંથી જૂની સ્માર્ટ આરસી બુકનો જથ્થો ચોરાયો તે માલૂમ ન પડ્યું. સીસીટીવી લાગ્યા છે અને સિક્યુરિટી પણ છે તો આવું કેવી રીતે બન્યું તે તપાસનો વિષય છે. બીજું કે, જૂની આરસી બુક પર જે તે સમયે ફરજ બજાવી ગયેલા અધિકારીઓની સહી હોય તે સ્વભાવિક છે. જોકે, ખેંચાયેલા નવા વાહનો જૂના અધિકારીની સહી સાથે ટ્રાન્સફર થયા તે પણ જોવાયું નહીં તે સિસ્ટમમાં મોટી ખામી દર્શાવે છે અથવા તો અધિકારીઓની મિલીભગત છતી કરે છે. ગાંધીનગરથી તેની તપાસ પણ થવી જોઈએ અને પોલીસે પણ તેની ખણખોદ કરવી જોઈએ. બેંક કર્મીઓ અને ફાયનાન્સરોને પણ પોલીસે સીધાદોર કરવા જોઈએ, સાથોસાથ વાહનો ખેંચવાનું કામ કરતી ગુંડાટોળકીઓને પણ સળિયા પાછ‌ળ ધકેલવા જોઈએ. જો પોલીસ આવું કરવાની શરૂઆત કરશે તો કોઈનો લાડકવાયાએ જીવન ત્યજવું નહીં પડે. [...] Read more...
July 22, 2024સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910) નેતા તો આપણે ઘણાં જોયા પણ જમીની નેતાઓ અને લોકહીત-પ્રજાહીત માટે લડનારા નેતાઓ તો ઘણાં જૂજ જોવા મળે છે. આ વ્યક્તિને નેતા કહેવડાવવા કરતા ખેડૂત પુત્ર અને સ્વતંત્ર ચળવળકારનો પૌત્ર કહેવડાવવું વધુ ગમે છે. લોહીમાં સ્વંતત્ર સંગ્રામી જેવી ખુમારી સાથે જીવતો આ શખ્સ હાલમાં જ ભારે ચર્ચામાં આવ્યો. સુરતના તત્કાલિન કલેક્ટર આયુષ ઓકને ડુમસની એક સરકારી પડતર જમીનમાં ખોટી રીતે નામ દાખલ કરાવીને તેને સોંપી દેવાના મામલે સસ્પેન્સન સુધી ઘસડી ગયા. આવા અનેક કૌભાંડો ઉજાગર કરનારા આ શખ્સ છે ‘દર્શન નાયક.’ નાયક ખરેખર નાયકની ભૂમિકા નિભાવી રહ્યાં હોવાનું ફલિત થાય છે. એડવોકેટ એવા નાયક સામા વ્હેણે તરવામાં પાછી પાની કરતા નથી. કોંગ્રેસી વિચારધારાને વરેલા દર્શન નાયક હાલમાં જ ઓલપાડ વિધાનસભાથી ચૂંટણી લડી ચુક્યા છે પરંતુ રનિંગ ભાજપના મંત્રી મુકેશ પટેલ સામે તેઓ જીતી નહીં શક્યા. તેઓ 10 વર્ષ સુધી સુરત જિલ્લા પંચાયતના સભ્ય રહી ચુક્યા છે અને અધિકારીઓના નાકે દમ લાવી ચુક્યા છે. આખરે બેઠકોના નવા સીમાંકનમાં તેઓની સાયણ બેઠક કપાય અને તેઓ જિલ્લા પંચાયતમાં બેઠક બદલાવાથી ફાવી ન શક્યા. જોકે, લડવાનું અને જજૂમવાનું તેઓએ ચાલું રાખ્યું છે અને તે પણ પોતાના માટે નહીં પણ પ્રજાના પ્રશ્નો માટે. દર્શન નાયક પૂર્વ કેન્દ્રિય મંત્રીની આગળી પકડી રાજકારણમાં આવ્યા હતા નાયક સ્નાતક થયા બાદ કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત થયા અને 21 વર્ષના હતા ત્યારે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરી (સ્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર)ની આગળી પકડી રાજકારણમાં પ્રવેશ્યા. થોડા સમયમાં જ તેઓ તેમના અંગત સચિવ તરીકે પણ પ્રસ્થાપિત થયા. આખા બોલા દર્શન નાયક ખોટા કામોમાં કોઈની પણ શેહશરમ રાખવામાં માનતા નથી, પરિણામે તેઓ ઝડપથી આગળ વધ્યા અને જિલ્લા પંચાયતમાં ચૂંટણી લડી જીત્યા. ધીરેધીરે તેઓએ પોતાની એક લડાયક અને પ્રજાહિતના પ્રશ્નોને અધિકારીઓ-પદાધિકારીઓ સમક્ષ મુકવા માટેની ઓળખ ઊભી કરી. મજબૂત લોકસંપર્ક અને સુરત જિલ્લાના લગભગ તમામ ગામો સુધી લોકસેવા કાજે દર્શન નાયક દોડતા રહે છે. તેમની જન્મ-કર્મભૂમિ ઓલપાડમાં તેઓ વધુ સક્રિય રહે છે. દર્શન નાયક ખેડૂત અને સહકારી ક્ષેત્રે પણ મજબૂત પકડ ધરાવે છે. હાલ તેઓ સાયણ સુગર ફેક્ટરની ડિરેક્ટર છે. નામાંકિત આનંદ વોલીબોલ કલબના પ્રમુખ છએ. ડીઆરજીડી સાર્વજનિક વિદ્યાલયના ઉપપ્રમુખ અને સુરત જિલ્લા શૈક્ષણિક સંચાલન મંડળના સહમંત્રી તરીકે સેવારત છે. નાયકે સર આંદોલન, બુલેટ ટ્રેન જમીન સંપાદન વિરોધ અને ભાટીયા ટોલ ટેક્સ જેવા અનેક મુદ્દે મોરચો ખોલ્યો દર્શન નાયકે અનેક આંદોલનની આગેવાની કરી. હાલની જ વાત કરીએ તો બુલેટ ટ્રેનના જમીન સંપાદન મુદ્દે ઓછા વળતર મામલે તેઓએ આંદોલન છેડ્યું અને છેક જાપાનથી પત્રકારો દોડી આવીને તેમની વાત મુકી. કામરેજ અને ભાટીયા ટોલ પ્લાઝા પર સ્થાનિક પાસેથી પણ બેફામ ટોલટેક્સ વસૂલી સામે તેઓએ ના-કર સમિતિ બનાવીને લાંબી લડત ચલાવી જીત મેળવી. ભાંડુપ ઘન કચરા પ્લાન્ટ સામે લડત ચલાવી સુરત મનપાને રોકી, હજીરા-ગોથાણ રેલવે લાઈન સંદર્ભે ખેડૂતોની ખાનગી જમીન સંપાદિત કરવા સામે લડ્યા. હજીરાની કંપનીઓમાં સ્થાનિકોને નોકરી અપાવવા લડત ચલાવી. સર આંદોલનમાં લડત ચલાવી. આવા અનેક એવા પ્રશ્નો અંગે તેઓ આજે પણ લડતા રહે છે. એક દિવસ એવો જતો નથી કે તેઓ અખબારી પાને ચમકતા ન હોય. નાયકના દાદા સ્વતંત્ર ચળવળકાર રહ્યાં દર્શન નાયકના દાદા સ્વ. છોટુભાઈ લલ્લુભાઈ નાયક ઘાસિયા સત્યાગ્રહને સફળ બનાવવા માટે આઝાદીની ચળવળના ગુરુ સ્વ. કાનજીભાઈ દેસાઈ, હિતેન્દ્ર દેસાઈ, પ્રમોદકાકા, ગાંધીજીના સલાહકાર સ્વ. મહાદેવભાઈ દેસાઈ વગેરે સાથે ચળવળમાં જોડાયા હતા અને શિક્ષિત ખેડૂત પરિવારનો આ ગુણ દર્શનમાં પણ આવ્યો. આજે તેમનું નામ પડે એટલે ઘણાં ભ્રષ્ટ અધિકારીઓના હાજા ગગડી જાય છે. https://www.facebook.com/darshan.naik.5811 [...] Read more...
July 10, 2024આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને મંત્રી રાજકુમાર આનંદ ભાજપમાં જોડાયા છે. તેમણે લોકસભા ચૂંટણી પહેલા મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને બસપામાં જોડાયા હતા. આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ નેતા અને મંત્રી રાજકુમાર આનંદ ભાજપમાં જોડાયા છે. તેમણે લોકસભા ચૂંટણી પહેલા મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને બસપામાં જોડાયા હતા. હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તેમની સાથે AAPના વર્તમાન ધારાસભ્ય કરતાર સિંહ તંવર, રત્નેશ ગુપ્તા, સચિન રાય, પૂર્વ ધારાસભ્ય વીણા આનંદ અને AAP કાઉન્સિલર ઉમેદ સિંહ ફોગાટ પણ ભાજપમાં જોડાયા છે. આ નેતાઓ દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા.  તાજેતરમાં એપ્રિલમાં રાજકુમાર આનંદે ભ્રષ્ટાચાર અંગેની પાર્ટીની નીતિ પર અસંતોષ વ્યક્ત કરીને કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમનું રાજીનામું સીધું દારૂ નીતિ કેસ સાથે જોડાયેલું હતું, જેમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સહિતના અગ્રણી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીમાં કારમી હાર.તમને જણાવી દઈએ કે રાજકુમાર આનંદે BSPની ટિકિટ પર નવી દિલ્હી સીટ પરથી તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી લડી હતી. ચૂંટણી જંગમાં તેમને માત્ર 5629 વોટ મળ્યા હતા. બીજેપીના બાંસુરી સ્વરાજે આ સીટ પર 78370 વોટથી જીત મેળવી હતી. તેમને 453185 મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીના સોમનાથ ભારતી 374815 મતો સાથે બીજા ક્રમે છે. પટેલ નગરના ભૂતપૂર્વ ધારાસભ્ય રાજ ​​કુમાર આનંદ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની દિલ્હી કેબિનેટમાં સમાજ કલ્યાણ અને SC/ST મંત્રી હતા. આનંદે કહ્યું કે તેણે આવું એટલા માટે કર્યું કારણ કે તે પોતાનું નામ ચાલી રહેલા ‘ભ્રષ્ટાચાર’ સાથે જોડી શક્યો નથી. જ્યારે AAP ધારાસભ્યના ઘરે ઈન્કમટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાજુલાઈ 2016માં ઈન્કમ ટેક્સની ટીમે કરતાર સિંહ તંવરના ઘરે દરોડા પાડ્યા હતા. આવકવેરા અધિકારીઓએ 27 જુલાઈની સવારે દક્ષિણ દિલ્હીના છતરપુરથી AAP ધારાસભ્ય કરતાર સિંહ તંવરના ફાર્મ હાઉસ અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ, આવકવેરા અધિકારીઓ સવારે સાડા આઠ વાગ્યે ધારાસભ્યના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આવકવેરા વિભાગે દિલ્હીમાં 11 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 100થી વધુ અધિકારીઓ સામેલ હતા. તે સમયે કરતાર સિંહ તંવરની 20 કંપનીઓ તપાસ હેઠળ હતી. ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી હતીઆવકવેરા વિભાગને ફરિયાદ મળી હતી કે સરકારી નોકરીમાંથી વીઆરએસ લીધા બાદ કરતાર સિંહ તંવરે પ્રોપર્ટીના કામમાં કરોડો રૂપિયાની કમાણી કરી હતી. દરોડાના સમાચાર મળતાની સાથે જ આસપાસના ગામોના લોકો અને ઘણા ‘આપ’ કાર્યકર્તાઓ તેમના ઘરની બહાર એકઠા થયા હતા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. [...] Read more...
July 10, 2024ત્રિપુરાની શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા 800 થી વધુ વિદ્યાર્થીઓ એચઆઈવીથી સંક્રમિત જોવા મળ્યા છે. તાજેતરના સમયમાં ત્રિપુરામાં HIV-AIDSના કેસોમાં ઝડપથી વધારો થયો છે. વિદ્યાર્થીઓમાં HIV સંક્રમણ ફેલાવવાનું સૌથી મોટું કારણ ઈન્જેક્શન દવાઓનું વ્યસન છે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે ઈન્જેક્શન દવાઓ કેવી રીતે એચઆઈવીનો ચેપ લાવી રહી છે? ત્રિપુરામાં HIV-AIDSના કેસ સતત વધી રહ્યા છે. ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે અહીં 800 થી વધુ વિદ્યાર્થીઓ HIV પોઝીટીવ મળી આવ્યા છે. કેટલાક મૃત્યુ પણ પામ્યા છે. ત્રિપુરાની એઇડ્સ કંટ્રોલ સોસાયટીના એક અધિકારીએ જણાવ્યું હતું કે તાજેતરમાં 828 વિદ્યાર્થીઓ એચઆઇવીથી સંક્રમિત જોવા મળ્યા હતા, જ્યારે 47 વિદ્યાર્થીઓ એઇડ્સના કારણે મૃત્યુ પામ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ત્રિપુરામાં દરરોજ પાંચથી સાત નવા દર્દીઓ સામે આવી રહ્યા છે. જો કે, ત્રિપુરાના આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે 828 કેસ અને 47 મૃત્યુના આંકડા એપ્રિલ 2007 થી મે 2024 વચ્ચેના છે. અધિકારીએ કહ્યું કે જો એચઆઈવી સંક્રમિત વિદ્યાર્થી દ્વારા ઉપયોગમાં લેવાતી ઈન્જેક્શનની સોયનો ઉપયોગ અન્ય વિદ્યાર્થી દ્વારા કરવામાં આવે તો ચેપ તેનામાં પણ ફેલાય છે. વિદ્યાર્થીઓમાં HIV ફેલાવાનું મુખ્ય કારણ ઈન્જેક્શન દવાઓનો ઉપયોગ છે. ત્રિપુરાની 220 શાળાઓ અને 24 કોલેજ-યુનિવર્સિટીમાં HIVના આ કેસ નોંધાયા છે. એઇડ્સ કંટ્રોલ સોસાયટીના જોઇન્ટ ડાયરેક્ટર સુભ્રજીત ભટ્ટાચારીએ જણાવ્યું હતું કે એચઆઇવીનો ચેપ લાગ્યો હોય તેવા મોટાભાગના વિદ્યાર્થીઓ સમૃદ્ધ પરિવારમાંથી આવે છે. તેમના માતા-પિતા બંને સરકારી નોકરીમાં છે અને તેઓ તેમના બાળકોની માંગણી પૂરી કરવામાં અચકાતા નથી. માતા-પિતાને ખ્યાલ આવે છે કે તેમનું બાળક ડ્રગ્સનું વ્યસની છે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. તેમણે કહ્યું કે મે 2024 સુધીમાં એન્ટી-રેટ્રોવાયરલ થેરાપી કેન્દ્રોમાં કુલ 8,729 કેસ નોંધાયા છે. HIV સંક્રમિત લોકોની કુલ સંખ્યા 5,674 છે, જેમાંથી 4,570 પુરૂષો અને 1,103 મહિલાઓ છે. ચેપગ્રસ્ત પૈકી એક ટ્રાન્સજેન્ડર છે. એચઆઈવી દર્દી ઈન્જેક્શન દ્વારા ડ્રગ્સનો વ્યસની બની રહ્યો છે HIV સંક્રમણ ફેલાવવાનું સૌથી વધુ જોખમ અસુરક્ષિત સેક્સ દ્વારા છે. ભારતમાં પણ 1986માં સેક્સ વર્કર્સમાં HIV સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ સિવાય દવાઓના ઈન્જેક્શનને કારણે પણ HIV સંક્રમણ ફેલાય છે. યુનાઈટેડ નેશન્સનો એક અહેવાલ જણાવે છે કે સમગ્ર વિશ્વમાં લગભગ 1.25 અબજ લોકો ડ્રગ્સનું ઈન્જેક્શન લે છે. વિશ્વના ઘણા ભાગોમાં, દવાઓના ઇન્જેક્શનને કારણે એચઆઇવીના કેસ ઝડપથી વધી રહ્યા છે. યુનાઈટેડ નેશન્સનું કહેવું છે કે જે લોકો દવાઓનું ઈન્જેક્શન આપે છે તેમને એચઆઈવીનો ચેપ લાગવાનું જોખમ 22 ગણું વધારે હોય છે. એક અંદાજ મુજબ ભારતમાં બે લાખ લોકો ઈન્જેક્શન દ્વારા દવાઓ લે છે. નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (NACO) નો અહેવાલ દર્શાવે છે કે ભારતમાં એચઆઈવી સંક્રમિત લોકોમાં 6% થી વધુ એવા લોકો હતા જેમણે ઈન્જેક્શન દવાઓનો ઉપયોગ કર્યો હતો. આ રિપોર્ટ 2017માં આવ્યો હતો. સ્વાભાવિક છે કે આ આંકડો વધુ વધ્યો હશે. NACO અનુસાર, ભારતમાં ઈન્જેક્શન દવાઓના કારણે મિઝોરમ સૌથી વધુ HIVથી સંક્રમિત છે. મિઝોરમમાં એચઆઈવીથી સંક્રમિત લોકોમાંથી લગભગ 20% લોકોએ ઈન્જેક્શન દવાઓનો ઉપયોગ કર્યો હતો. દિલ્હી બીજા સ્થાને છે, જ્યાં આવા સંક્રમિત લોકોની સંખ્યા 16% થી વધુ છે. 2019 અને 2020માં એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસ 2,697 લોકો પર કરવામાં આવ્યો હતો જેઓ ઈન્જેક્શન દ્વારા દવાઓ લેતા હતા. આ સમયગાળા દરમિયાન, તેમનો HIV ટેસ્ટ લેવામાં આવ્યો હતો, જેમાં 21.19% લોકો પોઝિટિવ જોવા મળ્યા હતા. આ જણાવે છે કે ઈન્જેક્શન દવાઓના કારણે HIV કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ અભ્યાસમાં સામેલ લગભગ 99% લોકોએ હેરોઈન લેવાનું સ્વીકાર્યું. હેરોઈનનું ઈન્જેક્શન લેનારાઓમાંથી 21.3% એચઆઈવી સંક્રમિત હોવાનું જણાયું હતું. આટલું જ નહીં, અભ્યાસમાં 54% થી વધુ સહભાગીઓએ ઇન્જેક્શન શેર કરવાનું સ્વીકાર્યું. દવાઓ માટે ઇન્જેક્શન વહેંચનારાઓમાં, 24% થી વધુ લોકોએ HIV પોઝિટિવનું પરીક્ષણ કર્યું. HIV કેટલો ખતરનાક છે? HIV એટલે હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ. આ વાયરસ શરીરની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે અને તેને એટલો નબળો પાડે છે કે શરીર હવે અન્ય કોઈપણ ચેપ અથવા રોગનો સામનો કરવા સક્ષમ નથી. એચઆઇવી એ એક વાયરસ છે જેની સમયસર સારવાર ન કરવામાં આવે તો પાછળથી એઇડ્સમાં પરિવર્તિત થાય છે. હજુ સુધી તેની કોઈ નક્કર સારવાર નથી. પરંતુ કેટલીક દવાઓની મદદથી વાયરલ લોડ ઘટાડી શકાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, એચઆઈવી અને એઈડ્સના કારણે વિશ્વભરમાં ચાર કરોડથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. 2022 ના અંત સુધીમાં, વિશ્વભરમાં લગભગ 4 કરોડ લોકો HIV-AIDS સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. એકલા 2022 માં, વિશ્વભરમાં આ રોગને કારણે છ લાખથી વધુ મૃત્યુ થયા હતા. NACO અનુસાર, 2023 સુધીમાં ભારતમાં 25 લાખથી વધુ લોકો HIVથી સંક્રમિત હતા. ગયા વર્ષે HIV-AIDSના 68,451 નવા કેસ નોંધાયા હતા. જ્યારે આ બીમારીને કારણે 35 હજાર 866 લોકોના મોત થયા છે. HIV થી AIDS…આ રીતે વાયરસ ફેલાય છે અસુરક્ષિત સંભોગ અને સંક્રમિત લોહીના સંપર્કમાં આવવાને કારણે HIVનું જોખમ વધે છે. યોગ્ય સમયે તેની સારવાર શરૂ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC) મુજબ, જ્યારે એચઆઈવીનો ચેપ લાગે છે, ત્યારે ફ્લૂ જેવા લક્ષણો દેખાય છે, જેમ કે તાવ, ગળામાં દુખાવો અથવા નબળાઈ. આ પછી, જ્યાં સુધી એઇડ્સ વિકસિત ન થાય ત્યાં સુધી આ રોગમાં કોઈ લક્ષણો દેખાતા નથી. એઇડ્સના કિસ્સામાં, વજન ઘટવું, તાવ અથવા રાત્રે પરસેવો, થાક અને નબળાઇ જેવા લક્ષણો જોવા મળે છે. સામાન્ય રીતે, એચઆઇવી એઇડ્સમાં રૂપાંતરિત થવા માટે ત્રણ તબક્કા લે છે. પ્રથમ તબક્કો:HIV ચેપ વ્યક્તિના લોહીમાં ફેલાય છે. આ સમયે, અન્ય ઘણા લોકોમાં ચેપ ફેલાવવાનું જોખમ સૌથી વધુ છે. આ તબક્કામાં ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે. જો કે, કેટલીકવાર ચેપગ્રસ્ત વ્યક્તિને કોઈ લક્ષણો પણ લાગતા નથી. બીજો તબક્કો:આ તે તબક્કો છે જેમાં ચેપગ્રસ્ત વ્યક્તિમાં કોઈ લક્ષણો દેખાતા નથી, પરંતુ વાયરસ સક્રિય રહે છે. ઘણી વખત 10 વર્ષથી વધુ સમય પસાર થાય છે, પરંતુ વ્યક્તિને દવાની જરૂર નથી. આ સમય દરમિયાન વ્યક્તિ ચેપ ફેલાવી શકે છે. આખરે વાયરલ લોડ વધે છે અને વ્યક્તિ લક્ષણો બતાવવાનું શરૂ કરે છે. ત્રીજો તબક્કો:જો એચ.આય.વીની જાણ થતાં જ દવા શરૂ કરવામાં આવે તો આ સ્ટેજ સુધી પહોંચવાની શક્યતા ઘણી ઓછી હોય છે. એચઆઈવીનો આ સૌથી ગંભીર તબક્કો છે, જેમાં વ્યક્તિ એઈડ્સનો ભોગ બને છે. જ્યારે કોઈ વ્યક્તિને એઈડ્સ હોય છે, ત્યારે વ્યક્તિમાં વાયરલ લોડ ખૂબ જ વધી જાય છે અને તે તદ્દન ચેપી બની જાય છે. આ તબક્કે, વ્યક્તિ માટે સારવાર વિના 3 વર્ષ પણ જીવવું મુશ્કેલ છે. કેવી રીતે સાચવવું?એચ.આય.વી સંક્રમણ ફેલાવવાનું સૌથી વધુ જોખમ અસુરક્ષિત સેક્સ દ્વારા છે. ભારતમાં પણ સેક્સ વર્કર્સમાં એચઆઈવીનો પ્રથમ કેસ નોંધાયો હતો. તેથી, સેક્સ કરતી વખતે સાવચેતી રાખવાની ખાતરી કરો. આ સિવાય ઈન્જેક્શનની દવાઓ લેનારાઓથી પણ દૂર રહેવું જોઈએ. જો એચઆઈવી મળી આવે તો ગભરાવાની જગ્યાએ તરત જ એન્ટિ-રેટ્રોવાયરલ થેરાપી શરૂ કરો, કારણ કે એચઆઈવી શરીરને ખૂબ જ નબળું બનાવે છે અને ધીમે ધીમે અન્ય રોગો પણ તેની અસર કરવા લાગે છે. જો કે હજુ સુધી તેનો કોઈ ઈલાજ નથી, પરંતુ દવાઓ દ્વારા તેનાથી બચી શકાય છે. [...] Read more...
July 8, 2024સુરત: ભારત સરકાર દ્વારા ઉન્નત ભારત અભિયાન અંતર્ગત છેવાડાના ગામડાઓના યુવાઓમાં સ્કીલ ડેવલપમેન્ટ કરીને નોકરીની તકો ઊભી કરી શકાય. આ પહેલ હેઠળ સુરતના કેપી ગ્રુપે તેના સીએસઆર આર્મસ કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન થકી સુપ્રસિદ્ધ સંસ્થા SVNIT સાથે એમઓયુ કર્યા અને સોલાર પ્રોજેક્ટ ઊભો કરવાની પ્રેક્ટિકલ અને થિયરિકલ તાલીમ આપવાની શરૂઆત કરી છે. જેમાં  PI-UBAએ દત્તક લીધેલા ગામોમાં આઈટીઆઈના  વિદ્યાર્થીઓ માટે સોલાર પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલેશન પર પાંચ દિવસીય  પ્રથમ ટ્રેનિંગ સફળતાપૂર્વક પુરી થઈ. પહેલા બેચમાં 45 વિદ્યાર્થીઓને કેપી ગ્રુપનો સુડી સહિતનો સોલાર પાર્ક સંભાળતા ડેપ્યુટી મેનેજર નાશીર શાહ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી. કેપી ગ્રુપે આમાંથી કાબેલ વિદ્યાર્થીઓને નોકરી આપવાની યોજના પણ બનાવી છે. કેપી ગ્રુપના ચેરમેન અને એમડી ડો. ફારુક પટેલ દ્વારા આજે આ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારતા કહેવાયું કે, અમને સરકાર અને એસવીએનઆઈટીએ ઉન્નત ભારત અંતર્ગત રિન્યુએબલ એનર્જીના માધ્યમથી નવી પેઢીને એક પર્યાવરણની રક્ષા માટેના મિશન માટે તૈયાર કરવાની તક આપી તે માટે આભાર. આ યુવાઓ પોતાના પરિવારના ગુજરાન માટે વ્યવસ્થા કરવા સાથે દેશની હરિત ક્રાંતિમાં પણ પોતાનું યોગદાન આપશે અને માનવતાને રક્ષવાનું કાર્ય કરશે તે અમારા માટે ગર્વ લેવા જેવી બાબત છે. આ કાર્યક્રમમાં SVNIT ના ડાયરેક્ટર અનુપમ શુક્લાએ એસવીએનઆઈટીના ઉન્નત ભારત હેઠળના ઉદ્શ્યને વિદ્યાર્થીઓ સમક્ષ મુક્યો હતો. આ પ્રસંગે  કેપી ગ્રુપના સીઓઓ શહીદુલ હસન,  UBA ચેરમેન ડૉ. ક્રુપેશ ચૌહાણ, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ડૉ. વર્ષાબેન શાહ સહિતનાએ પણ વિદ્યેર્થીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ કોર્ષ એસવીએનઆઈટીએ દત્તક લીધેલા મોરા, ભટલાઈ, સુંવાલી, રાજગોરી અને જુનાગામના વિદ્યાર્થીઓને તબક્કાવાર આપવામાં આવશે. પહેલા બેચમાં મોટાભાગે મોરા ગામની આઈટીઆઈના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કેપી ગ્રુપ એસવીએનઆઈટીમાં કેપી સેન્ટર ઓફ એક્સલન્સ સ્ટડી હાઉસ ખોલવાની દિશામાં પણ કામ કરી રહી છે. [...] Read more...
June 29, 2024સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910) જમાનો ઓનલાઈનનો છે. જમાનો ડિજિટલનો છે. જમાનો સોશ્યલ મીડીયાનો છે. જમાનો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટનો છે. ઘણાં લોકો ‘ડિજિટલી’ થઈને સોશ્યલ મીડીયાના માધ્યમથી લાખો કમાય રહ્યાં છે. બિઝનેસ વધારી રહ્યાં છે. દરેકને આ વૈશ્વિક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પોતાની હાજરી પુરાવવી છે. કેટલાક અનઆવડતથી ગમે તેમ ઉપયોગ કરે છે. ઘણાં જાતે જાતે શીખીને પોતે ‘મહારથી’ હોય તે રીતે વર્તે છે. જોકે, મોટે ભાગના લોકોને ખરું, સાચું, ઊંડાણપૂર્વકનું જ્ઞાન હોતું નથી. જોકે, સુરતની એક એવી એન્ટરપ્રિન્યોર છે જેનું ‘ફોરમ’ સુરત અને દક્ષિણ ગુજરાતમાં ‘ડિજિટલ માર્કેટિંગ’ની ‘મહેક’ ફેલાવતું રહે છે. નામ છે અસ્સલ સુરતી ‘ફોરમ મારફતિયા’. ફોરમ માત્ર સાડા ત્રણથી ચાર વર્ષના સમયગાળામાં જ 10 હજારથી વધુ લોકોનું ‘ડિજિટલાઈઝેશન’ કરી ચુક્યાં છે. આમ તો ફોરમનું બેકગ્રાઉન્ડ આઈટી ક્ષેત્રનું. શરૂઆતમાં બેંગ્લોરમાં જોબ પણ કરી પણ મન ‘નોકર’ બની રહેવા માન્યું નહીં અને એક મનમાં સનક જાગી કે કેમ ન હું મારા હોમ ટાઉન સુરત-સાઉથ ગુજરાતને ડિજીટલી મજબૂત કરું? બસ ત્યારબાદ બેંગ્લોરને બાય-બાય કર્યું અને સુરતમાં પોતાના નામથી જ ‘ફોરમ મારફતિયા’ બ્રાન્ડનો જન્મ થયો. ‘ગો ડિજિટલ, ગ્રો ડિજિટલ’નું સપનું બિઝનેસમેન, નવા વ્યવસાયી, આ ક્ષેત્રમાં પગ જમાવવા માંગતા યુવાધનના મનમાં વાવ્યું અને તે સફળ થયું. ફોરમ ડિજિટલ માર્કેટિંગ કેવી રીતે કરવું તે માટે સૌ પ્રથમ કન્સલન્સી શરૂ કરી અને બાદમાં અધિકૃત ટ્રેનિંગ સેન્ટર શરૂ કર્યું. અધિકૃત ટ્રેઈનર: ફોરમે જ્યારે આ વ્યવસાયમાં પગ મુક્યો ત્યારે તેઓએ અનુભવ્યું કે, Google, Facebook અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સંબંધિત ડેટાનો ઉપયોગ કરીને સંભવિત ખરીદદારોને લક્ષ્ય બનાવે છે અને પોતાનો બિઝનેસ વધુ ઊંચાઈએ લઈ જાય તેવી ડિજિટલ માર્કેટિંગી તાલીમ આપતી કોઈ વિશ્વસનીય સંસ્થાઓ નથી અથવા તો પ્રમાણપત્રવાળા અભ્યાસક્રમો ચલાવતી એકેડમી ન હતી. ફોરમે એ બીડું ઉપાડ્યું અને પોતે ફેસબુક બ્લુપ્રિન્ટ સર્ટિફિકેશન, ગુગલ પાર્ટનર, ઈનબાઉન્ડ માર્કેટિંગ સર્ટીફાઈ, ટ્રેઈન ધ ટ્રેઈનર પ્રોગ્રામ, ગુગલ ડિજિટલ અનલોક સહિતની ટ્રેનિંગ પોતે લીધી અને અધિકૃત ટ્રેઈનર તરીકે કામ શરૂ કર્યું. ફોરમ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સાથે મળીને પણ ટ્રેનિંગ સેશન ચલાવતા આવ્યા છે. તેમના ત્યાં શીખતા લોકોને અધિકૃત સર્ટિફિકેટ અપાય છે જેથી, તેઓ પોતે પણ ડિજિટલ મેનેજર તરીકે જોબ મેળવી શકે અથવા વ્યવસાય કરી શકે. જોકે, તે પહેલા ફોરમએ લોકોને ડિજિટલ માર્કેટિંગ કેટલું ઉપયોગી છે તે માટે જાગૃત કરવા ઘણાં સેમિનાર, ટોક શો અને જાગૃત્તિ પ્રોગ્રામ કરવા પડ્યાં. તેમના સેમિનારનો 35000થી વધુ લોકોએ લાભ લીધો અને પોતે અત્યારસુધી 7000થી વધુ લોકોને પ્રેક્ટિલી તાલીમ આપી ચુક્યા છે. બિઝનેસ ડેવલપમેન્ટ કરવામાં 150થી લોકોને કન્સલટન્સી આપી ચુક્યાં છે. તેમની ખાસિયત એ છે કે, તેઓ બે યુવતીઓને દત્તક લઈને અને પાંચ હાઉસકીપર સ્ટાફને પણ આ ટ્રેનિંગ આપીને જોબ અપાવી. બસ તેમણે ધૂણી ધખાવી છે કે, મારા સુરતીઓ ગ્લોબલી ડિજિટલી ચમકે અને બિઝનેસ વધારે. ફોરમ WICCI ના પણ ઉપાધ્યક્ષ છે અને મહિલાઓના ઉત્થાન માટે સતત પ્રયાસરત રહે છે. ‘ફોરમ’ કહે છે કે, હું સ્પર્ધામાં નથી માનતી, મારે તો બસ ડિજિટલ માર્કેટિંગની ‘ખુશ્બુ’ ફેલાવવી છે ફોરમ મારફતિયા કહે છે કે, ‘સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવું, તે ડિજિટલ માર્કેટિંગ નથી’ તેના માટે ઘણી મહેનત અને જ્ઞાનની જરૂરત છે. એક માર્કેટિંગ સ્ટ્રેટજીની જરૂરિયાત છે. જેમાં , ઈન્ફ્લુએન્સર માર્કેટિંગ, કન્ટેન્ટ જનરેશન, સામાજિક જાગૃતિ, ઓનલાઈન PR, SEO, વગેરેનો સમાવેશ થાય છે. ફોરમ કહે છે કે, હું સ્પર્ધામાં માનતી નથી , હું મારા જેવા અનેક એન્ટરપ્રિન્યોર ઊભા કરવા માંગુ છું. હું ઈકો સિસ્ટમ ઊભી કરવા ઈચ્છુ છું. https://forummarfatia.com/ [...] Read more...
June 22, 2024ખેડૂતોની આર્થિક સમસ્યાને ધ્યાનમાં રાખતા તેલંગાણામાં મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીની સરકારે લોન માફીની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, 2 લાખ રૂપિયાની લોન માફી જલદી જ લાગૂ થઈ જશે. રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પ્રેસ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે વર્ષ 2018 થી વર્ષ 2023 વચ્ચે જે પણ ખેડૂતોએ 2 લાખ રૂપિયા સુધીની લોન લીધી હોય, તેને માફ કરી દેવામાં આવશે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે, મંત્રીમંડળે 12 ડિસેમ્બર 2018 થી 9 ડિસેમ્બર 2023 સુધી 5 વર્ષની અવધિ માટે રાજ્યના ખેડૂતો દ્વારા લેવામાં આવેલી 2 લાખ રૂપિયાની લોનને માફ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે, પાત્રતા શરતો સહિત લોન માફીનું વિવરણ જલદી જ એક સરકારી આદેશ (GO)માં જાહેરાત કરવામાં આવશે. રાજ્ય સરકાર પર પડનાર આર્થિક ભારણને લઈને મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે, લોન માફીથી રાજ્યના ખજાના પર લગભગ 31,000 કરોડ રૂપિયાનો ભાર આવશે. તેમણે આરોપ લગાવ્યો કે, પાછલી BRS સરકારે 1 લાખ રૂપિયાની લોન માફીના પોતાના વાયદાને ઈમાનદારીથી લાગૂ ન કરીને ખેડૂતો અને ખેતીને સંકટમાં નાખી દીધા હતા. તેમણે વધુમાં કહ્યું કે, તેમની સરકાર 2 લાખ રૂપિયાના કૃષિ લોન માફી માટે પોતાના ચૂંટણી વાયદાને પૂરો કરી રહી છે. આ અગાઉ ઝારખંડમાં ખેડૂતોની લોન માફ કરવાની જાહેરાત થઈ હતી. રાજ્યના મુખ્યમંત્રી ચંપઈ સોરેને કહ્યું હતું કે, તેમની ગઠબંધન સરકાર ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરશે. તેની સાથે જ ફ્રી વીજળી કોટાને વધારે 200 યુનિટ કરશે. તેના માટે તેમણે ઘણી બેન્કોને પ્રસ્તાવ રજૂ કરવા કહ્યું હતું. મુખ્યમંત્રી ચંપઈ સોરેન મુજબ 31 માર્ચ 2020 સુધી ખેડૂતોની 50 હજારથી લઈને 2 લાખ રૂપિયા સુધીની લોનને વન ટાઇમ સેટલમેન્ટના માધ્યમથી માફ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી અગાઉ 4 મહિના અગાઉ થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ખેડૂતોની લોન માફીનો વાયદો કર્યો હતો. રાજ્યમાં કોંગ્રેસે BRSને હરાવીને સત્તા હાંસલ કરી હતી અને એ. રેવંત રેડ્ડીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. હવે લોકસભાની ચૂંટણી બાદ રેવંત રેડ્ડીએ રાજ્યમાં લોન માફી કરવાની જાહેરાત કરી દીધી છે. [...] Read more...
June 22, 2024સુરત ટ્રાફિક પોલીસે પહેલા સંખ્યાબંધ જગ્યાઓ પર વાહનોની અવરજવરને અંકુશિત કરવા અને ટ્રાફિક નિયમનું પાલન કરાવવા માટે ટ્રાફિક સિગ્નલ લગાવી દીધા. આ સિગ્નલ કદાચ આંતરિક સર્વેને કારણે લગાડ્યા હોઈ શકે પરિણામે ઠેરઠેરથી બુમો પડવા માંડી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટનો આ સિગ્નલને કંટ્રોલ કરવા ઉપયોગ થતો હોવાની જાહેરાત પણ થઈ પણ એઆઈ પણ ફેઈલ હોય તેમ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાવા લાગ્યા. ફરીથી રિવ્યુ કરવાની ફરજ પડી અને હવે પોલીસ પોતાની રીતે એ નિષ્કર્ષ પર પહોંચી કે ટ્રાફિક સર્કલ-આઈલેન્ડ તોડી પાડો અને બમ્પર તોડી પાડો તો સમસ્યા ઉકેલાય જશે. જોકે, આ બધુ કરતા પહેલાં એક્સપર્ટની સલાહ અને આપણાં શહેરમાં મૌજૂદ જગવિખ્યાત એસવીએનઆઈટીના એન્જિનિયરોની ટીમનો અભિપ્રાય લઈને આગળ વધાયું હોત તો વધુ સારું પરિણામ આપી શકાયું હોત. સુરત મહાનગર પાલિકા તો આમ કરે જ છે પરંતુ ટ્રાફિક પોલીસે પણ સંયુક્ત કમિટિ બનાવીને નિર્ણય લે તો શહેરને ટ્રાફિક નિયમન માટે સારું પરિણામ મળી શકે. રોડ એન્જિનિયરિંગને ધ્યાનમાં લીધા વિના આયોજન થયું હોય તેવું લાગે છે સિવિલ એન્જિનિયર અને સુરતના સિનિયર પત્રકાર ચેતન શેઠ કે જેઓ સુરત મહાનગર પાલિકાનું બીટ લગભગ 24 વર્ષ ઉપરાંતથી કરે છે તેમણે આ મામલે એક્સપર્ટ વ્યુ લેવાયો તો તેઓએ કહ્યું કે, ટ્રાફિકના પ્રશ્ન માટે ચાર “ઈ” મહત્વના છે. એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, એજ્યુકેશન અને એનેક્ટમેન્ટ(કાયદામાં સુધારા વધારા).પાલિકાના ભાગે એન્જિનિયરિંગ આવે પોલીસના ભાગે એન્ફોર્સમેન્ટ આવે આરટીઓ અને સમાજના બીજા ક્ષેત્રો માટે એજ્યુકેશન આવે અને ચૂંટાયેલી પાંખ માટે એનેકટમેન્ટ આવે. 1) ટ્રાફિક સિગ્નલના આખા બખેડામાં સ્થિતિ એવી લાગે છે કે, પોલીસ પાસે એન્ફોર્સમેન્ટ માટે માણસો અને ફંડ બંનેનો મહદઅંશે અભાવ છે એટલે સીસી કેમેરાની ટેકનોલોજીનો સહારો લઈને એન્જિનિયરિંગ અને એન્ફોર્સમેન્ટ બંને હાથમાં લઈ લીધું છે. 2) આખી વ્યવસ્થામાં રોડ એન્જિનિયરિંગનો ક્યાંય ઉપયોગ કરાયો હોય કે વિચાર પણ કર્યો હોય તેવું દેખાતું નથી. 3) ટ્રાફિક સિગ્નલ મેનેજમેન્ટ હેવી ટ્રાફિકવાળા શહેરના માત્ર ૧૩૬ મેઇન રુટ ઉપર જ હોય શકે. આ મેઇન રૂટ ઉપર પણ ITMS (ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ) જ એપ્લિકેબલ કરવાની હોય. એટલે ઇન્ફ્રારેડથી જ્યાં જેટલો ટ્રાફિકનો લોડ હોય તે પ્રમાણે સિગ્નલ આપોઆપ ટાઈમ મેનેજમેન્ટ કરે. આ રીતે પ્રિ ડીસાઈડેડ ટાઈમિંગ ન હોય. 4) તેમાં પણ જ્યાં જંકશન ઉપર આઇલેન્ડ બનાવ્યો હોય ત્યાં માત્ર બ્લીંકર્સ જ મૂકીને એલર્ટ કરવાના હોય. અન્ય સબમેઇન અને ઇન્ટરનલ રોડ ઉપર માત્ર એલર્ટ સ્ટ્રીપ કે સ્પીડ બ્રેકર મૂકીને ટ્રાફિક જ્યાં મર્જ થતો હોય ત્યાં મેનેજમેન્ટ કરી શકાય. (કોર્પોરેશનના ટ્રાફિક અને સોલિડ વેસ્ટ વિભાગ પાસે શહેરના મેઇન રુટ અને સબમેઇન રૂટ તેમજ ઇન્ટરનલ રૂટની તમામ યાદી તૈયાર જ છે તેનો ઉપયોગ કરી શકાયો હોત. 5) અત્યારે સ્થિતિ એવી છે કે લોકો દંડનું ચલણ નહીં મળે તે ડરથી જંકશન ઉપર ઊભા રહેવા માંડ્યા છે પરંતુ એ ડર જેવો નીકળી જશે કે તરત જ સિગ્નલ બ્રેક થવા માંડશે. લોકો ધીરજ ગુમાવે અને સિગ્નલ ઉપર એક સામટા વાહનો ભેગા થઈ જશે તો પોલીસના કોઈપણ સીસી કેમેરા ઇ-મેમો આપવા માટે ગાડીઓના નંબર ઓળખી શકવા સક્ષમ નહી રહે અને આખી વ્યવસ્થા ફરી હતી ત્યાંની ત્યાં આવી જશે. એટલે આ વ્યવસ્થામાં ખામી દૂર કરવા માટે એન્જિનિયરિંગ એક્સપર્ટનો સહયોગ લઈને માત્ર સમયસર અને પ્રેક્ટીકલ સુધારા જ નહી આ શહેરના કલચરને અનુરૂપ સુધારા કરવામાં આવશે તો જ આ અખતરો સફળ થઈ શકશે. અન્યથા ખુબ ટૂંકા સમયમાં ફરી આપણે હતા ત્યાંના ત્યાં આવી જઈશું. સર્કલ અગાઉ પણ તોડાયા હતા પરંતુ રોડ એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને ફરી બનાવાયા સુરત મહાનગર પાલિકાના કેટલાક અભ્યાસુ અધિકારીઓનો એક જ મત છે કે, બેફામ ટ્રાફિક આઈલેન્ડ કે સર્કલની તોડફોડ અને બમ્પની તોડફોડ ટ્રાફિક નિયમનનો વિકલ્પ નથી. હાલ પોલીસ વિભાગ તરફથી સુરત મહાપાલિકાને 200 જેટલા સર્કલ અને બમ્પનું લિસ્ટ અપાઈ ગયું છે અને તેને તાત્કાલિક ધોરણે દૂર કરવા સૂચના આપી દેવાય છે. પરંતુ સુરતમાં જેટલા પણ સર્કલ -આઈલેન્ડ હાલ હયાત છે તે મહાપાલિકા દ્વારા ભૂતકાળમાં એસવીએનઆઈટી , બીઆરટીએસ, ટ્રાફિક વિભાગ અને ટ્રાફિક પોલીસની કમિટિ બનાવીને જ સાયન્ટિફિક રોડ એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને બનાવાયા હતા. જેનાથી અકસ્માતો ઘટે, ટ્રાફિક મોડરેડ થઈ ચાર રસ્તા પર ધીમી ગતિએ આગળ વધે તે માટેનું આયોજન કરાયું હતું પરંતુ ફરીવાર ભૂતકાળમાં થયેલી કસરત શરૂ થઈ છે અને ટ્રાફિક આઈલન્ડ -સર્કલ તોડી પાડવાનું શરૂ કરાયું છે. જોકે, આગળ જતા ફરી તેને બનાવવાનું કહેવાય તો નવાઈ નહીં. (જેવું ભૂતકાળમાં થયું છે.), હાલ આ કસરતથી સુરત મહાનગર પાલિકા અને સ્પોનસર્સને ભારે આર્થિક નુકશાન ઉઠાવવું પડે એમ છે અને લોકોના ટેક્સના રૂપિયાનો વેડફાટ પણ થાય એમ છે. અધિકારીઓ અને ઘણાં લોકો ઈચ્છે છે કે, રોડ એન્જિનયરિંગ મુજબ અને હયાત પરિસ્થિતિનો પ્રોપર તાગ મેળવીને તેના અનુરૂપ ડિઝાઈન અપાય અને જે ખરેખર સર્કલ ખસેડવા પડે તેમ જ હોય અને તેનાથી ફાયદો થતો હોય તો જ તેના અમલ કરાય. આ ઉદાહરણથી સમજીએ કે સર્કલ ખસેડવાથી ફાયદો છે કે નહીં? એક ઉદાહરણ લઈએ તો કારગીર ચોકનું સર્કલ દૂર કરાય પણ બંને તરફથી જે માર્ગ આવે છે તે તો એક સમાન જ છે. એટલે સર્કલ દૂર કરવાથી વાહનોનો ફોલો ત્યાંથી એક સાથે પસાર થઈ શકે નહીં. એ તો ચાર રસ્તા પર ઊભો રહેશે અને લાઈન લાગશે જ અને માત્ર સર્કલ પર પહોળાઈ થશે પણ ત્યાં વાહનો સિગન્લન પર ઊભા રહેશે નાકી સર્કલની વચ્ચો વચ. જેવું સિગ્નલ ખુલશે તો વાહનો આગળ વધી રોડ ટુ રોડ જ ચાલશે એટલે સર્કલ ખસેડવાને કારણે ટ્રાફિક ફ્રી થશે તે વાત માનવામાં આવે તેવી નથી. આવું જ દરેક જગ્યા પર થશે. ઉપરથી સર્કલ ખસેડી દેવાથી સિગ્નલ ન હોવાની સ્થિતિમાં કે રાતના સમયે વાહનો ધીમા નહીં પડે અને સીધા અથડાઈ જવાની સંભાવના અનેક ગણી વધી જાય છે. સુરત મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલે પણ નોંધ મુકી છે કે, પુરતો અભ્યાસ કરીને જે સંભવ હોય તે ટ્રાફિક નિયમનના હીતમાં કરવું અને સાત દિવસમાં રિપોર્ટ કરવો. શું પોલીસ પોતાનો નિર્ણય ખરો સાબિત કરવા મથી રહી છે? જાણકાર એક્સપર્ટોનો મત છે કે, ટ્રાફિક સિગ્નલનું પાલન કરાવવું તે સારી વાત છે પરંતુ આડેધડ તે ન થવું જોઈએ. હવે સિગ્નલને કારણે ઈશ્યું ઊભા થયા છે. વાહનોનો ટ્રાફિકનો રાઉન્ડ ધ ક્લોક અભ્યાસ ન થયો હોય અને રોડ એન્જિનિયરિંગનો પણ ઉપયોગ થયો ન હોવાથી લોકોનો સમય બગડી રહ્યો છે. એક જ સિગ્નલ પર ત્રણ-ત્રણ વાર પણ થોભવું પડે છે. ઈંધણનો ખર્ચ વધ્યો છે. માનસિક સ્થિતિ પર અસર થઈ રહી છે. જેથી, હવે ઉતાવળે લેવાય ગયેલા આ નિર્ણયને ખરો સાબિત કરવા માટે પોલીસ મથી રહી હોય તેવું લોકોનું માનવું છે અને તેના કારણે જ ટ્રાફિક સર્કલ અને સ્પીડ બ્રેકર તોડી પાડવાનો નિર્ણય ઉતાવળે લેવાય રહ્યો છે. જો રખે ચુક રહી ગઈ અને ફરી ટ્રાફિક-રોડ એન્જિનિયર્સ પાસે પ્રોપર સમય લઈ સર્વે ન કરાવ્યો તો સ્થિતિ ફરી ત્યાં ને જ ત્યાં જ આવીને અટકી જશે એવું જાણકારોનું માનવું છે. [...] Read more...
May 21, 2024 મસલ્સ એન્ડ માઈન્ડ જીમવાળો કૃત્તિક ભંડારી પીપલોદ સ્થિત એક જીમમાં જઈને બબાલ કરવાના મામલાના વિવિધ જીમ એસોસિયેશનમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. બીજાના જીમમાં પંટરોની ફી રિટર્ન લેવા પહોંચી જઈ ગાળો બોલવી, ધમકી આપવી અને હાથાપાઈ કરવા જેવી બાબતોને કારણે જીમ ઈન્ડસ્ટ્રીઝ ભારે ખફા છે. આવી હરકતથી જીમ ઈન્ડસ્ટ્રીઝ બદનામ થઈ રહી છે. કૃત્તિક વારંવાર કોઈને કોઈ હરકતો કરતો આવ્યો છે. તેની માનસિકતા આ જ રીતની હોવાની વાતો જીમ ઈન્ડસ્ટ્રીઝમાં ચર્ચાએ એરણે ચઢી છે. ક્રિમીનલ માઈન્ડને કારણે આવા વિવાદો થતા હોવાથી જીમ ઈન્ડસ્ટ્રીઝે આવી વ્યક્તિઓથી અંતર રાખવા માટેનું મન બનાવ્યું છે. ઘણાં જીમ સંચાલકોએ આ ઘટનાને વખોડી છે. એક જ બિઝનેસમાં હોવાથી એક બીજાને સુઝ-બુઝ સમજથી કામ લેવાનું હોય ના કે ટપોરીગીરી કરી પોતાના બાવડા દેખાડવાના હોય તેવો મત દરેક જીમ સંચાલકોએ આપસમાં વાતચીત કરીને વ્યક્ત કર્યો હોવાની માહિતી મળી છે. પીપલોદના જે જીમમાં જઈ બબાલ કરવામાં આવી હતી, તે જીમના માલિક દ્વારા પણ આ મામલાને પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હોવાની માહિતી સાંપડી છે અને સમય આવ્યે પગલાં લેવાની તૈયારીઓ પણ શરૂ કરી છે. બબાલના બીજા દિવસે પણ કૃત્તિકના બે પંટરો ત્યાં ગયા હતા પણ તેઓએ ત્યાંથી વિલે મ્હોડે પાછા ફરવું પડ્યું હતું. બીજી તરફ, કૃત્તિક જે જીમનો માલિક હોવાનું કહે છે તે જીમ મસલ્સ એન્ડ માઈન્ડમાં જતા તેના કહેવાતા મિત્રોએ પણ તેને ઠપકો આપ્યો છે અને તે હાલ ભીતરમાં લપાયો હોવાનું કહેવાય છે અને આમતેમથી ભલામણો કરાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. જે જીમમાં બબાલ કરી આવ્યો તે જીમના સંચાલકને પોલીસ ફરિયાદ ન કરવા સમજાવવા માટે ઘણી ભલામણ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, મામલો ભલે આપસમાં સમજી લેવાય પણ પોલીસ સાથે ખાવા-પીવા અને ….. સહીતના સંબંધોનું સરેઆમ બોલતા કૃત્તિક સામે પોલીસ ખુદ પગલાં ભરે તે જરૂરી છે. શું મામલો હતો…? પીપલોદના એક જીમમાં જઈ કૃત્તિક ભંડારી પોલીસના નામે દમ મારી રહ્યો છે અને કહેતો સંભળાય રહ્યો છે કે, ‘પોલીસની સાથે આપણું જબરું સેટિંગ છે, ખાવા-પીવા સહિતનો સંબંધ છે., આપણી જબાન મરદની જબાન છે, હાથમાં બંગડી નથી પહેરી, એકવાર કહીં દીધું કે મારીશ અને તારું જીમ બંધ કરાવીશ એટલે કરાવીશ. પેલાને બહાર લઈએ. ચાલ બહાર ચલ. દેખાડું. ’’ વગેરે વગેરે….આ જીમમાં જઈ બબાલ કરતી વખતે તેની સાથે તેના બે પંટરો પણ હતા અને તેઓએ જ જાણી જોઈને તકરાર ઊભી કરીને કૃત્તિક ભંડારીને બોલાવ્યો હતો. કૃત્તિક વીડીયોમાં સ્પષ્ટ કહે છે કે, તે મસલ્સ એન્ડ માઈન્ડ જીમનો માલિક છે. વીડીયો-ઓડિયો જે વાયરલ થયો હતો તેની લિંક નીચે ઈન્સ્ટાગ્રામ પર છે…. જુઓ… View this post on Instagram A post shared by I am SURAT (@newsnetworks.co.in) [...] Read more...
May 18, 2024થોડા દિવસ પહેલાં જ અડાજણ પોલીસે કૃત્તિકની હેકડી કાઢી હતી પરંતુ…. વીડીયો વાયરલ થતા કૃત્તિક ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાની વાત.. View this post on Instagram A post shared by I am SURAT (@newsnetworks.co.in) વિવાદમાં જ રહેતા મસલ્સ એન્ડ માઈન્ડ જીમવાળો કૃત્તિક ભંડારી પીપલોદ સ્થિત એક જીમમાં જઈને બબાલ કરી આવ્યો. આ બબાલમાં તે પોલીસના નામે દમ મારી રહ્યો છે અને કહેતો સંભળાય રહ્યો છે કે, ‘પોલીસની સાથે આપણું જબરું સેટિંગ છે, ખાવા-પીવા સહિતનો સંબંધ છે., આપણી જબાન મરદની જબાન છે, હાથમાં બંગડી નથી પહેરી, એકવાર કહીં દીધું કે મારીશ અને તારું જીમ બંધ કરાવીશ એટલે કરાવીશ. પેલાને બહાર લઈએ. ચાલ બહાર ચલ. દેખાડું. ’’ વગેરે વગેરે….આ જીમમાં જઈ બબાલ કરતી વખતે તેની સાથે તેના બે પંટરો પણ હતા અને તેઓએ જ જાણી જોઈને તકરાર ઊભી કરીને કૃત્તિક ભંડારીને બોલાવ્યો હતો. કૃત્તિક વીડીયોમાં સ્પષ્ટ કહે છે કે, તે મસલ્સ એન્ડ માઈન્ડ જીમનો માલિક છે. જીમના સુપરવાઈઝરે આ વીડીયો ઉતાર્યો હોવાનું લાગી રહ્યું છે અને તે તેને સમજાવી રહ્યો છે અને તેમાં તે કહેતો સંભળાય રહ્યો છે કે, તુ હથિયાર સાથે હુમલો કરવાની વાત કરતો હતો તે કર. બોલ હવે કેમેરા સામે. એટલે કૃતિકે આ પહેલા બહુ હંગામો કર્યો હોય તેવું સ્પષ્ટ જણાય છે. કૃતિક તેના બે પંટરોનું રિફંડ પણ માંગી રહ્યો છે. પોલીસના નામે દમ મારતા કૃત્તિકને સામે પક્ષે પણ જવાબ મળેછે કે, અમારા પણ ઘણાં કસ્ટમર ઓફિસર અને પોલીસવાળા હોય છે પણ તેને શા માટે ઈન્વોલ કરવાના. બાદમાં સુપરવાઈઝર કહે છે કે, ઈસકે સભી વીડીયો પુલિસ કો ભેજ દે પતા ચલે ઈસ્કો. હવે પીપલોદના આ જીમવાળાએ પોલીસ ફરિયાદની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બબાલ કરીને ત્યાંથી ગયેલા કૃત્તિકે બાદમાં તેને બધા ત્રણથી ચાર ફોન બંધ કરી દીધા છે. થોડા દિવસ પહેલાં જ અડાજણ પોલીસે કૃત્તિકની હવા કાઢી હોવાની વાત પોલીસ વિભાગના અંતરંગ સૂત્રોએ જણાવ્યું કે, લાસ્ટ વીકમાં જ કૃત્તિકે કોઈ ફેમીલી સાથે આવી જ તકરાર કરી દમદાટી મારી હતી. ખાસ કરીને તે મહિલા સાથે બાખડ્યો હતો. જેના કારણે મામલો અડાજણ પોલીસ મથકે ગયો હતો. પોલીસે કૃત્તિકને બરાબરનો મેથીપાક ચખાડીને તેની હેકડી કાઢી હતી. જોકે, કૃત્તિક વિવાદોથી ઘેરાયેલો છે અને તે જીમના નામે અવારનવાર દાદાગીરી કરતો ફરતો હોવાનું જીમ સંચાલકોના વર્તુળોમાં ચર્ચાચ છે. કૃત્તિક ભંડારીના બીજા અનેક વિવાદો સમયાંતરે પ્રકાશિત થતા રહેશે. વાંચતા રહો ન્યૂઝનેટવર્કસ. [...] Read more...
May 11, 2024સ્ટોરી: રાજા શેખ (98980 34910) હુરતી ‘મોદી’ એટલે કે પ્રોફેશર યશવંત વ્યાસ. અંગ્રેજીના માંઘાંતા. અનેક વિદ્યાર્થીઓનું ઘડતર કરનારા. આઈપીએસ-આઈએએસ, પીએચડી અને અનેક શિક્ષકોને પણ પોતાના જ્ઞાનનો લાભ તેઓએ આજ પર્યાપ્ત આપ્યો છે. હુરતી મોદી એટલા માટે સંબોધિત કરાયું કે, તેઓ વડાપ્રધાન મોદી જેવો હુલિયો ધરાવે છે અને તેમને તેમના જેવી સ્ટાઈલથી પેશ આવવું ગમે પણ છે. MOECના માધ્યમથી અનેકને ફાંકડું અંગ્રેજી બોલતા કરીને તેમના વ્યવસાયિક જીવનમાં ઉજાસ ફેલાવવાનો શ્રેય તેઓને આપી શકાય. વ્યાસ સર, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અને વનિતા વિશ્રામ વુમેન યુનિવર્સિટી જેવી અનેક શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકોને તેઓ આજે પણ કરાર અંતર્ગત ટ્રેનિંગ આપી રહ્યાં છે. સરકારી નોકરીથી શરૂ થયેલી આ સફર શિક્ષસેવાની લલકને કારણે તેઓને નિપુણ પ્રોફેસર સુધી લઈ ગઈ અને તે માટે જ તેઓને સઘર્ન ગુજરાત ઓફ ચેમ્બર દ્વારા હાલમાં જ બેસ્ટ ટીચરનો એવોર્ડ પણ અપાયો. શિક્ષણસેવા ઉપરાંત તેઓ એક મોટિવેશનલ સ્પીકર, કોર્પોરેટ ટ્રેનર અને લાઈફ મેન્ટર પણ છે. 1982 સુધી સરકારી નોકરી કરી: મૂળે સૌરાષ્ટ્રના અમરેલીમાં 1958માં એક પોલીસ અધિકારી પિતા ચિમનલાલ વ્યાસને ત્યાં જન્મેલા યશવંત વ્યાસે ગુજરાત યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રી સાથે બીએસસી કર્યું અને બાદમાં વર્ષ 1979માં તેઓએ સરકારી નોકરી ગોધરા-પંચમહાલ પનામ પ્રોજેક્ટમાં પર્સનલ આસિસ્ટન્ટ તરીકે જોબ શરૂ કરી. વર્ષ 1982માં તેઓ દેના બેંક સુરતના રિજ્યોનલ મેનેજરના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે જોડાયા. અહીં તેઓએ એજ્યુકેશન સેક્રેટરી અને સ્પોર્ટ -રિક્રિએશન કલબમાં પણ કામ કર્યું. …અને MOECની સ્થાપ્ના કરી– પહેલાથી જ શિક્ષણસેવા કરવાની લલક મનમાં હતી જેથી, સુરતમાં તેઓને તે તક મળી. અહીં ઘણા કોચિંગ ક્લાસ સાથે ઈગ્લીંશ ટીચર તરીકે તેઓ જોડાય ગયા અને બાળકોનું ઘડતર શરૂ કર્યું. બાદમાં એક વિચાર આવ્યો કે હું અલગ-અલગ જગ્યાએ સેવા આપું એના કરતા શા માટે એક મારું જ શિક્ષણ યુનિટ કેમ ન હોય અને 1987માં MOECની સ્થાપ્ના કરી. સ્પોકનથી લઈને પ્રોફેશન સુધી સસ્તુ અંગ્રેજી શિક્ષણ પુરું પાડવાની નેમ. સમાજસેવાનો પણ શોખ. જરૂરિયાતમંદોને વિનામૂલ્યે પણ ભણાવવું. આજ લક્ષ્ય. એજ ક્રમે તેઓ વિતેલા 35 વર્ષોથી સુરતના દિવ્યાંગ બાળકોને સ્પોકન ઈંગ્લીશની તાલીમ આપી રહ્યાં છે. આ સેવા વિસ્તરે તે માટે તેઓએ 1991-92ની સુરત એકેડમી એસોશિયેશનની સ્થાપ્ના કરી અને ફાઉન્ડર પ્રેસિડન્ટ બન્યા. પીએમ મોદીના 74માં જન્મદિને જરૂરિયાતમંદ 74 યુવતીઓને મફત તાલીમ આપી- વ્યાસ સરે હાલમાં જ વર્ષ-2023માં વડાપ્રધાન મોદીના 74માં જન્મદિને સુરતની 74 જરૂરિયાતમંદ, સામાન્ય-ગરીબ પરિવારની દીકરીઓને દત્તક લીધી હતી અને તેઓને 3 મહિનાનો એન્ટરપ્યોનરશીપ-એમ્પપોયબિલિટીનો સર્ટિફિકેશન કોર્ષ ફ્રીમાં કરાવ્યો. તેમની આવી અનેક સેવાઓને ધ્યાનમાં લઈ સઘર્ન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તેઓને બેસ્ટ શિક્ષણનો એવોર્ડ એનાયત કર્યો. આ પહેલાં વર્ષ 2017માં તેઓને માય એફએમ તરફથી એક્સેલન્સ ઈન વોકેશન એેજ્યુકેશનનો એવોર્ડ પણ મળ્યો. લોકોપયોગી થાય તે માટે તેઓેએ ડિસેમ્બર- 2022માં ‘માય ઓવ્ન ઈગ્લીંશ ગ્રામર ગ્રંથ’ નામનું પુસ્તક લખ્યું અને તેને વડાપ્રધાન મોદીને સમર્પિત કર્યું. વિદ્યાર્થીઓને હાથવગુ અંગ્રેજી જ્ઞાન મળી રહે તે માટે વ્યાસ સરે 90 એજ્યુકેશન ઓડિયો કેસેટ પણ પ્રસિદ્ધ કરી છે અને લોકલ ટીવી ચેનલમાં તે માટેના લાંબા શો પણ ચલાવ્યા છે. 75થી 100 શાળાના 12 હજારથી વધુ સ્ટુડન્ટો સામેલ હોય તેવા ક્વીઝ શો પણ કરાવ્યા છે. નામી યુનિવર્સિટી, સ્કૂલો સાથે તેઓ સંકળાયેલા છે. કાર્પોરેટ ટ્રેનિંગમાં અદાણી પોર્ટ, ટોરેન્ટ પાવર, એસ્સાર સ્ટીલ, એલએન્ડટી વગેરે પણ તેમના ક્લાયન્ટ છે. ડોક્ટર હોય કે પીએચડી વ્યાસ સર દરેક માટે અંગ્રેજી સંજીવની લઈને આવ્યા છે. જોવા જઈએ તો તેઓને 35 વર્ષની કરિયરમાં સંખ્યાબંધ મોરપિચ્છ જોડાયેલા છે. -(અફરાઝ) [...] Read more...
May 7, 2024લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે,  રાજ્યમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે.  25 બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે.  સાંજે 5 વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન થયું છે. રાત્રે 12 વાગ્યે સત્તાવાર આંકડા સામે આવશે.    સરેરાશ 51 ટકા મતદાન રાજ્યમાં પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 51 ટકા મતદાન થયું છે. વલસાડમાં સૌથી વધુ તો અમરેલીમાં સૌથી ઓછુ મતદાન થયું છે.5 વાગ્યા સુધીમાં વલસાડ બેઠક પર 60 ટકા મતદાન. 5 વાગ્યા સુધીમાં અમરેલી બેઠક પર 41 ટકા મતદાન.  ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મુમતપરા મતદાન બુથ પર કર્યું પરિવાર સાથે વોટિંગ લોકસભાનું આજે ત્રીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. મુમતપુરાની શાળાના બુથમાં અદાણી પરિવારનું મતદાન કર્યું હતું.આ અવસરે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પ્રિતિ અદાણી  પરિવાર સાથે પહેોંચ્યા હતા અને સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઉભા રહીને પરિવારે વોટ આપ્યો હતો. મતદાન આપ્યા બાદ  મીડિયા સાથે રૂબરૂ થતાં ઉદ્યોગપતિ અદાણી ગોતમ ઉદાણીએ જનતાએ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.  કેટલીક મેડિકલ કોલેજોમાં ડૉક્ટરોને રજા ન અપાતા નારાજગી લોકસભાની ચૂંટણીમાં વોટ આપવા માટે રજાન નમળતાં તબીબોએ નારાજગી વ્યક્ત કરી છે. કેટલીક મેડિકલ કોલેજોમાં ડૉક્ટરોને રજા ન નારાજગી વ્યક્ત કરી છે. જાહેર રજા છતા પણ OPD ચાલુ રાખવા મેનેજમેન્ટનું દબાણનો આરોપ લાગાવ્યો છે. [...] Read more...
April 27, 2024ડીંડોલીના મહાદેવ નગર-એકમાં જઈ આવો તો માલૂમ પડશે કે, જેને કોઈ નહીં સંગરે તેવા રસ્તે રજળતા-ભટકતા માનસિક સંતુલન ગુમાવી દેનારા વૃદ્ધોને આ લોક કલ્યાણ વૃદ્ધાશ્રમમાં અનિલ બાગલે અને તેનો પરિવાર આશરો આપી સ્વસ્થ કરે છે સ્ટોરી- રાજા શેખ, સુરત (98980 34910) દેવોના દેવ મહાદેવ એટલે કે ‘શિવ’ ઈચ્છે તો કોઈને પણ નિમિત્ત બનાવીને તેનાથી સત્કાર્યો કરાવી શકે છે. શિવ અને વિષ્ણું ભગાવાને તેના એક સમાનાર્થી નામક વ્યક્તિ ‘અનિલ’ પાસેથી આવા કાર્યો કરાવવાનું નક્કી કર્યું. એક સમયે બગડેલ કહેવાથી આ વ્યક્તિના મનમાં ઈશ્વરે સારા કાર્યો કરવાનું બીજ રોપ્યું અને આજે તે વ્યક્તિ એવી સેવામાં લાગી ગયો કે, જે સેવા કરવા માટે સગા પુત્ર-પુત્રીઓ પણ હાથ ઊંચા કરી દે છે. વૃદ્ધ માતા-પિતા અને તેમાં પણ તેમનુ માનસિક સંતુલન ન હોય અથવા બિમાર હોય યા કોઈ કારણોસર ઘરમાંથી કાઢી મુકાયા હોય તેવા રસ્તે રઝળતા, ફૂટપાથ પર સુઈ રહેતા એકદમ ગંદા કહી શકાય તેવા નિરાધાર વૃદ્ધોને આશરો આપી તેમને સ્વસ્થ કરવાનું કામ ડીંડોલીના મહાદેવ નગર-એકમાં થઈ રહ્યું છે. એક વૃદ્ધ સાથેની ઠોકર બાદ તેની દેખરેખ રાખવાથી આજથી ચાર વર્ષ પહેલા શરૂ થયેલી સફર બાદ નેક રસ્તે વળેલા આ શખ્સ અને તેનો પરિવાર આજે 190થી વધુ આવા વૃદ્ધોની દેખરેખ રાખી રહ્યું છે અને અત્યારસુધી લગભગ 400થી વધુ રખડતા વૃદ્ધોને સ્વસ્થ કરીને તેમના ઘરે પહોંચાડી ચુક્યાં છે. દાનમાં મળેલી આ જગ્યા પર એક વૃદ્ધાશ્રમ જેનું નામ લોક કલ્યાણ વૃદ્ધાશ્રમ અને ચેરિટેબલ ટ્રસ્ટ અને બાળાશ્રમ દાતાઓની મદદથી નિર્માણ કરીને તેમાં સેવા કરી રહ્યાં છે. સેવાની શરૂઆત કેવી રીતે શરૂ થઈ? ઉપરોક્ત વૃદ્ધાશ્રમ ચલાવતા અનિલ બાગલે ન્યૂઝનેટવર્કસ-સિટી સમયને જણાવે છે કે, ‘‘ ચાર વર્ષ અગાઉ તેઓ મોટરસાઈકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં 80 વર્ષીય ધૃવલતા નામની વૃદ્ધાને ટક્કર વાગતા સામાન્ય ઇજા થઈ હતી. આ વૃદ્ધાને હું સારવાર કરાવવા લઈ ગયો અને તેમની પૃચ્છા કરતા પરિવારમાં કોઈ ન હોવાનું અને રસ્તે જ જીવન વિતાવતા હોવાનું કહ્યું હતું. હું તેઓને મારા ઘરે લઈ આવ્યો અને તેમની દેખરેખ રાખી. તે વખતે મનમાં વિચાર આવ્યો અને થયું કે, આવા ઘણાં વૃદ્ધો ભટકતા હશે અને ત્યારબાદ ઘર પાસે એક નજીકની વ્યક્તિએ આપેલી ખુલ્લી જગ્યામાં રૂમ બનાવીને આવા લોકોની સેવા કરવાનું શરૂ કર્યું. આજે એ જગ્યા પર દાતાઓની મદદથી વૃદ્ધાશ્રમ બની ગયું છે અને હાલ અંદર મંદિરનું બાંધકામ ચાલી રહ્યું છે. માનસિક અસ્વસ્થ વૃદ્ધોને સાજા કરીને સમજાવટથી ઘરે મોકલાવ્યા અનિલ બાગલે જણાવે છે કે, વધુ નિરાધારોને અમે સમાવવાની કોશિશ કરીએ છીએ. સ્મીમેર-સિવિલ જેવી હોસ્પિટલોમાંથી પણ ઘણાં આવા નિરાધાર, અસ્વસ્થ, માનિસક બિમાર વૃદ્ધોને અહીં મોકલવામાં આવે છે. અમુક વૃદ્ધોનો પરિવારજનો સાથે ઝઘડો થયા બાદ પણ અહીં રહેવા આવે છે. પરંતુ અમે સમજાવટથી કામ લઇને વૃદ્ધોને ઘરે મૂકી આવીએ છીએ. ઘણાં માનસિક અસ્વસ્થ, બિમાર , હાથ-પગમાં ગેંગરિન થયું હોય તેવા વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં જ ખોલાયેલા દવાખાનામાં સારવાર આપીને સાજા કરાયા છે. અત્યારસુધી 400 જેટલા વૃદ્ધોને સાજા કરીને પરત કરાયા છે. ઘણાં સાજા થયેલા વૃદ્ધો હવે ઘરે નથી જવા ઈચ્છતા તેઓ અહીં રહે છે. કેટલાક વૃદ્ધોના હાથ-પગમાં સડો હતો તેઓને પણ સારવાર આપી તેમના અંગ બચાવાયા છે. એચઆઈવી જેવા ગંભીર રોગોવાળા વૃદ્ધોને પણ અહીં રખાયા છે. વધુ પડતા માનસિક અસ્વસ્થ, મંદબુદ્ધિના વૃદ્ધો માટે અલાયદુ ‘પ્રભુ સ્વરૂપ ઘર’ બનાવાયું છે. દરેક વૃદ્ધોને સાત્વિક ભોજન, કપડાં, સારવાર, ડાયપર અને દવાની સુવિધા માટે મારો પરિવાર પૂરતી કાળજી લઇ રહ્યો છે. મારી પત્ની ભારતી અને પુત્રી-પુત્રો પણ વૃદ્ધો માટે ભોજન બનાવવા માટે જોડાય છે. -વિવાદમાં પણ આવ્યા પણ…. ગત એપ્રિલ-2023માં એક વિવાદ સામે આવ્યો હતો અને વૃદ્ધાશ્રમ માટે દાનમાં મળેલી જમીન ખોટી રીતે મેળવાય હોવા સબબ ફોજદારી કેસ નોંધાયો. જોકે, સાંજે જ અનિલ બાગલે અને તેમનો પરિવાર જામીન મુક્ત થયો. કોર્ટે પણ દસ્તાવેજ જોયા અને જામીન આપી દીધા. કહેવાય છે કે, આ એક રાજકીય દબાણવશ થયું અને સેવાનું કામ ન પચાવનારા લોકોએ કારસ્તાન રચ્યું હોવાની વાતો વહેતી થઈ. જોકે, હવે વધુ સારી રીતે વૃદ્ધાશ્રમ ચાલી રહ્યો છે અને નિરાધારોની સેવા કરવા વધુને વધુ અહીં જોડાય રહ્યાં છે. અનિલ કહે છે કે, નિરાધાર, અસહાય વૃદ્ધોના આશિર્વાદ અને ઈશ્વરની કૃપાથી જ આ થઈ રહ્યું છે. મને ભારતીય ગૌરક્ષા મંચના ફાઉન્ડર ધર્મેશભાઈ ગામી જેવા અનેક મહાનુભાવોનો સહકાર મળી રહ્યો છે. ઈશ્વરે તેમના રૂપમાં તેમને મદદે મોકલ્યા છે. [...] Read more...
April 18, 2024સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 3491) આમ તો આપણે રક્તદાન ને મહાદાન તરીકે લેખાવીએ છીએ. ઘણાં રક્તદાતાઓ નિયમિત રક્તદાન કરીને અનેક જીવન દીપાવી રહ્યાં છે પરંતુ વધતી જરૂરિયાતોને જોતા હજી જાગૃત્તિ લાવવી જરૂરી છે. સુરતના ભૂતપૂર્વ પોલીસ કમિશનર અજયકુમાર તોમરે તેમના કાર્યકાળ દરમિયાન એક ઉમદા માનવીય પ્રયાસ કર્યો અને દરેક પોલીસ મથકોમાં રક્તદાનની ઝૂંબેશ ચલાવી થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે લોહીની પડતી અછતને દૂર કરવાની નેમ લીધી. જોકે, આવી નેમ દરેક ગલી-મહોલ્લે લેવાય તો સુરતમાં ઈમરજન્સી વેળા કોઈને પણ રક્તની કમી ન પડે. આમ તો વિતેલા 48 વર્ષથી સુરત રક્તદાન કેન્દ્ર અને રિચર્સ સેન્ટર વિવિધ સમાજો સાથેના કેમ્પ થકી આ કમી ન પડે તે માટે પ્રયાસરત છે પરંતુ હવે તે કેમ્પની જગ્યાએ ગલી-ગલીએ, મહોલ્લે-મહોલ્લે, ઓફિસે-ઓફિસે જઈને પણ બ્લડ ડોનેશન કેમ્પ કરવા તૈયાર છે અને તે માટે તેણે એક વાન પણ વસાવી છે. ભલે આ જગ્યાઓ પર બે-પાંચ જણાં જ બ્લડ ડોનેશન કરવા કેમ ન માંગતા હોય તે સેવા પૂરી પાડવા તૈયાર છે. તેમની આ તત્પરતા કાબિલે તારીફ છે પણ તેના પરથી એ જણાય છે કે, લોહીની જરૂરિયાત કેટલી બધી ઊભી થઈ છે! સુરતીઓએ તે માટે હવે વધુ જાગૃત્ત થવાની જરૂરિયાત છે. ખાસ કરીને મહિલાઓ પણ જાગૃત થાય તે સમયની માંગ છે. આંકડા જોઈએ તો દેશમાં રક્તની જરૂરિયાતો 94 ટકા પુરુષો પુરી પાડે છે. માત્ર 6 ટકા જ મહિલાઓ રક્તદાન કરે છે. સુરતમાં તો આ ટકાવારી પાંચ ટકાની જ છે. ઘણઆંગણેથી બ્લડ ડોનેશન લેવા અને પહોંચાડવા કઈ સુવિધા ઊભી કરાય? સુરત રક્તદાન કેન્દ્રના એડમિન પરિમલ વ્યાસે ‘ન્યૂઝનેટવર્કસ-સિટી સમય’ને જણાવ્યું કે, અમારા ટ્રસ્ટીમંડળે નક્કી કર્યું કે, હવે ઘરે-ઓફિસે, મહોલ્લે જ્યાં ઈચ્છુક રક્તદાતા હોય ત્યાં અમે રક્ત એકત્ર કરીશું, તો જ વિકસતા સુરતમાં વધતી બિમારી સામે રક્તની જરૂરિયાતોને પુરી કરી શકીશું. તે માટે અમને કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોષએ એક એસી વાન ગિફ્ટ આપી. જેમાં એક સમયે બે જણાં સુઈને રક્તદાન આપી શકે તેવી વ્યવસ્થા છે. ઈનબિલ્ડ તમામ સગવડો, ટેક્નિશિયનો વગેરે તેમાં હાજર રહે છે. બેથી ચાર કલાક ઉપરાંત પર આ વાન ઉભી રહીને રક્ત કલેક્ટ કરી શકે છે. કોઈ પેશન્ટ એડમિટ હોય તે સમયે અગર હોસ્પિટલમાં લોહી જોઈએ ત્યારે ફ્રી બ્લડ ટ્રાન્સપોર્ટની એક સેવા રાઉન્ડ ધી ક્લોક ઊભી કરવામાં આવી છે. જેમાં ટેક્નિશિયન દર્દીના લોહીનું સેમ્પલ મેળવીને તેના અનુરૂપ બ્લડ બેંકમાંથી લઈ હોસ્પિટલ સુધી પહોંચડવાની સુવિધા ઉપલબ્ધ કરાવાય રહી છે. અન્ય બ્લડ બેંકથી અલગ કેવી રીતે, સેઈફ બ્લડનો કોન્સેપ્ટ   ગર્વમેન્ટ પાંચ ટેસ્ટ એચઆઈવી, કમળો, મેલેરિયા, હેપેટાઈટ-બી આ જ ટેસ્ટ કરી પેશન્ટને બ્લડ આપી શકાય તેવી ગાઈડલાઈન છે પરંતુ સુરત રક્તદાન કેન્દ્ર નેટ ટેસ્ટ કરીને લોહી પુરું પાડે છે. પરિમલ વ્યાસ કહે છે કે, અમે એક-બે ટકા પણ ચાન્સ પણ લેવા નથી માંગતા, યુએસની જેમ સિસ્ટમ વિકસાવાય છે. ઓનડિમાન્ડ કેટલીક બેંકો નેટ ટેસ્ટ કરે છે પણ અમે તો કમ્પલસરી નેટ ટેસ્ટ કરીને ગરીબ હોય કે પૈસાદાર દરેકને અણીશુદ્ધ લોહી જ પુરું પાડીએ છીએ. ઉપરાંત કેન્દ્ર સરકાર માન્ય પ્રાપ્ત વિકિરણ ઉપરકરણ ધરાવે છે. જે રોગપ્રતિકારણ શક્તિની ઉણપ ધરાવનાર વ્યક્તિઓ માટે લાભકારક છે. ભાભા એટોમેટિક સેન્ટરનો ઈ-રેડિયેટેડ બ્લડ આપીએ છીએ. જે કેન્સર, નિયોનેટલ પેશન્ટમાં ડોક્ટરો માંગે છે. કોર્ડ બ્લડ સ્ટેમ સેલ પ્રિઝરવેશન બેંક પણ છે. સાથોસાથ થેલેસેમિયા તથા સિકલસેલના પરીક્ષણ માટે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.ની માન્યતા છે અને એનએબીએચ એક્રિડીટેશન પણ છે. વર્ષ 2023 સુધી 13.19 લાખ દર્દીઓને લોહી પહોંચાડાયું સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરના આંકડાનો અભ્યાસ કરીએ તો 48 વર્ષમાં (31 માર્ચ 2023)સુધીમાં 13,19,112 દર્દીઓને લોહી પહોંચાડીને તેમનું જીવન બચાવ્યું છે. જેમાં પણ સિવિલ-સ્મીમેર હોસ્પિટલના દર્દીઓ તેમજ , થેલેસેમિયા, હિમોફેલિયા, સિક્લસેલ જેવા દર્દીઓને વિનામૂલ્યે રક્ત પુરું પાડવામાં આવી રહ્યું છે. સાત લાખ રક્તદાતાઓનું આ બેંકને બ્લડ ડોનેટ કરતા આવ્યા છે અને સુરતની 70 ટકા રક્તની જરૂરિયાત આ બેંક પુરી પાડે છે. કેન્દ્રએ 18 રક્ત સંગ્રહ કેન્દ્રો સાઉથ ગુજરાતમાં સ્થાપ્યા છે. જેના કારણે જ વર્ષ 2008માં ભારતની સર્વશ્રેષ્ઠ રક્તદાન કેન્દ્રનો એવોર્ડ આ સંસ્થાને મળ્યો છે. ઈતિહાસ: સુરત મનપાએ બિલ્ડિંગ ભેટમાં આપ્યું સુરત રક્તદાન કેન્દ્રની સ્થાપ્ના આમ તો વર્ષ 1976માં થઈ હતી. ત્યારબાદ 1994માં ગોપીપુરા કેન્દ્ર બન્યું. વર્ષ 2006ના પુર બાદ આ સેન્ટરને ખાસુ નુકશાન સહન કર્યું ત્યારબાદ સુરત મહાનગર પાલિકાએ વર્ષ 2008માં ખટોદરા હેલ્થ સેન્ટર ખાતે 17 હજાર સ્ક્વેર ફૂટના બે માળ ફાળવ્યા અને અહીં તત્કાલિન મુખ્યમંત્રી મોદીના હસ્તે અત્યાધુનિક કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું. સુરત રક્તનદાન કેન્દ્રના સ્થાપક ટ્રસ્ટીઓમાં ડો. પ્રદીપ દેસાઈ, ડો. વિનોદ શાહ, ડો. કિરણ શાહ વગેરેનો સમાવેશ થાય છે. હાલ ઈનવાઈટી અને સુરત મહાનગર પાલિકાના પદાધિકારીઓ સહિત 60 જેટલા પ્રતિષ્ઠિત સભ્યો છે. સુરતમાં આ બ્લડ બેંકો પણ પ્રચલિત …. સુરત હેલ્થકેર ફાઉન્ડેશન બ્લડ બેંક ( લોખાત હોસ્પિટલ, રામપુરા) લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર (વરાછા) નવી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક (મજુરાગેટ) સ્મીમેર હોસ્પિટલ બ્લડ બેંક (સહારા દરવાજા) ઈન્ડિયન રેડક્રોષ બ્લડ બેંક (અડાજણ) સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડબેંક (રામનગર) [...] Read more...
April 8, 2024બસ કંડક્ટરના પુત્ર અને એક સમયે પિત્ઝાશોપમાં નોકરી કરનારા ડો. ફારુક પટેલ આજે રૂ. 160 બિલિયનનું બિઝનેશ એમ્પાયર ધરાવે છે સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910) સફળતા સંઘર્ષભર્યા કાંટાળા રસ્તાઓ પરથી પસાર થયા બાદ અને અનેક નિષ્ફળતા બાદ જ મળતી હોય છે. ગોલ્ડન સ્પૂન સાથે જન્મેલા બાળકો સિવાયના એવા ઘણાં લોકો છે તેણે જીવનની દરેક ધૂપછાંવ વેઠીને પોતાની તકદીરનું તાળુ જાતે ખોલ્યું છે, પોતાનું નસીબ જાતે ચમકાવ્યું છે. આવી જ એક શખ્સિયત છે ડો. ફારુક ગુલામ પટેલ. તેમની જીવનથી અનેક યુવાઓ પ્રેરણા લઈ રહ્યાં છે. આપ રિન્યુએબલ સેક્ટરમાં કામ કરતી કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ફારુક તેમના અનેકવિધ પરોપકારી કાર્યોને લઈને પણ ચર્ચામાં રહે છે. રિન્યુએબલ એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્ર્કચર ડેવલપમેન્ટમાં ઈનોવેશન, સ્માર્ટ ટેલેન્ટ અને ક્રિએટીવીટી મેનેજમેન્ટ માટે અમેરિકન ઇસ્ટ કોસ્ટ યુનિવર્સિટી દ્વારા તેમને માનદ ડોક્ટરેટની પદવી તેમને એનાયત થઈ છે. હાલમાં જ તેઓ તેમની ત્રીજી કંપની કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ.નો ભારતનો એમએસઈ પ્લેટફોર્મ પર સૌથી મોટો 189.50 કરોડનો આઈપીઓ લાવીને સમાચારમાં આવ્યા. આ શખ્સિયતે પીત્ઝાશોપ, કપડાશોપ અને ચશ્માશોપમાં નોકરી કરી છે અને ત્યારબાદ રૂ. એક લાખની જમા પૂંજી સાથે 30 વર્ષ પૂર્વે કરેલા કેપી ગ્રુપની સ્થાપ્નાથી લઈ શરૂ થયેલી સફર આજે રૂ. 160 બિલિયનનું બિઝનેસ એમ્પાયર ધરાવે છે અને ત્રણ સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ સહિત 35 કંપનીનું સંચાલન કરે છે. કોણ છે ડૉ. ફારુક ગુલામ પટેલ? 24 માર્ચ, 1972ના રોજ ભરૂચના સલાદરા ગામમાં તેમના નાનાને ત્યાં ડો. ફારુક પટેલનો જન્મ થયો હતો. તેમના પિતા ગુલામ પટેલ ભરૂચ જિલ્લાના ત્રાલસા કોઠી ગામના વતની પણ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં ઝઘડિયા ડેપોમાં તેઓ કંડ્કટર તરીકે રૂ. 700ની નોકરી કરતા હતા. તેમની ટ્રાન્સફર સુરત થતા તેઓ એક વર્ષના ફારુકને લઈ સુરતના અડાજણ વિસ્તારમાં ભાડાના મકાનમાં શિફ્ટ થયા. ફારુકનું પ્રાથમિક શિક્ષણ કણબીવાડ ભંડારી મહોલ્લામાં આવેલી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલમાં થયું અને બાદમાં ધોરણ-5થી વી.ડી. દેસાઈ વાડીવાલા સ્કૂલમાં મેટરિમોનિયલ થયા.   ડો. ફારુક પટેલની સંઘર્ષયાત્રા…. ગરીબીને નજીકથી જાણનારા ડૉ. ફારુક ગુલામ પટેલ તેમના પરિવારને આર્થિક રીતે મદદ કરવા મુંબઈ ગયા, તેમણે વધારાના પૈસા કમાવવા માટે ઑપ્ટિશિયન તરીકે કામ કરવાની સાથે આયાત-નિકાસ વિશે શીખવાનું શરૂ કર્યું. બાદમાં, તેઓ અનુભવ માટે 1990 માં મેનમેઇડ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશનમાં જોડાયા અને પછીથી એક કપડાની દુકાનમાં નોકરી કરી. આટલામાં પરિવારની હાલત સુધરે એમ ન હોવાથી તેઓ વધુ નાણાં કમાવા માટે વર્ષ 1991માં  તેઓ ઈંગ્લેન્ડ ગયા અને એક પીત્ઝા કાફેમાં કામ કર્યું. પરંતુ ટૂંક સમયમાં ત્યાં તેઓને વિચાર આવ્યા કે આવી રીતે હું મારું અને મારા પરિવારનું માત્ર પેટ ભરી શકીશ પણ દેશ માટે કંઈ ન કરી શકું.  માતૃભૂમિ યાદ તેમને પરત ભારત લઈ આવી. ડો.ફારુક જી.પટેલની ઉદ્યોગ સાહસિક યાત્રા default બે વર્ષ વિદેશમાં વિતાવ્યા પછી, તેઓ 1993 માં સુરત પાછા ફર્યા અને કાર્ટિંગનો વ્યવસાય શરૂ કર્યો પણ મન કંઈ મોટુ કરવા ઝંખતુ હતુ.  આખરે વર્ષ 1994માં તેઓ રૂ. 1 લાખ રૂપિયાની મૂડી સાથે કેપી ગ્રુપની શરૂઆત કરી. અહીંથી તેમનું જીવન પલટાયું. વર્ષ 2001માં તેઓએ કેપી બિલ્ડકોન પ્રા. લિ.ની પ્રથમ ફ્લેગશીપ કંપની સ્થાપી. જે આજે કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ. (જે 22 માર્ચ 2014માં બીએસઈ પર લિસ્ટેડ થઈ છે) તરીકે ઓળખાય છે. ડો. ફારુકે સંદેશાવ્યવહારના ભાવિ અને કોમ્યુનિકેશન ટાવર્સની વધતી માંગને ઓળખીને તેમાં જંપલાવ્યું અને ભારતના 16 રાજ્યોમાં વિવિધ સેલ્યુલર કંપનીના મોબાઈલ ટાવર્સ ઈન્સ્ટોલ કર્યા. ગતિ, સમર્પણ અને ઈનોવેશનના ધણી ડો. ફારુકે ટુજી સ્પેક્ટ્રમ બાદ દૂરંદેશી વાપરી રિન્યુએબલ એનર્જીમાં પદાર્પણ કરવાનું વિચાર્યું અને તેઓએ વર્ષ 2008માં  કેપીઆઈ ગ્રીન એનર્જીની સ્થાપના કરી સોલાર પાવર સેક્ટરમાં પ્રવેશ કર્યો. બાદમાં વર્ષ 2010 માં તેમણે વિન્ડ એનર્જી સેક્ટરમાં પ્રવેશ કર્યો. સોલાર પાવર આજે કંપની પાસે પોતાની અને લીઝ પર મળીને લગભગ 2000 એકડ જમીન પર 32થી વધુ સાઈટ પર સોલાર પાર્ક ધરાવે છે. તેઓ ગુજરાતમાં સૌથી મોટો ખાનગી સોલાર પાર્કની માલિકી ધરાવે છે  ભરૂચ, ભાવનગર, કચ્છ, પોરબંદર જિલ્લામાં સોલાર-વિન્ડ પાર્ક ધરાવે છે. સૌથી પહેલા દક્ષિણ ગુજરાતમાં સાત વિન્ડ ટર્બાઈન નાંખવાનો રેકોર્ડ તેમના નામે છે. તેમની બંને કંપની મળીને આજે 1.1  ગીગાવોટ્સથી વધુ રિન્યુએબલ એનર્જી તેઓએ એનર્જાઈઝ કરી છે. 2.6 ગીગાવોટ્સના પ્રોજેક્ટ પાઈપલાઈનમાં છે. કંપની 2030માં 10 ગીગાવોટ્સના ટાર્ગેટ ધરાવે છે.  તેમની ત્રણ કંપની કેપીઆઈ ગ્રીન એનર્જી, કેપી એનર્જી અને કેપી ગ્રીન એન્જિનિયરિંગ બોમ્બે સ્ટોક એક્ચેન્જમાં લિસ્ટેડ છે. કેપીઆઈ નેશનલ સ્ટોક એક્ચચેન્જમાં પણ લિસ્ટેડ છે. ત્રણેય કંપનીની મળીને માર્કેટ કેપ 14000 કરોડથી ઉપર છે. કેપી ગ્રુપે હવે ગ્રીન એમોનિયા અને હાઈડ્રોજન ક્ષેત્રે પણ પ્રવેશ કર્યો છે પરોપકારી પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર ડો. ફારુક તેમની પરોપકારી પ્રવૃત્તિઓને કારણે પણ સમાચારોમાં રહે છે. તેમના સીએસઆર આર્મ કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન હેઠળ તેઓ  12 હજારથી વધુ સ્ટુડન્ટ્સને સીધી-આડકતરી રીતે ભણવામાં મદદ કરી રહ્યાં છે. ટ્રસ્ટે સુરત મહાપાલિકાની 2 શાળા સહિત ચાર સ્કૂલ અને એક દિવ્યાંગ કોલેજ દત્તક લીધી છે. તેઓ દેશનું પહેલું દિવ્યાંગ વૃદ્ધાશ્રમ ઝઘડિયા ખાતે બનાવી રહ્યાં છે. જેલના કેદીઓના ઉત્થાન, વૃદ્ધાશ્રમો, અનાથાશ્રમો અને હેલ્થ તેમજ પર્યાવરણ ક્ષેત્રમાં પણ આખે વળગે તેવી કામગીરી કરી રહ્યાં છે. ડુમસના દરિયાકાંઠે તેઓ વન વિભાગ સાથે મળીને 10 હેક્ટરમાં મેન્ગ્રુસ છોડ વાવી રહ્યાં છે. રાજ્યભરમાં અત્યારસુધી પાંચ લાખ વૃક્ષો વાવી ચુક્યા છે. સમાજને પરત કરવાની નેમ તેઓ રાખે છે. [...] Read more...
April 5, 2024સુરતની પ્રથમ હોટેલ-રેસ્ટોરન્ટ બિસ્મિલ્લાહ હોટેલનો 131 વર્ષનો ભવ્ય ઇતિહાસછે અને તેમાંથી શફીચાચાના પુત્ર આસિફભાઈ કાસમાની ઉર્ફે બિસ્મિલ્લાહએ જ્યુસની આખી ચેઈન ઊભી કરી અને પુત્રો સાથે મળીને તેને ગ્લોબલી બનાવી દીધી સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910) સુરતમાં થિકશેક, જ્યુસ અને આઈસ્ક્રીમનું નામ આવે એટલે દરેકના મોઢા પર ‘બીસ્મિલ્લાહ’ અને બી-ક્રીમીનું નામ આવે. સુરત રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરો અને ગેટ બહાર આવો એટલે મોટી ભીડ જોવા મળે તે બીસ્મિલ્લાહ હોટલ ચાર પીઢીથીચાલી આવે છે અને 131 વર્ષથીતે ધમધમી રહી છે. સરળ, મેળાવડા ઉદ્યોગપતિ તરીકે સુરતમાં નામના પામનારા આસિફ બીસ્મિલ્લાહના પિતાશફી ચાચાએ રેલવે સ્ટેશન સામે 1970થી જ્યુસ સેન્ટર શરૂ કર્યું હતું.  1990મા આસિફ બિસ્મિલ્લાહએ 10 મા ધોરણની પરીક્ષા આપ્યા પછી તેમના પિતાના ધંધા પર રિટેલ કાઉન્ટર પર બેસવાનું શરૂ કર્યું. 1995 મા તેઓએ થિકશેક અને આઈસ્ક્રીમનું મેમ્યુફેક્ચરિંગ શરૂ કર્યું હતુંઅને આ જ  કોન્સેપ્ટએ તેમની તકદીરનું તાળુ ઉઘાડી દીધું. બિસ્મિલ્લાનું થિકશેક, આઈસ્ક્રીમ, ગોટાળો, સીતાફળ અને મેંગો ક્રીમ આઈસ્ક્રીમે સ્વાદ રસિકો સુરતીઓના દિલ જીતી લીધા. પ્લેગ, રેલ, ભૂકંપ અને કોરોના જેવા કપરા સમયમાંહુરતીઓના સ્વાદમાં તે સામેલ જ રહ્યું. હવે બિસ્મિલ્લાહની ચોથી પીઢી એટલેકે આસિફ ભાઈના 2 પુત્ર ઉંમર અને મોહંમદ વર્ષ 2024થી વ્યાપારમાં જોડાયા અને તેઓ બીક્રીમી નામથી ફ્રેન્ચાઇઝી કોનસેપ્ટ સાથે આગળ વધ્યા. 7 વર્ષના સમયગાળા દરમિયાન સુરતમા 25 સહિત મુંબઇ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને તેલંગણામાં 60 જેટલી ફ્રેન્ચાઝીઓ ઊભી કરી.એટલું જ નહીં દુબઈમાં પણ બ્રાન્ચ કરી. હવે તેઓ યુએસ, કેનેડા અને સઉદી અરબમાં પણ આ ફ્રેન્ચાઈજીને લઈ જઈ રહ્યાં છે. નજીકના દિવસમાં જ અહીં બ્રાચ શરૂ થશે. ભવિષ્યમાં શેર માર્કેટમાં પણ આ બી-ક્રીમી જોવા મળે તો નવાઈ નહીં.   બિસ્મિલ્લાહ સુરતની પહેલી હોટલ:  ૧૩૧ વર્ષ પહેલા અંગ્રેજોના સમયથી શરૂઆત કરી અને આજે … બ્રિટીશ રાજ દરમિયાન સુરત રેલવે સ્ટેશને આવતા અને જતા પેસેન્જરોના ભોજન અને નાસ્તા માટે સુરત રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વારની બિલકુલ સામે વર્ષ 1893માં હાજી સુમારે બિસ્મિલ્લાહ હોટેલ લોજીંગ એન્ડ બોર્ડિંગની સ્થાપના કરી હતી. બિસ્મિલ્લાહ હોટેલને સુરતની પ્રથમ હોટેલ અને રેસ્ટોરન્ટ માનવામાં આવે છે. અહીં યાત્રીઓ ઉતરીને આરામ કરતા અને ભોજન કરતા અથવા તો મોડી રાતની ટ્રેનોમાં ઉતરીને 24 કલાક ચાલતી બિસ્મિલ્લાહ હોટલમાં નાસ્તાપાણી કરતા હતા. સુરતમાં જયારે ટેક્સ પ્લાઝો એટલે કે ફરતી હોટેલનું નિર્માણ થતુ હતુ તે સમયે તેના આર્કીટેકટ, સ્ટ્રકચરલ એન્જીનીયર સહિતની ટીમ અહીં રોકાય હતી. અંગ્રેજોના સમયે ફલાઇંગ રાણી ટ્રેન સપ્તાહમાં બે દિવસ મુંબઇ-સુરત વચ્ચે ચાલતી તે સમયે બ્રિટીશરોની બ્રેકફાસ્ટ અને ડિનરની પહેલી પસંદગી બિસ્મિલ્લાહ હોટલ હતી. હાજી સુમાર પછી આ પેઢીનું સંચાલન જાન મોહંમદ હાજી સુમાર કાસ્માનીએ કર્યું હતું અને તે પછી તેમના સાત સુપુત્રો આ વ્યવસાયમાં જોડાયા હતા જાન મોહંમદ કાસ્માનીના ચોથા નંબરના પુત્ર શફીભાઇ કાસ્માનીએ 70ના દાયકામાં બિસ્મિલ્લાહ જયુસ સેન્ટરનો નવો વ્યવસાય શરૂ કર્યો હતો જે આજે તેમના સુપુત્ર આસિફ બિસ્મિલ્લા જયુસ, થીકશેક અને આઇસ્ક્રીમની ફ્રેન્ચાઈઝી ગ્લોબલી ચલવે છે. પેઢીએ ફાસ્ટફુડના વેપારમાં પણ ઝંપલાવ્યું છે. સેવાભાવી શફી ચાચાને સારા સ્વભાવને કારણે બિસ્મિલ્લાહ અનેક પોલીસ ઓફિસર અને રાજકારણીઓ બેઠક જમાવતા પેઢીના સંચાલક મર્હુમ શફીભાઈ બિસ્મિલ્લાહના સેવાભાવી સ્વભાવ હતો. અનેકના દુખ દર્દ તેમના માધ્યમથી દુર થતા હતા. 60ના દાયકામાં રેલવેમાં બિનવારસી હાલતમાં મૃત્યુ પામતાં જુદાજુદા ધર્મમાં લોકોની અંતિમ ક્રિયા જે તે ધર્મની વિધિ મુજબ થાય તે માટે બિસ્મિલ્લાહ હોટલના પ્રવેશદ્વારે દાન પેટી મુકાય હતી. વર્ષ 1994માં તેમણે એકતા ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આ ટ્રસ્ટે અત્યારસુધી હજારો બિનવારસી લોશોને મુક્તિધામ પહોંચાડી છે. એક સમય એવો હતો કે મર્હુમ શફીચાચા પોતાના ઘરના રૂપિયા આ સેવા માટે નાંખતા. સેવાભાવી સ્વભાવને કારણે અનેક પોલીસ મિત્રો, રાજકીય-સામાજિક મિત્રોનો સમૂહ શફીચાચાએ ઊભો કર્યા હતો.  આજે આસિફભાઈએ પણ એ વારસો જાળવ્યો છે.  વર્ષ 2005માં શફી ચાચાના જન્નતનસીન થયા બાદ તમામ પુત્રોએ વ્યવસાય જુદો કર્યો અને જ્યુસ-થીકસેકનો વ્યવસાય નાના પુત્ર આસિફભાઈ પાસે આવ્યો . પહેલા હાથ વડે થીક શેકની ચાર વેરાઈટી બનતી આજે 300થી વધુ વેરાઈટી બને છે, બ્રાન્ડ બની બી-ક્રીમી શફી ચાચાએ હોટલ-રેસ્ટોરન્ટથી નવો વ્યવસાય જ્યુસનો વિકસાવ્યો તે સમયે ફાલુદો અને ફ્રુટ સ્લાડ મેઈન અને ગોટાળો મેઈન વેરાઈટી હતી. તેનો સ્વાદ લેવા બીજા શહેરોથી પણ લોકો અહીં આવતા. આ બ્રાન્ડની 1990માં આસિફભાઈએ ધુરા સંભાળી ત્યારે થીકશેક બનાવવાનું શરૂ કર્યું અને થીકશેકની ચાર વેરાયટી હાથ વડે બનાવતા હતા. ત્યારબાદ માર્કેટીંગ સ્કીલ અને સંશોધનનો ઉપયોગ કરીને બી-ક્રીમીનું નવી પીઢી ઉંમર અને મોહંમદે વિકસાવી. આજે 300થી વધુ આઈટમો તેઓ બનાવે છે અને બ્રાન્ડને દેશ-વિદેશ સુધી પહોંચાડી છે. આસિફ બિસ્મિલ્લાહના મેનેજિંગ ડિરેક્ટર પદે B-CREAMY ને સુરતની ટોપ 100 બ્રાન્ડમાં સ્થાન મળ્યું છે. જેલી વીથ આઈસ્ક્રીમની રેસિપીની શોધનું શ્રેય પણ બીક્રીમીને ફાળે જાય છે. ઉપરાંત વર્ષ 2003માં સહારાનો લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ, વર્ષ 2019માં ઝોમેટોએ બેસ્ટ બેવરીઝ એવોર્ડ આપ્યો હતો. સુરતી તરીકે આ બ્રાન્ડને વૈશ્વિક ફલક પર પહોંચવા બદલ ગર્વ જરૂર અનુભવાય. યાદે: બિસ્મિલ્લાહ હોટલ પાસે 24 કલાક ચલાવવાનું લાઈસન્સ, શહેરની પ્રથમ રેસ્ટોરન્ટ સુરત રેલવે સ્ટેશનની નજીક એક માત્ર હોટેલ-રેસ્ટોરન્ટ હોવાથી ટ્રેનો અને બસોના યાત્રીઓને ધ્યાનમાં રાખીને બિસ્મિલ્લાહ રેસ્ટોરન્ટને 24 કલાક ચલાવવાનું લાઈસન્સ મળ્યું હતું. 1976માં લાઈસન્સ પ્રથા આવી ત્યારે પ્રથમ લાઈસન્સ આ હોટેલ-રેસ્ટોરન્ટને મળ્યું હતું. [...] Read more...
March 30, 2024સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910) ‘‘ એજ્યુકેશન ઈસ મોસ્ટ પાવરફુલ વેપન વીચ યુ કેન યુઝ ટુ ચેન્જ વર્લ્ડ ’’ (Education is the most powerful weapon which you can use to change the world.) નેલ્શન મંડેલાએ આ વાક્ય કહ્યું હતું. શિક્ષણરૂપી આ હથિયારનો ઉપયોગ કરી લસકાણાનો રત્નકલાકાર યુવક સાહિલ અરગઢિયા કરી રહ્યો છે. પોતે ભલે 12 પાસ છે પરંતુ તેણે સ્ટ્રીટ ચિલ્ડ્રનને ભણાવવાનું બીડું ઝડપ્યું છે. એમ્બ્રોઈડરીનું કામ કરતા પિતાએ આજથી આઠ મહિના પહેલા મોબાઈલ ફોન લેવા રૂપિયા આપ્યા તો સાહિલે તે જ રકમમાંથી પુસ્તકો-નોટબુક-પેન-પેન્સિલ ખરીદી લીધા અને વેસુથી વાય જંક્શન જતા રોડ પર ફૂટપાથ પર રહેલા સ્ટ્રીટ ચિલ્ડ્રનને ભણાવવાનું શરૂ કર્યું. આજે મજૂર વર્ગના 20થી વધુ બાળકો કક્કો-બારખડી, એબીસીડી અને ઘડિયા બોલતા થઈ ગયા છે. સાહિલના ચહેરા પર બાળકોને ભણાવવાનો જબરો આત્મસંતોષ જોવા મળી રહ્યો છે. તે કહે છે કે, મેં આ બાળકોના પરિવારને સમજાવ્યા કે તમે આ બાળકોને ભણાવવા માટે કોઈ હોસ્ટેલમાં મને લઈ જવા દો પરંતુ તેઓ તૈયાર નથી. મજૂર વાલીઓનું કહેવું છે કે, અમને પણ સાથે રહેવાની જગ્યા મળે તો જ અમે ભણવા માટે ત્યાં મોકલીએ. જોકે, તે સંભવ નથી. જેથી, મેં અહીં વાય જંકશન નજીક જ્યાં તેમનો વિસામો છે ત્યાં જ આઠ મહિનાથી ભણાવવાનું શરૂ કર્યું. હું રોજ બાળકો માટે નાસ્તો પણ લાવું છું. સારું પર્ફોમન્સ કરનાર બાળકોને નોટ-પેન સહિતની ગિફ્ટ પણ આપુ છું. જેથી, તેમના રસ ભણવામાં બન્યો રહે. કિરણ જેમ્સમાં કામ કરે છે સાહિલ, વિચાર સ્વામીનારાયણ સંપ્રદાયથી આવ્યો સાહિલ કિરણ જેમ્સમાં પાર્ટ ટાઈમ કામ કરે છે. બાળકોને ભણાવવા માટે તેણે પાર્ટ ટાઈમ કામ પસંદ કર્યું છે. બપોર બાદ રોજ બાળકોને ભણાવવા પહોંચી જાય છે. કમરે માઈક લટકાવીને સ્પીકરમાં તે બાળકોને ખૂબ જ સરળ અને કાલી-ઘેલી ભાષામાં ભણાવે છેં. તેની આવક આમ તો 20-22 હજાર જ છે પરંતુ તેના ઈરાદા કરોડોના છે. તેને ન્યૂઝનેટવર્કસ-સિટી સમયે પુછ્યું કે, આવા વિચાર આવ્યો ક્યાંથી..? સાહિલ કહે છે કે, સ્વામી નારાયણ સંપ્રદાયમાં હું માનું છું. ત્યાં આવા બાળકો માટે નોટબુક્સ વગેરે આપવાનો વિચાર રજૂ કરાયો. તે ઘડીએ મને વિચાર આવ્યો કે હું કદાચ કોઈ રીતે વર્ષે બે-પાંચ હજારની મદદ કરું પણ ત્યાંથી ગાડી ભરીને સામાન આવા બાળકો માટે નીકડે એના કરતા હું જ જાતે સામાન લઈને આવા બાળકો સુધી પહોંચું અને તેઓને ભણાવું તો કેવું. બસ પિતાએ મને મોબાઈલ લેવા માટે જે રૂપિયા આપ્યા હતા તેમાંથી આવા બાળકોને ભણાવવા માટેનું નક્કી કર્યું અને બહુ શોધ બાદ મને વાય જંક્શન પર વિસામો લેતા મજૂર પરિવારો મળ્યાં. મેં તેમના બાળકોને ભણાવવા માટે મનાવ્યા અને છેલ્લા આઠ મહિનાથી આ શિક્ષણદાન કરી રહ્યો છું. આગળ શું ઈચ્છા છે? તે મતલબના સવાલનો જવાબ આપતા તે કહે છે કે, આ બાળકોમાંથી કોઈ બાળક સારું કરે તો તેને સંપૂર્ણ ભણાવવા મોકલવાની ઈચ્છા છે પરંતુ વાલી માને તે પણ જરૂરી છે. મને ઘણાં લોકોએ તેમના ટ્રસ્ટ માટે કામ કરવા આવવાનું કહ્યું છે પણ હું કોઈના માટે કામ કરવા નથી માંગતો. હું જાતે જ આ અભિયાન ચલાવવા માંગુ છું અને તે માટે મને મદદની જરૂર છે. એક ટ્રસ્ટે વિઝિટ કરીને મદદની ઈચ્છા વ્યક્ત કરી છે. ખરેખર, સાહિલ સ્ટ્રીટ ચિલ્ડ્રનનું ભવિષ્ય સુધારવા જે શિક્ષણદાન આપી રહ્યો છે તે સરાહનીય છે. આવી ફૂટપાટ શાળાઓ આમ તો શહેરમાં બે-ચાર ચાલી રહી છે પણ તેમાં સમસ્યા એ આવે છે કે, મજૂરો સ્થળ બદલતા રહેતા હોય છે. [...] Read more...
March 22, 2024. કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ. બીએસઈ લિસ્ટિંગના દિવસે અપર સર્કિટ 200 પર ખુલ્યો, 210 પર બંધ થયો. ફિલ્મ અભિનેતા સૂરજ પંચોલીને એઇડ્સ પ્રદર્શન સાથે કેપી ગ્રીન એન્જિનિયરિંગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવ્યા રાજા શેખ, સુરત: (9898034910) સુરતમાં કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીનો BSE લિસ્ટિંગ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટિનમ હોલમાં યોજાયો હતો. આ પહેલીવાર છે કે સુરતની કોઈ કંપની હોમ ટાઉનમાં લિસ્ટ થઈ છે. IPO લિસ્ટિંગના દિવસે એટલે કે શુક્રવારે રૂ. 145ના ભાવે ભરાયો હતો, જે 38%ના પ્રીમિયમ સાથે રૂ. 200 પર ખૂલ્યો હતો અને અંતે રૂ. 210 પર બંધ થયો હતો. શુક્રવારે ખુલતાની સાથે જ આ કંપનીનું માર્કેટ કેપ 1050 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. જેથી, ઈન્વેસ્ટર્સના ચહેરાઓ પર લિસ્ટિંગના પહેલા જ દિવસે ચમક આવી ગઈ હતી. કંપની મોટી છલાંગ લગાવશે તે દિશામાં જ ફર્સ્ટ ઈમ્પ્રેશનની સાબિત થઈ રહ્યું છે. સુરતમાં યોજાયેલી બીએસઈ લિસ્ટેડ સેરમેનીની વીડીયોરૂપી ઝલક ઉપરની યુટ્યુબ ચેનલની લિંક ખોલી જુઓ બેલ સેરેમની કેપી ગ્રુપના સીએમડી અને પ્રમોટર ડૉ. ફારુક જી.પટેલના હસ્તે કરાય, તેમની સાથે કેપી ગ્રીનના હોલ-ટાઇમ ડાયરેક્ટર મોઇનુલ કડવા, સીએફઓ સલીમ યાહૂ, પ્રવીણ સિંઘ, ડાયરેક્ટર અફફાન પટેલ, હસન પટેલ, ડો. ઇન્દુગુપ્તા રાવ, સુરિન્દર નેગી, બીએસઇના એમડી અજય ઠાકુર વગેરે જોડાયા હતા.. અભિનેતા સૂરજ પંચોલી બ્રાંડ એમ્બેસડર, ‘‘હર કામ મેં દમ, દેશ રફતાર સે બઢાએ કદમ’ આ પ્રસંગે, બોલિવૂડ અભિનેતા સૂરજ પંચોલી અભિનીત કેપી ગ્રીનની જાહેરાત પણ લોન્ચ કરવામાં આવી હતી. સૂરજને કેપી ગ્રીનનો બ્રાન્ડ એમ્બેસેડર પણ જાહેર કરવામાં આવ્યો હતો. રૂપેરા પરદા પર સૂરજ પંચોલી કેપી ગ્રીનની રિન્યુએબલ એનર્જીને સપોર્ટ કરતુ મટિરિયલ વિન્ડ લેટિસ-ટ્યુબલર ટાવર, ટ્રાન્સમીશન ટાવર, સબ સ્ટેશન, સોલાર એમએમએસ સ્ટ્રક્ચર બ્રિજીસ, ક્રેસ બેરિયર વગેરે પર કેપી ગ્રીન એન્જિનિયરિંગના પ્રોડક્શન કરાવતા દેખાડે છે અને ભારે ભરખમ અવાજમાં કહે છે કે, ‘કેપી ગ્રીન એન્જિનિયરિંગ , ‘‘હર કામ મેં દમ, દેશ રફતાર સે બઢાએ કદમ’’ આ એડ્સના પ્રેઝન્ટેશન વખતે સૂરજના માતા-પિતા અભિનેતા સૂરજ પંચોલી, અભિનેત્રી ઝરીના વહાબ અને સમગ્ર કેપી ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર અને ભૂતપૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ પણ હાજર હતા. સાથોસાથ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોષ, સુરતના મેયર દક્ષેશ માવાણી, સુરતના પૂર્વ ડેપ્યુટી મેયર નિરવ શાહ અને ભાજપના જીએસ અને લોકસભાના ઉમેદવાર જાહેર થયેલા મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. કેપી ગ્રુપની ત્રીજી કંપની શેરબજારમાં લિસ્ટ થઈ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કામ કરતી KP ગ્રુપની આ ત્રીજી કંપની છે, જે BSE પર લિસ્ટ થઈ છે. અગાઉ કેપી એનર્જી અને કેપી ગ્રીન એનર્જીએ શેરબજારમાં પ્રવેશ કર્યો હતો અને આજે આ બંને કંપનીઓની માર્કેટ કેપ 13000 કરોડ રૂપિયાથી વધુ છે. સૌથી પહેલા કેપી એનર્જી લિ. કે જે વિન્ડ સેક્ટરમાં કામ કરે છે તે વર્ષ 2016માં માત્ર 6 કરોડ ડિમાન્ડથી લિસ્ટેડ થઈ હતી. બીજી કંપની કેપીઆઈ ગ્રીન એનર્જી લિ. (કેપીઆઈ ગ્લોબલ ઇન્ફ્રા) એ વર્ષ 2019માં લિસ્ટ થઈ હતી. જે એમએસઈ પ્લેટફોર્મ પરથી મેઈન બોર્ડ પર અને ત્યારબાદ નેશનલ સ્ટોક એક્ચેન્જ પર પણ માઈગ્રેટ થઈ છે. અકેલા હી ચલા થા જાનીબે મંઝિલ મગર – ડો. ફારુક પટેલ કેપી ગ્રૂપના સીએમડી અને પ્રમોટર ડૉ. ફારુક પટેલે જણાવ્યું હતું કે, “અમે રોમાંચિત છીએ અને આભારી છીએ કે રોકાણકારોએ અમારા પર વિશ્વાસ મૂકીને IPO 29.58 વખત સબસ્ક્રાઇબ કર્યો. અમારી રૂ. 189.50 કરોડની માંગ સામે રૂ. 3727 કરોડની બીડ મળી. રોકાણકારોએ અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેના પર અમે ખરા ઉતરીશું. કેપી ગ્રીન અમારી ફ્લેગશિપ કંપની છે અને આ કંપનીની 21 વર્ષની લાંબી સફર ખેડી છે. માત્ર 50 મેટ્રિક ટનના ઉત્પાદનથી શરૂ થયેલી સફર આજે 53000 મેટ્રિક ટનથી વધુના ઉત્પાદન સુધી પહોંચી છે અને કંપની ભરૂચના માતરમાં નવી ફેક્ટરીના નિર્માણ સાથે આગામી દિવસોમાં ઉત્પાદન ક્ષમતા 2.94 લાખ મેટ્રિક ટન સુધી પહોંચાડવાનું આયોજન કરી રહી છે. ડો. ફારુકે ઈમોશનલ અંદાઝમાં કહ્યું હતું કે, ‘મેં અકેલા હી ચલા થા જાનીબે મંઝિલ મગર, લોગ આતે ગએ કારવાં બનતા ગયા’ જોકે, 1994માં મેં શરૂઆત કરી હતી અને ટીમ બનતી ગઈ. આજે મારી પાસે અનેક ઉચ્ચ ગુણવત્તાસભર મોરપિચ્છ છે અને 30 વર્ષના અનુભવનું આ ભાથું લઈને આજે અમે ત્રીજા કંપનીને શેરબજારમાં મુકી છે. [...] Read more...
June 15, 2025સ્ટોરી- રાજા શેખ, સુરત (98980 34910) સુરતની ભૂમિના બે ભામાશાએ મળીને વધુ એકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. સામાન્ય રીતે બધા પોતપોતાના સમાજ કે ધર્મ માટે દાન-સેવા કરતા હોય છે પરંતુ કેપી ગ્રુપના ચેરમેન-એમડી ડો. ફારુક પટેલ અને પીપી સવાણી ગ્રુપના મહેશ સવાણી ધર્મ, ન્યાત-જાતના વાડામાં માનતા નથી અને દરેક માટે એકસરખી પરોપકારી પ્રવૃત્તિ કરતા આવ્યા છે. આ વખતે બંને ગ્રુપએ ભેગા મળીને પીપી સવાણી ગ્રુપના સમૂહલગ્નમાં પરણાવેલી અનાથ ગરીબ દિકરીઓની માતા અને સાસુઓ સહિતના 300 જણા માટે ચારધામ યાત્રા અને  મુસ્લિમ દિકરીઓ અને તેમના પતિદેવ મળી 16 જણા માટે સઉદી અરેબિયામાં થતી મક્કા-મદીનાની ઉમરાહની જાત્રાનું આયોજન કર્યું છે. ખાસ વાત એ છે કે, ડો. ફારુક પટેલ આ દિકરીઓની સાથે ઉમરાહ કરવા જશે અને તેમની સગવડ અંગેનું ધ્યાન રાખશે. દરવર્ષની જેમ આ વર્ષે  ચારધામ યાત્રા 16 જૂનથી શરૂ થશે અને 6 ગ્રુપમાં અલગ-અલગ દિવસોએ 50-50ના ગ્રુપમાં જશે. ચારધામમાં અયોધ્યા, વારાણસી, છપૈયા સહિતના ધાર્મિક સ્થાનો પર વિનામૂલ્યે લઈ જવાશે. તેમજ ઉમરાહ(મક્કા-મદીના)15 દિવસની યાત્રા સંભવત: જુલાઈના પ્રથમ સપ્તાહના અંતમાં શરૂ થશે. આ યાત્રામાં ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળશે, જેમાં કુલ ૩૦૦ યાત્રાળુઓ ભાગ લેશે. પાવન ધાર્મિક સ્થળોની મુલાકાત સાથે આ યાત્રાઓનું મુખ્ય ઉદ્દેશ્ય સૌહાર્દ અને એકતાનો સંદેશો ફેલાવવાનો પણ છે. પીપી સવાણી ગ્રુપના મહેશન સવાણીએ કહ્યું કે, “આ યાત્રાના આયોજન દ્વારા આપણે ધર્મનિરપેક્ષ ભાવનાને મજબૂત બનાવી શકીએ છીએ. ગંગાસ્વરૂપ માતાઓ અને તેમની વેવાણ વચ્ચે સારા સંબંધો વિકસે અને એકબીજાનું આદર કરી દિકરા-દિકરીનું ઘર સ્વર્ગ સમાન બનાવે તે માટે આ આયોજન અમે વર્ષોથી કરીએ છીએ. ઉધના રેલવે સ્ટેશનથી સ્લીપર ક્લાસમાં યાત્રા શરૂ થશે અને દરેક જગ્યાએ જમવા-રહેવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.  આ બંને યાત્રાઓ કેપી ગ્રુપના ચેરમેન-એમડી ડો. ફારુક પટેલના સહયોગ અને તેમના નમ્રદિલ પ્રયાસોને કારણે સંભવ બની છે. બંને વચ્ચેનું જોડાણ સર્વધર્મ સમભાવની ભાવનાને ઉજાગર કરે છે.  ફારુકભાઈ પીપી સવાણી યુનિવર્સિટીમાં ઉર્જા નૂર સ્કોલરશીપ (મફત ઉચ્ચ શિક્ષણ) પણ ચલાવી રહ્યાં છે.  ડો. ફારુક પટેલે કહ્યુ કે, હું મહેશભાઈને ત્યાં દિકરીઓના સમૂહલગ્નમાં હાજરી આપવા ગયો હતો. મને મુસ્લિમ દિકરીઓના નિકાહમાં સાક્ષી બનાવાયો. મહેશભાઈએ ઈચ્છા વ્યક્ત કરી કે હું હિન્દુ દિકરીઓને અને સાસુ-માતાઓને તો ચાર ધામ કરાવી લઉં છું પણ મુસ્લિમ દિકરીઓનો પ્રશ્ન રહે છે. એટલે મેં અને મારી ટીમએ આ યતીમ દિકરીઓને તેમના પતિ સાથે મક્કા-મદીના ઉમરાહ મોકલવાનું નક્કી કર્યું.  સાથોસાથ મેં ચારધામની યાત્રામાં પણ યોગદાન આપવા માટે તૈયારી દર્શાવી અને તે મહેશભાઈએ ગ્રાહ્ય રાખી. ’ અમે માનવતા માટે આ રીતે કાર્ય કરતા રહીએ તેવી ઈશ્વરને પ્રાર્થના છે. ચારધામ યાત્રાએ જઈ રહેલા એક માતાજીએ કહ્યું કે, કદાચ બે-ચાર બહેનો પોતાના ખર્ચે આ યાત્રા કરી શકે એમ છે પરંતુ આમાથી મોટાભાગની બહેનો માટે તે સ્વપ્ન સમાન છે. જે ચારધામ યાત્રાનું નેક કામ આપ કરી રહ્યાં છો તેના માટે હું તમને આશિર્વાદ આપું છું. ઈશ્વર તમારાથી આવા કામ લેતો રહે.  ઉમરા માટે મક્કા-મદીના જતી એક દિકરીએ કહ્યું કે, ‘ મુસ્લિમોમાં પવિત્ર ધામ મક્કા-મદીના જવું એ એક મોટા પુણ્યનું કામ છે. મારું બચપનનું સ્વપ્ન હતું પણ પિતાજી દુનિયામાં ન રહ્યાં. અમે એક સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અને અમારા પરિવારમાં કોઈ આ ઉમરા માટે ખર્ચ કરી શકે એવી સ્થિતિમાં નથી. અલ્લાહે મહેશ પપ્પાના માધ્યમથી ફારુકભાઈ જેવા ફરિસ્તાને મોકલ્યા અને આ સંભવ બન્યું. હું તેમના માટે દુઆ કરું છું. સાથે મારી આવનારી ઔલાદ પણ તમારા જેવી બને તેવી અલ્લાહના દરબારમાં હું દુઆ કરીશ.’’ ડો. ફારુક પટેલ અગાઉ 11 દિવ્યાંગ વિદ્યાર્થીઓને તેમની માતા સાથે ઉમરા મોકલી ચુક્યા છે– નોંધનીય છે કે, દિલેર દિલના માલિક ડો. ફારુક પટેલ આ પહેલાં કોવિડ દરમિયાન ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા, સુરતમાં અભ્યાસ કરતા 11 દિવ્યાંગ સ્ટુડન્ટોને તેમની માતા સાથે ઉમરાની યાત્રા કરાવી ચુક્યા છે. જ્યારે 90 દિવ્યાંગ બાળકો અને તેમના કેરટેકરને હરિદ્વારા, મસુરી વગેરેની યાત્રા કરાવી ચુક્યા છે. ઉપરાંત તેઓ પોતાના મોટા પુત્રના લગ્નમાં ફાઈવસ્ટાર હોટલમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધો, અનાથો અને દિવ્યાંગજનોને બોલાવીને ફાઈવસ્ટાર હોટલમાં રિસેપ્શન કરાવી ચુક્યાં છે. તેઓ એજ્યુકેશન, હેલ્થકેર અને હેલ્પિંગ હેન્ડ સહિતની અનેક પરોપકારી પ્રવૃત્તિ કરે છે. જ્યારે મહેશભાઈ સવાણી સાડા પાંચ હજાર પિતા વિહોણી દિકરીઓને કોઈ પણ ન્યાતજાત ધર્મના વાડા વિના પરણાવી ચુક્યા છે અને તેમના આજીવન પિતા તરીકે તેઓ તેમના દરેક સુખદુખમાં સાથે ઊભા રહે છે. કેપી ગ્રુપ અને પીપી સવાણી ગ્રુપનું જોડાણ માનવતાના પ્રાધાન્ય આપવાની દિશામાં વધુ એક નેક કદમ તરીકે જોવાય રહ્યું છે. [...] Read more...
June 9, 2025સુરત : ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અને ચોથા સૌથી ફાસ્ટેટ ગ્રોઈંગ સિટીમાં જેનું નામ છે તે સુરત શહેર દરેક માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મુંબઈ બાદ સુરતની સમૃદ્ધિથી અંજાયને અનેક લોકો પરપ્રાંતથી આવીને અહીં રોટલો રળવા લાગ્યા છે. તે તો સુરત માટે ક્રેડિટ લેવા જેવી વાત છે પરંતુ તે બધા વચ્ચે ઉડીને આંખે વળગે અને આશ્ચર્યપમાડે તેવી વાત એ છે કે અહીં ભીખારીઓના ટોળેટોળા ઉમટી પડ્યાં છે!! એમાં પણ મહિલા-વૃદ્ધ ભીખારીઓ સૌથી વધુ છે. સૌથી શંકા ઉપજાવનારી બાબત એ છે કે દરેક મહિલાના ખોળામાં નાના બાળકો હોય છે, ઉપરાંત બે-ચાર ચારથી પાંચ વર્ષના બાળકો કારોની વચ્ચે ભીખ માંગતા ફરતા હોય છે. સુરતીઓ તેને ચોક્કસ ભીખ મંગાવનારી ગેંગ આ શહેરમાં સક્રિય થઈ હોવાની શંકા સેવી રહ્યાં છે. દરેક ચાર રસ્તે સવારથી સાંજ તેઓ પોલીસની હાજરીમાં જ કારની કતારોની વચ્ચે ઘુસી જઈ ભીખ માંગતા જોવા મળે છે!! જે અકસ્માતને પણ નોતરું આપી રહ્યાં છે. ખોળામાંના બાળકો આખો દિવસ સુઈ જ રહે છે, એ કેવી રીતે? લોકોના મનમાં અનેક શંકાઓ : દરેક ચાર રસ્તાઓ પર ખોળામાં બાળકો સાથેની મહિલા જોવા મળે છે. તમે કોઈ પણ સમયે ચાર રસ્તા પરથી પસાર થાવ એટલે એક જ સ્ટાઈલમાં ફરતી મહિલાઓ જોવા મળે છે. તેના ખોળામાં બાળક સુતેલું જોવા મળે છે. તમે કોઈપણ સમયે જુઓ તો આ બાળકો સુતેલા જ હોય છે. તેમના હાથમાં એક અડધા દુધથી ભરેલી બોટલ હોય છે અને આવીને તે બોટલ તેઓ ફોરવ્હીલ વાહનચાલકના કાર પર જોર જોરતી અથડાવે છે અને ભીખ માંગે છે. અગર તમે ન આપો તો તે તમને ગાળો બોલવા સુધી ખચકાતી નથી. ઘણી મહિલાઓ પાણીની બોટલ માંગે છે. શંકા ઉપજાવનારી બાબત એ છે કે આ નાના બાળકો ખોળામાં છે તે આખો દિવસ ઉંઘી કેવી રીતે રહે છે?શું તેઓને કોઈ ઘેની પદાર્થ ખવડાવી સુવડાવી રખાય છે? શું આ બાળકો ખરેખર આ મહિલાઓના છે? આટલી માેટી સંખ્યામાં બાળકો સાથે મહિલાઓ ક્યાંથી ઉતરી આવી? વૃદ્ધો પણ ક્યાંથી આવી ચઢ્યાં? આ સવાલોના જવાબ શહેરીજનો જાણવા માંગે છે અને તે પોલીસ સમક્ષ આશા વ્યક્ત કરી રહ્યાં છે કે અનેક મોટા ગુનાઓ શોધવામાં પાવરધી બની ગયેલી સુરત પોલીસ આ દિશામાં પણ શંકાની નજરે જુએ અને ચોક્કસ કાર્યવાહી કરે તો કદાચ બાળકચોર ટોળકી અથવા ભીખ મંગાવતી પ્રોફેશનલ ગેંગ સુધી પહોંચી શકે એમ છે. સુરતીઓ ત્રાહિમામ પોકારી ગયા છે: સામાન્ય રીતે લોકોના મનમાં એક દયાભાવના હોય છે અને તે દયાને આધિન તેઓ એવું માને છે કે મજબુરીવશ આ લોકો ભીખ માંગતા હશે પરંતુ એક જ પદ્ધતિ, રીત અને પરેશાન કરવાની ટેવ એ ચોક્કસ ગેંગ તરફ ઈશારો કરે છે. પોલીસ પોતાના સીસીટીવી કેમેરામાં આખી ભીખ માંગવાની પદ્ધતિ અને તેમની હલનચલનનું એનાલિસીસ કરે તો ઘણું બધુ ખુલ્લુ પાડી શકે એમ છે. ચાર રસ્તા પર તમે વાહન લઈ જાવ એટલે તમારી ગાડી પર નાના છોકરાઓ ટકોરા મારવા લાગે છે. મહિલાઓ કાચ પર થોકાથોક કરે છે, બાળકો ગાડીના બોનટ પર થોકે છે. ગાડી સારી હોય તો તે ઉપર પણ ચઢી જાય છે અને તમને ભીખ આપવા મજબૂર કરી મુકે છે. અગર તમે તેમને ધુત્કારો અથવા દૂર ખસવા કહો તો તેઓ સાંભળતા નથી અને એજ પ્રવૃત્તિ ચાલું રાખે છે. છતાં તમે ન ગાંઠો તો તમને હેલફેલ બોલતા પણ અચકાતા નથી. રોજ બરોજના ત્રાસથી સુરતીઓ ત્રાસી ગયા છે પરંતુ કોણ મોંઢે લાગે તેવું માનીને આગળ ધપે છે પરંતુ હવે આ હરકત એક ત્રાસદીમાં પરિણમી છે. પોલીસ સમાજ સુરક્ષા અને ભિક્ષુક ગૃહ વિભાગ સાથે મળીને આ માથાનો દુખાવો બની ગયેલી બાબતનો નિકાલ લાવે તે જરૂરી બન્યું છે. એક સુરતીએ ભીખારી મહિલાનો વીડીયો લીધો અને…એક ત્રાસેલા જાગૃત નાગરિક મનોજ અને ઉપેનએ કારગિલ ચોક પાસે ભીખ માંગતા સમયે કાર પર જોરજોરથી ટકોરા મારતી ટોળકીનો વીડીયો બનાવવાની કોશિશ કરી તો ભીખ માંગતી મહિલાએ દાદાગીરી સાથે એલફેલ બોલવાનું શરૂ કર્યું. એટલું ઓછું હોય તેમ તેણે જોરથી કાચ પર મુક્કો માર્યો અને કહ્યું કે, ક્યા હૈ તેરો, પૈસા તો દેતો નહીં અને વીડીયો બનાવે છે, નીકળ. અન્ય એક વાહનચાલકે કહ્યું કે, હું રોજ રાંદેર રોડ ઋષભ ચાર રસ્તાથી પસાર થાઉં છું. મારી એસયુવી કાર થોડી મોડીફાઈ કરાયેલી છે એટલે રોજ જોઈને નાના છોકરાઓ અને મહિલાઓ રીતસર આવીને તેના ફુટરેજ પર ચઢી જઈ જોરજોરથી કાચ પર ટકોરા મારે છે. ઘણીવાર તેમને સમજાય ચુક્યો છું પણ સમજતા જ નથી, ઉપરથી દાદાગીરી કરે છે અને પૈસા આપવા ફરજ પાડે છે. કારને નુકસાન ન થાય તે માટે પાંચ-દસ રૂપિયા મારે ફરજિયાત આપવા પડે છે. આ તો અહીં બે જ કિસ્સા ટાંક્યા છે પરંતુ આવા હજારો કારચાલકો રોજ દરેક ચાર રસ્તે પરેશાન થઈ રહ્યાં છે. સુરતીલાલાઓનું કહેવું છે કે, સુરતની ‘સિંઘમ’ પોલીસ આ ભીખારીઓના નેક્સસને પણ ઉઘાડું પાડીને ત્રાસમાંથી મુક્તિ અપાવે તે જરૂરી છે.! (વાચકવર્ગ પાસે આ બધા વીડીયો પણ અમને મળ્યાં છે) [...] Read more...
May 23, 2025ટ્રાફિક સર્કલ નાના કરાયા કે પૂરેપૂરા દુર કરી દેવાયા: જોકે, ગ્રીન સિગ્નલ મળતા સર્કલ પરથી ગાડી નીકળે છે પણ તે સર્કલને અડીને જ ક્રોસ કરી બનાવેલી બીઆરટીએસને અલગ પાડતી રેલિંગ ગ્રીલ પર એકદમ ધીમી પડી જાય છે. ત્યાં અથડાય જવાનો પણ ભય છે. ભૂલકાંભવન સ્કૂલ સામે તો બસ અડ્ડાની રેલિંગ બરાબર રોડ વચ્ચે એવી રીતે નડી રહી છે કે રોજ સંખ્યાબંધ અથડાણો અહીં થાય છે, જે દુર થાય તો ટ્રાફિક વધુ સરળ બની શકે. સુરત ટ્રાફિક પોલીસે વિતેલા ત્રણ-ચાર મહિનાથી ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે અનેક પ્રયાસો કર્યા. અકસ્માતો નિવારવા ઘણાં કાર્યો કર્યા પરંતુ તેમાં સૌથી વધુ એગ્રેસીવ કામ કર્યું તો ટ્રાફિકમાં અડચણરૂપ લાગતા ચાર રસ્તાઓ પરના સર્કલ (ટ્રાફિક આઈલેન્ડ) યા તો નાના કર્યા અથવા તેને સંપૂર્ણપણે દૂર કર્યા. જેનાથી, થોડો ઘણો ટ્રાફિક વહનમાં સુધાર થયો પરંતુ હજી પણ કેટલાંક પગલાં ટ્રાફિકને મસ્કા જેવું સ્મૂથ કરવા લઈ શકાય એમ છે. એક્ટિવ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત આમ તો દરેક સૂચનોને ગંભીરતાથી લઈને આગળ વધવામાં માને છે. સૂચનોનું સ્થળ નિરીક્ષણ કરીને તેનું નિરાકરણ કરવામાં માને છે. પરંતુ વધુ પડતી વાહનો અ‌‌‌વરજવરની અગવડની ફરિયાદોને મળી રહી છે તે જોતા ઘણી જગ્યાએ ચારરસ્તાને અડીને ત્રાસી (રોડ લાઈનથી બહાર કાઢીને) નાંખી દેવાયેલી બીઆરટીએસ બસના રૂટની રેલિંગ (ગ્રીલ) , ડીવાઈડરને કારણે ચાર રસ્તાથી સડસડાટ વાહન પસાર થવાને બદલે અટકી જઈ રહ્યાં છે. બીઆરટીએસ ગ્રીલ-ડિવાઈડર બહારથી બનાવ્યા હોવાથી અને તે પણ ચારરસ્તાને અડીને બનાવ્યા હોવાથી વાહનો ક્રોસ કરી કાઢવા પડે છે. રખે કોઈ ચુકી જાય તો તેને આ ગ્રીલ સાથે અથડાય જવાનો ભય છે. ઘણાં વાહનો અથડાવાની ઘટનાઓ બની પણ છે. ઉદાહરણ લઈએ….. અડાજણ ગામનું બ્રહ્માકુમારીનું સર્કલ આખેઆખું તોડી પાડ્યું. ચાલો સારું થયું. પરંતુ અહીં ચાર રસ્તાથી વાહન જેવા આગળની તરફ જાય છે કે તુરંત બીઆરટીએસ બસની રોડલાઈનથી બહારની તરફ લગાવી દેવાયેલી બીઆરટીએસની રેલિંગ-ડિવાઈડર આવી જાય છે. જે વાહનને ચાર રસ્તાથી સીધા પસાર થતા અવરોધે છે. પહેલી લાઈનમાં વાહન ચલાવતા લોકોએ વાહનને ક્રોસ કરીને બીજા રોડ પર સિફ્ટ કરવું પડે છે પરિણામે બીજી લાઈનમાં ચાલતા વાહનચાલકોએ અટકવું પડે છે અને તેની પાછળ બધા જ વાહનો અટકી જાય છે. એટલે સિગ્નલના સમય સુધીમાં દરેક વાહન પસાર થઈ શકતા નથી. ટ્રાફિકજામ પણ થાય છે. અગર કોઈનું ધ્યાન ન હોય તો વાહન એકબીજા સાથે અથવા બીઆરટીએસ ગ્રીલ સાથે અથડાય જાય છે.! આવું જ કારગીલ ચોકથી લઈ દરેક જગ્યાએ સમસ્યા છે. બીજું ભૂલકાંભવન સ્કૂલની સામે બીઆરટીએસનું બસ સ્ટોપ છે. ગુજરાત ગેસ સર્કલથી અડાજણ ગામ તરફ જતા રોડ પર બસ સ્ટેશન બ્રિજની નીચે છે પરંતુ રેલિંગ રોડની વચ્ચોવચ અંતરાય ઊભી કરતી છે. અહીં પણ આ જ સમસ્યા છે. અહીં તો ચાર રેલિંગ છે તે દુર કરીને રોડને સમતલ કરીને રસ્તો સરળ બનાવી શકાય છે. અડાજણ પાટીયા પર મોટું સર્કલ દૂર કર્યું પરંતુ જીલાની બ્રિજ તરફથી આવતા વાહનોને છેક બસ સ્ટેશન સુધી જઈને યુટર્ન લઈને ફરીને અડાજણ પાટીયા થઈ અડાજણ ગામ તરફ જવું પડે છે. અહીં રસ્તાે બંધ કરી દેવાયો છે. જે બિનજરૂરી હોવાની ફરિયાદ છે. દિલ્હીની જેમ બીઆરટીએસ રેલિંગ દૂર કરી દો તો રોડ સિક્સ લેન થઈ શકે એમ છે સામાન્ય રીતે લોકોનું માનવું છે કે, બીઆરટીએસની રેલિંગે અનેક અકસ્માતોને અંજામ આપ્યો છે. શહેરના કોઈપણ ખૂંણે જાઓ તો રેલિંગવાળી સમસ્યા નડી જ રહી છે. ઘણી જગ્યાએ બે-ચાર રેલિંગ રસ્તાની વચ્ચોવચ ઠોકી દઈ બસ સ્ટેશન ઊભા કરી દેવાયા છે. પબ્લિકનું કહેવું છે કે, દિલ્હીની જેમ દરેક જગ્યાએ જ્યાં બિનજરૂરી છે ત્યાંથી નડી રહેલી રેલિંગ દુર કરી દેવી જોઈએ. આખા શહેરમાં રસ્તાઓ સિક્સ લેન બની શકે એમ છે. સુરતના ઘણાં રૂટ પર બીઆરટીએસ રેલિંગ નથી છતા બસ તો સારી રીતે ચાલી જ રહી છે તો અલગથી રૂટ રાખી મુકવાનો મતલબ નથી. બીજું કે, સુરતમાં જેમ હેલ્મેટ અને પીયુસીવાળી સિસ્ટમ ઊભી કરાય તેમ ટ્રાફિક સેન્સ ઊભી કરી વાહનો લેનમાં ચાલે તે માટે પણ દંડનીય અપરાધ રાખવાે જોઈએ. તો જ વિદેશની જેમ સિસ્ટમ ઊભી થશે. ડાબી બાજુ વળનારો વાહનચાલક ઘણીવાર જમણીબાજુની પહેલી લાઈનમાં ઊભો રહીને ક્રોસ વાહન કાઢે છે તેનાથી ટ્રાફિક અડચણ થાય છે અને અકસ્માતનો ભય પણ રહે છે. લોકોનું કહેવું છે કે, આ મામલે સુરત મહાનગર પાલિકા, પોલીસ કમિશનર, ટ્રાફિક પોલીસ અને નેતાગણએ વિચારવું જોઈએ અને બીઆરટીએસના ટ્રાફિકને નડતરરૂપ રેલિંગ – બસ અડ્ડા અને ડિવાઈડર દૂર કરવા જોઈએ. [...] Read more...
February 27, 2025સુરતના વેસુ ખાતે રહેતી દિકરી ફોરવ્હીલ કાર સીખવા આવતી હતી અને મોદી ઓટો-સલાબતપુરાનો ટ્રેઈનીંગ આપતો ડ્રાઈવર તેની છેડતી કરતો હતો., અડપલા કરતો હતો. આ મામલે પોલીસ ફરિયાદ થઈ છે અને પોલીસે ડ્રાઈવર સામે એક્શન લીધા છે. જોકે, સૂત્રોનું માનીએ તો આ ઘટના કંઈક પહેલીવહેલી નથી આ પહેલા પણ ઘણી દિકરીઓએ આવી ફરિયાદ મોદીઓટોના ડ્રાઈવર અને સંચાલકો સામે કરી હતી! જોકે, તે પોલીસ ફરિયાદ સુધી ન પહોંચી શકી. ઈજ્જતના માર્યે પરિવારજનોએ ડ્રાઈવીંગ સ્કૂલ બદલી નાંખી. જોકે, અન્ય ડ્રાઈવીંગ સ્કૂલ સંચાલકોએ મોદી ઓટો છોડવાનું કારણ પુછતા આ વાત બહાર આવી હતી. હવે આ ઘટનાને ખૂબ જ નિંદનીય અને મોટર ડ્રાઈવીંગ ટ્રેનિંગ ઈન્સ્ટ્ટ્યુટ ઈન્ડસ્ટ્રીઝ માટે લાંછનરૂપ લેખાવી ધ સુરત ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા કડક પગલાં લેવા ઉપરાંત એક ગાઈડલાઈન પણ બહાર પાડી છે. એસોસિયેશનમાં પણ ‘મોદી ઓટો’ની છાપ નામચીન, વેલ્યુ વિનાની !!? મોટર ડ્રાઈવિંગ એસો.ના સૂત્રોના જણાવ્યાનુસાર મોદી ઓટો નિયમોનું ઉલ્લંઘન કરવામાં માસ્ટર છે. તેના સંચાલકનું તોછડાપણાંની ફરિયાદો અવનવર મળતી રહે છે! નિયમ મુજબ બીજા મોટર ડ્રાઈવિંગ સ્કૂલ જે વિસ્તારમાં ચાલતી હોય અથવા તો તેમને જે વિસ્તાર એલોટ થયો હોય તે વિસ્તારમાં જ તેઓ પોતાની સેવા આપે છે. પરંતુ મોદીઓટોના સંચાલકો અને ડ્રાઈવરો ખુલ્લી દાદાગીરી કરીને બીજાના વિસ્તારના ગ્રાહકો પણ ખેંચી લે છે અને બીજાના વિસ્તારમાં અતિક્રમણ કરી ત્યાં શીખવવા પહોંચી જાય છે. કહેવાય છે કે, મોદીઓટોની ઘણી ગાડીઓ પણ આરટીઓના નિયમ મુજબ ઓથોરાઈઝ્ડ નથી અને જોખમી રીતે ચલાવાય રહી છે!! આરટીઓમાં ઊંચી પહોંચને કારણે અધિકારીઓ પણ મોદીઓટોના સંચાલકો સામે કોઈ પગલાં લેતા ન હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.!! હવે છેડતી-અડપલાંની ઘટના બની છે ત્યારે આરટીઓ અથવા પોલીસ વિભાગ તે વેરીફાઈ કરે છે કે તેમ તે જોવું રહ્યું. (અગાઉ અનેક સ્કેમમાં આ‌વી ચુક્યું છે સંચાલકોનું નામ… તે જાણવા વાંચતા રહો Newsnetworks.co.in) મોટર ડ્રાઈવર એસો.એ તત્કાલિક આ નિયમો પાળવા હુકમ જારી કર્યો તારીખ ૨૫-૦૨-૨૦૨૫- .મંગળવારના રોજ સુરતની એક મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલમાં એક સ્ત્રી સાથે, ગાડી ચલાવતા શીખતી વખતે ઇન્સ્ટ્રક્ટર/ડ્રાઇવર દ્વારા અડપલા કરવામાં આવ્યા હતા, જેને ધ સૂરજ ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશન એ ખૂબ જ શરમજનક અને ગંભીર ઘટના ગણાવી છે. એના અનુસંધાનમાં એસોસિએશન એ સુરત ડિસટીક ની તમામ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલો ને નીચે મુજબ વિવિધ પ્રકારના પગલાઓ લેવા આદેશ આપે છે: ૧. દરેક ડ્રાઇવિંગ સ્કૂલના માલિકોએ પોતાના ઇન્સ્ટ્રક્ટર/ડ્રાઇવરનાં લાયસન્સ તથા આધાર કાર્ડ ની કોપી ફરજીયાત રાખવી પડશે અને નજીકના પોલીસ સ્ટેશનમાં એમનું રજીસ્ટ્રેશન કરાવી દરેક ઇન્સ્ટ્રક્ટર/ડ્રાઇવરની ચાલચલગત નો દાખલો લેવો ફરજિયાત છે. ૨. ટ્રેનિંગ સ્કૂલની તમામ ગાડીઓમાં, ગાડીની અંદરનું અને બહારનું રેકોર્ડિંગ થાય એવો માઈકવાળો ડેશબોર્ડ કેમેરા રાખવો ફરજિયાત છે. ૩. ટ્રેનિંગ સ્કૂલ ની તમામ ગાડીઓમાં જી.પી.એસ ટ્રેકર રાખવું ફરજિયાત છે. ૪. ડ્રાઇવિંગ શીખવા માટે કોઈપણ સ્ત્રી આવે તો તેને ઘરના કોઈ એક વ્યક્તિને પાછળ બેસાડવા માટે પણ ફરજિયાત છે. ૫. તમામ ડ્રાઇવિંગ સ્કૂલના માલિકો એ ટ્રેનિંગ સ્કૂલમાં ચાલતી તમામ ગાડીઓની આર.સી. બુક ની કોપી તથા ડ્રાઇવર/ઇન્સ્ટ્રક્ટર ની આધાર કાર્ડ અને લાયસન્સની કોપી ફરજિયાત પણે એસોસિએશનને જમા કરાવવાની રહેશે. ધ સુરત ડીસ્ટ્રીક મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશને આ ઘટના ની ગંભીર નોંધ લીધી છે અને આવી શરમજનક ઘટનાને ખૂબ જ નિંદનીય ગણાવીને સ્ત્રી સાથે અડપલા કરનાર ડ્રાઇવર/ઇન્સ્ટ્રક્ટરને કાયદાકીય કાર્યવાહી કરી સખતમાં સખત સજા આપવા માટે માંગણી કરી છે. -લિ.પ્રમુખશ્રી અને ઉપપ્રમુખ શ્રી,ધ સુરત ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશ [...] Read more...
December 13, 2024સુરત મહાનગર પાલિકા આમ તો સવાસોથી વધુ બ્રિજ બનાવીને ‘બ્રિજ સિટી’ હોવાની પીઠ ભલે ઠપઠપાવતી હોય પરંતુ અહીં વાહનોના વસ્તી વિસ્ફોટ પર અંકુશ ન હોવાને કારણે દિનપ્રતિદિન ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. આમ તો મહાપાલિકાના એન્જિનિયરો (હોશિંયાર કે ડોબા તે તમે વાંચકો નક્કી કરજો)ની ફૌજ હંમેશા એક ‘ગફલત’ કરે છે અને તે એ છે કે કોઈપણ બ્રિજનો એપ્રોચ ચાર રસ્તા પહેલા જ ઉતારી દે છે. જેથી, આખો બ્રિજ સડસડાટ વાહનો પસાર ભલે થઈ જાય પણ એપ્રોચ પરના બોટલ નેકને કારણે અને ચાર રસ્તાને કારણે વાહનો ટ્રાફિકમાં ફસાય છે. પી-પી-પોપોના અવાજથી લોકો પરેશાન થાય છે તે અલગ.! આવું જ કંઈ જીલાની બ્રિજ (આમ તો તેનું નામ શાસકોએ ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાડ્યું છે)માં પણ થયું છે. બ્રિજનો એપ્રોચ બરાબર પ્રસિદ્ધ સરદાર સ્કૂલના છેડે આપી દીધો. અહીં વાહનો ઉતરે એટલે તુરંત આગળ અડાજણ પાટીયાના ચાર રસ્તા આવે, તેમાં પણ પોલીસે ટ્રાફિક મેનેજમેન્ટ માટે સીધા ચાર રસ્તા પરથી વાહનો પસાર ન થાય તે માટે બેરિકેડ લગાવ્યા છે એટલે વાહનચાલકોએ પોતાના વાહનોને અડાજણ બસ ડેપો સુધી હંકારી જઈને ત્યાંથી યુ-ટર્ન મારીને સરદાર બ્રિજ તરફ આગળ જવું પડે છે. બીજી તરફ, વેડ રોડ તરફ જવા ઈચ્છતા વાહનચાલકો આખો યુટર્ન મારીને આવવું ન પડે તે માટે સરદાર સ્કૂલ પાસેથી રોંગ સાઈટ આવીને બ્રિજ પર ચઢવા જતા અડાજણ પાટીયા પરથી સીધા બ્રિજ પર ચઢતા વાહનો માટે અડચણ સાબિત થઈ રહ્યાં છે અને તેના કારણે લાંબો ટ્રાફિકજામ સર્જાય છે! હોર્નના લગાતાર અવાજથી સ્કૂલમાં ભણતા બાળકો અને ડિવાઈ્ન હીબા હોસ્પિટલના દર્દીઓ તેમજ આસપાસ રહેતા લોકો માટે ત્રાસ બની રહે છે. વહેલી સવારે સ્કૂલ ઉઘડવાના સમયે અને છૂટવાના સમયે તેમજ સવાર-સાંજના પીક અવર્સમાં તો આ સમસ્યા એટલી વકરી જાય છે કે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, અહીં ચાર રસ્તે ઊભી રહેતી ટ્રાફિક પોલીસ આ સ્થળે આવતી નથી. અગર 100 નંબર પર ફરિયાદ થાય તો પોલીસ આવે છે પણ તે રોંગ સાઈડથી આ‌વતા વાહનચાલકોને પાછા કરે છે પણ એક્શન લેતી નથી. પોલીસ દ્વારા લગાડવામાં આવેલા સીસીટીવીના આધારે પણ કંટ્રોલરૂમમાંથી પોલીસ તૈનાત કરાતી નથી કે મેમો મોકલવામાં આવતા નથી. આવા લોકોના વાહનો જપ્ત થાય અને મોટો દંડ થાય તો જ આ સમસ્યાનો અંત આવે એમ છે. સાથોસાથ ટ્રાફિક પોલીસ અહીંના દરેક રોંગ સાઈડ રસ્તા બંધ કરે તેમજ સીધા ચારરસ્તાને ખોલે તો આસાની રહે એમ છે. અહીં મહાપાલિકાએ ફ્લાયઓવર બ્રિજ બનાવવો જરૂરી સુરત મહાનગર પાલિકાએ વેડ દરવાજાના છેડે તો ફ્લાયઓવર બ્રિજ બનાવીને ત્યાં સર્જાતી આવી જ સમસ્યાનો ઉકેલ લાવી દીધો પરંતુ અડાજણ પાટીયાના છેડે પણ ફ્લાયઓવર બનાવવો જોઈએ તેવી માંગ સ્થાનિકો તેમજ વાહનચાલકો કરી રહ્યાં છે. પીક અવર્સમાં તમે અહીં એક સેકન્ડ ઊભી ન રહી શકો એવો વાહનોનો અવાજ અને હોર્નનો અવાજ લોકોને પરેશાન કરી રહ્યો છે. સ્કૂલના વિદ્યાર્થીઓ, હોસ્પિટલના દર્દીઓ અને સિનિયર સિટિઝનો પરેશાન થઈ રહ્યાં છે. માનસિક સ્થિતિ લોકોની બગડી રહી છે એટલો ઘોંઘાટ અહીં થઈ રહ્યો છે. સુરત મનપા તત્કાલિક ધોરણે ચંદ્રશેખર આઝાદ બ્રિજ (જીલાની બ્રિજ)ના અડાજણ છેડે ફ્લાયઓવર નિર્માણ કરીને તેને સીધો જ ચાર રસ્તાની આગળ ઉતારે અને એક છેડો ઋષભ ટાવરની આગળ અને એક છેડો નહેરબ્રિજ તરફ ઉતારીને આ કાયમી સમસ્યાનું નિરાકરણ લાવે તે જરૂરી છે!! ટ્રાફિક પોલીસ પણ સીધા ચારરસ્તા ખોલીને ટ્રાફિકનું પ્રોપર મેનેજમેન્ટ કરે તે જરૂરી છે. રાત્રે લક્ઝરી બસવાળાનો ત્રાસ આમ તો લક્ઝરીને બસને રાત્રે 10 વાગ્યા બાદ જ શહેરમાં એન્ટ્રી છે પરંતુ અડાજણ ગુજરાત ગેસ સર્કલથી અડાજણ પાટીયા સુધી લક્ઝરી બસ વાળા રાત્રે 8 પછી અડીંગો જમાવે છે. અહીંથી રાત્રે 8થી 10.30 સુધી પસાર થવું હોય તો મુશ્કેલ બને છે. રસ્તામાં વચ્ચોવચ લક્ઝરી બસ લાઈનબંધ ઊભી રાખી પેસેન્જરોને બેસાડે છે અને ટ્રાફિક જામ થાય છે પરંતુ તેઓને ટ્રાફિક પોલીસની કોઈ રોકટોક હોય તેમ દેખાતું નથી. આ મામલે અગાઉ ફરિયાદો પણ થઈ છે છતા લક્ઝરી બસવાળાઓ પર કોઈ અસર થઈ નથી. ઘણીવાર ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસના વાહનો અહીં ઊભા હોવા છતા કોઈ આ બસોને ખસેડવાની હિંમત કરતા નથી એ સ્થાનિક લોકોને આશ્રર્ય જન્માવે છે! અહીં શાસક પક્ષો પણ કોઈ તસ્દી લેતા નથી!! [...] Read more...
November 29, 2024એજન્સી: સુરત બેગમપુરાના વ્યાજઆતંકી શાબીર શેખને ક્રાઈમ બ્રાંચે પકડ્યા બાદ મહિધપુરા પોલીસને સોંપી દીધો. આમ તો ક્રાઈમ બ્રાંચે આ કેસમાં સીધા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ એન્ટ્રી લેવાના બે દિવસમાં શાબીરને છેક મહેસાણાથી પકડવા સાથે ડ્રોન ટેકનોલોજીની મદદથી તેના દ્વારા વ્યાજના બદલામાં ગિરવે લેવાયેલા ચાર ટુવ્હીલ અને બે ફોરવ્હીલ વાહનો કબજે લઈ સીધો ‘કોડિયો’ મહિધપુરા પોલીસના મોંઢામાં આપ્યો છે, પરંતુ લોકલ પોલીસ પાસે આ લોકોના ત્રાસથી મોતને ભેટેલા ગુલામ ખ્વાજા ઉર્ફે બોબી 12 દિવસ હોસ્પિટલ હતો તે દરમિયાન અનેક કારસ્તાન ઉઘાડા પાડવાની તક હતી પરંતુ 10 દિવસ બાદ ફરિયાદ લેનાર મહિધરપુરા પોલીસે તે તસ્દી લીધી નથી. આમ તો બેગમપુરામાં ચાલતા કાળા કામો અંગે સ્થાનિક પોલીસ વાકેફ જ ન હોય તે વાત કોઈ માનવા તૈયાર નથી. ઉપરથી શાબીર તેના ભાઈ નિઝામ, મૈય્યુ અને પુત્રો અર્શદ અને અનિષ વર્ષોથી વ્યાજખોરી, બળજબરી ગાડી ખેંચી લેવી, લોનનો એક હપ્તો બાકી હોય તેવી ગાડીઓ ખેંચી લઈ તેને વેચી દેવી અથવા પ્રદેશમાં મોકલી આપવી. ભૂલવા માટેની ગાડીઓ લીકર માફિયાઓને ભાડે આપવા જેવા કારસ્તાનો વર્ષોથી કરી રહ્યાં છે તે વાતથી અજાણ હોય તે પ્રશ્નો લોકો અને ભોગ બનનારા ઉઠાવી રહ્યાં છે!!. મહિધરપુરા પોલીસને એક દિવસનો સમય રિમાન્ડ દરમિયાન મળ્યો છે તે તેનો સદ્ઉપયોગ કરીને ઘણાં કારસ્તાન ઉઘાડા પાડીને બીજા ગુના શાબીર અને તેના ભાઈ-પુત્રો સામે દાખલ કરી શકે છે અને બીજા ભોગ બનનારાઓને પણ ક્રાઈમ બ્રાંચ જેવી ઝડપ સાથે શોધીને તેમની ફરિયાદ પણ લઈ શકે છે!!! મોડસ ઓપરેન્ડી: સ્થાનિક અને પોલીસ બેડાના અતરંગ સૂત્રોનું માનીએ તો શાબીર અને તેના ભાઈઓ વાહનો ખેંચી લેવાનું ગેરકાયદે કામ વર્ષોથી કરે છે. લોન ન ભરનારાઓની ગાડી ખેંચીને તેઓ કોઈ પણ એ્નઓસી લીધા વિના બારોબાર વેચી દેતા હતા. ગુજરાત બહાર પણ અનેક ટુવ્હીલ-ફોરવ્હીલ વાહનો તેઓએ સપ્લાય કર્યા હોવાની માહિતી મળી રહી છે. સૂત્રો કહે છે કે, બોગસ આરસીબુક બનાવતી ગેંગ સાથે પણ તેમની સંડોવણી હોઈ શકે છે!! બીજુ કે કોઈના પણ નામ વાહનો લોન પર લઈને તે વાહનો તેમજ ગિરવેમાં લીધેલા વાહનો કે ભૂલવાના વાહનો (આ વાહનો ખેંચનારનું કોર્ડવર્ડ છે) નામચીન બુટલેગરોને મહિને 2થી 3 લાખ રૂપિયાના ભાડે આપી દેતા હતા. અગર વાહનનો દારુની ખેપમાં પુરતો ઉપયોગ કરી લેવાયો હોય તો ફરી બુટલેગર ઈચ્છે તો રૂ. 50 હજારમાં આ વાહન પરત લઈ લેતા હતા. અગર વાહન પોલીસના હાથે પકડાય જાય તો જેનું વાહન ખેંચી લાવ્યા હોય તેને છોડાવી પરત આપવાનું કહીં તેની પાસેથી પણ સારી એવી રકમ પડાવી લેતા હોવાનું આ ધંધાના લોકો પાસેથી જાણવા મળ્યું છે.!! ગિરવેની ગાડી કેટલાક સારાં લોકોને પણ આપી હોવાનું તેમજ ‘‘સ્ટાફ’’માં પણ ફરતી હોવાનું કહેવાય રહ્યું છે! કેટલીક ચોરીની ગાડીઓના પણ સોદા પડ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.!! આ કામમાં સગરામપુરાનો ઈમરાન પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. જે અગાઉ ડીંડોલી પોલીસના હાથે પકડાય ચુક્યો છે. જ્યારે કલ્પેશ નામનો શખ્સ કે જેને ચારસો જેટલી ગાડી સાથે પોલીસે પકડ્યો હતો તે કામમાં પણ શાબીર એન્ડ મંડળી સામેલ હોવાની માહિતી સૂત્રો આપી રહ્યાં છે.!! બધા જ વારાફરતી ટોર્ચર કરતા: વ્યાજે રૂપિયા લેનારાઓનું કહેવું છે કે, શાબીર અગર વ્યાજે રૂપિયા આપે અથવા ગિરવેના બદલે રૂપિયા આપે તો મહિનાના અંતે પોતે પહેલા ઉઘરાણી કરતો અને તુરંત બાદમાં પુત્રો પણ વારાફરતી વ્યાજ લેવા દબાણ કરતા વ્યાજલેનારના ઘરે કે તે જ્યાં કામ કરતો હોય ત્યાં પહોંચી જઈ ડરાવતા. લગભગ 30 ટકા જેટલું ઊંચું વ્યાજ તેઓ વસૂલતા હતા. મોતને વ્હાલુ કરનાર ગુલામ ખ્વાજા ઉર્ફે બોબી તે કોવિડ દરમિયાનથી ચુકવતો હતો. જુગાર રમવા આવનારાઓ પણ ગ્રાહક: સ્થાનિક સૂત્રોનું માનીએ તો શાબીર તેના ભાઈના આંકડા-જુગારના અડ્ડા તેમજ અહીં ચાલતા અન્ય લોકોના અડ્ડા પર હારી જનારાઓને પણ જગ્યા પર માંગે તેટલા રૂપિયા આપતો અને એક દિવસનું 1000 રૂપિયા વ્યાજ વસૂલતો હતો.!! આમ રૂપિયા લેનારનું ફિગર વધતું જતું હતું અને તે તેની ચંગુલમાં ફસાતા જતા હતા!! થોડા દિવસ પહેલા જ એસએમસીએ તેના ભાઈના અડ્ડા પર રેડ કરી હોવાની માહિતી મળી રહી છે. [...] Read more...
November 29, 2024સુરત બેગમપુરા, તુલસીફળિયામાં રહેતા વ્યાજઆતંકી શાબીર શેખને કારણે ગુલામખ્વાજા ઉર્ફે બોબીએ ઝેર પી આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં મહિધરપુરા પોલીસે 10 દિવસ બાદ ફરિયાદ નોંધતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ક્રાઈમ બ્રાંચે મેદાનમાં ઉતારી હતી. ક્રાઈમ બ્રાંચના ડીસીપી રોજિયા સાહેબની ટીમે મહેસાણા, મીરાદાતાર પાસેથી વ્યાજઆતંકી શાબીર શેખને પકડી પાડયો હતો અને તેની પાસેથી વ્યાજના બદલામાં વાહનમાલિકો પાસેથી બળજબરીપૂર્વક કબજે લેવાયેલા 6 વાહનો પણ જમા લીધા હતા. તેને ઠમઠોર્યા બાદ મહિધરપુરા પોલીસે સોંપાયો હતો. પોલીસે આજે કોર્ટમાં રજૂ કરી તેના પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે એક જ દિવસના રિમાન્ડ આપ્યા હતા. રિમાન્ડના ગ્રાઉન્ડ: પોલીસે કોર્ટને કહ્યું હતું કે, આરોપી ગુલામ શાબીર ગુલામ મુસ્તુફા શેખે વ્યાજના બદલે ગિરવે લીધેલા ચાર ટુવ્હીલ અને બે ફોરવ્હીલ કબજે લીધા છે તે વાહનમાલિકો પાસેથી કેટલા રૂપિયા વ્યાજ પેટે વસૂલ્યા છે. કેટલા રૂપિયા વ્યાજે આપ્યા છે અને કેટલું વસૂલવાનું બાકી છે તે અને અન્ય કોઈ વાહનો પણ ગિરવે લીધા છે કે કેમ ? આરોપી શાબીરના ઘરની ઝડતી લેવાની બાકી છે અને તેણે ઘર પાસે કે ઘરની ગલી-મહોલ્લામાં ગિરવે લીધેલા વાહનો છુપાવ્યા છે કે કેમ? આરોપી કેટલા સમયથી વ્યાજનો ધંધો કરે છે અને ભોગ બનનાર સિવાય કેટલા લોકોને વ્યાજે રૂપિયા આપ્યા છે? આરોપી વ્યાજે નાણાં ધિરવાનું લાયસન્સ ધરાવે છે કે કેમ?, આરોપી સિવાય તેની સાથે આ ગુનો કરવામાં અન્ય કોઈસામેલ છે કે કેમ? ગુનો કર્યા બાદ આરોપી નાસ્તો ફરતો હોય તે ક્યાં ક્યા કોની મદદથી છુપાયો હતો તેની તપાસ કરવાની હોવાથી, આરોપી શાબીરે સહ આરોપી ઈબ્રાહીમ ચાચા સાથે મળીને અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ? , આરોપી તેમજ ફરિયાદીના મોબાઈલની કોલ રેકોર્ડ ડિટેઈલ મંગાવી હોવાથી તે આવવાની બાકી હોવાથી તે અંગે તપાસની જરૂરિયાત છે, આરોપીને પકડ્યા બાદ તેની પુછપરછ માટે ખૂબ જ ઓછો સમય મળ્યો હોય તેની વધુ પૂછપરછ માટે પણ પાંચ દિવસના રિમાન્ડની જરૂરિયાત હોવાનું તપાસકર્તા પીએસઆઈ જસાણીએ કોર્ટ સમક્ષ દાદ માંગી હતી. ફર્સ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટની કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. [...] Read more...
November 14, 2024દેશના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કંપનીની ભૂમિકા વધુ શક્તિશાળી બની, કંપનીના ચેરમેન-એમડી ડો. ફારુક પટેલે કહ્યું કે, અમારા પર કરાયેલા ભરોષા પર અમે ખરા ઉતર્યા છે, મહેનત કરી છે, કરી રહ્યાં છે અને કરતા રહીશું અને વર્ષ 2030 સુધીમાં 10 ગીગાવોટનો ટાર્ગેટ એચિવ કરીશું ફોરેસ્ટ અને એન્વાયરોમેન્ટ, ક્લાયમેન્ટ ચેન્જ મિનિસ્ટ મુકેશ પટેલે કહ્યું કે, મિત્ર ફારુકભાઈના પિતા કંડક્ટર તરીકે બસની ઘંટડી વગાડતા હતા હવે આજે સ્ટોક માર્કેટની ઘંટડી વગાડીને પુત્રએ તેમના સ્વપ્નને સાકાર કર્યું છે. સુરત: સોલાર અને હાઇબ્રિડ(સોલાર અને વિન્ડ) પ્રોજેક્ટ્સ માટે ગુજરાત અને દેશની અગ્રણી બેલેન્સ ઓફ પ્લાન્ટ (BOP) સોલ્યુશન્સ પ્રોવાઇડર કંપની- કેપી એનર્જી લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના મેઇનબોર્ડ પર સીધી લિસ્ટિંગ સાથે નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરી છે. આ પ્રસંગ કેપી એનર્જી માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે કારણ કે તેનાથી કંપની સસ્ટેનેબલ ડેવલપમેન્ટને આગળ ધપાવવા અને ભારતની રિન્યૂએબલ એનર્જી રીવોલ્યૂશનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવવા માટે એક મોટા મંચ પર પદાર્પણ કરે છે. નોંધનીય છે કે, એનએસસી પર બેલ સેરેમની વખતે શેર રૂ. 541.00 પર ખુલ્યો અને પહેલા સેશનમાં શેરનો ભાવ વધીને 544.90 પર પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુરતના કેપી ગ્રુપે છ મહિના અગાઉ સુરતના આંગણે બોમ્બે સ્ટોક એક્સચેન્જને તેડાવીને તેમની કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ.નો સૌથી મોટો આઈપીઓ એસએમઈ પ્લેટફોર્મ પર લાવી હતી અને હવે નેશનલ સ્ટોક એક્સચેન્જની ટીમને સુરતના આંગણે બોલાવીને કેપી એનર્જીને એનએસઈ પ્લેટફોર્મ પર ડાયરેક્ટ લિસ્ટ કરી તે સુરત માટે ગર્વ લેવા જેવી બાબત છે અને તેનો શ્રેય વિઝનરી લીડર એવા કંપનીના ચેરમેન-એમડી ડો. ફારુક પટેલને જાય છે. સુરતમાં SEICCના પ્લેટિનમ હોલમાં આયોજિત લિસ્ટિંગ સમારોહમાં મુખ્ય સ્ટેકહોલ્ડર્સ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને રોકાણકારોની ઉપસ્થિતિ ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કંપનીની સ્થિતિ મજબૂત હોવાની સાબિતિ આપી છે . કેપી એનર્જીની 2010માં શરૂઆતથી લઈને આ નોંધપાત્ર સફળતા સુધીની સમગ્ર સફર  ઈનોવેશન, સસ્ટેનેબિલિટી અને પવન અને હાઇબ્રિડ ઊર્જા સોલ્યૂશન્સમાં શ્રેષ્ઠતા પ્રત્યે કંપનીની અતૂટ પ્રતિબદ્ધતાને લેખાવે છે. આ પ્રસંગે કેપી એનર્જીના મેનેજીંગ ડાયરેક્ટર ડો. ફારુક જી. પટેલે જણાવ્યું હતું કે, “અમે NSE પર KP એનર્જીના લિસ્ટિંગની ઉજવણી કરતા અત્યંત ગર્વ અનુભવીએ છીએ. આ સીમાચિહ્ન અમારા માટે એક નાણાકીય સિદ્ધિ કરતાં ખૂબ જ મહત્વનું છે; તે સ્વચ્છ ટકાઉ ઉર્જા સાથે ભારતને સશક્ત બનાવવાના અમારા સમર્પણનું પ્રતિબિંબ છે. તે અમારા ભાગીદારો, રોકાણકારો અને ગર્વમેન્ટનો ગ્રીન ફ્યુચરના વિકાસના અમારા મિશનમાં વિશ્વાસનો પુરાવો પણ છે. અમે જે કહ્યું હતું તે કર્યું છે, સાડા છ કરોડનો આઈપીઓ લાવ્યા હતા અને ત્યાંથી કંપનીની માર્કેટ કેપ ચાર હજાર કરોડ સુધી ગઈ છે જે અમારી સટિક કામગીરીની સાબિતી છે. અમારા પર કરાયેલા ભરોષા પર અમે ખરા ઉતર્યા છે, મહેનત કરી છે, કરી રહ્યાં છે અને કરતા રહીશું અને વર્ષ 2030 સુધીમાં 10 ગીગાવોટનો ટાર્ગેટ એચિવ કરીશું. રિન્યુએબલ એનર્જી એ બિઝનેસ નથી પરંતુ માનવતા માટેના ફાયદાની વાત છે. અને પ્રત્યેક માનવ માટે કરાયેલા કાર્યથી ઈશ્વર રાજી થાય છે. આપણે આવનારી પેઢીને સ્વસ્થ વાતાવરણ માટે આ કામ કરવું જ રહ્યું. ’’  કેપી એનર્જીના વ્હોલ ટાઈમ ડાયરેક્ટર અફફાન ફારૂક પટેલે તમામ સ્ટોકહોલ્ડર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું,કે  “આ એનએસઈ પરનું લિસ્ટિંગ ઇનોવેશન અને સસ્ટેનેબિલિટી પ્રત્યેની અમારી સામૂહિક પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અમારા રોકાણકારો અને ભાગીદારોએ અમારામાં મૂકેલા વિશ્વાસથી અમે સન્માનિત છીએ. અમે અમારા વચનો વા, વૃદ્ધિને આગળ વધારવા અને બધા માટે સ્થાયી મૂલ્ય બનાવવાનું વચન આપીએ છીએ.” – મંત્રી મુકેશ પટેલે કહ્યું કે, પિતાજી કંડક્ટર તરીકે બસની ઘંટડી વગાડતા હતા અને આજે પુત્રએ સ્ટોક માર્કેટની ઘંટડી વગાડી દેશ-દુનિયામાં નામ રોશન કર્યું ગુજરાતના ફોરેસ્ટ અને એન્વાયરમેન્ટ, ક્લાયમેન્ટ ચેન્જ મંત્રી મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે, ‘સામે ફારુકભાઈના પિતાજી ગુલામ ચાચા બેઠા છે. આજથી 28 વર્ષ પહેલા હું પણ કોન્ટ્રાક્ટર હતો અને તે પણ. ફારુકભાઈના પિતા જીએસઆરટીસીમાં બસ કંડ્કટર હતા અને યાત્રીઓને ઉતારવા-બેસાડવા ઘંટડી વગાડતા હતા. આજે તેમના પુત્ર ફારુકભાઈએ એનએસઈના પ્લેટફોર્મ પર ઘંટડી વગાડીને દેશ-દુનિયામાં તેમનું નામ રોશન કર્યુ છે. દેશના વિકાસમાં રિન્યુએબલ એનર્જીનો પાયો વડાપ્રધાન મોદીએ નાંખ્યો હતો. તેઓ એક ગ્રીડ એક દેશ અને એક વિશ્વ ઈચ્છે છે અને તેની શરૂઆત તેઓએ ગુજરાતથી કરી હતી અને વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટના લક્ષ્ય રાખ્યો છે. એટલે તમે સમજી શકો છો કે કેપી એનર્જી કેટલી ઊંચાઈએ જશે. એક સુરતની કંપની રિન્યુએબલ એનર્જીમાં આટલું મોટું કામ કરી રહી છે તેનાથી અમને ગર્વ છે. ’’ –કંપનીએ વાર્ષિક ધોરણે 84 ટકાની વૃદ્ધિ કરી છે NSE પર KP Energyનું આ લિસ્ટિંગ કંપનીની ઝડપી વૃદ્ધિને અનુરૂપ છે. કંપનીએ H1FY25 માટે ₹43.1 કરોડનો પ્રોફિટ આફટર ટેક્સ (PAT) નોંધાવ્યો હતો, જ્યારે વાર્ષિક ધોરણે 84% ની વૃદ્ધિ નોંધાવી હતી. આશરે 2 GW ની મજબૂત પ્રોજેક્ટ પાઇપલાઇન સાથે, કંપની તેની કામગીરીને વિસ્તૃતિકરણ અને ભારતમાં  રીન્યૂએબલ એનર્જીની વધતી જતી માંગને પહોંચી વળવા માટે એક મજબૂત સ્થિતિમાં છે. કેપી એનર્જીના પોર્ટફોલિયોમાં આજની તારીખમાં 866 મેગાવોટથી વધુ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ પૂરા કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કંપની  520+ મેગાવોટ પ્રોજેક્ટનું ઓપરેશન્સ અને મેન્ટેનન્સ (O&M)પણ કરી છે. કંપની તેની નવીનીકરણીય ઉર્જા અસ્કયામતોનો મહત્તમ ઉપયોગ અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે અદ્યતન તકનીકોને અપનાવવામાં પણ અગ્રણી છે, જેમાં LIDAR ટેક્નોલોજી અને સેન્ટ્રલાઈઝ્ડ નેટવર્ક ઓપરેશન્સ સેન્ટર (NOC)નો સમાવેશ થાય છે. KP એનર્જી આ નવા તબક્કામાં પ્રવેશ સાથે ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પરિવર્તનનું નેતૃત્વ કરવા તૈયાર છે. અમે કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ક્લીન અને સસ્ટેનેબલ  ઇકોલોજીકલ સિસ્ટમ તૈયાર કરવાની દેશની પ્રતિબદ્ધતામાં ખભે ખભા મિલાવીને આગળ વધી રહ્યા છીએ. લિસ્ટિંગ સેરેમનીમાં કેપી ગ્રુપના બ્રાંડ એમ્બેસડર અને ટી-20 દિલ્હી કેપિટલના બોલિંગ કોચ મુનાફ પટેલ તેમજ બોલીવુડ એક્ટર આદિત્ય પંચોલી અને સૂરજ પંચોલી પણ ઉપસ્થિત રહ્યાં હતા.  ઉપરાંત ગુજરાતના  ફોરેસ્ટ અને એન્વાયરમેન્ટ, ક્લાયમેન્ટ ચેન્જ મિનિસ્ટર શ્રી મુકેશ પટેલે ખાસ હાજરી આપીને શુભેચ્છા આપી હતી. કેપી એનર્જી લિમિટેડ વિશે: વર્ષ 2010 માં સ્થપાયેલ, કેપી એનર્જી લિમિટેડ એ ગુજરાતમાં એક અગ્રણી BOP સોલ્યુશન પ્રોવાઇડર કંપની છે, જે સોલાર અને હાઇબ્રિડ(સોલાર-વિન્ડ) પ્રોજેક્ટ્સમાં વિશેષજ્ઞતા ધરાવે છે. કંપની યુટિલિટી સ્કેલ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ પર કામ કરે છે. જેમાં એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ, કન્સ્ટ્રક્શન, કમિશનિંગ અને ઓપરેશન્સમાં વ્યાપક એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ સામેલ છે. KP એનર્જી 25 ફેબ્રુઆરી 2016 ના રોજ BSE SME પ્લેટફોર્મ પર સફળતાપૂર્વક લિસ્ટેડ થઈ હતી અને બાદમાં 10 ઓક્ટોબર 2018 ના રોજ BSEના મેઈન બોર્ડમાં સ્થાનાંતરિત થઈ હતી. ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) ₹6.44 કરોડનું હતું. 5 નવેમ્બર, 2024 સુધીમાં, કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન ₹4,232 કરોડ છે અને કંપની 31 માર્ચ, 2024 સુધીમાં BSE પર સૂચિબદ્ધ ટોચની 1000 કંપનીઓમાં સામેલ થઈ ચુકી છે. કેપી ગ્રુપ વિશે: ડૉ. ફારુક જી. પટેલ દ્વારા 1994માં સ્થપાયેલ કેપી ગ્રૂપ, ગુજરાતમાં અત્યંત પ્રતિષ્ઠિત સમૂહ બની ગયું છે. મૂળરૂપે લોજિસ્ટિક્સ કંપની તરીકે સ્થપાયેલ  જૂથે છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરણ કર્યું છે, અને 1.37+ GW  રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સનું એકત્રિતપણે કમિશનિંગ હાંસલ કર્યું છે. ગ્રુપ પાસે 3.4 ગીગાવોટના પ્રોજેક્ટ હાથમાં છે અને વર્ષ 2030માં સુધી 10 ગીગાવોટ સુધીના લક્ષ્ય સાથે ગ્રુપ આગળ વધી રહ્યું છે. 30 વર્ષથી વધુની સફળતા સાથે, KP ગ્રુપ હવે 35થી વધુ કંપનીઓ ધરાવે છે, જેમાંથી દરેક તેના સ્થિર અને ગતિશીલ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. છેલ્લા દાયકામાં, કેપી ગ્રુપે ફેબ્રિકેશન અને ગેલ્વેનાઇઝિંગ, રિન્યુએબલ એનર્જી (સૌર અને પવન) અને ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં સ્ટ્રેટેજિક ડાયવર્સિફિકેશન દ્વારા નોંધપાત્ર વૃદ્ધિ કરી છે. જૂથની મુખ્ય સંસ્થાઓમાં કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ (એનએસઈ-બીએસઈ લિસ્ટેડ), કેપી એનર્જી લિમિટેડ(બીએસઈ અને હવે એનએસઈ લિસ્ટેડ), કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ(બીએસઈ લિસ્ટેડ) અને કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે. રિન્યુએબલ એનર્જીમાં તેના વિસ્તરણ દ્વારા, KP ગ્રૂપ ભારતની ઔદ્યોગિક પ્રગતિ અને આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપી રહ્યું છે, જે સૌર અને પવન ઊર્જામાં દેશના ટકાઉ વિકાસના પ્રયાસો સાથે જોડાયેલું છે. [...] Read more...
November 13, 2024સુરતમાં પોલીસના વ્યાજખોરો સામેની સચોટ મુવમેન્ટ વચ્ચે પણ વ્યાજખોરો છાનાપગિયા કરી રહ્યાં છે. વ્યાજખોરના ત્રાસ અને દેવાથી થાકી ગયેલા બેગમપુરાના એક યુવકે 12 નવેમ્બર 2024ની સવારે પોતાના એપાર્ટમેન્ટની નીચે ઝેર ગટગટાવી લીધુ હતું. પાસાપોર્ટ એજન્ટ તરીકે નાનુ-મોટુ કામ કરતો આ યુવક હાલ બુરહાની હોસ્પિટલના આઈસીયુમાં ભરતી છે અને પરિવારે જણાવેલી હકિકતના આધારે મહિધપુરા પોલીસના પોલીસ ઈન્સ્પેક્ટર ચૌહાણની ટીમે જાણવા જોગ લઈ તપાસ શરૂ કરી છે. પોલીસની જાણવા જોગ હકિકત મુજબ બેગમપુરા રહેમાન મંઝિલ ખાતે રહેતા ગુલામ ખ્વાજા ઉર્ફે ગુલ્લુ ઉર્ફે બોબીએ મોટી ટોકીઝના માથાભારે વ્યાજઆતંકી શાબીર મુસ્તુફા શેખની (રહે. કાલુસાઈનો મહોલ્લો, મોતી ટોકિઝ, બેગમપુરા) વ્યાજ ઉઘરાણીથી અને ધાકધમકીથી ત્રાસીને ઝેર ગટગટાવી લીધું હતું. બોબીની પત્ની અને તેના નાના ભાઈ આસીફે પોલીસને લખાવેલી હકિકત મુજબ એક અન્ય લેણદાર ઈબ્રાહીમ ચાચાએ પણ બોબીને ચાર-પાંચ દિવસ પહેલા દિલ્હી ગેટ સ્ટેશન પાસે અલ-ખલીલ સામે બ્રિજ નીચે બોલાવી મારમાર્યો હતો. આ બેઠક શાબીર શેખની છે અને અહીંથી જ તે તેનું વ્યાજનું સામ્રાજ્ય ચલાવતો હોવાથી કેફિયત છે. આત્મહત્યાની કોશિશ કરનાર ગુલામ-બોબીના ભાઈ આસિફે પોલીસને લખાવ્યું છે કે, શાબીરના ધાકધમકીના અતિરેક અને વ્યાજ માટેની ઉઘરાણીના ચલતે તા. 22 ઓક્ટોબર 2024ના રોજ મેં અને મારા ભાઈએ રૂ. 35000 આપ્યા હતા. તે વખતે તેણે કહ્યું હતું કે,આપણો હિસાબ પુરો થઈ ગયો છે. પરંતુ થોડા દિવસ બાદ ફરી વાત સામે આવી કે તે તો વ્યાજની રકમ છે અને 40 હજાર ચઢી ગયેલા વ્યાજ અને 6થી 7 હજાર રૂપિયા પેનલ્ટીના ચુકવવા ખૂબ જ દબાણ હતું. ચાર-પાંચ દિવસ પહેલા તેની જ બેઠક પર ઈબ્રાહીમ ચાચાએ તેમના પોતાના લેણાંની રકમ માટે મારમારતા અને આજે મારા ભાઈને અગર રૂપિયા નહીં ચુકવે તો ફરી લોહીલુહાણ કરવાની ધમકી અપાય હોવાનું મારી ભાભીએ મને જણાવ્યું હતું. જેથી, તેણે ઝેર પી લીધું છે. ગુલામ ઉર્ફે બોબીના નાના ભાઈ આસીફ શેખ શું કહે છે તે નીચે મુકાયેલા વીડીયોમાં સાંભળો…. આસીફે કહ્યું કે, શાબીરને મેં 22 ઓક્ટોબરે રૂ. 35 હજાર આપ્યા પણ….. 40 હજાર વ્યાજ અને 6 હજાર પેનલ્ટીના માંગ્યા અને ભાઈએ ઝેર પીધું ઈબ્રાહીમ ચાચાએ ભાઈને મારમાર્યો પત્ની સમીરાએ પોલીસને લખાવ્યું છે, , કોરોના કાળ દરમિયાન બેકારી અને બાદમાં ઘર ચલાવવા માટે મારા પતિએ શાબીર શેખ પાસે એક લાખ રૂપિયા ઉછીના લીધા હતા ત્યારથી અત્યારસુધી મોટાભાગની રકમ ચુકવી દીધી હતી તેમ છતાં શાબીર વ્યાજની ઉઘરાણી કરી ત્રાસ આપતો હતો અને ઈકબાલ ચાચાએ થોડા દિવસ પહેલા રૂપિયાની લેતીદેતીમાં તકરાર કરી માર માર્યો હતો. પરિવારિક સૂત્રોનું કહેવું છેકે, ગુલામ ઉર્ફે બોબી દર મહિને તે 30થી 35 હજાર વ્યાજ ચુકવતો હતો. ઉપરથી ઘણાં પાસપોર્ટ માટે લીધેલા કામની રકમ પણ કામ પુરું થાય તે પહેલા આ વ્યાજમાં જ જતી રહેતી હતી. જેથી તે ભારે આર્થિક તંગી અનુભવતો હતો. તેના નાનાભાઈએ નાના-મોટા કર્જા ચુકવવા માટે મદદ પણ કરી હતી પરંતુ વ્યાજનું મીટર ઘટતું ન હતું. પાસપોર્ટનું કામ આપનારાઓનું દબાણ, વ્યાજની ઉઘરાણી, ગાલ-ગળોચ વગેરેથી તે હારી થાકી ગયો હતો. મિત્રો પણ મદદ કરવા તૈયાર હતા પરંતુ તે અંદરોઅંદર મુંજાયા કરતો હતો અને પોતે જ બધું સહન કર્યા કરતો હતો. આખરે શાબીર શેખ તરફથી ઘરે આવીને લોહીલુહાણ કરવાની અને પરિવારને નુકશાન પહોંચાડવાની વાત કરતા તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. . શાબીર નામચીન ફેમીલીનો સભ્ય: શાબીર શેખ અને તેના પંટરો વ્યાજનો ધંધો અને ગાડી સિઝિંગનું કામ કાજ ચલાવે છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, તે એક સમયના સટ્ટા કિંગ મુસ્તુ દાદાનો પુત્ર છે! અને તેની સુરતના અનેક ભાઈલોગ સાથે ઉઠક-બેઠક હોવાનું કહેવાય છે. એક હપ્તો બાકી હોય તો પણ ફાયનાન્સ કંપની સુપ્રીમ કોર્ટના આદેશનું ધરાર ઉલ્લઘંન કરીને તેને વાહનમાલિકોની ગાડી ખેંચવાની સોપારી આપે છે અને તે વાહનમાલિકોને રસ્તામાં ઘેરી લઈ ગાડી જપ્ત કરી લે છે. બાદમાં અગર વાહનમાલિક રૂપિયા ભરવા તૈયાર હોય તો પણ ગાડી બારોબાર વેચી નાંખતો હોવાનું સૂત્રો કહી રહ્યાં છે!!? પોલીસને અન્ય કારણો પણ લાગે છે, શાબીરના પીઠ્ઠુઓનું પરિવાર પર સમાધાન માટે દબાણ !!? હાલ તો ગુલામના પરિવારની જાણવા જોગના આધારે મહિધરપુરા પોલીસે શાબીર અને ઈબ્રાહીમ ચાચાને શોધવાની કવાયત હાથ ધરી છે. જોકે, પોલીસને ગુલામની આત્મહત્યાની કોશિશ પાછળ શાબીરના વ્યાજત્રાસ ઉપરાંત પણ કારણો લાગી રહ્યાં છે અને તે દિશામાં પણ તે તપાસ કરી રહી છે. ગુલામ ઉર્ફે બોબી ભાનમાં આવશે ત્યારે તેનું એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટની હાજરીમાં નિવેદન નોંધી તેના આધારે પોલીસ ફાઈનલ ગુનો દાખલ કરશે. મહિધરપુરા પોલીસે ઝેર પીનારા ગુલામના પરિવારને આશ્વાસન આપ્યું છે અને સકારાત્મકતા સાથે કહ્યું છે કે, અમે વ્યાજખોરને છોડીશું નહીં. યોગ્ય અને કડક પગલાં લઈ સજારૂપ થાય તેવી કાર્યવાહી કરીશું. બીજી તરફ, શાબીર અને ઈબ્રાહીમ ચાચાએ પોતાના સંપર્કોનો ઉપયોગ કરીને ગુલામના પરિવારને સમજાવી લેવા, સમાધાન કરાવી લેવા અને ફરિયાદ ન નોંધાવવા દબાણનો દૌર પણ શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, પરિવાર અને શાબીરના ત્રાસનો ભોગ બનેલા લોકોની માંગણી છે કે, તેની સામે કડક કાર્યવાહી થાય જેથી બીજાને ઝેર પીવાનો વારો ન આવે. [...] Read more...
September 9, 2024અમદાવાદઃ ગુજરાત સ્થિત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના અગ્રીમ જૂથ કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ડૉ. ફારુક જી. પટેલે આઈઆઈએમ અમદાવાદ ખાતે મૂલ્યો, નીતી શાસ્ત્ર અને માનવતાનું વ્યવાસાયિક જીવનમાં કેટલું મહત્વ છે તેના પર લેક્ચર આપ્યું હતું. અહીં ભાગવત ગીતા પર પ્રોફેસર સુનિલ મહેશ્વરી (ડીન, એલ્યુમનિ એન્ડ એક્સર્ટનલ અફેયર્સ)ના ચાલી રહેલા 40 સ્ટુડન્ટના વિશેષ સત્રમાં ડૉ. ફારુક પટેલને આમંત્રિત કરાયા હતા. જેમાં એક કલાક તેઓએ પોતાનું સંબોધન આપ્યું હતું. સાથોસાથ વિદ્યાર્થોઓના સવાલના જવાબ પણ આપ્યા હતા. ડો. ફારુક પટેલના આઈઆઈએમ અમદાવાદમાં આપેલા લેક્ચરનો પુરો વીડીયો જોવા નીચે આપેલી યુટ્યુબ લિંક પર ક્લીક કરો…. ડૉ. ફારુકે પોતે એક બસ કંડ્કટરના પુત્ર હોવા છતા અને બિઝનેસ લાઈફમાં ત્રણવાર ઝીરો થઈ ગયા બાદ પણ કેવી રીતે વેલ્યુ, એથિક્સ પકડી રાખી તેમજ માનવતાવાદી નીતી અખત્યાર કરીને સફળતાની કેડી કંડારી તે અંગે વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા. ડૉ. ફારુકે કહ્યું હતુ કે, તમે જીવનમાં માનવતાને પ્રાધાન્ય આપો, લોકો માટે કંઈક કરી છુટવાની ભાવના મનમાં રાખો તો તમે જોશો કે ઈશ્વરીશક્તિની તમને આપોઆપ મદદ મળતી થશે. જીવનમાં કંઈક એવું કરી જાવ કે જે આવનારી પેઢી માટે ઉપયોગી નીવડે, માનવતા માટે ઉપયોગી નીવડે. આ વિશેષ લેકચરમાં તેઓએ ઉદાહરણ ટાંકતા કહ્યું કે, આજના યુગમાં પણ આપણે મોહંમદ પયંગબર સાહેબ , ભગવાન કૃષ્ણ, ઈસા મસીહ, મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ,સુભાષચંદ્ર બોઝ ઈત્યાદીને કેમ યાદ કરીએ છીએ,? કેમ તેમના પગલે ચાલીએ છે? કેમ તેમના આચરણોને અનુસરિએ છે? તે તમે વિચાર્યું છે.? કેમ કે તેઓ એવા મૂલ્યો, વેલ્યુસ આપણી સમક્ષ મુકી ગયા છે. જો તમારે મોતને માત આપવી હોય અને વર્ષો સુધી લોકોના દિલોમાં જગ્યા બનાવવી હોય તો માનવતાને પ્રાધાન્ય આપીને આગળ વધો. મોતને માત આપવાનો મતલબ છે કે, લાખો, કરોડો વર્ષો સુધી લોકો તમને યાદ કરે તેવા સારા કાર્યો કરવા. અસરફુલ મખલુકાત યાની ઈશ્વરનું બેસ્ટ ક્રિએશન ઇન્સાનને તમે ફાયદો પહોંચાડવા માટે કોઈ પણ કાર્યો કરશો તો વિશ્વાસ રાખજો તમે કયામત સુધી યાદ રહેશો.બિઝનેસમાં પણ સાહસિકતા સાથે મૂલ્યો, ઈમાનદારી અને મહેનત એટલાં જ જરૂરી છે. દરેક ધર્મના શાસ્ત્રોમાં આ વાત કોમન જ છે કે સાચું બોલવું, ઈમાનદારી દેખાડવી, અન્યાય ન કરવો, માનવતાવાદી વલણ અપનાવવું. આ બાબતો અગર જીવનમાં અપનાવશો તો તમે જરૂર સફળ થશો. ડો. ફારુકે કહ્યું હતુ કે ભાગવત ગીતાનો ૧૬મો અધ્યાય આ વાતની સાબિતી આપે છે. આ એક્ઝાપ્લે વિદ્યાર્થીઓના દિલ જીત્યા: ડો. ફારુક પટેલે પોતાના લેક્ચરમાં બે એક્ઝામ્પલ ટાંકયા: (1) સદીઓ પહેલા એક શિક્ષકે કેટલાક વિદ્યાર્થીઓને એક-એક કબૂતર આપ્યું અને કહ્યું કે, તમને કોઈ ન જોતું હોય ત્યાં જઈને તેની ગરદન મરોડી આવો. કોઈ વિદ્યાર્થી બંધ કમરામાં ગયું, કોઈ ભોયરામાં ગયું, કોઈ બાથરૂમમાં ગયું, કોઈ આવવારું જગ્યા પર જઈને કબૂતરની ગરદન મરોડી આવ્યા. એક વિદ્યાર્થી હાથમાં જીવતું કબૂતર લઈને આવ્યું, શિક્ષકે પૂછ્યું કે કેમ તને કોઈ જોતુ ન હોય તેવી જગ્યા ન મળી, ત્યારે વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે, સર હું ઘણી જગ્યાએ ગયો પણ દરેક જગ્યાએ ‘ઈશ્વર’ તો મને જોતો જ હતો. ડો. ફારુકે આ દ્રષ્ટાંત ટાંકતા કહ્યું કે, દિમાગ કરતા દિલનો ઉપયોગ કરો અને બંને વચ્ચે સંકલન સાંધો. દિલ તો હંમેશા ઈશ્વરમય જ હોય છે એટલે તમે ગલત રાહ પર ચાલતા બચી શકશો. (2) ડો. ફારુક પટેલે બીજું દ્રષ્ટાંત આપ્યું કે, દરિયાઈ મૌજાઓ ખૂબ ઉછળ્યા અને તેમાં હજારોની સંખ્યામાં ‘સ્ટાર ફીસ’ કિનારા પર આવી ગઈ. એક બાળકે આ જોયું અને તેણે જઈને એક એક સ્ટાર ફીસને ફરી દરિયામાં નાંખવાની શરૂઆત કરી. તે સમયે એક ઈન્ટેલિજન્ટ વ્યક્તિ ત્યાંથી પસાર થયો, તે બાળક પર હસ્યો અને ટોકતા કહ્યું કે, તુ આટલી બધી સ્ટાર ફીસને કેવી રીતે બચાવી શકશે, આનાથી આ બધીને ફાયદો થવાનો નથી. સંખ્યાબંધ મરી જશે અને તુ પણ થાકી જશે. ત્યારે એ બાળકે ફરી એક સ્ટાર ફીસ રેતીમાંથી ઉંચકી અને દરિયામાં ઘા કર્યો અને કહ્યું કે, કોઈ બીજી માછલીને ફાયદો થાય કે ન થાય આને તો થશે જ અને તે બચી જશે. ડો. ફારુક કહેવા માંગતા હતા કે, તમે નેકી કરવાની શરૂઆત કરી દો. નાની તો નાની. અગર તમે કોઈ બુરી બાબત જુઓ છો તો, તેને રોકવાની કોશિશ કરો. એ ન કરી શકો તો બોલીને રોકો. તમે એમ ન કરી શકો તો લખીને રોકો. અગર આમાથી કંઈ ન કરી શકો તો કમ સે કમ દિલમાં તો તે બાબત બુરી છે તેવું ફીલ કરો. [...] Read more...
August 31, 2024સુરત: સુરત: હુરુન ઈન્ડિયાની લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ ટેનમાં દેશના ટોચના ધનિકોતો સામેલ થાય છે પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ સામેલ થયું છે. તેમાં એક તરવરતુ નામ આશ્ચર્યચકિત કરી ગયુ અને તે છે, સોલાર કિંગ તરીકે જાણીતા બનેલા કેપી ગ્રુપના ડો. ફારુક પટેલનું. એક બસ કંડક્ટરના દિકરાએ વર્ષ 1994માં રૂ. એક લાખની મુડી સાથે કેપી ગ્રુપના નામથી શરૂ કરેલી બિઝનેસ સફર તેના અથાગ પરિશ્ચમ, ઈનાવેશન, મેનેજમેન્ટ થકી તેને સુરતના ટોપ-પાંચમાં સ્થાન અપાવી ગઈ છે. ડો. ફારુક પટેલ 9700 કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમે સ્થાન પામનારા અરબપતિ બિઝનેસમેન બની ચુક્યા છે. સુરતમાં કુલ 28 અબજપતિ છે, ટોપ-10ની વાત કરીએતો ,તેમાં એથર ઇન્ડસ્ટ્રીઝના અશ્વિન દેસાઈ પાસે સૌથી વધુ 10700 કરોડ રૂપિયાની સંપત્તિ છે. , ત્યાર બાદ ડો. ફારુક પટેલ(કેપી ગ્રુપ ) 9700 કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમના અરબપતિ બિઝનેસમેન બની ગયા છે. તેમની કંપની કેપીઆઈ ગ્રીન એનર્જી, કેપી એનર્જી અને કેપી ગ્રીન એન્જિનિયરિંગ પણ શેર બજારમાં સારું એવું પ્રદર્શન કરી રહી છે. ડો. ફારુકની કંપની રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કામ કરી રહી છે . સોલારમાં 473 મેગાવોટ તેઓ ઈન્સ્ટોલ કરી ચુક્યા છે અને 2.33 ગીગાવોટના ઓર્ડર કંપનીના હાથમાં છે. જ્યારે વિન્ડમાં 840 મેગાવોટના પ્રોજેક્ટ તેઓ કરી ચુક્યા છે અને 1009 મેગાવોટના ઓર્ડર હાથમાં છે. ત્રણેય કંપની મળીને તેમ માર્કેટ કેપ 18000 કરોડથી વધુનું છે. ગ્રુપનું બિઝનેસ એમ્પાયર રૂ. 186 બિલિયનથી વધુ છે. માર્ચ-2024માં જ ડો. ફારુક પેટલની ત્રીજી કંપની કેપી ગ્રીન એન્જિનિયરિંગ બીએસઈના એમએસઈ પ્લેટફોર્મ પર દેશનો સૌથી મોટો 189.50 કરોડનો આઈપીઓ લઈને આવી હતી. કેપી ગ્રીન એશિયાનું સૌથી મોટુ ગેલ્વેનાઈઝીંગ કેટલ માતર ગામની નવી કંપનીમાં બનાવી રહી છે. ગુજરાતનો સૌથી મોટું પ્રાઈવેટ સોલાર પાર્ક પણ ડો. ફારુક પટેલની કંપની પાસે છે અને દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલા સાત વિન્ડ ટર્બાઈન નાંખવાનો રેકોર્ડ પણ ફારુક પટેલના નામે છે. તેઓ ઈન્ડીવ્યુઝલ સુરતના સૌથી મોટા ટેક્સપેયર પણ છે.ટોપ ટેનમાં સામેલ અન્ય બિઝનેસ ટાઈકુન: એનજે ઈન્ડિયાનાના નિરજ ચોકસી 9600 કરોડ, કિરણ જેમ્સના બાબુ લખાણી-ફેમીલી પાસે 7400 કરોડ, જ્યારે શ્રી રામકૃષ્ણા એક્સપોર્ટના ગોવિંદભાઈ ધોળકિયાની 6100 કરોડ, કલરટેક્સસ ઈન્ડસ્ટ્રીઝના જયંતીલાલ જરીવાળા 5300 કરોડ, હરીકૃષ્ણા એક્સપર્ટના સવજીભાઈ ધોળકિયા 3700 કરોડ, ધર્મનંદન ડાયમંડના લાલજીભાઈ પટેલ-ફેમીલી 3600 કરોડ રૂપિયા, હરીકૃષ્ણા એક્સપર્ટના તુલસી ધોળકિયા રૂ. 3100 કરોડ અને શ્રી રામકૃષ્ણા એક્સપોર્ટના વરસામભાઈ નારોલા-ફેમીલી 3100 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સામેલ છે. ગુજરાતમાં અબજોપતિઓની સંખ્યા 60થી વધીને 129 થઈ ‘હરુન ઈન્ડિયા’એ ભારતના અબજોપતિ લોકોનું લિસ્ટ બહાર પાડ્યું છે, જેમાં 1 હજાર કરોડ રૂપિયા કે તેનાથી વધુની સંપત્તિ ધરાવતા લોકોનો સમાવેશ કર્યો છે. લિસ્ટમાં આખા દેશમાં 1539 અબજપતિ સામે આવ્યા છે. જેમાં ગુજરાતીઓએ સારું એવું કાંઠું કાઢયું છે. ગુજરાતમાં ચાર વર્ષમાં અબજપતિઓની સંખ્યા 60થી વધીને 129 થઈ ગઈ છે. દેશભરતમાં અબજપતિઓની સંખ્યામાં મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ ગુજરાત રાજ્ય ત્રીજા ક્રમે છે. ગુજરાતમાં બે વ્યક્તિ પાસે 1 લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ગુજરાતમાં 1 લાખ કરોડ રૂપિયા કરતા વધુની સંપત્તિ ધરાવતા બે બિઝનેસમેન છે. 11.61 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ગૌતમ અદાણી પહેલા નંબર પર છે. જ્યારે ઝાયડસ લાઈફસાયન્સના પંકજ પટેલે પહેલી વખત 1 લાખ કરોડ રૂપિયાની સંપત્તિનો માઈલસ્ટોન હાંસિલ કર્યો છે. તેમની પાસે 1.01 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. નિરમાના કરસનભાઈ પટેલ 80 હજાર કરોડ, જ્યારે ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સના સમીર મહેતા અને સુધીર મહેતા બંને 70.90 હજાર કરોડના માલિક છે.દેશમાં..હુરૂન ઈન્ડિયા રીચ લિસ્ટમાં ગૌતમ અદાણી રૂ. 11.61 લાખ કરોડ સાથે પ્રથમ ક્રમે છે. મુકેશ અંબાણી 10.14 લાખ કરોડ સાથે બીજા ક્રમે, શીવ નાદર 3.14 લાખ કરોડ સામે ત્રીજા ક્રમે, સાયરસ પુનાવાલા 2.89 લાખ કરોડ સાથે ચોથા ક્રમે અને દિલિપ સંઘવી રૂ. 2.49 લાખ કરોડ સાથે પાંચમા ક્રમે છે.  [...] Read more...
August 12, 2024અડાજણ પાટીયા, ગુજરાત ગેસ સર્કલ, અડાજણ ગામના સર્કલ પણ મસમોટા, મોરાભાગળનું સર્કલમાં તો કેટલી વસ્તી વસી જાય તેટલું મોટું!! સુરત ટ્રાફિક પોલીસે એક મહિના પૂર્વે એક અભિયાન ચલાવ્યું. ટ્રાફિક સિગ્નલનું પાલન કરાવવું. તે કરાવતા કરાવતા તેઓ ટ્રાફિક આઈલેન્ડ, સર્કલ તોડાવવાનું અભિયાન પણ ચલાવ્યું પરંતુ વાહનોનો ટ્રાફિક જોઈએ તેવો ‘સ્મૂથ’, સરળ, મસ્કેદાર થયો નથી. અઠવાગેટ એલએનડી સર્કલ પર તો રોજ સવાર-સાંજ, બલ્કિ આખો દિવસ વાહનો ફસાય રહ્યાં છે. સરદાર બ્રિજ પર લાંબી કતારો લાગે છે, નીચે ઉતર્યા બાદ અઠવાલાઈન્સ જવામાં કે રિંગરોડ જવામાં પરસેવો છુટી જાય છે પરંતુ આ ટ્રાફિક સર્કલને નાનું કરવામાં, કે કરાવવામાં ટ્રાફિક પોલીસ કે સુરત મહાનગર પાલિકા રસ દાખવતી નથી. આવા જ આઈલેન્ડ મોરાભાગળ, અડાજણ પાટિયા, અડાજણ ગામ, ગુજરાત ગેસ સર્કલ વગેરે પણ છે પરંતુ તે હજી સુધી નજરે પડ્યા હોય તેવું દેખાતું નથી. અહીં રોજ ટ્રાફિકની મારામારી થાય છે. અડાજણરોડ પર તો રાત્રે નવ વાગ્યેથી લક્ઝરી બસનો અડ્ડીગો પણજામી થાય છે તે ટ્રાફિકમાં વધારો કરે છે. અડાજણપાટીયા જીલાની બ્રિજ પાસેનો ટ્રાફિક તો હાય તોબા પોકારી દે છે પણ સુધાર કરવામાં કોઈને રસ હોય તેવું લાગતું નથી. આવું લગભગ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળે છે. આવી વાતો થઈ હતી પણ… ચોમાસામાં ચાર રસ્તાઓ પર પણ મોટા મોટા ખાડા પડતા સિગ્નલ ખુલ્યા પછી પણ વાહનો પસાર થઈ શકતા નથી!. બીજી તરફ, પોલીસ ઈન્ટરવ્યૂ આપી આપીને કહી રહી હતી કે , આ ટ્રાફિક સિગ્નલો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટ (એઆઈ) બેઝ છે એટલે જે રસ્તા તરફ વાહનોની લાઈનો લાંબી હશે તે દિશાનું ગ્રીન સિગ્નલ ઓટોમેટિક લાંબું થઈ જશે પણ આમ થતું હોવાનું એક પણ એક્ઝામ્પલ સામે આવ્યું નથી. આજે પણ ઘણાં સિગ્નલો એવા છે કે ત્યાં ત્રણથી ચાર વાર લાઈનો ખુલવા છતા તમારું વાહન પસાર થઈ શકતું નથી. શરૂઆતના તબક્કા બાદ આકલન, અભ્યાસ, નિરિક્ષણ, એઆઈ બધુ જ બાજુમાં મુકી દેવાયું હોય તેવું હાલ તો લાગી રહ્યું છે. બીજુ કે ટ્રાફિક પોલીસ એવું માનતી હતી કે ટ્રાફિક સર્કલ નાના કરવાથી ટ્રાફિક સમસ્યા ઉકેલાય જશે પણ એવું બન્યું હોય તેવું લાગતું નથી! જાણકારો કહે છે કે, રસ્તા મોટા કરવા કે ટ્રાફિક સર્કલ નાના કરવા વિકલ્પ નથી. વિકલ્પ એ છે કે ટ્રાફિક ને કેવી રીતે મોડરેટ રાખવો. વાહનોની સંખ્યા કેવી રીતે ઘટાડવી. જૂના વાહનો કેવી રીતે રસ્તા પરથી દૂર કરવા. કેવી રીતે ડાયવર્ઝન સેટ કરવા કે એક તરફનો ટ્રાફિક બીજી જગ્યાએ અથડાય નહીં. રસ્તાઓ એક-બીજાને મળે નહીં. ગલી ખાંચાઓમાંથી વાહનો અચાનક આવી ન ચઢે. આવા સંખ્યાબંધ મુદ્દાઓ પર પોલીસ-મનપા અને પ્રશાસને કામ કરવું પડશે ત્યારે જ ટ્રાફિક નિયમન હળવું કરી શકાશે. હા, સ્ટાફ વધારો તો ખરો જ.! નોંધ:સમાચાર માટે પ્રસિદ્ધ થયેલી તસ્વીર ફાઈલ છે. જે એક હિન્દી અખબારમાં છપાય હતી. [...] Read more...
August 12, 2024સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910) સુરત ક્રાઈમ બ્રાંચે આરટીઓની 370 નકલી સ્માર્ટ આરસીબુક પકડીને 30 વર્ષ જૂના એજન્ટ જીતેન્દ્ર પટેલ (બટકા) સહિત પાંચ જણાંને દબોચી લીધા છે. જોકે, આ પાંચ જણા પાછળ ભેજાબાજો તો બેંકના કર્મચારીઓ અને ફાયનાન્સરો છે. તેઓની મલાઈમાં આ લોકો કમિશનના રવાડે ભેરવાય ગયા છે. હા, આરટીઓમાંથી જૂની આરસીબુક ચોરી કરવામાં અને તેના પર જેને ખેંચાયેલું વાહન વેચાયું હોય તેના નામ-નંબર પ્રિન્ટરના માધ્યમથી લખવામાં એજન્ટની ભૂમિકા જરૂર છે. આ આખો ખેલ આરટીઓનો ટેક્સ અને પેનલ્ટી બચાવીને આખી અધિકૃત પ્રોસેસને બાયપાસ કરીને લાખો રૂપિયા કમાવાનો છે. જેમાં સરકારી તિજોરીને તો નુકશાન થાય છે પરંતુ બેંકના કર્મચારીઓ પોતાની બેંકને પણ ચુનો ચોપડી રહ્યાં છે. જેથી, આમા મુખ્ય દોરવણી કરનારાઓને હજી ક્રાઈમ બ્રાંચે ‘ટચ’ કર્યા નથી તેવું માની શકાય. આવા લોકોને સળિયા ગણાવાય તો આ આખુ નેક્સેસ ડામી શકાય એમ છે. પોલીસે જે રીતે વ્યાજઆંતકીઓ સામે અભિયાન છેડ્યું છે આ પણ એવું જ ફાયનાન્સઆતંક છે અને તેને પરમેનન્ટલી ડામવા પ્રયાસ થાય તો કોઈના એકના એક દિકરાએ બ્રીજ પરથી કુદી જીવન ટૂંકાવવું ન પડે. જાણો આખી પ્રોસેસ કે જે બેંક અને ફાયનાન્સર ‘કુદાવી’ દે છે : – બેંક અને ફાયનાન્સ કંપની વાહનો પર લોન આપે છે અને ઘણીવાર એક હપ્તામાં પણ ત્રાસ ગુજારવાનું શરૂ કરી દે છે. રાખેલા માથાભારે તત્વો ગાડી ખેંચી જાય છે. ઢીલો-પોચો વ્યક્તિઓ હોય તો વાંધો લેતો નથી. આવી ગાડી પર એચપી ચાલતી હોય ત્યારે તેની એફ.આર.સી (ફ્રેશ આરસી બુક)કઢાવવા માટે બેંક-ફાયનાન્સ કંપનીએ પહેલાં આરટીઓમાં ફોર્મ-36 ભરીને અરજી કરવી પડે છે. આરટીઓ અધિકારી જેનું વાહન ખેંચાયું હોય તેને અને બેંક-ફાયનાન્સને નોટીસ મોકલી એક તારીખે સુનાવણી માટે બોલાવે છે અને તેમાં વાહન માલિક હપ્તો ભરવા તૈયાર હોય તો તેને વાહન પરત કરવાનું હોય છે. અગર વાહન ગોડાઉનમાં જમા લેવાયું હોય તો તે દર મહિનાની 1થી 10 તારીખમાં ત્યાં છે કે નહીં તે જોવા જવાની જવાબદારી આરટીઓ અધિકારીએ નિભાવવી પડે છે. ( પરંતુ આ‌વું થતું નથી અથવા પહોંચેલા ફાયનાન્સરો આવું કરવા દેતા નથી અને બારોબાર વાહન થર્ડ પાર્ટી પાસે ફરતું કરી દેવાય છે!! ) આરટીઓ અધિકારી પણ આવા જમા વાહનોને જોવા જવાની તસ્દી લેતા નથી. અગર વાહન માલિક નાદારી નોંધાવે તો જેટલા મહિના વાહન કબ્જે લેવાયું હોય તેટલા મહિના વાહનની નક્કી કિંમત પર પાંચ ટકા લેખે ટેક્સ તેમજ 25 ટકા મહિના પ્રમાણે પેનલ્ટી બેંક-ફાયનાન્સરે ભરીને વાહન પોતાના નામે ટ્રાન્સફર કરાવવાનું હોય છે. આખી પ્રક્રિયાને બેંક કર્મીઓ અને ફાયનાન્સરો કુદાવી દે છે અને ઓક્શનમાં વાહનો એક સાથે વેચી દે છે. દલાલો આ વાહનો લેતા સમયે ચેક કરતા નથી અને બાદમાં આવા આરટીઓ એજન્ટ મારફત નકલી આરસી બુક બનાવીને તેને સારી એવી રકમે વેચી દે છે.! જેમાં સરકારની તિજોરીને તો ચુનો લાગે જ છે અને ગુનો પણ આચરવામાં આવે છે. બેંક કર્મીઓ અને દલાલોની મિલીભગત, લાખો કમાય છે: જાણકારોનું માનીએ તો આમા મુખ્ય ખેલ બેંક કર્મીઓ અને ઓક્શનમાં વાહન લેનારા દલાલોનું મોટું સેટિંગ હોય છે. બેંક કર્મીઓ બેંકમાં ખોટા રિપોર્ટ કરે છે કે વાહન માલિક રૂપિયા ભરવા તૈયાર નથી અથવા ભરી શકે એમ નથી અને વાહનની કિંમત પણ ઓછી દેખાડે છે. ઉદાહરણ તરીકે વાહનની બજાર કિંમત જે તે સમયે પાંચ લાખ રૂપિયા આવતી હોય તો તેને બેથી ત્રણ લાખનું વેલ્યુએશન જ કરાવે છે અને બેંક પાસે ઓછી રકમનું ઓક્શન કરાવીને દલાલ પાસે સારું એવું કમિશન મેળવી લે છે. લુખ્ખા તત્વો પાસે વાહનો ખેંચાવડાવી થર્ડ પાર્ટીને વેચી દેવાય છે: આમ તો એક-બે હપ્તા બાકી હોય કે તેનાથી વધુ હપ્તા બાકી હોય પરંતુ બેંક અને ફાયનાન્સરોએ લુખ્ખા-ટપોરીઓની ગેંગને વાહનો ખેંચવા માટે કામ સોંપ્યું હોય છે અને તેઓ વાહનમાલિક પાછળ રીતસર રકમ વસૂલવા મંડી જાય છે. અગર હપ્તો તેમના સમયે ન ભરાય તો તેઓ પોતાની પેનલ્ટી ઊભી કરવા વાહનમાલિકનો પીછો કરે છે અને આખી ચાર-પાંચ જણની ટોળકી ગમેત્યાં રસ્તામાં આંતરીને વાહન બળજબરી લઈ જાય છે અથવા રાત્રિના સમયે ઘર આંગણેથી ઊંચકી જાય છે. નિયમ મુજબ વાહન જપ્ત કરતા પહેલા તેની જાણ કરવાની હોય છે અને સંંબંધિત પોલીસ મથકમાં પણ અગાઉ લેખિતમાં સૂચના આપવાની હોય છે પરંતુ માથાભારે ટોળકી આમ કરતી નથી. પોલીસ મથકોમાં પણ તેમનું સારું એવું ઉપજતું હોવાનું કહેવાય છે. જેવું વાહન ખેંચાય કે તુરંત થર્ડ પાર્ટીને તે ગીરવે પર કે વેચાણથી વાપરવા આપી દેવાય છે. ઘણાં આવા વાહનો નંબર પ્લેટ વિના પણ શહેરમાં ફરતા જોવા મળે છે. જુના અધિકારીઓની સહી અને નવા વાહનો ટ્રાન્સફર એવું કેવી રીતે થયા? પહેલા તો આરટીઓના રેકોર્ડ રૂમમાંથી જૂની સ્માર્ટ આરસી બુકનો જથ્થો ચોરાયો તે માલૂમ ન પડ્યું. સીસીટીવી લાગ્યા છે અને સિક્યુરિટી પણ છે તો આવું કેવી રીતે બન્યું તે તપાસનો વિષય છે. બીજું કે, જૂની આરસી બુક પર જે તે સમયે ફરજ બજાવી ગયેલા અધિકારીઓની સહી હોય તે સ્વભાવિક છે. જોકે, ખેંચાયેલા નવા વાહનો જૂના અધિકારીની સહી સાથે ટ્રાન્સફર થયા તે પણ જોવાયું નહીં તે સિસ્ટમમાં મોટી ખામી દર્શાવે છે અથવા તો અધિકારીઓની મિલીભગત છતી કરે છે. ગાંધીનગરથી તેની તપાસ પણ થવી જોઈએ અને પોલીસે પણ તેની ખણખોદ કરવી જોઈએ. બેંક કર્મીઓ અને ફાયનાન્સરોને પણ પોલીસે સીધાદોર કરવા જોઈએ, સાથોસાથ વાહનો ખેંચવાનું કામ કરતી ગુંડાટોળકીઓને પણ સળિયા પાછ‌ળ ધકેલવા જોઈએ. જો પોલીસ આવું કરવાની શરૂઆત કરશે તો કોઈનો લાડકવાયાએ જીવન ત્યજવું નહીં પડે. [...] Read more...
July 22, 2024સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910) નેતા તો આપણે ઘણાં જોયા પણ જમીની નેતાઓ અને લોકહીત-પ્રજાહીત માટે લડનારા નેતાઓ તો ઘણાં જૂજ જોવા મળે છે. આ વ્યક્તિને નેતા કહેવડાવવા કરતા ખેડૂત પુત્ર અને સ્વતંત્ર ચળવળકારનો પૌત્ર કહેવડાવવું વધુ ગમે છે. લોહીમાં સ્વંતત્ર સંગ્રામી જેવી ખુમારી સાથે જીવતો આ શખ્સ હાલમાં જ ભારે ચર્ચામાં આવ્યો. સુરતના તત્કાલિન કલેક્ટર આયુષ ઓકને ડુમસની એક સરકારી પડતર જમીનમાં ખોટી રીતે નામ દાખલ કરાવીને તેને સોંપી દેવાના મામલે સસ્પેન્સન સુધી ઘસડી ગયા. આવા અનેક કૌભાંડો ઉજાગર કરનારા આ શખ્સ છે ‘દર્શન નાયક.’ નાયક ખરેખર નાયકની ભૂમિકા નિભાવી રહ્યાં હોવાનું ફલિત થાય છે. એડવોકેટ એવા નાયક સામા વ્હેણે તરવામાં પાછી પાની કરતા નથી. કોંગ્રેસી વિચારધારાને વરેલા દર્શન નાયક હાલમાં જ ઓલપાડ વિધાનસભાથી ચૂંટણી લડી ચુક્યા છે પરંતુ રનિંગ ભાજપના મંત્રી મુકેશ પટેલ સામે તેઓ જીતી નહીં શક્યા. તેઓ 10 વર્ષ સુધી સુરત જિલ્લા પંચાયતના સભ્ય રહી ચુક્યા છે અને અધિકારીઓના નાકે દમ લાવી ચુક્યા છે. આખરે બેઠકોના નવા સીમાંકનમાં તેઓની સાયણ બેઠક કપાય અને તેઓ જિલ્લા પંચાયતમાં બેઠક બદલાવાથી ફાવી ન શક્યા. જોકે, લડવાનું અને જજૂમવાનું તેઓએ ચાલું રાખ્યું છે અને તે પણ પોતાના માટે નહીં પણ પ્રજાના પ્રશ્નો માટે. દર્શન નાયક પૂર્વ કેન્દ્રિય મંત્રીની આગળી પકડી રાજકારણમાં આવ્યા હતા નાયક સ્નાતક થયા બાદ કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત થયા અને 21 વર્ષના હતા ત્યારે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરી (સ્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર)ની આગળી પકડી રાજકારણમાં પ્રવેશ્યા. થોડા સમયમાં જ તેઓ તેમના અંગત સચિવ તરીકે પણ પ્રસ્થાપિત થયા. આખા બોલા દર્શન નાયક ખોટા કામોમાં કોઈની પણ શેહશરમ રાખવામાં માનતા નથી, પરિણામે તેઓ ઝડપથી આગળ વધ્યા અને જિલ્લા પંચાયતમાં ચૂંટણી લડી જીત્યા. ધીરેધીરે તેઓએ પોતાની એક લડાયક અને પ્રજાહિતના પ્રશ્નોને અધિકારીઓ-પદાધિકારીઓ સમક્ષ મુકવા માટેની ઓળખ ઊભી કરી. મજબૂત લોકસંપર્ક અને સુરત જિલ્લાના લગભગ તમામ ગામો સુધી લોકસેવા કાજે દર્શન નાયક દોડતા રહે છે. તેમની જન્મ-કર્મભૂમિ ઓલપાડમાં તેઓ વધુ સક્રિય રહે છે. દર્શન નાયક ખેડૂત અને સહકારી ક્ષેત્રે પણ મજબૂત પકડ ધરાવે છે. હાલ તેઓ સાયણ સુગર ફેક્ટરની ડિરેક્ટર છે. નામાંકિત આનંદ વોલીબોલ કલબના પ્રમુખ છએ. ડીઆરજીડી સાર્વજનિક વિદ્યાલયના ઉપપ્રમુખ અને સુરત જિલ્લા શૈક્ષણિક સંચાલન મંડળના સહમંત્રી તરીકે સેવારત છે. નાયકે સર આંદોલન, બુલેટ ટ્રેન જમીન સંપાદન વિરોધ અને ભાટીયા ટોલ ટેક્સ જેવા અનેક મુદ્દે મોરચો ખોલ્યો દર્શન નાયકે અનેક આંદોલનની આગેવાની કરી. હાલની જ વાત કરીએ તો બુલેટ ટ્રેનના જમીન સંપાદન મુદ્દે ઓછા વળતર મામલે તેઓએ આંદોલન છેડ્યું અને છેક જાપાનથી પત્રકારો દોડી આવીને તેમની વાત મુકી. કામરેજ અને ભાટીયા ટોલ પ્લાઝા પર સ્થાનિક પાસેથી પણ બેફામ ટોલટેક્સ વસૂલી સામે તેઓએ ના-કર સમિતિ બનાવીને લાંબી લડત ચલાવી જીત મેળવી. ભાંડુપ ઘન કચરા પ્લાન્ટ સામે લડત ચલાવી સુરત મનપાને રોકી, હજીરા-ગોથાણ રેલવે લાઈન સંદર્ભે ખેડૂતોની ખાનગી જમીન સંપાદિત કરવા સામે લડ્યા. હજીરાની કંપનીઓમાં સ્થાનિકોને નોકરી અપાવવા લડત ચલાવી. સર આંદોલનમાં લડત ચલાવી. આવા અનેક એવા પ્રશ્નો અંગે તેઓ આજે પણ લડતા રહે છે. એક દિવસ એવો જતો નથી કે તેઓ અખબારી પાને ચમકતા ન હોય. નાયકના દાદા સ્વતંત્ર ચળવળકાર રહ્યાં દર્શન નાયકના દાદા સ્વ. છોટુભાઈ લલ્લુભાઈ નાયક ઘાસિયા સત્યાગ્રહને સફળ બનાવવા માટે આઝાદીની ચળવળના ગુરુ સ્વ. કાનજીભાઈ દેસાઈ, હિતેન્દ્ર દેસાઈ, પ્રમોદકાકા, ગાંધીજીના સલાહકાર સ્વ. મહાદેવભાઈ દેસાઈ વગેરે સાથે ચળવળમાં જોડાયા હતા અને શિક્ષિત ખેડૂત પરિવારનો આ ગુણ દર્શનમાં પણ આવ્યો. આજે તેમનું નામ પડે એટલે ઘણાં ભ્રષ્ટ અધિકારીઓના હાજા ગગડી જાય છે. https://www.facebook.com/darshan.naik.5811 [...] Read more...
July 10, 2024આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને મંત્રી રાજકુમાર આનંદ ભાજપમાં જોડાયા છે. તેમણે લોકસભા ચૂંટણી પહેલા મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને બસપામાં જોડાયા હતા. આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ નેતા અને મંત્રી રાજકુમાર આનંદ ભાજપમાં જોડાયા છે. તેમણે લોકસભા ચૂંટણી પહેલા મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને બસપામાં જોડાયા હતા. હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તેમની સાથે AAPના વર્તમાન ધારાસભ્ય કરતાર સિંહ તંવર, રત્નેશ ગુપ્તા, સચિન રાય, પૂર્વ ધારાસભ્ય વીણા આનંદ અને AAP કાઉન્સિલર ઉમેદ સિંહ ફોગાટ પણ ભાજપમાં જોડાયા છે. આ નેતાઓ દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા.  તાજેતરમાં એપ્રિલમાં રાજકુમાર આનંદે ભ્રષ્ટાચાર અંગેની પાર્ટીની નીતિ પર અસંતોષ વ્યક્ત કરીને કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમનું રાજીનામું સીધું દારૂ નીતિ કેસ સાથે જોડાયેલું હતું, જેમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સહિતના અગ્રણી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીમાં કારમી હાર.તમને જણાવી દઈએ કે રાજકુમાર આનંદે BSPની ટિકિટ પર નવી દિલ્હી સીટ પરથી તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી લડી હતી. ચૂંટણી જંગમાં તેમને માત્ર 5629 વોટ મળ્યા હતા. બીજેપીના બાંસુરી સ્વરાજે આ સીટ પર 78370 વોટથી જીત મેળવી હતી. તેમને 453185 મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીના સોમનાથ ભારતી 374815 મતો સાથે બીજા ક્રમે છે. પટેલ નગરના ભૂતપૂર્વ ધારાસભ્ય રાજ ​​કુમાર આનંદ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની દિલ્હી કેબિનેટમાં સમાજ કલ્યાણ અને SC/ST મંત્રી હતા. આનંદે કહ્યું કે તેણે આવું એટલા માટે કર્યું કારણ કે તે પોતાનું નામ ચાલી રહેલા ‘ભ્રષ્ટાચાર’ સાથે જોડી શક્યો નથી. જ્યારે AAP ધારાસભ્યના ઘરે ઈન્કમટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાજુલાઈ 2016માં ઈન્કમ ટેક્સની ટીમે કરતાર સિંહ તંવરના ઘરે દરોડા પાડ્યા હતા. આવકવેરા અધિકારીઓએ 27 જુલાઈની સવારે દક્ષિણ દિલ્હીના છતરપુરથી AAP ધારાસભ્ય કરતાર સિંહ તંવરના ફાર્મ હાઉસ અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ, આવકવેરા અધિકારીઓ સવારે સાડા આઠ વાગ્યે ધારાસભ્યના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આવકવેરા વિભાગે દિલ્હીમાં 11 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 100થી વધુ અધિકારીઓ સામેલ હતા. તે સમયે કરતાર સિંહ તંવરની 20 કંપનીઓ તપાસ હેઠળ હતી. ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી હતીઆવકવેરા વિભાગને ફરિયાદ મળી હતી કે સરકારી નોકરીમાંથી વીઆરએસ લીધા બાદ કરતાર સિંહ તંવરે પ્રોપર્ટીના કામમાં કરોડો રૂપિયાની કમાણી કરી હતી. દરોડાના સમાચાર મળતાની સાથે જ આસપાસના ગામોના લોકો અને ઘણા ‘આપ’ કાર્યકર્તાઓ તેમના ઘરની બહાર એકઠા થયા હતા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. [...] Read more...
July 10, 2024ત્રિપુરાની શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા 800 થી વધુ વિદ્યાર્થીઓ એચઆઈવીથી સંક્રમિત જોવા મળ્યા છે. તાજેતરના સમયમાં ત્રિપુરામાં HIV-AIDSના કેસોમાં ઝડપથી વધારો થયો છે. વિદ્યાર્થીઓમાં HIV સંક્રમણ ફેલાવવાનું સૌથી મોટું કારણ ઈન્જેક્શન દવાઓનું વ્યસન છે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે ઈન્જેક્શન દવાઓ કેવી રીતે એચઆઈવીનો ચેપ લાવી રહી છે? ત્રિપુરામાં HIV-AIDSના કેસ સતત વધી રહ્યા છે. ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે અહીં 800 થી વધુ વિદ્યાર્થીઓ HIV પોઝીટીવ મળી આવ્યા છે. કેટલાક મૃત્યુ પણ પામ્યા છે. ત્રિપુરાની એઇડ્સ કંટ્રોલ સોસાયટીના એક અધિકારીએ જણાવ્યું હતું કે તાજેતરમાં 828 વિદ્યાર્થીઓ એચઆઇવીથી સંક્રમિત જોવા મળ્યા હતા, જ્યારે 47 વિદ્યાર્થીઓ એઇડ્સના કારણે મૃત્યુ પામ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ત્રિપુરામાં દરરોજ પાંચથી સાત નવા દર્દીઓ સામે આવી રહ્યા છે. જો કે, ત્રિપુરાના આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે 828 કેસ અને 47 મૃત્યુના આંકડા એપ્રિલ 2007 થી મે 2024 વચ્ચેના છે. અધિકારીએ કહ્યું કે જો એચઆઈવી સંક્રમિત વિદ્યાર્થી દ્વારા ઉપયોગમાં લેવાતી ઈન્જેક્શનની સોયનો ઉપયોગ અન્ય વિદ્યાર્થી દ્વારા કરવામાં આવે તો ચેપ તેનામાં પણ ફેલાય છે. વિદ્યાર્થીઓમાં HIV ફેલાવાનું મુખ્ય કારણ ઈન્જેક્શન દવાઓનો ઉપયોગ છે. ત્રિપુરાની 220 શાળાઓ અને 24 કોલેજ-યુનિવર્સિટીમાં HIVના આ કેસ નોંધાયા છે. એઇડ્સ કંટ્રોલ સોસાયટીના જોઇન્ટ ડાયરેક્ટર સુભ્રજીત ભટ્ટાચારીએ જણાવ્યું હતું કે એચઆઇવીનો ચેપ લાગ્યો હોય તેવા મોટાભાગના વિદ્યાર્થીઓ સમૃદ્ધ પરિવારમાંથી આવે છે. તેમના માતા-પિતા બંને સરકારી નોકરીમાં છે અને તેઓ તેમના બાળકોની માંગણી પૂરી કરવામાં અચકાતા નથી. માતા-પિતાને ખ્યાલ આવે છે કે તેમનું બાળક ડ્રગ્સનું વ્યસની છે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. તેમણે કહ્યું કે મે 2024 સુધીમાં એન્ટી-રેટ્રોવાયરલ થેરાપી કેન્દ્રોમાં કુલ 8,729 કેસ નોંધાયા છે. HIV સંક્રમિત લોકોની કુલ સંખ્યા 5,674 છે, જેમાંથી 4,570 પુરૂષો અને 1,103 મહિલાઓ છે. ચેપગ્રસ્ત પૈકી એક ટ્રાન્સજેન્ડર છે. એચઆઈવી દર્દી ઈન્જેક્શન દ્વારા ડ્રગ્સનો વ્યસની બની રહ્યો છે HIV સંક્રમણ ફેલાવવાનું સૌથી વધુ જોખમ અસુરક્ષિત સેક્સ દ્વારા છે. ભારતમાં પણ 1986માં સેક્સ વર્કર્સમાં HIV સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ સિવાય દવાઓના ઈન્જેક્શનને કારણે પણ HIV સંક્રમણ ફેલાય છે. યુનાઈટેડ નેશન્સનો એક અહેવાલ જણાવે છે કે સમગ્ર વિશ્વમાં લગભગ 1.25 અબજ લોકો ડ્રગ્સનું ઈન્જેક્શન લે છે. વિશ્વના ઘણા ભાગોમાં, દવાઓના ઇન્જેક્શનને કારણે એચઆઇવીના કેસ ઝડપથી વધી રહ્યા છે. યુનાઈટેડ નેશન્સનું કહેવું છે કે જે લોકો દવાઓનું ઈન્જેક્શન આપે છે તેમને એચઆઈવીનો ચેપ લાગવાનું જોખમ 22 ગણું વધારે હોય છે. એક અંદાજ મુજબ ભારતમાં બે લાખ લોકો ઈન્જેક્શન દ્વારા દવાઓ લે છે. નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (NACO) નો અહેવાલ દર્શાવે છે કે ભારતમાં એચઆઈવી સંક્રમિત લોકોમાં 6% થી વધુ એવા લોકો હતા જેમણે ઈન્જેક્શન દવાઓનો ઉપયોગ કર્યો હતો. આ રિપોર્ટ 2017માં આવ્યો હતો. સ્વાભાવિક છે કે આ આંકડો વધુ વધ્યો હશે. NACO અનુસાર, ભારતમાં ઈન્જેક્શન દવાઓના કારણે મિઝોરમ સૌથી વધુ HIVથી સંક્રમિત છે. મિઝોરમમાં એચઆઈવીથી સંક્રમિત લોકોમાંથી લગભગ 20% લોકોએ ઈન્જેક્શન દવાઓનો ઉપયોગ કર્યો હતો. દિલ્હી બીજા સ્થાને છે, જ્યાં આવા સંક્રમિત લોકોની સંખ્યા 16% થી વધુ છે. 2019 અને 2020માં એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસ 2,697 લોકો પર કરવામાં આવ્યો હતો જેઓ ઈન્જેક્શન દ્વારા દવાઓ લેતા હતા. આ સમયગાળા દરમિયાન, તેમનો HIV ટેસ્ટ લેવામાં આવ્યો હતો, જેમાં 21.19% લોકો પોઝિટિવ જોવા મળ્યા હતા. આ જણાવે છે કે ઈન્જેક્શન દવાઓના કારણે HIV કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ અભ્યાસમાં સામેલ લગભગ 99% લોકોએ હેરોઈન લેવાનું સ્વીકાર્યું. હેરોઈનનું ઈન્જેક્શન લેનારાઓમાંથી 21.3% એચઆઈવી સંક્રમિત હોવાનું જણાયું હતું. આટલું જ નહીં, અભ્યાસમાં 54% થી વધુ સહભાગીઓએ ઇન્જેક્શન શેર કરવાનું સ્વીકાર્યું. દવાઓ માટે ઇન્જેક્શન વહેંચનારાઓમાં, 24% થી વધુ લોકોએ HIV પોઝિટિવનું પરીક્ષણ કર્યું. HIV કેટલો ખતરનાક છે? HIV એટલે હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ. આ વાયરસ શરીરની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે અને તેને એટલો નબળો પાડે છે કે શરીર હવે અન્ય કોઈપણ ચેપ અથવા રોગનો સામનો કરવા સક્ષમ નથી. એચઆઇવી એ એક વાયરસ છે જેની સમયસર સારવાર ન કરવામાં આવે તો પાછળથી એઇડ્સમાં પરિવર્તિત થાય છે. હજુ સુધી તેની કોઈ નક્કર સારવાર નથી. પરંતુ કેટલીક દવાઓની મદદથી વાયરલ લોડ ઘટાડી શકાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, એચઆઈવી અને એઈડ્સના કારણે વિશ્વભરમાં ચાર કરોડથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. 2022 ના અંત સુધીમાં, વિશ્વભરમાં લગભગ 4 કરોડ લોકો HIV-AIDS સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. એકલા 2022 માં, વિશ્વભરમાં આ રોગને કારણે છ લાખથી વધુ મૃત્યુ થયા હતા. NACO અનુસાર, 2023 સુધીમાં ભારતમાં 25 લાખથી વધુ લોકો HIVથી સંક્રમિત હતા. ગયા વર્ષે HIV-AIDSના 68,451 નવા કેસ નોંધાયા હતા. જ્યારે આ બીમારીને કારણે 35 હજાર 866 લોકોના મોત થયા છે. HIV થી AIDS…આ રીતે વાયરસ ફેલાય છે અસુરક્ષિત સંભોગ અને સંક્રમિત લોહીના સંપર્કમાં આવવાને કારણે HIVનું જોખમ વધે છે. યોગ્ય સમયે તેની સારવાર શરૂ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC) મુજબ, જ્યારે એચઆઈવીનો ચેપ લાગે છે, ત્યારે ફ્લૂ જેવા લક્ષણો દેખાય છે, જેમ કે તાવ, ગળામાં દુખાવો અથવા નબળાઈ. આ પછી, જ્યાં સુધી એઇડ્સ વિકસિત ન થાય ત્યાં સુધી આ રોગમાં કોઈ લક્ષણો દેખાતા નથી. એઇડ્સના કિસ્સામાં, વજન ઘટવું, તાવ અથવા રાત્રે પરસેવો, થાક અને નબળાઇ જેવા લક્ષણો જોવા મળે છે. સામાન્ય રીતે, એચઆઇવી એઇડ્સમાં રૂપાંતરિત થવા માટે ત્રણ તબક્કા લે છે. પ્રથમ તબક્કો:HIV ચેપ વ્યક્તિના લોહીમાં ફેલાય છે. આ સમયે, અન્ય ઘણા લોકોમાં ચેપ ફેલાવવાનું જોખમ સૌથી વધુ છે. આ તબક્કામાં ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે. જો કે, કેટલીકવાર ચેપગ્રસ્ત વ્યક્તિને કોઈ લક્ષણો પણ લાગતા નથી. બીજો તબક્કો:આ તે તબક્કો છે જેમાં ચેપગ્રસ્ત વ્યક્તિમાં કોઈ લક્ષણો દેખાતા નથી, પરંતુ વાયરસ સક્રિય રહે છે. ઘણી વખત 10 વર્ષથી વધુ સમય પસાર થાય છે, પરંતુ વ્યક્તિને દવાની જરૂર નથી. આ સમય દરમિયાન વ્યક્તિ ચેપ ફેલાવી શકે છે. આખરે વાયરલ લોડ વધે છે અને વ્યક્તિ લક્ષણો બતાવવાનું શરૂ કરે છે. ત્રીજો તબક્કો:જો એચ.આય.વીની જાણ થતાં જ દવા શરૂ કરવામાં આવે તો આ સ્ટેજ સુધી પહોંચવાની શક્યતા ઘણી ઓછી હોય છે. એચઆઈવીનો આ સૌથી ગંભીર તબક્કો છે, જેમાં વ્યક્તિ એઈડ્સનો ભોગ બને છે. જ્યારે કોઈ વ્યક્તિને એઈડ્સ હોય છે, ત્યારે વ્યક્તિમાં વાયરલ લોડ ખૂબ જ વધી જાય છે અને તે તદ્દન ચેપી બની જાય છે. આ તબક્કે, વ્યક્તિ માટે સારવાર વિના 3 વર્ષ પણ જીવવું મુશ્કેલ છે. કેવી રીતે સાચવવું?એચ.આય.વી સંક્રમણ ફેલાવવાનું સૌથી વધુ જોખમ અસુરક્ષિત સેક્સ દ્વારા છે. ભારતમાં પણ સેક્સ વર્કર્સમાં એચઆઈવીનો પ્રથમ કેસ નોંધાયો હતો. તેથી, સેક્સ કરતી વખતે સાવચેતી રાખવાની ખાતરી કરો. આ સિવાય ઈન્જેક્શનની દવાઓ લેનારાઓથી પણ દૂર રહેવું જોઈએ. જો એચઆઈવી મળી આવે તો ગભરાવાની જગ્યાએ તરત જ એન્ટિ-રેટ્રોવાયરલ થેરાપી શરૂ કરો, કારણ કે એચઆઈવી શરીરને ખૂબ જ નબળું બનાવે છે અને ધીમે ધીમે અન્ય રોગો પણ તેની અસર કરવા લાગે છે. જો કે હજુ સુધી તેનો કોઈ ઈલાજ નથી, પરંતુ દવાઓ દ્વારા તેનાથી બચી શકાય છે. [...] Read more...
July 8, 2024સુરત: ભારત સરકાર દ્વારા ઉન્નત ભારત અભિયાન અંતર્ગત છેવાડાના ગામડાઓના યુવાઓમાં સ્કીલ ડેવલપમેન્ટ કરીને નોકરીની તકો ઊભી કરી શકાય. આ પહેલ હેઠળ સુરતના કેપી ગ્રુપે તેના સીએસઆર આર્મસ કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન થકી સુપ્રસિદ્ધ સંસ્થા SVNIT સાથે એમઓયુ કર્યા અને સોલાર પ્રોજેક્ટ ઊભો કરવાની પ્રેક્ટિકલ અને થિયરિકલ તાલીમ આપવાની શરૂઆત કરી છે. જેમાં  PI-UBAએ દત્તક લીધેલા ગામોમાં આઈટીઆઈના  વિદ્યાર્થીઓ માટે સોલાર પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલેશન પર પાંચ દિવસીય  પ્રથમ ટ્રેનિંગ સફળતાપૂર્વક પુરી થઈ. પહેલા બેચમાં 45 વિદ્યાર્થીઓને કેપી ગ્રુપનો સુડી સહિતનો સોલાર પાર્ક સંભાળતા ડેપ્યુટી મેનેજર નાશીર શાહ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી. કેપી ગ્રુપે આમાંથી કાબેલ વિદ્યાર્થીઓને નોકરી આપવાની યોજના પણ બનાવી છે. કેપી ગ્રુપના ચેરમેન અને એમડી ડો. ફારુક પટેલ દ્વારા આજે આ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારતા કહેવાયું કે, અમને સરકાર અને એસવીએનઆઈટીએ ઉન્નત ભારત અંતર્ગત રિન્યુએબલ એનર્જીના માધ્યમથી નવી પેઢીને એક પર્યાવરણની રક્ષા માટેના મિશન માટે તૈયાર કરવાની તક આપી તે માટે આભાર. આ યુવાઓ પોતાના પરિવારના ગુજરાન માટે વ્યવસ્થા કરવા સાથે દેશની હરિત ક્રાંતિમાં પણ પોતાનું યોગદાન આપશે અને માનવતાને રક્ષવાનું કાર્ય કરશે તે અમારા માટે ગર્વ લેવા જેવી બાબત છે. આ કાર્યક્રમમાં SVNIT ના ડાયરેક્ટર અનુપમ શુક્લાએ એસવીએનઆઈટીના ઉન્નત ભારત હેઠળના ઉદ્શ્યને વિદ્યાર્થીઓ સમક્ષ મુક્યો હતો. આ પ્રસંગે  કેપી ગ્રુપના સીઓઓ શહીદુલ હસન,  UBA ચેરમેન ડૉ. ક્રુપેશ ચૌહાણ, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ડૉ. વર્ષાબેન શાહ સહિતનાએ પણ વિદ્યેર્થીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ કોર્ષ એસવીએનઆઈટીએ દત્તક લીધેલા મોરા, ભટલાઈ, સુંવાલી, રાજગોરી અને જુનાગામના વિદ્યાર્થીઓને તબક્કાવાર આપવામાં આવશે. પહેલા બેચમાં મોટાભાગે મોરા ગામની આઈટીઆઈના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કેપી ગ્રુપ એસવીએનઆઈટીમાં કેપી સેન્ટર ઓફ એક્સલન્સ સ્ટડી હાઉસ ખોલવાની દિશામાં પણ કામ કરી રહી છે. [...] Read more...
June 29, 2024સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910) જમાનો ઓનલાઈનનો છે. જમાનો ડિજિટલનો છે. જમાનો સોશ્યલ મીડીયાનો છે. જમાનો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટનો છે. ઘણાં લોકો ‘ડિજિટલી’ થઈને સોશ્યલ મીડીયાના માધ્યમથી લાખો કમાય રહ્યાં છે. બિઝનેસ વધારી રહ્યાં છે. દરેકને આ વૈશ્વિક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પોતાની હાજરી પુરાવવી છે. કેટલાક અનઆવડતથી ગમે તેમ ઉપયોગ કરે છે. ઘણાં જાતે જાતે શીખીને પોતે ‘મહારથી’ હોય તે રીતે વર્તે છે. જોકે, મોટે ભાગના લોકોને ખરું, સાચું, ઊંડાણપૂર્વકનું જ્ઞાન હોતું નથી. જોકે, સુરતની એક એવી એન્ટરપ્રિન્યોર છે જેનું ‘ફોરમ’ સુરત અને દક્ષિણ ગુજરાતમાં ‘ડિજિટલ માર્કેટિંગ’ની ‘મહેક’ ફેલાવતું રહે છે. નામ છે અસ્સલ સુરતી ‘ફોરમ મારફતિયા’. ફોરમ માત્ર સાડા ત્રણથી ચાર વર્ષના સમયગાળામાં જ 10 હજારથી વધુ લોકોનું ‘ડિજિટલાઈઝેશન’ કરી ચુક્યાં છે. આમ તો ફોરમનું બેકગ્રાઉન્ડ આઈટી ક્ષેત્રનું. શરૂઆતમાં બેંગ્લોરમાં જોબ પણ કરી પણ મન ‘નોકર’ બની રહેવા માન્યું નહીં અને એક મનમાં સનક જાગી કે કેમ ન હું મારા હોમ ટાઉન સુરત-સાઉથ ગુજરાતને ડિજીટલી મજબૂત કરું? બસ ત્યારબાદ બેંગ્લોરને બાય-બાય કર્યું અને સુરતમાં પોતાના નામથી જ ‘ફોરમ મારફતિયા’ બ્રાન્ડનો જન્મ થયો. ‘ગો ડિજિટલ, ગ્રો ડિજિટલ’નું સપનું બિઝનેસમેન, નવા વ્યવસાયી, આ ક્ષેત્રમાં પગ જમાવવા માંગતા યુવાધનના મનમાં વાવ્યું અને તે સફળ થયું. ફોરમ ડિજિટલ માર્કેટિંગ કેવી રીતે કરવું તે માટે સૌ પ્રથમ કન્સલન્સી શરૂ કરી અને બાદમાં અધિકૃત ટ્રેનિંગ સેન્ટર શરૂ કર્યું. અધિકૃત ટ્રેઈનર: ફોરમે જ્યારે આ વ્યવસાયમાં પગ મુક્યો ત્યારે તેઓએ અનુભવ્યું કે, Google, Facebook અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સંબંધિત ડેટાનો ઉપયોગ કરીને સંભવિત ખરીદદારોને લક્ષ્ય બનાવે છે અને પોતાનો બિઝનેસ વધુ ઊંચાઈએ લઈ જાય તેવી ડિજિટલ માર્કેટિંગી તાલીમ આપતી કોઈ વિશ્વસનીય સંસ્થાઓ નથી અથવા તો પ્રમાણપત્રવાળા અભ્યાસક્રમો ચલાવતી એકેડમી ન હતી. ફોરમે એ બીડું ઉપાડ્યું અને પોતે ફેસબુક બ્લુપ્રિન્ટ સર્ટિફિકેશન, ગુગલ પાર્ટનર, ઈનબાઉન્ડ માર્કેટિંગ સર્ટીફાઈ, ટ્રેઈન ધ ટ્રેઈનર પ્રોગ્રામ, ગુગલ ડિજિટલ અનલોક સહિતની ટ્રેનિંગ પોતે લીધી અને અધિકૃત ટ્રેઈનર તરીકે કામ શરૂ કર્યું. ફોરમ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સાથે મળીને પણ ટ્રેનિંગ સેશન ચલાવતા આવ્યા છે. તેમના ત્યાં શીખતા લોકોને અધિકૃત સર્ટિફિકેટ અપાય છે જેથી, તેઓ પોતે પણ ડિજિટલ મેનેજર તરીકે જોબ મેળવી શકે અથવા વ્યવસાય કરી શકે. જોકે, તે પહેલા ફોરમએ લોકોને ડિજિટલ માર્કેટિંગ કેટલું ઉપયોગી છે તે માટે જાગૃત કરવા ઘણાં સેમિનાર, ટોક શો અને જાગૃત્તિ પ્રોગ્રામ કરવા પડ્યાં. તેમના સેમિનારનો 35000થી વધુ લોકોએ લાભ લીધો અને પોતે અત્યારસુધી 7000થી વધુ લોકોને પ્રેક્ટિલી તાલીમ આપી ચુક્યા છે. બિઝનેસ ડેવલપમેન્ટ કરવામાં 150થી લોકોને કન્સલટન્સી આપી ચુક્યાં છે. તેમની ખાસિયત એ છે કે, તેઓ બે યુવતીઓને દત્તક લઈને અને પાંચ હાઉસકીપર સ્ટાફને પણ આ ટ્રેનિંગ આપીને જોબ અપાવી. બસ તેમણે ધૂણી ધખાવી છે કે, મારા સુરતીઓ ગ્લોબલી ડિજિટલી ચમકે અને બિઝનેસ વધારે. ફોરમ WICCI ના પણ ઉપાધ્યક્ષ છે અને મહિલાઓના ઉત્થાન માટે સતત પ્રયાસરત રહે છે. ‘ફોરમ’ કહે છે કે, હું સ્પર્ધામાં નથી માનતી, મારે તો બસ ડિજિટલ માર્કેટિંગની ‘ખુશ્બુ’ ફેલાવવી છે ફોરમ મારફતિયા કહે છે કે, ‘સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવું, તે ડિજિટલ માર્કેટિંગ નથી’ તેના માટે ઘણી મહેનત અને જ્ઞાનની જરૂરત છે. એક માર્કેટિંગ સ્ટ્રેટજીની જરૂરિયાત છે. જેમાં , ઈન્ફ્લુએન્સર માર્કેટિંગ, કન્ટેન્ટ જનરેશન, સામાજિક જાગૃતિ, ઓનલાઈન PR, SEO, વગેરેનો સમાવેશ થાય છે. ફોરમ કહે છે કે, હું સ્પર્ધામાં માનતી નથી , હું મારા જેવા અનેક એન્ટરપ્રિન્યોર ઊભા કરવા માંગુ છું. હું ઈકો સિસ્ટમ ઊભી કરવા ઈચ્છુ છું. https://forummarfatia.com/ [...] Read more...
June 22, 2024ખેડૂતોની આર્થિક સમસ્યાને ધ્યાનમાં રાખતા તેલંગાણામાં મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીની સરકારે લોન માફીની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, 2 લાખ રૂપિયાની લોન માફી જલદી જ લાગૂ થઈ જશે. રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પ્રેસ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે વર્ષ 2018 થી વર્ષ 2023 વચ્ચે જે પણ ખેડૂતોએ 2 લાખ રૂપિયા સુધીની લોન લીધી હોય, તેને માફ કરી દેવામાં આવશે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે, મંત્રીમંડળે 12 ડિસેમ્બર 2018 થી 9 ડિસેમ્બર 2023 સુધી 5 વર્ષની અવધિ માટે રાજ્યના ખેડૂતો દ્વારા લેવામાં આવેલી 2 લાખ રૂપિયાની લોનને માફ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે, પાત્રતા શરતો સહિત લોન માફીનું વિવરણ જલદી જ એક સરકારી આદેશ (GO)માં જાહેરાત કરવામાં આવશે. રાજ્ય સરકાર પર પડનાર આર્થિક ભારણને લઈને મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે, લોન માફીથી રાજ્યના ખજાના પર લગભગ 31,000 કરોડ રૂપિયાનો ભાર આવશે. તેમણે આરોપ લગાવ્યો કે, પાછલી BRS સરકારે 1 લાખ રૂપિયાની લોન માફીના પોતાના વાયદાને ઈમાનદારીથી લાગૂ ન કરીને ખેડૂતો અને ખેતીને સંકટમાં નાખી દીધા હતા. તેમણે વધુમાં કહ્યું કે, તેમની સરકાર 2 લાખ રૂપિયાના કૃષિ લોન માફી માટે પોતાના ચૂંટણી વાયદાને પૂરો કરી રહી છે. આ અગાઉ ઝારખંડમાં ખેડૂતોની લોન માફ કરવાની જાહેરાત થઈ હતી. રાજ્યના મુખ્યમંત્રી ચંપઈ સોરેને કહ્યું હતું કે, તેમની ગઠબંધન સરકાર ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરશે. તેની સાથે જ ફ્રી વીજળી કોટાને વધારે 200 યુનિટ કરશે. તેના માટે તેમણે ઘણી બેન્કોને પ્રસ્તાવ રજૂ કરવા કહ્યું હતું. મુખ્યમંત્રી ચંપઈ સોરેન મુજબ 31 માર્ચ 2020 સુધી ખેડૂતોની 50 હજારથી લઈને 2 લાખ રૂપિયા સુધીની લોનને વન ટાઇમ સેટલમેન્ટના માધ્યમથી માફ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી અગાઉ 4 મહિના અગાઉ થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ખેડૂતોની લોન માફીનો વાયદો કર્યો હતો. રાજ્યમાં કોંગ્રેસે BRSને હરાવીને સત્તા હાંસલ કરી હતી અને એ. રેવંત રેડ્ડીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. હવે લોકસભાની ચૂંટણી બાદ રેવંત રેડ્ડીએ રાજ્યમાં લોન માફી કરવાની જાહેરાત કરી દીધી છે. [...] Read more...
June 22, 2024સુરત ટ્રાફિક પોલીસે પહેલા સંખ્યાબંધ જગ્યાઓ પર વાહનોની અવરજવરને અંકુશિત કરવા અને ટ્રાફિક નિયમનું પાલન કરાવવા માટે ટ્રાફિક સિગ્નલ લગાવી દીધા. આ સિગ્નલ કદાચ આંતરિક સર્વેને કારણે લગાડ્યા હોઈ શકે પરિણામે ઠેરઠેરથી બુમો પડવા માંડી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટનો આ સિગ્નલને કંટ્રોલ કરવા ઉપયોગ થતો હોવાની જાહેરાત પણ થઈ પણ એઆઈ પણ ફેઈલ હોય તેમ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાવા લાગ્યા. ફરીથી રિવ્યુ કરવાની ફરજ પડી અને હવે પોલીસ પોતાની રીતે એ નિષ્કર્ષ પર પહોંચી કે ટ્રાફિક સર્કલ-આઈલેન્ડ તોડી પાડો અને બમ્પર તોડી પાડો તો સમસ્યા ઉકેલાય જશે. જોકે, આ બધુ કરતા પહેલાં એક્સપર્ટની સલાહ અને આપણાં શહેરમાં મૌજૂદ જગવિખ્યાત એસવીએનઆઈટીના એન્જિનિયરોની ટીમનો અભિપ્રાય લઈને આગળ વધાયું હોત તો વધુ સારું પરિણામ આપી શકાયું હોત. સુરત મહાનગર પાલિકા તો આમ કરે જ છે પરંતુ ટ્રાફિક પોલીસે પણ સંયુક્ત કમિટિ બનાવીને નિર્ણય લે તો શહેરને ટ્રાફિક નિયમન માટે સારું પરિણામ મળી શકે. રોડ એન્જિનિયરિંગને ધ્યાનમાં લીધા વિના આયોજન થયું હોય તેવું લાગે છે સિવિલ એન્જિનિયર અને સુરતના સિનિયર પત્રકાર ચેતન શેઠ કે જેઓ સુરત મહાનગર પાલિકાનું બીટ લગભગ 24 વર્ષ ઉપરાંતથી કરે છે તેમણે આ મામલે એક્સપર્ટ વ્યુ લેવાયો તો તેઓએ કહ્યું કે, ટ્રાફિકના પ્રશ્ન માટે ચાર “ઈ” મહત્વના છે. એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, એજ્યુકેશન અને એનેક્ટમેન્ટ(કાયદામાં સુધારા વધારા).પાલિકાના ભાગે એન્જિનિયરિંગ આવે પોલીસના ભાગે એન્ફોર્સમેન્ટ આવે આરટીઓ અને સમાજના બીજા ક્ષેત્રો માટે એજ્યુકેશન આવે અને ચૂંટાયેલી પાંખ માટે એનેકટમેન્ટ આવે. 1) ટ્રાફિક સિગ્નલના આખા બખેડામાં સ્થિતિ એવી લાગે છે કે, પોલીસ પાસે એન્ફોર્સમેન્ટ માટે માણસો અને ફંડ બંનેનો મહદઅંશે અભાવ છે એટલે સીસી કેમેરાની ટેકનોલોજીનો સહારો લઈને એન્જિનિયરિંગ અને એન્ફોર્સમેન્ટ બંને હાથમાં લઈ લીધું છે. 2) આખી વ્યવસ્થામાં રોડ એન્જિનિયરિંગનો ક્યાંય ઉપયોગ કરાયો હોય કે વિચાર પણ કર્યો હોય તેવું દેખાતું નથી. 3) ટ્રાફિક સિગ્નલ મેનેજમેન્ટ હેવી ટ્રાફિકવાળા શહેરના માત્ર ૧૩૬ મેઇન રુટ ઉપર જ હોય શકે. આ મેઇન રૂટ ઉપર પણ ITMS (ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ) જ એપ્લિકેબલ કરવાની હોય. એટલે ઇન્ફ્રારેડથી જ્યાં જેટલો ટ્રાફિકનો લોડ હોય તે પ્રમાણે સિગ્નલ આપોઆપ ટાઈમ મેનેજમેન્ટ કરે. આ રીતે પ્રિ ડીસાઈડેડ ટાઈમિંગ ન હોય. 4) તેમાં પણ જ્યાં જંકશન ઉપર આઇલેન્ડ બનાવ્યો હોય ત્યાં માત્ર બ્લીંકર્સ જ મૂકીને એલર્ટ કરવાના હોય. અન્ય સબમેઇન અને ઇન્ટરનલ રોડ ઉપર માત્ર એલર્ટ સ્ટ્રીપ કે સ્પીડ બ્રેકર મૂકીને ટ્રાફિક જ્યાં મર્જ થતો હોય ત્યાં મેનેજમેન્ટ કરી શકાય. (કોર્પોરેશનના ટ્રાફિક અને સોલિડ વેસ્ટ વિભાગ પાસે શહેરના મેઇન રુટ અને સબમેઇન રૂટ તેમજ ઇન્ટરનલ રૂટની તમામ યાદી તૈયાર જ છે તેનો ઉપયોગ કરી શકાયો હોત. 5) અત્યારે સ્થિતિ એવી છે કે લોકો દંડનું ચલણ નહીં મળે તે ડરથી જંકશન ઉપર ઊભા રહેવા માંડ્યા છે પરંતુ એ ડર જેવો નીકળી જશે કે તરત જ સિગ્નલ બ્રેક થવા માંડશે. લોકો ધીરજ ગુમાવે અને સિગ્નલ ઉપર એક સામટા વાહનો ભેગા થઈ જશે તો પોલીસના કોઈપણ સીસી કેમેરા ઇ-મેમો આપવા માટે ગાડીઓના નંબર ઓળખી શકવા સક્ષમ નહી રહે અને આખી વ્યવસ્થા ફરી હતી ત્યાંની ત્યાં આવી જશે. એટલે આ વ્યવસ્થામાં ખામી દૂર કરવા માટે એન્જિનિયરિંગ એક્સપર્ટનો સહયોગ લઈને માત્ર સમયસર અને પ્રેક્ટીકલ સુધારા જ નહી આ શહેરના કલચરને અનુરૂપ સુધારા કરવામાં આવશે તો જ આ અખતરો સફળ થઈ શકશે. અન્યથા ખુબ ટૂંકા સમયમાં ફરી આપણે હતા ત્યાંના ત્યાં આવી જઈશું. સર્કલ અગાઉ પણ તોડાયા હતા પરંતુ રોડ એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને ફરી બનાવાયા સુરત મહાનગર પાલિકાના કેટલાક અભ્યાસુ અધિકારીઓનો એક જ મત છે કે, બેફામ ટ્રાફિક આઈલેન્ડ કે સર્કલની તોડફોડ અને બમ્પની તોડફોડ ટ્રાફિક નિયમનનો વિકલ્પ નથી. હાલ પોલીસ વિભાગ તરફથી સુરત મહાપાલિકાને 200 જેટલા સર્કલ અને બમ્પનું લિસ્ટ અપાઈ ગયું છે અને તેને તાત્કાલિક ધોરણે દૂર કરવા સૂચના આપી દેવાય છે. પરંતુ સુરતમાં જેટલા પણ સર્કલ -આઈલેન્ડ હાલ હયાત છે તે મહાપાલિકા દ્વારા ભૂતકાળમાં એસવીએનઆઈટી , બીઆરટીએસ, ટ્રાફિક વિભાગ અને ટ્રાફિક પોલીસની કમિટિ બનાવીને જ સાયન્ટિફિક રોડ એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને બનાવાયા હતા. જેનાથી અકસ્માતો ઘટે, ટ્રાફિક મોડરેડ થઈ ચાર રસ્તા પર ધીમી ગતિએ આગળ વધે તે માટેનું આયોજન કરાયું હતું પરંતુ ફરીવાર ભૂતકાળમાં થયેલી કસરત શરૂ થઈ છે અને ટ્રાફિક આઈલન્ડ -સર્કલ તોડી પાડવાનું શરૂ કરાયું છે. જોકે, આગળ જતા ફરી તેને બનાવવાનું કહેવાય તો નવાઈ નહીં. (જેવું ભૂતકાળમાં થયું છે.), હાલ આ કસરતથી સુરત મહાનગર પાલિકા અને સ્પોનસર્સને ભારે આર્થિક નુકશાન ઉઠાવવું પડે એમ છે અને લોકોના ટેક્સના રૂપિયાનો વેડફાટ પણ થાય એમ છે. અધિકારીઓ અને ઘણાં લોકો ઈચ્છે છે કે, રોડ એન્જિનયરિંગ મુજબ અને હયાત પરિસ્થિતિનો પ્રોપર તાગ મેળવીને તેના અનુરૂપ ડિઝાઈન અપાય અને જે ખરેખર સર્કલ ખસેડવા પડે તેમ જ હોય અને તેનાથી ફાયદો થતો હોય તો જ તેના અમલ કરાય. આ ઉદાહરણથી સમજીએ કે સર્કલ ખસેડવાથી ફાયદો છે કે નહીં? એક ઉદાહરણ લઈએ તો કારગીર ચોકનું સર્કલ દૂર કરાય પણ બંને તરફથી જે માર્ગ આવે છે તે તો એક સમાન જ છે. એટલે સર્કલ દૂર કરવાથી વાહનોનો ફોલો ત્યાંથી એક સાથે પસાર થઈ શકે નહીં. એ તો ચાર રસ્તા પર ઊભો રહેશે અને લાઈન લાગશે જ અને માત્ર સર્કલ પર પહોળાઈ થશે પણ ત્યાં વાહનો સિગન્લન પર ઊભા રહેશે નાકી સર્કલની વચ્ચો વચ. જેવું સિગ્નલ ખુલશે તો વાહનો આગળ વધી રોડ ટુ રોડ જ ચાલશે એટલે સર્કલ ખસેડવાને કારણે ટ્રાફિક ફ્રી થશે તે વાત માનવામાં આવે તેવી નથી. આવું જ દરેક જગ્યા પર થશે. ઉપરથી સર્કલ ખસેડી દેવાથી સિગ્નલ ન હોવાની સ્થિતિમાં કે રાતના સમયે વાહનો ધીમા નહીં પડે અને સીધા અથડાઈ જવાની સંભાવના અનેક ગણી વધી જાય છે. સુરત મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલે પણ નોંધ મુકી છે કે, પુરતો અભ્યાસ કરીને જે સંભવ હોય તે ટ્રાફિક નિયમનના હીતમાં કરવું અને સાત દિવસમાં રિપોર્ટ કરવો. શું પોલીસ પોતાનો નિર્ણય ખરો સાબિત કરવા મથી રહી છે? જાણકાર એક્સપર્ટોનો મત છે કે, ટ્રાફિક સિગ્નલનું પાલન કરાવવું તે સારી વાત છે પરંતુ આડેધડ તે ન થવું જોઈએ. હવે સિગ્નલને કારણે ઈશ્યું ઊભા થયા છે. વાહનોનો ટ્રાફિકનો રાઉન્ડ ધ ક્લોક અભ્યાસ ન થયો હોય અને રોડ એન્જિનિયરિંગનો પણ ઉપયોગ થયો ન હોવાથી લોકોનો સમય બગડી રહ્યો છે. એક જ સિગ્નલ પર ત્રણ-ત્રણ વાર પણ થોભવું પડે છે. ઈંધણનો ખર્ચ વધ્યો છે. માનસિક સ્થિતિ પર અસર થઈ રહી છે. જેથી, હવે ઉતાવળે લેવાય ગયેલા આ નિર્ણયને ખરો સાબિત કરવા માટે પોલીસ મથી રહી હોય તેવું લોકોનું માનવું છે અને તેના કારણે જ ટ્રાફિક સર્કલ અને સ્પીડ બ્રેકર તોડી પાડવાનો નિર્ણય ઉતાવળે લેવાય રહ્યો છે. જો રખે ચુક રહી ગઈ અને ફરી ટ્રાફિક-રોડ એન્જિનિયર્સ પાસે પ્રોપર સમય લઈ સર્વે ન કરાવ્યો તો સ્થિતિ ફરી ત્યાં ને જ ત્યાં જ આવીને અટકી જશે એવું જાણકારોનું માનવું છે. [...] Read more...
May 21, 2024 મસલ્સ એન્ડ માઈન્ડ જીમવાળો કૃત્તિક ભંડારી પીપલોદ સ્થિત એક જીમમાં જઈને બબાલ કરવાના મામલાના વિવિધ જીમ એસોસિયેશનમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. બીજાના જીમમાં પંટરોની ફી રિટર્ન લેવા પહોંચી જઈ ગાળો બોલવી, ધમકી આપવી અને હાથાપાઈ કરવા જેવી બાબતોને કારણે જીમ ઈન્ડસ્ટ્રીઝ ભારે ખફા છે. આવી હરકતથી જીમ ઈન્ડસ્ટ્રીઝ બદનામ થઈ રહી છે. કૃત્તિક વારંવાર કોઈને કોઈ હરકતો કરતો આવ્યો છે. તેની માનસિકતા આ જ રીતની હોવાની વાતો જીમ ઈન્ડસ્ટ્રીઝમાં ચર્ચાએ એરણે ચઢી છે. ક્રિમીનલ માઈન્ડને કારણે આવા વિવાદો થતા હોવાથી જીમ ઈન્ડસ્ટ્રીઝે આવી વ્યક્તિઓથી અંતર રાખવા માટેનું મન બનાવ્યું છે. ઘણાં જીમ સંચાલકોએ આ ઘટનાને વખોડી છે. એક જ બિઝનેસમાં હોવાથી એક બીજાને સુઝ-બુઝ સમજથી કામ લેવાનું હોય ના કે ટપોરીગીરી કરી પોતાના બાવડા દેખાડવાના હોય તેવો મત દરેક જીમ સંચાલકોએ આપસમાં વાતચીત કરીને વ્યક્ત કર્યો હોવાની માહિતી મળી છે. પીપલોદના જે જીમમાં જઈ બબાલ કરવામાં આવી હતી, તે જીમના માલિક દ્વારા પણ આ મામલાને પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હોવાની માહિતી સાંપડી છે અને સમય આવ્યે પગલાં લેવાની તૈયારીઓ પણ શરૂ કરી છે. બબાલના બીજા દિવસે પણ કૃત્તિકના બે પંટરો ત્યાં ગયા હતા પણ તેઓએ ત્યાંથી વિલે મ્હોડે પાછા ફરવું પડ્યું હતું. બીજી તરફ, કૃત્તિક જે જીમનો માલિક હોવાનું કહે છે તે જીમ મસલ્સ એન્ડ માઈન્ડમાં જતા તેના કહેવાતા મિત્રોએ પણ તેને ઠપકો આપ્યો છે અને તે હાલ ભીતરમાં લપાયો હોવાનું કહેવાય છે અને આમતેમથી ભલામણો કરાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. જે જીમમાં બબાલ કરી આવ્યો તે જીમના સંચાલકને પોલીસ ફરિયાદ ન કરવા સમજાવવા માટે ઘણી ભલામણ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, મામલો ભલે આપસમાં સમજી લેવાય પણ પોલીસ સાથે ખાવા-પીવા અને ….. સહીતના સંબંધોનું સરેઆમ બોલતા કૃત્તિક સામે પોલીસ ખુદ પગલાં ભરે તે જરૂરી છે. શું મામલો હતો…? પીપલોદના એક જીમમાં જઈ કૃત્તિક ભંડારી પોલીસના નામે દમ મારી રહ્યો છે અને કહેતો સંભળાય રહ્યો છે કે, ‘પોલીસની સાથે આપણું જબરું સેટિંગ છે, ખાવા-પીવા સહિતનો સંબંધ છે., આપણી જબાન મરદની જબાન છે, હાથમાં બંગડી નથી પહેરી, એકવાર કહીં દીધું કે મારીશ અને તારું જીમ બંધ કરાવીશ એટલે કરાવીશ. પેલાને બહાર લઈએ. ચાલ બહાર ચલ. દેખાડું. ’’ વગેરે વગેરે….આ જીમમાં જઈ બબાલ કરતી વખતે તેની સાથે તેના બે પંટરો પણ હતા અને તેઓએ જ જાણી જોઈને તકરાર ઊભી કરીને કૃત્તિક ભંડારીને બોલાવ્યો હતો. કૃત્તિક વીડીયોમાં સ્પષ્ટ કહે છે કે, તે મસલ્સ એન્ડ માઈન્ડ જીમનો માલિક છે. વીડીયો-ઓડિયો જે વાયરલ થયો હતો તેની લિંક નીચે ઈન્સ્ટાગ્રામ પર છે…. જુઓ… View this post on Instagram A post shared by I am SURAT (@newsnetworks.co.in) [...] Read more...
May 18, 2024થોડા દિવસ પહેલાં જ અડાજણ પોલીસે કૃત્તિકની હેકડી કાઢી હતી પરંતુ…. વીડીયો વાયરલ થતા કૃત્તિક ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાની વાત.. View this post on Instagram A post shared by I am SURAT (@newsnetworks.co.in) વિવાદમાં જ રહેતા મસલ્સ એન્ડ માઈન્ડ જીમવાળો કૃત્તિક ભંડારી પીપલોદ સ્થિત એક જીમમાં જઈને બબાલ કરી આવ્યો. આ બબાલમાં તે પોલીસના નામે દમ મારી રહ્યો છે અને કહેતો સંભળાય રહ્યો છે કે, ‘પોલીસની સાથે આપણું જબરું સેટિંગ છે, ખાવા-પીવા સહિતનો સંબંધ છે., આપણી જબાન મરદની જબાન છે, હાથમાં બંગડી નથી પહેરી, એકવાર કહીં દીધું કે મારીશ અને તારું જીમ બંધ કરાવીશ એટલે કરાવીશ. પેલાને બહાર લઈએ. ચાલ બહાર ચલ. દેખાડું. ’’ વગેરે વગેરે….આ જીમમાં જઈ બબાલ કરતી વખતે તેની સાથે તેના બે પંટરો પણ હતા અને તેઓએ જ જાણી જોઈને તકરાર ઊભી કરીને કૃત્તિક ભંડારીને બોલાવ્યો હતો. કૃત્તિક વીડીયોમાં સ્પષ્ટ કહે છે કે, તે મસલ્સ એન્ડ માઈન્ડ જીમનો માલિક છે. જીમના સુપરવાઈઝરે આ વીડીયો ઉતાર્યો હોવાનું લાગી રહ્યું છે અને તે તેને સમજાવી રહ્યો છે અને તેમાં તે કહેતો સંભળાય રહ્યો છે કે, તુ હથિયાર સાથે હુમલો કરવાની વાત કરતો હતો તે કર. બોલ હવે કેમેરા સામે. એટલે કૃતિકે આ પહેલા બહુ હંગામો કર્યો હોય તેવું સ્પષ્ટ જણાય છે. કૃતિક તેના બે પંટરોનું રિફંડ પણ માંગી રહ્યો છે. પોલીસના નામે દમ મારતા કૃત્તિકને સામે પક્ષે પણ જવાબ મળેછે કે, અમારા પણ ઘણાં કસ્ટમર ઓફિસર અને પોલીસવાળા હોય છે પણ તેને શા માટે ઈન્વોલ કરવાના. બાદમાં સુપરવાઈઝર કહે છે કે, ઈસકે સભી વીડીયો પુલિસ કો ભેજ દે પતા ચલે ઈસ્કો. હવે પીપલોદના આ જીમવાળાએ પોલીસ ફરિયાદની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બબાલ કરીને ત્યાંથી ગયેલા કૃત્તિકે બાદમાં તેને બધા ત્રણથી ચાર ફોન બંધ કરી દીધા છે. થોડા દિવસ પહેલાં જ અડાજણ પોલીસે કૃત્તિકની હવા કાઢી હોવાની વાત પોલીસ વિભાગના અંતરંગ સૂત્રોએ જણાવ્યું કે, લાસ્ટ વીકમાં જ કૃત્તિકે કોઈ ફેમીલી સાથે આવી જ તકરાર કરી દમદાટી મારી હતી. ખાસ કરીને તે મહિલા સાથે બાખડ્યો હતો. જેના કારણે મામલો અડાજણ પોલીસ મથકે ગયો હતો. પોલીસે કૃત્તિકને બરાબરનો મેથીપાક ચખાડીને તેની હેકડી કાઢી હતી. જોકે, કૃત્તિક વિવાદોથી ઘેરાયેલો છે અને તે જીમના નામે અવારનવાર દાદાગીરી કરતો ફરતો હોવાનું જીમ સંચાલકોના વર્તુળોમાં ચર્ચાચ છે. કૃત્તિક ભંડારીના બીજા અનેક વિવાદો સમયાંતરે પ્રકાશિત થતા રહેશે. વાંચતા રહો ન્યૂઝનેટવર્કસ. [...] Read more...
May 11, 2024સ્ટોરી: રાજા શેખ (98980 34910) હુરતી ‘મોદી’ એટલે કે પ્રોફેશર યશવંત વ્યાસ. અંગ્રેજીના માંઘાંતા. અનેક વિદ્યાર્થીઓનું ઘડતર કરનારા. આઈપીએસ-આઈએએસ, પીએચડી અને અનેક શિક્ષકોને પણ પોતાના જ્ઞાનનો લાભ તેઓએ આજ પર્યાપ્ત આપ્યો છે. હુરતી મોદી એટલા માટે સંબોધિત કરાયું કે, તેઓ વડાપ્રધાન મોદી જેવો હુલિયો ધરાવે છે અને તેમને તેમના જેવી સ્ટાઈલથી પેશ આવવું ગમે પણ છે. MOECના માધ્યમથી અનેકને ફાંકડું અંગ્રેજી બોલતા કરીને તેમના વ્યવસાયિક જીવનમાં ઉજાસ ફેલાવવાનો શ્રેય તેઓને આપી શકાય. વ્યાસ સર, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અને વનિતા વિશ્રામ વુમેન યુનિવર્સિટી જેવી અનેક શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકોને તેઓ આજે પણ કરાર અંતર્ગત ટ્રેનિંગ આપી રહ્યાં છે. સરકારી નોકરીથી શરૂ થયેલી આ સફર શિક્ષસેવાની લલકને કારણે તેઓને નિપુણ પ્રોફેસર સુધી લઈ ગઈ અને તે માટે જ તેઓને સઘર્ન ગુજરાત ઓફ ચેમ્બર દ્વારા હાલમાં જ બેસ્ટ ટીચરનો એવોર્ડ પણ અપાયો. શિક્ષણસેવા ઉપરાંત તેઓ એક મોટિવેશનલ સ્પીકર, કોર્પોરેટ ટ્રેનર અને લાઈફ મેન્ટર પણ છે. 1982 સુધી સરકારી નોકરી કરી: મૂળે સૌરાષ્ટ્રના અમરેલીમાં 1958માં એક પોલીસ અધિકારી પિતા ચિમનલાલ વ્યાસને ત્યાં જન્મેલા યશવંત વ્યાસે ગુજરાત યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રી સાથે બીએસસી કર્યું અને બાદમાં વર્ષ 1979માં તેઓએ સરકારી નોકરી ગોધરા-પંચમહાલ પનામ પ્રોજેક્ટમાં પર્સનલ આસિસ્ટન્ટ તરીકે જોબ શરૂ કરી. વર્ષ 1982માં તેઓ દેના બેંક સુરતના રિજ્યોનલ મેનેજરના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે જોડાયા. અહીં તેઓએ એજ્યુકેશન સેક્રેટરી અને સ્પોર્ટ -રિક્રિએશન કલબમાં પણ કામ કર્યું. …અને MOECની સ્થાપ્ના કરી– પહેલાથી જ શિક્ષણસેવા કરવાની લલક મનમાં હતી જેથી, સુરતમાં તેઓને તે તક મળી. અહીં ઘણા કોચિંગ ક્લાસ સાથે ઈગ્લીંશ ટીચર તરીકે તેઓ જોડાય ગયા અને બાળકોનું ઘડતર શરૂ કર્યું. બાદમાં એક વિચાર આવ્યો કે હું અલગ-અલગ જગ્યાએ સેવા આપું એના કરતા શા માટે એક મારું જ શિક્ષણ યુનિટ કેમ ન હોય અને 1987માં MOECની સ્થાપ્ના કરી. સ્પોકનથી લઈને પ્રોફેશન સુધી સસ્તુ અંગ્રેજી શિક્ષણ પુરું પાડવાની નેમ. સમાજસેવાનો પણ શોખ. જરૂરિયાતમંદોને વિનામૂલ્યે પણ ભણાવવું. આજ લક્ષ્ય. એજ ક્રમે તેઓ વિતેલા 35 વર્ષોથી સુરતના દિવ્યાંગ બાળકોને સ્પોકન ઈંગ્લીશની તાલીમ આપી રહ્યાં છે. આ સેવા વિસ્તરે તે માટે તેઓએ 1991-92ની સુરત એકેડમી એસોશિયેશનની સ્થાપ્ના કરી અને ફાઉન્ડર પ્રેસિડન્ટ બન્યા. પીએમ મોદીના 74માં જન્મદિને જરૂરિયાતમંદ 74 યુવતીઓને મફત તાલીમ આપી- વ્યાસ સરે હાલમાં જ વર્ષ-2023માં વડાપ્રધાન મોદીના 74માં જન્મદિને સુરતની 74 જરૂરિયાતમંદ, સામાન્ય-ગરીબ પરિવારની દીકરીઓને દત્તક લીધી હતી અને તેઓને 3 મહિનાનો એન્ટરપ્યોનરશીપ-એમ્પપોયબિલિટીનો સર્ટિફિકેશન કોર્ષ ફ્રીમાં કરાવ્યો. તેમની આવી અનેક સેવાઓને ધ્યાનમાં લઈ સઘર્ન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તેઓને બેસ્ટ શિક્ષણનો એવોર્ડ એનાયત કર્યો. આ પહેલાં વર્ષ 2017માં તેઓને માય એફએમ તરફથી એક્સેલન્સ ઈન વોકેશન એેજ્યુકેશનનો એવોર્ડ પણ મળ્યો. લોકોપયોગી થાય તે માટે તેઓેએ ડિસેમ્બર- 2022માં ‘માય ઓવ્ન ઈગ્લીંશ ગ્રામર ગ્રંથ’ નામનું પુસ્તક લખ્યું અને તેને વડાપ્રધાન મોદીને સમર્પિત કર્યું. વિદ્યાર્થીઓને હાથવગુ અંગ્રેજી જ્ઞાન મળી રહે તે માટે વ્યાસ સરે 90 એજ્યુકેશન ઓડિયો કેસેટ પણ પ્રસિદ્ધ કરી છે અને લોકલ ટીવી ચેનલમાં તે માટેના લાંબા શો પણ ચલાવ્યા છે. 75થી 100 શાળાના 12 હજારથી વધુ સ્ટુડન્ટો સામેલ હોય તેવા ક્વીઝ શો પણ કરાવ્યા છે. નામી યુનિવર્સિટી, સ્કૂલો સાથે તેઓ સંકળાયેલા છે. કાર્પોરેટ ટ્રેનિંગમાં અદાણી પોર્ટ, ટોરેન્ટ પાવર, એસ્સાર સ્ટીલ, એલએન્ડટી વગેરે પણ તેમના ક્લાયન્ટ છે. ડોક્ટર હોય કે પીએચડી વ્યાસ સર દરેક માટે અંગ્રેજી સંજીવની લઈને આવ્યા છે. જોવા જઈએ તો તેઓને 35 વર્ષની કરિયરમાં સંખ્યાબંધ મોરપિચ્છ જોડાયેલા છે. -(અફરાઝ) [...] Read more...
May 7, 2024લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે,  રાજ્યમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે.  25 બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે.  સાંજે 5 વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન થયું છે. રાત્રે 12 વાગ્યે સત્તાવાર આંકડા સામે આવશે.    સરેરાશ 51 ટકા મતદાન રાજ્યમાં પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 51 ટકા મતદાન થયું છે. વલસાડમાં સૌથી વધુ તો અમરેલીમાં સૌથી ઓછુ મતદાન થયું છે.5 વાગ્યા સુધીમાં વલસાડ બેઠક પર 60 ટકા મતદાન. 5 વાગ્યા સુધીમાં અમરેલી બેઠક પર 41 ટકા મતદાન.  ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મુમતપરા મતદાન બુથ પર કર્યું પરિવાર સાથે વોટિંગ લોકસભાનું આજે ત્રીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. મુમતપુરાની શાળાના બુથમાં અદાણી પરિવારનું મતદાન કર્યું હતું.આ અવસરે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પ્રિતિ અદાણી  પરિવાર સાથે પહેોંચ્યા હતા અને સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઉભા રહીને પરિવારે વોટ આપ્યો હતો. મતદાન આપ્યા બાદ  મીડિયા સાથે રૂબરૂ થતાં ઉદ્યોગપતિ અદાણી ગોતમ ઉદાણીએ જનતાએ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.  કેટલીક મેડિકલ કોલેજોમાં ડૉક્ટરોને રજા ન અપાતા નારાજગી લોકસભાની ચૂંટણીમાં વોટ આપવા માટે રજાન નમળતાં તબીબોએ નારાજગી વ્યક્ત કરી છે. કેટલીક મેડિકલ કોલેજોમાં ડૉક્ટરોને રજા ન નારાજગી વ્યક્ત કરી છે. જાહેર રજા છતા પણ OPD ચાલુ રાખવા મેનેજમેન્ટનું દબાણનો આરોપ લાગાવ્યો છે. [...] Read more...
April 27, 2024ડીંડોલીના મહાદેવ નગર-એકમાં જઈ આવો તો માલૂમ પડશે કે, જેને કોઈ નહીં સંગરે તેવા રસ્તે રજળતા-ભટકતા માનસિક સંતુલન ગુમાવી દેનારા વૃદ્ધોને આ લોક કલ્યાણ વૃદ્ધાશ્રમમાં અનિલ બાગલે અને તેનો પરિવાર આશરો આપી સ્વસ્થ કરે છે સ્ટોરી- રાજા શેખ, સુરત (98980 34910) દેવોના દેવ મહાદેવ એટલે કે ‘શિવ’ ઈચ્છે તો કોઈને પણ નિમિત્ત બનાવીને તેનાથી સત્કાર્યો કરાવી શકે છે. શિવ અને વિષ્ણું ભગાવાને તેના એક સમાનાર્થી નામક વ્યક્તિ ‘અનિલ’ પાસેથી આવા કાર્યો કરાવવાનું નક્કી કર્યું. એક સમયે બગડેલ કહેવાથી આ વ્યક્તિના મનમાં ઈશ્વરે સારા કાર્યો કરવાનું બીજ રોપ્યું અને આજે તે વ્યક્તિ એવી સેવામાં લાગી ગયો કે, જે સેવા કરવા માટે સગા પુત્ર-પુત્રીઓ પણ હાથ ઊંચા કરી દે છે. વૃદ્ધ માતા-પિતા અને તેમાં પણ તેમનુ માનસિક સંતુલન ન હોય અથવા બિમાર હોય યા કોઈ કારણોસર ઘરમાંથી કાઢી મુકાયા હોય તેવા રસ્તે રઝળતા, ફૂટપાથ પર સુઈ રહેતા એકદમ ગંદા કહી શકાય તેવા નિરાધાર વૃદ્ધોને આશરો આપી તેમને સ્વસ્થ કરવાનું કામ ડીંડોલીના મહાદેવ નગર-એકમાં થઈ રહ્યું છે. એક વૃદ્ધ સાથેની ઠોકર બાદ તેની દેખરેખ રાખવાથી આજથી ચાર વર્ષ પહેલા શરૂ થયેલી સફર બાદ નેક રસ્તે વળેલા આ શખ્સ અને તેનો પરિવાર આજે 190થી વધુ આવા વૃદ્ધોની દેખરેખ રાખી રહ્યું છે અને અત્યારસુધી લગભગ 400થી વધુ રખડતા વૃદ્ધોને સ્વસ્થ કરીને તેમના ઘરે પહોંચાડી ચુક્યાં છે. દાનમાં મળેલી આ જગ્યા પર એક વૃદ્ધાશ્રમ જેનું નામ લોક કલ્યાણ વૃદ્ધાશ્રમ અને ચેરિટેબલ ટ્રસ્ટ અને બાળાશ્રમ દાતાઓની મદદથી નિર્માણ કરીને તેમાં સેવા કરી રહ્યાં છે. સેવાની શરૂઆત કેવી રીતે શરૂ થઈ? ઉપરોક્ત વૃદ્ધાશ્રમ ચલાવતા અનિલ બાગલે ન્યૂઝનેટવર્કસ-સિટી સમયને જણાવે છે કે, ‘‘ ચાર વર્ષ અગાઉ તેઓ મોટરસાઈકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં 80 વર્ષીય ધૃવલતા નામની વૃદ્ધાને ટક્કર વાગતા સામાન્ય ઇજા થઈ હતી. આ વૃદ્ધાને હું સારવાર કરાવવા લઈ ગયો અને તેમની પૃચ્છા કરતા પરિવારમાં કોઈ ન હોવાનું અને રસ્તે જ જીવન વિતાવતા હોવાનું કહ્યું હતું. હું તેઓને મારા ઘરે લઈ આવ્યો અને તેમની દેખરેખ રાખી. તે વખતે મનમાં વિચાર આવ્યો અને થયું કે, આવા ઘણાં વૃદ્ધો ભટકતા હશે અને ત્યારબાદ ઘર પાસે એક નજીકની વ્યક્તિએ આપેલી ખુલ્લી જગ્યામાં રૂમ બનાવીને આવા લોકોની સેવા કરવાનું શરૂ કર્યું. આજે એ જગ્યા પર દાતાઓની મદદથી વૃદ્ધાશ્રમ બની ગયું છે અને હાલ અંદર મંદિરનું બાંધકામ ચાલી રહ્યું છે. માનસિક અસ્વસ્થ વૃદ્ધોને સાજા કરીને સમજાવટથી ઘરે મોકલાવ્યા અનિલ બાગલે જણાવે છે કે, વધુ નિરાધારોને અમે સમાવવાની કોશિશ કરીએ છીએ. સ્મીમેર-સિવિલ જેવી હોસ્પિટલોમાંથી પણ ઘણાં આવા નિરાધાર, અસ્વસ્થ, માનિસક બિમાર વૃદ્ધોને અહીં મોકલવામાં આવે છે. અમુક વૃદ્ધોનો પરિવારજનો સાથે ઝઘડો થયા બાદ પણ અહીં રહેવા આવે છે. પરંતુ અમે સમજાવટથી કામ લઇને વૃદ્ધોને ઘરે મૂકી આવીએ છીએ. ઘણાં માનસિક અસ્વસ્થ, બિમાર , હાથ-પગમાં ગેંગરિન થયું હોય તેવા વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં જ ખોલાયેલા દવાખાનામાં સારવાર આપીને સાજા કરાયા છે. અત્યારસુધી 400 જેટલા વૃદ્ધોને સાજા કરીને પરત કરાયા છે. ઘણાં સાજા થયેલા વૃદ્ધો હવે ઘરે નથી જવા ઈચ્છતા તેઓ અહીં રહે છે. કેટલાક વૃદ્ધોના હાથ-પગમાં સડો હતો તેઓને પણ સારવાર આપી તેમના અંગ બચાવાયા છે. એચઆઈવી જેવા ગંભીર રોગોવાળા વૃદ્ધોને પણ અહીં રખાયા છે. વધુ પડતા માનસિક અસ્વસ્થ, મંદબુદ્ધિના વૃદ્ધો માટે અલાયદુ ‘પ્રભુ સ્વરૂપ ઘર’ બનાવાયું છે. દરેક વૃદ્ધોને સાત્વિક ભોજન, કપડાં, સારવાર, ડાયપર અને દવાની સુવિધા માટે મારો પરિવાર પૂરતી કાળજી લઇ રહ્યો છે. મારી પત્ની ભારતી અને પુત્રી-પુત્રો પણ વૃદ્ધો માટે ભોજન બનાવવા માટે જોડાય છે. -વિવાદમાં પણ આવ્યા પણ…. ગત એપ્રિલ-2023માં એક વિવાદ સામે આવ્યો હતો અને વૃદ્ધાશ્રમ માટે દાનમાં મળેલી જમીન ખોટી રીતે મેળવાય હોવા સબબ ફોજદારી કેસ નોંધાયો. જોકે, સાંજે જ અનિલ બાગલે અને તેમનો પરિવાર જામીન મુક્ત થયો. કોર્ટે પણ દસ્તાવેજ જોયા અને જામીન આપી દીધા. કહેવાય છે કે, આ એક રાજકીય દબાણવશ થયું અને સેવાનું કામ ન પચાવનારા લોકોએ કારસ્તાન રચ્યું હોવાની વાતો વહેતી થઈ. જોકે, હવે વધુ સારી રીતે વૃદ્ધાશ્રમ ચાલી રહ્યો છે અને નિરાધારોની સેવા કરવા વધુને વધુ અહીં જોડાય રહ્યાં છે. અનિલ કહે છે કે, નિરાધાર, અસહાય વૃદ્ધોના આશિર્વાદ અને ઈશ્વરની કૃપાથી જ આ થઈ રહ્યું છે. મને ભારતીય ગૌરક્ષા મંચના ફાઉન્ડર ધર્મેશભાઈ ગામી જેવા અનેક મહાનુભાવોનો સહકાર મળી રહ્યો છે. ઈશ્વરે તેમના રૂપમાં તેમને મદદે મોકલ્યા છે. [...] Read more...
April 18, 2024સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 3491) આમ તો આપણે રક્તદાન ને મહાદાન તરીકે લેખાવીએ છીએ. ઘણાં રક્તદાતાઓ નિયમિત રક્તદાન કરીને અનેક જીવન દીપાવી રહ્યાં છે પરંતુ વધતી જરૂરિયાતોને જોતા હજી જાગૃત્તિ લાવવી જરૂરી છે. સુરતના ભૂતપૂર્વ પોલીસ કમિશનર અજયકુમાર તોમરે તેમના કાર્યકાળ દરમિયાન એક ઉમદા માનવીય પ્રયાસ કર્યો અને દરેક પોલીસ મથકોમાં રક્તદાનની ઝૂંબેશ ચલાવી થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે લોહીની પડતી અછતને દૂર કરવાની નેમ લીધી. જોકે, આવી નેમ દરેક ગલી-મહોલ્લે લેવાય તો સુરતમાં ઈમરજન્સી વેળા કોઈને પણ રક્તની કમી ન પડે. આમ તો વિતેલા 48 વર્ષથી સુરત રક્તદાન કેન્દ્ર અને રિચર્સ સેન્ટર વિવિધ સમાજો સાથેના કેમ્પ થકી આ કમી ન પડે તે માટે પ્રયાસરત છે પરંતુ હવે તે કેમ્પની જગ્યાએ ગલી-ગલીએ, મહોલ્લે-મહોલ્લે, ઓફિસે-ઓફિસે જઈને પણ બ્લડ ડોનેશન કેમ્પ કરવા તૈયાર છે અને તે માટે તેણે એક વાન પણ વસાવી છે. ભલે આ જગ્યાઓ પર બે-પાંચ જણાં જ બ્લડ ડોનેશન કરવા કેમ ન માંગતા હોય તે સેવા પૂરી પાડવા તૈયાર છે. તેમની આ તત્પરતા કાબિલે તારીફ છે પણ તેના પરથી એ જણાય છે કે, લોહીની જરૂરિયાત કેટલી બધી ઊભી થઈ છે! સુરતીઓએ તે માટે હવે વધુ જાગૃત્ત થવાની જરૂરિયાત છે. ખાસ કરીને મહિલાઓ પણ જાગૃત થાય તે સમયની માંગ છે. આંકડા જોઈએ તો દેશમાં રક્તની જરૂરિયાતો 94 ટકા પુરુષો પુરી પાડે છે. માત્ર 6 ટકા જ મહિલાઓ રક્તદાન કરે છે. સુરતમાં તો આ ટકાવારી પાંચ ટકાની જ છે. ઘણઆંગણેથી બ્લડ ડોનેશન લેવા અને પહોંચાડવા કઈ સુવિધા ઊભી કરાય? સુરત રક્તદાન કેન્દ્રના એડમિન પરિમલ વ્યાસે ‘ન્યૂઝનેટવર્કસ-સિટી સમય’ને જણાવ્યું કે, અમારા ટ્રસ્ટીમંડળે નક્કી કર્યું કે, હવે ઘરે-ઓફિસે, મહોલ્લે જ્યાં ઈચ્છુક રક્તદાતા હોય ત્યાં અમે રક્ત એકત્ર કરીશું, તો જ વિકસતા સુરતમાં વધતી બિમારી સામે રક્તની જરૂરિયાતોને પુરી કરી શકીશું. તે માટે અમને કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોષએ એક એસી વાન ગિફ્ટ આપી. જેમાં એક સમયે બે જણાં સુઈને રક્તદાન આપી શકે તેવી વ્યવસ્થા છે. ઈનબિલ્ડ તમામ સગવડો, ટેક્નિશિયનો વગેરે તેમાં હાજર રહે છે. બેથી ચાર કલાક ઉપરાંત પર આ વાન ઉભી રહીને રક્ત કલેક્ટ કરી શકે છે. કોઈ પેશન્ટ એડમિટ હોય તે સમયે અગર હોસ્પિટલમાં લોહી જોઈએ ત્યારે ફ્રી બ્લડ ટ્રાન્સપોર્ટની એક સેવા રાઉન્ડ ધી ક્લોક ઊભી કરવામાં આવી છે. જેમાં ટેક્નિશિયન દર્દીના લોહીનું સેમ્પલ મેળવીને તેના અનુરૂપ બ્લડ બેંકમાંથી લઈ હોસ્પિટલ સુધી પહોંચડવાની સુવિધા ઉપલબ્ધ કરાવાય રહી છે. અન્ય બ્લડ બેંકથી અલગ કેવી રીતે, સેઈફ બ્લડનો કોન્સેપ્ટ   ગર્વમેન્ટ પાંચ ટેસ્ટ એચઆઈવી, કમળો, મેલેરિયા, હેપેટાઈટ-બી આ જ ટેસ્ટ કરી પેશન્ટને બ્લડ આપી શકાય તેવી ગાઈડલાઈન છે પરંતુ સુરત રક્તદાન કેન્દ્ર નેટ ટેસ્ટ કરીને લોહી પુરું પાડે છે. પરિમલ વ્યાસ કહે છે કે, અમે એક-બે ટકા પણ ચાન્સ પણ લેવા નથી માંગતા, યુએસની જેમ સિસ્ટમ વિકસાવાય છે. ઓનડિમાન્ડ કેટલીક બેંકો નેટ ટેસ્ટ કરે છે પણ અમે તો કમ્પલસરી નેટ ટેસ્ટ કરીને ગરીબ હોય કે પૈસાદાર દરેકને અણીશુદ્ધ લોહી જ પુરું પાડીએ છીએ. ઉપરાંત કેન્દ્ર સરકાર માન્ય પ્રાપ્ત વિકિરણ ઉપરકરણ ધરાવે છે. જે રોગપ્રતિકારણ શક્તિની ઉણપ ધરાવનાર વ્યક્તિઓ માટે લાભકારક છે. ભાભા એટોમેટિક સેન્ટરનો ઈ-રેડિયેટેડ બ્લડ આપીએ છીએ. જે કેન્સર, નિયોનેટલ પેશન્ટમાં ડોક્ટરો માંગે છે. કોર્ડ બ્લડ સ્ટેમ સેલ પ્રિઝરવેશન બેંક પણ છે. સાથોસાથ થેલેસેમિયા તથા સિકલસેલના પરીક્ષણ માટે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.ની માન્યતા છે અને એનએબીએચ એક્રિડીટેશન પણ છે. વર્ષ 2023 સુધી 13.19 લાખ દર્દીઓને લોહી પહોંચાડાયું સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરના આંકડાનો અભ્યાસ કરીએ તો 48 વર્ષમાં (31 માર્ચ 2023)સુધીમાં 13,19,112 દર્દીઓને લોહી પહોંચાડીને તેમનું જીવન બચાવ્યું છે. જેમાં પણ સિવિલ-સ્મીમેર હોસ્પિટલના દર્દીઓ તેમજ , થેલેસેમિયા, હિમોફેલિયા, સિક્લસેલ જેવા દર્દીઓને વિનામૂલ્યે રક્ત પુરું પાડવામાં આવી રહ્યું છે. સાત લાખ રક્તદાતાઓનું આ બેંકને બ્લડ ડોનેટ કરતા આવ્યા છે અને સુરતની 70 ટકા રક્તની જરૂરિયાત આ બેંક પુરી પાડે છે. કેન્દ્રએ 18 રક્ત સંગ્રહ કેન્દ્રો સાઉથ ગુજરાતમાં સ્થાપ્યા છે. જેના કારણે જ વર્ષ 2008માં ભારતની સર્વશ્રેષ્ઠ રક્તદાન કેન્દ્રનો એવોર્ડ આ સંસ્થાને મળ્યો છે. ઈતિહાસ: સુરત મનપાએ બિલ્ડિંગ ભેટમાં આપ્યું સુરત રક્તદાન કેન્દ્રની સ્થાપ્ના આમ તો વર્ષ 1976માં થઈ હતી. ત્યારબાદ 1994માં ગોપીપુરા કેન્દ્ર બન્યું. વર્ષ 2006ના પુર બાદ આ સેન્ટરને ખાસુ નુકશાન સહન કર્યું ત્યારબાદ સુરત મહાનગર પાલિકાએ વર્ષ 2008માં ખટોદરા હેલ્થ સેન્ટર ખાતે 17 હજાર સ્ક્વેર ફૂટના બે માળ ફાળવ્યા અને અહીં તત્કાલિન મુખ્યમંત્રી મોદીના હસ્તે અત્યાધુનિક કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું. સુરત રક્તનદાન કેન્દ્રના સ્થાપક ટ્રસ્ટીઓમાં ડો. પ્રદીપ દેસાઈ, ડો. વિનોદ શાહ, ડો. કિરણ શાહ વગેરેનો સમાવેશ થાય છે. હાલ ઈનવાઈટી અને સુરત મહાનગર પાલિકાના પદાધિકારીઓ સહિત 60 જેટલા પ્રતિષ્ઠિત સભ્યો છે. સુરતમાં આ બ્લડ બેંકો પણ પ્રચલિત …. સુરત હેલ્થકેર ફાઉન્ડેશન બ્લડ બેંક ( લોખાત હોસ્પિટલ, રામપુરા) લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર (વરાછા) નવી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક (મજુરાગેટ) સ્મીમેર હોસ્પિટલ બ્લડ બેંક (સહારા દરવાજા) ઈન્ડિયન રેડક્રોષ બ્લડ બેંક (અડાજણ) સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડબેંક (રામનગર) [...] Read more...
April 8, 2024બસ કંડક્ટરના પુત્ર અને એક સમયે પિત્ઝાશોપમાં નોકરી કરનારા ડો. ફારુક પટેલ આજે રૂ. 160 બિલિયનનું બિઝનેશ એમ્પાયર ધરાવે છે સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910) સફળતા સંઘર્ષભર્યા કાંટાળા રસ્તાઓ પરથી પસાર થયા બાદ અને અનેક નિષ્ફળતા બાદ જ મળતી હોય છે. ગોલ્ડન સ્પૂન સાથે જન્મેલા બાળકો સિવાયના એવા ઘણાં લોકો છે તેણે જીવનની દરેક ધૂપછાંવ વેઠીને પોતાની તકદીરનું તાળુ જાતે ખોલ્યું છે, પોતાનું નસીબ જાતે ચમકાવ્યું છે. આવી જ એક શખ્સિયત છે ડો. ફારુક ગુલામ પટેલ. તેમની જીવનથી અનેક યુવાઓ પ્રેરણા લઈ રહ્યાં છે. આપ રિન્યુએબલ સેક્ટરમાં કામ કરતી કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ફારુક તેમના અનેકવિધ પરોપકારી કાર્યોને લઈને પણ ચર્ચામાં રહે છે. રિન્યુએબલ એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્ર્કચર ડેવલપમેન્ટમાં ઈનોવેશન, સ્માર્ટ ટેલેન્ટ અને ક્રિએટીવીટી મેનેજમેન્ટ માટે અમેરિકન ઇસ્ટ કોસ્ટ યુનિવર્સિટી દ્વારા તેમને માનદ ડોક્ટરેટની પદવી તેમને એનાયત થઈ છે. હાલમાં જ તેઓ તેમની ત્રીજી કંપની કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ.નો ભારતનો એમએસઈ પ્લેટફોર્મ પર સૌથી મોટો 189.50 કરોડનો આઈપીઓ લાવીને સમાચારમાં આવ્યા. આ શખ્સિયતે પીત્ઝાશોપ, કપડાશોપ અને ચશ્માશોપમાં નોકરી કરી છે અને ત્યારબાદ રૂ. એક લાખની જમા પૂંજી સાથે 30 વર્ષ પૂર્વે કરેલા કેપી ગ્રુપની સ્થાપ્નાથી લઈ શરૂ થયેલી સફર આજે રૂ. 160 બિલિયનનું બિઝનેસ એમ્પાયર ધરાવે છે અને ત્રણ સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ સહિત 35 કંપનીનું સંચાલન કરે છે. કોણ છે ડૉ. ફારુક ગુલામ પટેલ? 24 માર્ચ, 1972ના રોજ ભરૂચના સલાદરા ગામમાં તેમના નાનાને ત્યાં ડો. ફારુક પટેલનો જન્મ થયો હતો. તેમના પિતા ગુલામ પટેલ ભરૂચ જિલ્લાના ત્રાલસા કોઠી ગામના વતની પણ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં ઝઘડિયા ડેપોમાં તેઓ કંડ્કટર તરીકે રૂ. 700ની નોકરી કરતા હતા. તેમની ટ્રાન્સફર સુરત થતા તેઓ એક વર્ષના ફારુકને લઈ સુરતના અડાજણ વિસ્તારમાં ભાડાના મકાનમાં શિફ્ટ થયા. ફારુકનું પ્રાથમિક શિક્ષણ કણબીવાડ ભંડારી મહોલ્લામાં આવેલી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલમાં થયું અને બાદમાં ધોરણ-5થી વી.ડી. દેસાઈ વાડીવાલા સ્કૂલમાં મેટરિમોનિયલ થયા.   ડો. ફારુક પટેલની સંઘર્ષયાત્રા…. ગરીબીને નજીકથી જાણનારા ડૉ. ફારુક ગુલામ પટેલ તેમના પરિવારને આર્થિક રીતે મદદ કરવા મુંબઈ ગયા, તેમણે વધારાના પૈસા કમાવવા માટે ઑપ્ટિશિયન તરીકે કામ કરવાની સાથે આયાત-નિકાસ વિશે શીખવાનું શરૂ કર્યું. બાદમાં, તેઓ અનુભવ માટે 1990 માં મેનમેઇડ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશનમાં જોડાયા અને પછીથી એક કપડાની દુકાનમાં નોકરી કરી. આટલામાં પરિવારની હાલત સુધરે એમ ન હોવાથી તેઓ વધુ નાણાં કમાવા માટે વર્ષ 1991માં  તેઓ ઈંગ્લેન્ડ ગયા અને એક પીત્ઝા કાફેમાં કામ કર્યું. પરંતુ ટૂંક સમયમાં ત્યાં તેઓને વિચાર આવ્યા કે આવી રીતે હું મારું અને મારા પરિવારનું માત્ર પેટ ભરી શકીશ પણ દેશ માટે કંઈ ન કરી શકું.  માતૃભૂમિ યાદ તેમને પરત ભારત લઈ આવી. ડો.ફારુક જી.પટેલની ઉદ્યોગ સાહસિક યાત્રા default બે વર્ષ વિદેશમાં વિતાવ્યા પછી, તેઓ 1993 માં સુરત પાછા ફર્યા અને કાર્ટિંગનો વ્યવસાય શરૂ કર્યો પણ મન કંઈ મોટુ કરવા ઝંખતુ હતુ.  આખરે વર્ષ 1994માં તેઓ રૂ. 1 લાખ રૂપિયાની મૂડી સાથે કેપી ગ્રુપની શરૂઆત કરી. અહીંથી તેમનું જીવન પલટાયું. વર્ષ 2001માં તેઓએ કેપી બિલ્ડકોન પ્રા. લિ.ની પ્રથમ ફ્લેગશીપ કંપની સ્થાપી. જે આજે કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ. (જે 22 માર્ચ 2014માં બીએસઈ પર લિસ્ટેડ થઈ છે) તરીકે ઓળખાય છે. ડો. ફારુકે સંદેશાવ્યવહારના ભાવિ અને કોમ્યુનિકેશન ટાવર્સની વધતી માંગને ઓળખીને તેમાં જંપલાવ્યું અને ભારતના 16 રાજ્યોમાં વિવિધ સેલ્યુલર કંપનીના મોબાઈલ ટાવર્સ ઈન્સ્ટોલ કર્યા. ગતિ, સમર્પણ અને ઈનોવેશનના ધણી ડો. ફારુકે ટુજી સ્પેક્ટ્રમ બાદ દૂરંદેશી વાપરી રિન્યુએબલ એનર્જીમાં પદાર્પણ કરવાનું વિચાર્યું અને તેઓએ વર્ષ 2008માં  કેપીઆઈ ગ્રીન એનર્જીની સ્થાપના કરી સોલાર પાવર સેક્ટરમાં પ્રવેશ કર્યો. બાદમાં વર્ષ 2010 માં તેમણે વિન્ડ એનર્જી સેક્ટરમાં પ્રવેશ કર્યો. સોલાર પાવર આજે કંપની પાસે પોતાની અને લીઝ પર મળીને લગભગ 2000 એકડ જમીન પર 32થી વધુ સાઈટ પર સોલાર પાર્ક ધરાવે છે. તેઓ ગુજરાતમાં સૌથી મોટો ખાનગી સોલાર પાર્કની માલિકી ધરાવે છે  ભરૂચ, ભાવનગર, કચ્છ, પોરબંદર જિલ્લામાં સોલાર-વિન્ડ પાર્ક ધરાવે છે. સૌથી પહેલા દક્ષિણ ગુજરાતમાં સાત વિન્ડ ટર્બાઈન નાંખવાનો રેકોર્ડ તેમના નામે છે. તેમની બંને કંપની મળીને આજે 1.1  ગીગાવોટ્સથી વધુ રિન્યુએબલ એનર્જી તેઓએ એનર્જાઈઝ કરી છે. 2.6 ગીગાવોટ્સના પ્રોજેક્ટ પાઈપલાઈનમાં છે. કંપની 2030માં 10 ગીગાવોટ્સના ટાર્ગેટ ધરાવે છે.  તેમની ત્રણ કંપની કેપીઆઈ ગ્રીન એનર્જી, કેપી એનર્જી અને કેપી ગ્રીન એન્જિનિયરિંગ બોમ્બે સ્ટોક એક્ચેન્જમાં લિસ્ટેડ છે. કેપીઆઈ નેશનલ સ્ટોક એક્ચચેન્જમાં પણ લિસ્ટેડ છે. ત્રણેય કંપનીની મળીને માર્કેટ કેપ 14000 કરોડથી ઉપર છે. કેપી ગ્રુપે હવે ગ્રીન એમોનિયા અને હાઈડ્રોજન ક્ષેત્રે પણ પ્રવેશ કર્યો છે પરોપકારી પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર ડો. ફારુક તેમની પરોપકારી પ્રવૃત્તિઓને કારણે પણ સમાચારોમાં રહે છે. તેમના સીએસઆર આર્મ કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન હેઠળ તેઓ  12 હજારથી વધુ સ્ટુડન્ટ્સને સીધી-આડકતરી રીતે ભણવામાં મદદ કરી રહ્યાં છે. ટ્રસ્ટે સુરત મહાપાલિકાની 2 શાળા સહિત ચાર સ્કૂલ અને એક દિવ્યાંગ કોલેજ દત્તક લીધી છે. તેઓ દેશનું પહેલું દિવ્યાંગ વૃદ્ધાશ્રમ ઝઘડિયા ખાતે બનાવી રહ્યાં છે. જેલના કેદીઓના ઉત્થાન, વૃદ્ધાશ્રમો, અનાથાશ્રમો અને હેલ્થ તેમજ પર્યાવરણ ક્ષેત્રમાં પણ આખે વળગે તેવી કામગીરી કરી રહ્યાં છે. ડુમસના દરિયાકાંઠે તેઓ વન વિભાગ સાથે મળીને 10 હેક્ટરમાં મેન્ગ્રુસ છોડ વાવી રહ્યાં છે. રાજ્યભરમાં અત્યારસુધી પાંચ લાખ વૃક્ષો વાવી ચુક્યા છે. સમાજને પરત કરવાની નેમ તેઓ રાખે છે. [...] Read more...
April 5, 2024સુરતની પ્રથમ હોટેલ-રેસ્ટોરન્ટ બિસ્મિલ્લાહ હોટેલનો 131 વર્ષનો ભવ્ય ઇતિહાસછે અને તેમાંથી શફીચાચાના પુત્ર આસિફભાઈ કાસમાની ઉર્ફે બિસ્મિલ્લાહએ જ્યુસની આખી ચેઈન ઊભી કરી અને પુત્રો સાથે મળીને તેને ગ્લોબલી બનાવી દીધી સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910) સુરતમાં થિકશેક, જ્યુસ અને આઈસ્ક્રીમનું નામ આવે એટલે દરેકના મોઢા પર ‘બીસ્મિલ્લાહ’ અને બી-ક્રીમીનું નામ આવે. સુરત રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરો અને ગેટ બહાર આવો એટલે મોટી ભીડ જોવા મળે તે બીસ્મિલ્લાહ હોટલ ચાર પીઢીથીચાલી આવે છે અને 131 વર્ષથીતે ધમધમી રહી છે. સરળ, મેળાવડા ઉદ્યોગપતિ તરીકે સુરતમાં નામના પામનારા આસિફ બીસ્મિલ્લાહના પિતાશફી ચાચાએ રેલવે સ્ટેશન સામે 1970થી જ્યુસ સેન્ટર શરૂ કર્યું હતું.  1990મા આસિફ બિસ્મિલ્લાહએ 10 મા ધોરણની પરીક્ષા આપ્યા પછી તેમના પિતાના ધંધા પર રિટેલ કાઉન્ટર પર બેસવાનું શરૂ કર્યું. 1995 મા તેઓએ થિકશેક અને આઈસ્ક્રીમનું મેમ્યુફેક્ચરિંગ શરૂ કર્યું હતુંઅને આ જ  કોન્સેપ્ટએ તેમની તકદીરનું તાળુ ઉઘાડી દીધું. બિસ્મિલ્લાનું થિકશેક, આઈસ્ક્રીમ, ગોટાળો, સીતાફળ અને મેંગો ક્રીમ આઈસ્ક્રીમે સ્વાદ રસિકો સુરતીઓના દિલ જીતી લીધા. પ્લેગ, રેલ, ભૂકંપ અને કોરોના જેવા કપરા સમયમાંહુરતીઓના સ્વાદમાં તે સામેલ જ રહ્યું. હવે બિસ્મિલ્લાહની ચોથી પીઢી એટલેકે આસિફ ભાઈના 2 પુત્ર ઉંમર અને મોહંમદ વર્ષ 2024થી વ્યાપારમાં જોડાયા અને તેઓ બીક્રીમી નામથી ફ્રેન્ચાઇઝી કોનસેપ્ટ સાથે આગળ વધ્યા. 7 વર્ષના સમયગાળા દરમિયાન સુરતમા 25 સહિત મુંબઇ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને તેલંગણામાં 60 જેટલી ફ્રેન્ચાઝીઓ ઊભી કરી.એટલું જ નહીં દુબઈમાં પણ બ્રાન્ચ કરી. હવે તેઓ યુએસ, કેનેડા અને સઉદી અરબમાં પણ આ ફ્રેન્ચાઈજીને લઈ જઈ રહ્યાં છે. નજીકના દિવસમાં જ અહીં બ્રાચ શરૂ થશે. ભવિષ્યમાં શેર માર્કેટમાં પણ આ બી-ક્રીમી જોવા મળે તો નવાઈ નહીં.   બિસ્મિલ્લાહ સુરતની પહેલી હોટલ:  ૧૩૧ વર્ષ પહેલા અંગ્રેજોના સમયથી શરૂઆત કરી અને આજે … બ્રિટીશ રાજ દરમિયાન સુરત રેલવે સ્ટેશને આવતા અને જતા પેસેન્જરોના ભોજન અને નાસ્તા માટે સુરત રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વારની બિલકુલ સામે વર્ષ 1893માં હાજી સુમારે બિસ્મિલ્લાહ હોટેલ લોજીંગ એન્ડ બોર્ડિંગની સ્થાપના કરી હતી. બિસ્મિલ્લાહ હોટેલને સુરતની પ્રથમ હોટેલ અને રેસ્ટોરન્ટ માનવામાં આવે છે. અહીં યાત્રીઓ ઉતરીને આરામ કરતા અને ભોજન કરતા અથવા તો મોડી રાતની ટ્રેનોમાં ઉતરીને 24 કલાક ચાલતી બિસ્મિલ્લાહ હોટલમાં નાસ્તાપાણી કરતા હતા. સુરતમાં જયારે ટેક્સ પ્લાઝો એટલે કે ફરતી હોટેલનું નિર્માણ થતુ હતુ તે સમયે તેના આર્કીટેકટ, સ્ટ્રકચરલ એન્જીનીયર સહિતની ટીમ અહીં રોકાય હતી. અંગ્રેજોના સમયે ફલાઇંગ રાણી ટ્રેન સપ્તાહમાં બે દિવસ મુંબઇ-સુરત વચ્ચે ચાલતી તે સમયે બ્રિટીશરોની બ્રેકફાસ્ટ અને ડિનરની પહેલી પસંદગી બિસ્મિલ્લાહ હોટલ હતી. હાજી સુમાર પછી આ પેઢીનું સંચાલન જાન મોહંમદ હાજી સુમાર કાસ્માનીએ કર્યું હતું અને તે પછી તેમના સાત સુપુત્રો આ વ્યવસાયમાં જોડાયા હતા જાન મોહંમદ કાસ્માનીના ચોથા નંબરના પુત્ર શફીભાઇ કાસ્માનીએ 70ના દાયકામાં બિસ્મિલ્લાહ જયુસ સેન્ટરનો નવો વ્યવસાય શરૂ કર્યો હતો જે આજે તેમના સુપુત્ર આસિફ બિસ્મિલ્લા જયુસ, થીકશેક અને આઇસ્ક્રીમની ફ્રેન્ચાઈઝી ગ્લોબલી ચલવે છે. પેઢીએ ફાસ્ટફુડના વેપારમાં પણ ઝંપલાવ્યું છે. સેવાભાવી શફી ચાચાને સારા સ્વભાવને કારણે બિસ્મિલ્લાહ અનેક પોલીસ ઓફિસર અને રાજકારણીઓ બેઠક જમાવતા પેઢીના સંચાલક મર્હુમ શફીભાઈ બિસ્મિલ્લાહના સેવાભાવી સ્વભાવ હતો. અનેકના દુખ દર્દ તેમના માધ્યમથી દુર થતા હતા. 60ના દાયકામાં રેલવેમાં બિનવારસી હાલતમાં મૃત્યુ પામતાં જુદાજુદા ધર્મમાં લોકોની અંતિમ ક્રિયા જે તે ધર્મની વિધિ મુજબ થાય તે માટે બિસ્મિલ્લાહ હોટલના પ્રવેશદ્વારે દાન પેટી મુકાય હતી. વર્ષ 1994માં તેમણે એકતા ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આ ટ્રસ્ટે અત્યારસુધી હજારો બિનવારસી લોશોને મુક્તિધામ પહોંચાડી છે. એક સમય એવો હતો કે મર્હુમ શફીચાચા પોતાના ઘરના રૂપિયા આ સેવા માટે નાંખતા. સેવાભાવી સ્વભાવને કારણે અનેક પોલીસ મિત્રો, રાજકીય-સામાજિક મિત્રોનો સમૂહ શફીચાચાએ ઊભો કર્યા હતો.  આજે આસિફભાઈએ પણ એ વારસો જાળવ્યો છે.  વર્ષ 2005માં શફી ચાચાના જન્નતનસીન થયા બાદ તમામ પુત્રોએ વ્યવસાય જુદો કર્યો અને જ્યુસ-થીકસેકનો વ્યવસાય નાના પુત્ર આસિફભાઈ પાસે આવ્યો . પહેલા હાથ વડે થીક શેકની ચાર વેરાઈટી બનતી આજે 300થી વધુ વેરાઈટી બને છે, બ્રાન્ડ બની બી-ક્રીમી શફી ચાચાએ હોટલ-રેસ્ટોરન્ટથી નવો વ્યવસાય જ્યુસનો વિકસાવ્યો તે સમયે ફાલુદો અને ફ્રુટ સ્લાડ મેઈન અને ગોટાળો મેઈન વેરાઈટી હતી. તેનો સ્વાદ લેવા બીજા શહેરોથી પણ લોકો અહીં આવતા. આ બ્રાન્ડની 1990માં આસિફભાઈએ ધુરા સંભાળી ત્યારે થીકશેક બનાવવાનું શરૂ કર્યું અને થીકશેકની ચાર વેરાયટી હાથ વડે બનાવતા હતા. ત્યારબાદ માર્કેટીંગ સ્કીલ અને સંશોધનનો ઉપયોગ કરીને બી-ક્રીમીનું નવી પીઢી ઉંમર અને મોહંમદે વિકસાવી. આજે 300થી વધુ આઈટમો તેઓ બનાવે છે અને બ્રાન્ડને દેશ-વિદેશ સુધી પહોંચાડી છે. આસિફ બિસ્મિલ્લાહના મેનેજિંગ ડિરેક્ટર પદે B-CREAMY ને સુરતની ટોપ 100 બ્રાન્ડમાં સ્થાન મળ્યું છે. જેલી વીથ આઈસ્ક્રીમની રેસિપીની શોધનું શ્રેય પણ બીક્રીમીને ફાળે જાય છે. ઉપરાંત વર્ષ 2003માં સહારાનો લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ, વર્ષ 2019માં ઝોમેટોએ બેસ્ટ બેવરીઝ એવોર્ડ આપ્યો હતો. સુરતી તરીકે આ બ્રાન્ડને વૈશ્વિક ફલક પર પહોંચવા બદલ ગર્વ જરૂર અનુભવાય. યાદે: બિસ્મિલ્લાહ હોટલ પાસે 24 કલાક ચલાવવાનું લાઈસન્સ, શહેરની પ્રથમ રેસ્ટોરન્ટ સુરત રેલવે સ્ટેશનની નજીક એક માત્ર હોટેલ-રેસ્ટોરન્ટ હોવાથી ટ્રેનો અને બસોના યાત્રીઓને ધ્યાનમાં રાખીને બિસ્મિલ્લાહ રેસ્ટોરન્ટને 24 કલાક ચલાવવાનું લાઈસન્સ મળ્યું હતું. 1976માં લાઈસન્સ પ્રથા આવી ત્યારે પ્રથમ લાઈસન્સ આ હોટેલ-રેસ્ટોરન્ટને મળ્યું હતું. [...] Read more...
March 30, 2024સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910) ‘‘ એજ્યુકેશન ઈસ મોસ્ટ પાવરફુલ વેપન વીચ યુ કેન યુઝ ટુ ચેન્જ વર્લ્ડ ’’ (Education is the most powerful weapon which you can use to change the world.) નેલ્શન મંડેલાએ આ વાક્ય કહ્યું હતું. શિક્ષણરૂપી આ હથિયારનો ઉપયોગ કરી લસકાણાનો રત્નકલાકાર યુવક સાહિલ અરગઢિયા કરી રહ્યો છે. પોતે ભલે 12 પાસ છે પરંતુ તેણે સ્ટ્રીટ ચિલ્ડ્રનને ભણાવવાનું બીડું ઝડપ્યું છે. એમ્બ્રોઈડરીનું કામ કરતા પિતાએ આજથી આઠ મહિના પહેલા મોબાઈલ ફોન લેવા રૂપિયા આપ્યા તો સાહિલે તે જ રકમમાંથી પુસ્તકો-નોટબુક-પેન-પેન્સિલ ખરીદી લીધા અને વેસુથી વાય જંક્શન જતા રોડ પર ફૂટપાથ પર રહેલા સ્ટ્રીટ ચિલ્ડ્રનને ભણાવવાનું શરૂ કર્યું. આજે મજૂર વર્ગના 20થી વધુ બાળકો કક્કો-બારખડી, એબીસીડી અને ઘડિયા બોલતા થઈ ગયા છે. સાહિલના ચહેરા પર બાળકોને ભણાવવાનો જબરો આત્મસંતોષ જોવા મળી રહ્યો છે. તે કહે છે કે, મેં આ બાળકોના પરિવારને સમજાવ્યા કે તમે આ બાળકોને ભણાવવા માટે કોઈ હોસ્ટેલમાં મને લઈ જવા દો પરંતુ તેઓ તૈયાર નથી. મજૂર વાલીઓનું કહેવું છે કે, અમને પણ સાથે રહેવાની જગ્યા મળે તો જ અમે ભણવા માટે ત્યાં મોકલીએ. જોકે, તે સંભવ નથી. જેથી, મેં અહીં વાય જંકશન નજીક જ્યાં તેમનો વિસામો છે ત્યાં જ આઠ મહિનાથી ભણાવવાનું શરૂ કર્યું. હું રોજ બાળકો માટે નાસ્તો પણ લાવું છું. સારું પર્ફોમન્સ કરનાર બાળકોને નોટ-પેન સહિતની ગિફ્ટ પણ આપુ છું. જેથી, તેમના રસ ભણવામાં બન્યો રહે. કિરણ જેમ્સમાં કામ કરે છે સાહિલ, વિચાર સ્વામીનારાયણ સંપ્રદાયથી આવ્યો સાહિલ કિરણ જેમ્સમાં પાર્ટ ટાઈમ કામ કરે છે. બાળકોને ભણાવવા માટે તેણે પાર્ટ ટાઈમ કામ પસંદ કર્યું છે. બપોર બાદ રોજ બાળકોને ભણાવવા પહોંચી જાય છે. કમરે માઈક લટકાવીને સ્પીકરમાં તે બાળકોને ખૂબ જ સરળ અને કાલી-ઘેલી ભાષામાં ભણાવે છેં. તેની આવક આમ તો 20-22 હજાર જ છે પરંતુ તેના ઈરાદા કરોડોના છે. તેને ન્યૂઝનેટવર્કસ-સિટી સમયે પુછ્યું કે, આવા વિચાર આવ્યો ક્યાંથી..? સાહિલ કહે છે કે, સ્વામી નારાયણ સંપ્રદાયમાં હું માનું છું. ત્યાં આવા બાળકો માટે નોટબુક્સ વગેરે આપવાનો વિચાર રજૂ કરાયો. તે ઘડીએ મને વિચાર આવ્યો કે હું કદાચ કોઈ રીતે વર્ષે બે-પાંચ હજારની મદદ કરું પણ ત્યાંથી ગાડી ભરીને સામાન આવા બાળકો માટે નીકડે એના કરતા હું જ જાતે સામાન લઈને આવા બાળકો સુધી પહોંચું અને તેઓને ભણાવું તો કેવું. બસ પિતાએ મને મોબાઈલ લેવા માટે જે રૂપિયા આપ્યા હતા તેમાંથી આવા બાળકોને ભણાવવા માટેનું નક્કી કર્યું અને બહુ શોધ બાદ મને વાય જંક્શન પર વિસામો લેતા મજૂર પરિવારો મળ્યાં. મેં તેમના બાળકોને ભણાવવા માટે મનાવ્યા અને છેલ્લા આઠ મહિનાથી આ શિક્ષણદાન કરી રહ્યો છું. આગળ શું ઈચ્છા છે? તે મતલબના સવાલનો જવાબ આપતા તે કહે છે કે, આ બાળકોમાંથી કોઈ બાળક સારું કરે તો તેને સંપૂર્ણ ભણાવવા મોકલવાની ઈચ્છા છે પરંતુ વાલી માને તે પણ જરૂરી છે. મને ઘણાં લોકોએ તેમના ટ્રસ્ટ માટે કામ કરવા આવવાનું કહ્યું છે પણ હું કોઈના માટે કામ કરવા નથી માંગતો. હું જાતે જ આ અભિયાન ચલાવવા માંગુ છું અને તે માટે મને મદદની જરૂર છે. એક ટ્રસ્ટે વિઝિટ કરીને મદદની ઈચ્છા વ્યક્ત કરી છે. ખરેખર, સાહિલ સ્ટ્રીટ ચિલ્ડ્રનનું ભવિષ્ય સુધારવા જે શિક્ષણદાન આપી રહ્યો છે તે સરાહનીય છે. આવી ફૂટપાટ શાળાઓ આમ તો શહેરમાં બે-ચાર ચાલી રહી છે પણ તેમાં સમસ્યા એ આવે છે કે, મજૂરો સ્થળ બદલતા રહેતા હોય છે. [...] Read more...
March 22, 2024. કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ. બીએસઈ લિસ્ટિંગના દિવસે અપર સર્કિટ 200 પર ખુલ્યો, 210 પર બંધ થયો. ફિલ્મ અભિનેતા સૂરજ પંચોલીને એઇડ્સ પ્રદર્શન સાથે કેપી ગ્રીન એન્જિનિયરિંગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવ્યા રાજા શેખ, સુરત: (9898034910) સુરતમાં કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીનો BSE લિસ્ટિંગ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટિનમ હોલમાં યોજાયો હતો. આ પહેલીવાર છે કે સુરતની કોઈ કંપની હોમ ટાઉનમાં લિસ્ટ થઈ છે. IPO લિસ્ટિંગના દિવસે એટલે કે શુક્રવારે રૂ. 145ના ભાવે ભરાયો હતો, જે 38%ના પ્રીમિયમ સાથે રૂ. 200 પર ખૂલ્યો હતો અને અંતે રૂ. 210 પર બંધ થયો હતો. શુક્રવારે ખુલતાની સાથે જ આ કંપનીનું માર્કેટ કેપ 1050 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. જેથી, ઈન્વેસ્ટર્સના ચહેરાઓ પર લિસ્ટિંગના પહેલા જ દિવસે ચમક આવી ગઈ હતી. કંપની મોટી છલાંગ લગાવશે તે દિશામાં જ ફર્સ્ટ ઈમ્પ્રેશનની સાબિત થઈ રહ્યું છે. સુરતમાં યોજાયેલી બીએસઈ લિસ્ટેડ સેરમેનીની વીડીયોરૂપી ઝલક ઉપરની યુટ્યુબ ચેનલની લિંક ખોલી જુઓ બેલ સેરેમની કેપી ગ્રુપના સીએમડી અને પ્રમોટર ડૉ. ફારુક જી.પટેલના હસ્તે કરાય, તેમની સાથે કેપી ગ્રીનના હોલ-ટાઇમ ડાયરેક્ટર મોઇનુલ કડવા, સીએફઓ સલીમ યાહૂ, પ્રવીણ સિંઘ, ડાયરેક્ટર અફફાન પટેલ, હસન પટેલ, ડો. ઇન્દુગુપ્તા રાવ, સુરિન્દર નેગી, બીએસઇના એમડી અજય ઠાકુર વગેરે જોડાયા હતા.. અભિનેતા સૂરજ પંચોલી બ્રાંડ એમ્બેસડર, ‘‘હર કામ મેં દમ, દેશ રફતાર સે બઢાએ કદમ’ આ પ્રસંગે, બોલિવૂડ અભિનેતા સૂરજ પંચોલી અભિનીત કેપી ગ્રીનની જાહેરાત પણ લોન્ચ કરવામાં આવી હતી. સૂરજને કેપી ગ્રીનનો બ્રાન્ડ એમ્બેસેડર પણ જાહેર કરવામાં આવ્યો હતો. રૂપેરા પરદા પર સૂરજ પંચોલી કેપી ગ્રીનની રિન્યુએબલ એનર્જીને સપોર્ટ કરતુ મટિરિયલ વિન્ડ લેટિસ-ટ્યુબલર ટાવર, ટ્રાન્સમીશન ટાવર, સબ સ્ટેશન, સોલાર એમએમએસ સ્ટ્રક્ચર બ્રિજીસ, ક્રેસ બેરિયર વગેરે પર કેપી ગ્રીન એન્જિનિયરિંગના પ્રોડક્શન કરાવતા દેખાડે છે અને ભારે ભરખમ અવાજમાં કહે છે કે, ‘કેપી ગ્રીન એન્જિનિયરિંગ , ‘‘હર કામ મેં દમ, દેશ રફતાર સે બઢાએ કદમ’’ આ એડ્સના પ્રેઝન્ટેશન વખતે સૂરજના માતા-પિતા અભિનેતા સૂરજ પંચોલી, અભિનેત્રી ઝરીના વહાબ અને સમગ્ર કેપી ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર અને ભૂતપૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ પણ હાજર હતા. સાથોસાથ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોષ, સુરતના મેયર દક્ષેશ માવાણી, સુરતના પૂર્વ ડેપ્યુટી મેયર નિરવ શાહ અને ભાજપના જીએસ અને લોકસભાના ઉમેદવાર જાહેર થયેલા મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. કેપી ગ્રુપની ત્રીજી કંપની શેરબજારમાં લિસ્ટ થઈ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કામ કરતી KP ગ્રુપની આ ત્રીજી કંપની છે, જે BSE પર લિસ્ટ થઈ છે. અગાઉ કેપી એનર્જી અને કેપી ગ્રીન એનર્જીએ શેરબજારમાં પ્રવેશ કર્યો હતો અને આજે આ બંને કંપનીઓની માર્કેટ કેપ 13000 કરોડ રૂપિયાથી વધુ છે. સૌથી પહેલા કેપી એનર્જી લિ. કે જે વિન્ડ સેક્ટરમાં કામ કરે છે તે વર્ષ 2016માં માત્ર 6 કરોડ ડિમાન્ડથી લિસ્ટેડ થઈ હતી. બીજી કંપની કેપીઆઈ ગ્રીન એનર્જી લિ. (કેપીઆઈ ગ્લોબલ ઇન્ફ્રા) એ વર્ષ 2019માં લિસ્ટ થઈ હતી. જે એમએસઈ પ્લેટફોર્મ પરથી મેઈન બોર્ડ પર અને ત્યારબાદ નેશનલ સ્ટોક એક્ચેન્જ પર પણ માઈગ્રેટ થઈ છે. અકેલા હી ચલા થા જાનીબે મંઝિલ મગર – ડો. ફારુક પટેલ કેપી ગ્રૂપના સીએમડી અને પ્રમોટર ડૉ. ફારુક પટેલે જણાવ્યું હતું કે, “અમે રોમાંચિત છીએ અને આભારી છીએ કે રોકાણકારોએ અમારા પર વિશ્વાસ મૂકીને IPO 29.58 વખત સબસ્ક્રાઇબ કર્યો. અમારી રૂ. 189.50 કરોડની માંગ સામે રૂ. 3727 કરોડની બીડ મળી. રોકાણકારોએ અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેના પર અમે ખરા ઉતરીશું. કેપી ગ્રીન અમારી ફ્લેગશિપ કંપની છે અને આ કંપનીની 21 વર્ષની લાંબી સફર ખેડી છે. માત્ર 50 મેટ્રિક ટનના ઉત્પાદનથી શરૂ થયેલી સફર આજે 53000 મેટ્રિક ટનથી વધુના ઉત્પાદન સુધી પહોંચી છે અને કંપની ભરૂચના માતરમાં નવી ફેક્ટરીના નિર્માણ સાથે આગામી દિવસોમાં ઉત્પાદન ક્ષમતા 2.94 લાખ મેટ્રિક ટન સુધી પહોંચાડવાનું આયોજન કરી રહી છે. ડો. ફારુકે ઈમોશનલ અંદાઝમાં કહ્યું હતું કે, ‘મેં અકેલા હી ચલા થા જાનીબે મંઝિલ મગર, લોગ આતે ગએ કારવાં બનતા ગયા’ જોકે, 1994માં મેં શરૂઆત કરી હતી અને ટીમ બનતી ગઈ. આજે મારી પાસે અનેક ઉચ્ચ ગુણવત્તાસભર મોરપિચ્છ છે અને 30 વર્ષના અનુભવનું આ ભાથું લઈને આજે અમે ત્રીજા કંપનીને શેરબજારમાં મુકી છે. [...] Read more...
Translate »