ફરી શરૂ થશે પોલીયો રસી અભિયાન, આ તારીખ દરમિયાન અહીં 2.24 લાખ બાળકોને પીવડાવાશે ટીપા

ફરી શરૂ થશે પોલીયો રસી અભિયાન, આ તારીખ દરમિયાન અહીં 2.24 લાખ બાળકોને પીવડાવાશે ટીપા


સુરત જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આવતીકાલ તા.31 જાન્યુ. થી 2 ફેબ્રુ. દરમિયાન સમગ્ર જિલ્લામાં એન.આઈ.ડી.માં 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટરના ડો.ધવલ પટેલનાં અધ્યક્ષસ્થાને ટાસ્ક ફોર્સ મીટીંગ યોજાઈ હતી.
જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા દર વર્ષે એન.આઈ.ડી કાર્યક્રમ અંતર્ગત 0 થી 5 વર્ષનાં બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાનો કાર્યક્રમ રાખવામાં આવે છે. ચાલુ વર્ષે જિલ્લાના 741 ગામોના 1292 પોલીયો બુથ પરથી 0 થી 5 વર્ષના કુલ 224313 બાળકોને પોલીયોનાં ટીપા પીવડાવવામાં આવશે .
પોલીયો કામગીરીની માહિતી આપતા તેમણે વધુમાં કહ્યું કે, તા.31 જાન્યુ.એ પોલીયો બુથ ઉપર પોલીયોનાં ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવશે તેમજ તા.1અને તા.2 ફેબ્રુઆરીના રોજ આરોગ્ય કર્મચારી, આશા વર્કરો,આંગણવાડી કાર્યકરો અને સ્વયં સેવકો દ્વારા ઘરે-ઘરે જઈને 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયો પીવડાવવામાં આવશે.
કોઈ પણ બાળક પોલીયોથી વંચિત ન રહે તે માટે સમગ્ર જિલ્લામાં પોલીયોની કામગીરીમાં કુલ 1292 પોલીયોના બુથ ઉપર ૫૫૨ આરોગ્ય કર્મચારીઓ,1428 આશા બહેનો, 118 આશા ફેસેલીટેટર બહેનો, 115 આંગણવાડી કાર્યકર બહેનો, 1865 સ્વયંસેવકો મળીને કુલ 5111 કર્મચારીઓ અને 258 સુપરવાઈઝરો જોડાશે. જેમના માટે 258 વાહનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. તેની સાથે જ શહેરના અને ગ્રામ્યના નાગરિકોને પોતાના 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલીયોના ટીપાં પીવડાવવાની અપીલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »